Ad

Tuesday, April 14, 2020

ગુજરાત સરકારે મંગળવારે સાંજે જાહેર કરેલા કોરાનાના 22 કેસની યાદીમાં 11 કેસ તો છેલ્લા એક સપ્તાહના જ હતા

અમદાવાદમાં કોરોના પોઝેટિવ દર્દીના નામો જાહેર કરવામાં ગંભીર બેદરકારી છતી થઈ છે. રાજ્ય સરકારે મંગળવારે સાંજે જાહેર કરેલા બુલેટિનમાં જે નવા 22 કેસ જાહેર કર્યા તેમાં 11 કેસ એવા છે કે જે તમામ છેલ્લા એક સપ્તાહમાં જાહેર થઈ ચૂકયા હતા. એ જ નામો ફરી જાહેર કરવામાં શા માટે આવ્યા તે અંગે તપાસનો વિષય બન્યો છે. સરકારની જાહેરાત પછી મ્યુનિ.એ 22 પૈકીના કયા 11 નામો રીપિટ હતા તેની યાદી જાહેર કરી હતી અને નવા માત્ર 11 જ કેસ આવ્યા હોવાનો દાવો કર્યો હતો.અર્થાત મંગળવારે સવારે 31 અને સાંજે 11 એમ કુલ મળી 42 કેસ પોઝિટિવ મળ્યા હોવાનો દાવો મ્યુનિ. હેલ્થ વિભાગે કર્યો હતો. જે 11 નામો રીપિટ કરવામાં આવ્યા છે તેમાં બે ત્રણ નામ વગદાર લોકોના પણ છે.
સરકારના કોઈ પણ જવાબદાર અધિકારી કંઈ કહેવા તૈયાર નથી
સૂત્રોના કહેવા પ્રમાણે આ છબરડાં પાછળ કયું કારણ છે તે સમજાતું નથી. આ બેદરકારી અંગે મ્યુનિ.કે સરકારના કોઈ પણ જવાબદાર અધિકારી કંઈ કહેવા તૈયાર નથી. બેમાંથી કોઈ એક પક્ષે ભૂલ થઈ છે. આટલા ગંભીર કિસ્સામાં છબરડો કઈ રીતે થયો તે સૌથી મહત્ત્વનો પ્રશ્ન બની ગયો છે.
એક તરફ ટેસ્ટિંગ કીટો રાજ્ય સરકાર પાસે ઘણી ઓછી છે અને દૈનિક 100 સેમ્પલોનું જ વેરીફિકેશન કરાઈ રહ્યું છે ત્યારે આટલી નાની સંખ્યામાં આવી બેદરકારી સામે મ્યુનિ. અને સરકાર બંન્નેમાં ગરબડ ચાલી રહી હોવાનું મનાય છે. એક સાથે 11 નામો રીપિટ કરવા પાછળ કોઈ ચોકક્સ હેતુ રહેલો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
સાંજે નોંધાયેલા 11 દર્દી

પુરુષ
ઉંમર એરિયા
24 તાપી, હરિદર્શન રોડ
45 એ-27 રહેમત ફ્લેટ, ગાંધી સ્મૃતિ
50 202, દેવડીવાલા ફ્લેટ, ખાંડશેરી, જમાલપુર
66 બી-36, સૂર્ય નારાયણ સોસાયટી, નિકોલ ગામ
66 બી-36, સૂર્ય નારાયણ સોસાયટી, નિકોલ ગામ
23 દૂધવાળી ચાલી, બહેરામપુરા
57 શાહઆલમ રેસ્ટોરાં, ભીસ્તીવાડા, રખિયાલ
29 687, હરિજન વાસ, આસ્ટોડિયા
સ્ત્રી
42 એ-27, રહેમત ફ્લેટ, ગાંધી સ્મૃતિ
23 151, સંકલિતનગર, એચ-વોર્ડ, જુહાપુરા
66 ડી-36, સૂર્યનારાયણ સોસાયટી, નિકોલ ગામ
28 ગોતા
32 8, શક્તિ સોસાયટી, દાણીલીમડા

આ 11 કેસ રીપિટ કર્યા
પુરુષ
ઉંમર એરિયા
24 તાપી, હરિદર્શન રોડ
35 કાલુપુર મસ્જિદ
32 કાલુપુર મસ્જિદ
57 301, અજમેરી, જમાદાર મહોલ્લો, દિલ્હી ચકલા
24 કાલુપુર મસ્જિદ
47 6, ગિરિવા એપાર્ટમેન્ટ, બીજો માળ, ઈશ્વરનગર,
92 4, દીપવિલા બંગલો, ઝાયડસહોસ્પિટલ રોડ, થલતેજ
68 1965, બહેચરબુરાની ખડકી, જમાલપુર
સ્ત્રી
49 13, સ્નેહ સરિતા, પુષ્પકુંજ, મણિનગર
38 કાલુપુર મસ્જિદ
46 ખુરશીદ રેસિડેન્સી, જમાલપુર
નોંધ : 22 કેસમાંથી 11 દર્દીના નામ રીપિટ જાહેર કરાયા

બેદરકારીના આ 4 પ્રશ્નો

  • મ્યુનિ.ની ફિલ્ડમાં કામ કરતી ટીમો દ્વારા અગિયાર એવા વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા જેમના રિપોર્ટ જાહેર ન થાય તે માટે રીપિટ નામો સેમ્પલની સામે પરિણામ કરીને ઓનલાઈન રાજય સરકારને યાદી મોકલી આપી.
  • જે અગિયાર નામો જાહેર કરવામાં આવ્યા તેમના ફરી વખત સેમ્પલ લઈને તેમનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે.
  • ઓનલાઈન સેમ્પલ અને પરિણામની જે યાદી સરકારને મોકલવામાં આવે છે તેમાં કોઈ વેરીફાઈ કરવામાં ગંભીર બેદરકારી થઈ હોય શકે.
  • અગિયાર નામો છુપાવવા માટે રીપિટ નામો જાહેર કરી દેવામાં આવ્યા હોય.

ગોતામાં સેમ્પલ ન લેવાયું હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ
ગોતામાં પહેલો પોઝેટિવ કેસ મળ્યો છે. જો કે, આ વ્યકિત કઈ સોસાયટી કે ક્યા ફ્લેટમાં રહે છે તેનુ સરનામું જ નથી. આ વ્યક્તિનું સેમ્પલ પણ મ્યુનિ.હેલ્થ વિભાગની ટીમો દ્વારા લેવામાં આવ્યુ નથી. તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. તે બારોબાર સિવિલમાં દાખલ થયાનું દર્શાવવામાં આવે છે. પરંતુ તેનુ સરનામું સરકારે મ્યુનિ.ને મોકલેલી યાદીમાં જ નથી ત્યારે આ કેસ સંદર્ભે પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2wElLzM

No comments:

Post a Comment