Ad

Monday, April 13, 2020

અમદાવાદમાં સૌથી મોટું કોરોના હોટસ્પોટ પણ મૃત્યુદર સૌથી વધુ સુરતમાં, દર 10મા પોઝિટિવનું મૃત્યુ થાય છે

કોરોના પોઝિટિવના દર્દીઓની દૃષ્ટિએ અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું હોટસ્પોટ બની ગયું છે પણ અહીં મૃત્યુદરનો આંકડો એટલો ચિંતાજનક નથી. અમદાવાદમાં સૌથી વધુ 295 કેસ નોંધાયા છે છતાં મૃત્યુદર ફક્ત 4.41 ટકા રહ્યો છે. જોકે સુરતમાં ફક્ત 33 પોઝિટિવ કેસ નોંધાવા છતાં અત્યાર સુધી ગુજરાતનો મૃત્યુદર સૌથી વધુ 12.12 ટકા અહીં જ જોવા મળ્યો છે. સુરતમાં ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે અને 8 સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. અહીં રિકવરી રેટ 24.24 ટકા રહ્યો છે. સૂરતમાં જે ચાર મૃત્યુ થયા તેમાં ત્રણ વૃદ્ધ અને એક 52 વર્ષીય વ્યક્તિ હતી. બધાને પહેલાંથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કિડનીનો રોગ હતો. બધાની પહેલાંથી જ સારવાર ચાલી રહી હતી. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના ડૉ.મુકેશ રાઠોડ કહે છે કે ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર, કિડની રોગ, નબળી ઈમ્યૂનિટી, વધુ વય, એચઆઈવી, ટીબી, અસ્થમા, દમો, લંબાઈ અનુસાર ઓછું વજન અને ફૂડ માસ ઈન્ડેક્સ ઠીક ન ધરાવતા દર્દીઓને જો કોરોના થાય તો મોર્ટિલિટી 50 ટકા થાય છે. તે ઉપરાંત 5થી 10 ટકા જ મોર્ટેલિટી રહે છે.

સુરતથી નજીકના નવસારી સહિત 13 જિલ્લામાં એક પણ કેસ
અમરેલી, અરવલ્લી, બોટાદ, ડાંગ, દ્વારકા, જૂનાગઢ, ખેડા, મહિસાગર, નર્મદા, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં એક પણ કેસ આવ્યો નથી. બનાસકાંઠામાં 2, છોટા ઉદેપુરમાં 3, દાહોદમાં 1, કચ્છમાં 4, મહેસાણામાં 2, પોરબંદરમાં 3 કેસ નોંધાયા છે.

સુરતમાં દરેક 74 તપાસમાં 1 પોઝિટિવ
65 લાખની વસતી ધરાવતા સુરતમાં 2969 તપાસમાં 40 પોઝિટિવ, 74 તપાસે 1 તથા 70 લાખની વસતી ધરાવતા 5943 તપાસમાં 320 કેસ એટલે કે 19 કેસ દીઠ 1 કેસ આવી રહ્યો છે.

રાજ્યમાં... મૃત્યુદરમાં સુરત પહેલું, રિકવરીમાં પાંચમું

જિલ્લો કેસ મોત ટકાવારી ડિસ્ચાર્જ ટકાવારી તપાસ
અમદાવાદ 320 13 4.06 11 3.43 5943
ગાંધીનગર 15 01 6.67 07 46.67 135
સુરત 40 04 10 8 20 2969
વડોદરા 107 03 2.80 07 6.54 944
રાજકોટ 18 00 00 08 44.44 552
ભાવનગર 23 02 8.70 05 21.74 861
પાટણ 14 01 7.14 04 28.57 132
આણંદ 09 00 00 00 00 196
ભરુચ 11 00 00 00 00 183
  • સર્વાધિક મૃત્યુદર: સુરત પછી ક્રમશ: ભાવનગર, પાટણ અને ગાંધીનગરનો ક્રમ
  • આમને વધુ ખતરો: ક્રોનિક બીમારીમાં મૃત્યુદર 50%ની નજીક, સામાન્યમાં 5થી 10%
  • ગનીમત છે કે ગુજરાતનું મોટું શહેર હોવા છતાં સુરતનામાં હાલત હજુ ખતરનાક નથી.
  • તેમાં 27 પુરુષ એટલે કે 67.5% દર્દી અને 13 મહિલા એટલે કે 32.5% દર્દી

દેશમાં...સૌથી વધુ મોત મપ્રમાં,ગુજરાત ચોથું

રાજ્ય કેસ મૃત્યુ ટકાવારી ડિસ્ચાર્જ ટકાવારી
ગુજરાત 572 26 4.55 54 9.40
મહારાષ્ટ્ર 2064 150 7.27 217 10.51
મધ્યપ્રદેશ 616 50 8.14 51 8.31
યુપી 483 05 1.04 45 9.32
દિલ્હી 1154 24 2.08 28 2.43
પંજાબ 176 12 6.82 25 14.20
તેલંગાણા 531 16 3.01 103 19.40
રાજસ્થાન 847 11 1.30 121 14.29
કેરળ 378 02 0.53 198 52.38

રિકવરીમાં અમદાવાદ સુરતથી પણ પાછળ
દર્દીની રિકવરીમાં અમદાવાદ સુરતથી પણ પાછળ છે. અમદાવાદમાં રિકવરી દર 3.43 તો સૌથી વધુ ગાંધીનગરમાં 53.33 ટકા છે. ત્યારપછી રાજકોટ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરતનો ડ્રોન વ્યૂ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2VsRITU

No comments:

Post a Comment