
from India Today | Top Stories https://ift.tt/39DQvyn
ગુજરાતી નખશિખ બિઝનેસમેન હોય છે. પછી ભલેને ગમે તેવી સ્થિતિ હોય તે ધંધાનું કામ કરવાનું ચૂકતો નથી. સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા ફૈઝલ ચુનારાની કહાની પણ આવી જ છે. દુબઇથી આવ્યા બાદ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે તે સીધો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દસ દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં રહેવાનું આવ્યુ, ધંધાદારી માણસ આમ, તો 24 કલાક એક જ જગ્યાએ એક જ રૂમમાં, એક જ બેડ પર નિકળે નહીં, એટલે તેણે પોતાનો એડવાઇઝરીનો બિઝનસના અધુરા કામ કરવાનું શરૂ કર્યું, માર્ચે એન્ડિંગ હતુ એટલે હિસાબો સરખા કર્યા, ઓડિટ કરાવવાનું હતુ એ કરાવ્યુ. એક રીતે હોસ્પિટલના બિછાનેથી પણ કામ જ કર્યું, દસ દિવસ વીતી ગયા અને છેવટે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા અને ફૈઝલને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી.
જી઼દ કરી મેં ફોર્મ ભર્યું અને મારો ત્રણમાંથી એક ટેસ્ટ પોઝિટિવ આવ્યો
પોતાના અનુભવ અંગે ઘોડદોડની કરીમાબાગ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય ફૈઝલ કહે છે કે હું ફોરેનમાં ધંધાકીય એડવાઇઝ આપવાનું કામ કરું છું અને આ માટે તે 1લી માર્ચના રોજ દુબઇ ગયો અને ત્યાંથી 15મી માર્ચના રોજ મુંબઇ એરપોર્ટથી બાયરોડ સુરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ મને સારું નહીં લાગતા હું ફેમિલિ ડોકટરને મળ્યો હતો અને તેઓએ મને સિવિલમાં જઈ કોરોના ટેસ્ટ કરાવવા કહ્યુ હતુ. જો કે, સિવિલના ડોકટરો માનવા તૈયાર જ ન હતા કે મને કોરોના છે. તેઓએ મને ત્રણ સવાલ કર્યા, તાવ છે?, માથુ દુખે છે? અને શ્વાસ લેવામાં તકલીફ છે? મને માત્ર માથું દુખતુ હતુ, શરદી કે ખાંસી પણ ન હતી. આથી ડોકટરોએ મને ઘર જવાનું કહ્યુ, પરંતુ ફોરેન હિસ્ટ્રી અને ઘરમાં મમ્મી અને નાનો ભાઈ પણ હોય મેં જીદ પકડી કે હું કોરોના ટેસ્ટ વગર જવા જ નહીં. અંદાજે 20 થી 25 મિનિટ રિકઝીક ચાલી છેવટે મેં કહ્યુ કે હું મીડિયાને બોલાવીશ. તો તેઓ ટેસ્ટ કરાવવા રાજી થયા, મેં ફોર્મ ભર્યું અને મારો ત્રણમાંથી એક ટેસ્ટ પોઝિટિવ આવ્યો. એટલે 21મીના રોજ હું સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. હવે સમય કાઢવાનો હતો. એટલે મે જે ધંધાનું જે પેન્ડિંગ કામ હતુ તે કર્યું, 31મી માર્ચ પણ હોય હિસાબો સરખા કર્યા, ઓડિટનું કામ હતુ તે કરાવ્યુ. આ રીતે સમય પસાર કર્યો. અને છેવટે હું સાજો થઈ ગયો. હોસ્પિટલમાં જમવાનું પણ ઘર જેવું મળતુ હતું. મને સાજો કરીને ઘરે મોકલનાર ડોકટરો, સ્ટાફનો હું ખુબ ખુબ આભાર માનું છું.
ફૈઝલ સાથે દુબઇમાં રહેતા છ મિત્રોના રિપોર્ટ નેગેટીવ
ફૈઝલ સાથે દુબઇમાં ત્યાં જ રહેવાસી એવા છ મિત્રો પણ હતા જેઓ સાથે જ રહ્યા હતા. આથી ફૈઝલનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેણે મિત્રોને જાણ કરી હતી જો કે તે તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ફૈઝલ કહે છે કે મુંબઇ એરપોર્ટ પર કોરોનાને લઇને પુરતી તકેદારી રખાતી ન હતી. જે ચેપ લાગવાનુ એક કારણ હોય શકે.
લૉકડાઉનના કારણે ગત માર્ચમાં ઓનલાઇન પેમેન્ટ્સમાં ઘટાડો નોંધાયો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એનપીસીઆઇ)ની સીઇઓ પ્રવીણા રાયે જણાવ્યું કે આ વર્ષે ફેબ્રુઆરીની તુલનામાં માર્ચમાં યુપીઆઇ અને ભીમ એપથી કરાતું ટ્રાન્ઝેક્શન આશરે 16,055 કરોડ રૂપિયા ઓછું થયું. તેની સંખ્યા 8 કરોડ રૂપિયા ઘટી ગઇ. આ ઘટાડો એટલા માટે થયો, કારણ કે તમામ કોમર્શિયલ સંસ્થાન બંધ છે અને લોકો પણ ઘરોમાં છે. તેની સાથે જ આઇએપીએસ અને આધાર પેમેન્ટ સિસ્ટમ(એઇપીએસ)થી થનાર ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટી ગઇ.
વ્યક્તિગત પેમેન્ટ ઘટ્યું, ફૂડ-ગ્રોસરીમાં 6% વધ્યું
એનપીસીઆઇની સીઇઓ રાયે જણાવ્યું કે પર્સન ટુ પર્સન થનારા પેમેન્ટમાં ઘટાડો થયો છે, જ્યારે ફૂડ અને ગ્રોસરી કેટેગરીમાં પર્સન ટુ મર્ચન્ટ પેમેન્ટમાં 5થી 6 ટકાનો વધારો થયો. અમે શાકભાજીની દુકાન, પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ, ઇ-કોમર્સ અને બિલની ચુકવણીને સ્માર્ટ ફોન વગેરેથી પ્રોત્સાહન આપતું યુપીઆઇ કેમ્પેન પણ લોન્ચ કર્યું છે.
ટ્રાન્ઝેક્શન | ફેબ્રુઆરી | માર્ચ | અંતર |
આઇએમપીએસ (સંખ્યા) | 24.78 | 21.68 | -3.1 |
આઇએમપીએસ (રકમ) | 2,14,566 | 2,01,962 | -12,604 |
ભીમ-યુપીઆઇ (સંખ્યા) | 133 | 125 | -8 |
ભીમ-યુપીઆઇ (રકમ) | 2,22,517 | 2,06,462 | 16,055 |
એઇપીએસ (સંખ્યા) | 21.67 | 18.18 | -3.49 |
એઇપીએસ (રકમ) | 11,389 | 10,170 | -1219 |
નોંધ: તમામ ટ્રાન્ઝેક્શન કરોડ અને રકમ કરોડ રૂપિયામાં છે. સ્ત્રોત: નેશનલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા.
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષીય પુરૂષનું કોરોના વાઈરસની બીમારીથી મોત નીપજ્યું છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત થયું છે. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
16 માર્ચે કોરોના વાઈરસના લક્ષણો દેખાયા હતા
વડોદરાજિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા52 વર્ષની ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા આ વ્યક્તિને 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. તેમના પછી તેમના પરિવારના 4 સભ્યોનો પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનેપણ સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.
સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના 30 તબીબો અને નર્સિંગ સ્ટાફને ક્વોરન્ટાઇન કરાયા
કોરોના આઇસોલેશન વોર્ડમાં કામ કરતા અને પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદતેમને સંક્રમણની અસર થઇ છે કે નહીં અને તેમને વધુ કોઇ અસર ન થાય તે માટે તબીબી અને નર્સિંગ સ્ટાફને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. સયાજીહોસ્પિટલ અને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલના 15-15 કુલ 30 તબીબો અને નર્સિંગ સ્ટાફને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. ગોત્રી હોસ્પિટલના ક્વોરન્ટાઇન સ્ટાફને ખાલી કરવામાં આવેલી ઇન્ટર્ન હોસ્ટેલ ક્વાટર્સ ખાતે ઊભી કરવામાં આવેલી વિશેષ ક્વોરન્ટીનવ્યવસ્થામાં અને સયાજી હોસ્પિટલના ક્વોરેન્ટાઇન સ્ટાફને નર્સિંગ હોસ્ટેલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યાછે.
સ્વેબ નમૂના લેબમાં મોકલવામાં આવ્યા
કેટલાક દિવસ પહેલા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સેવા બજાવતા તબીબની તબિયત લથડ્યા બાદ દાખલ કરાયા હતા અને તેમનો નમૂનો નેગેટિવ આવ્યો હતો. હવે ગોત્રી હોસ્પિટલમાં એક ટેક્નિશિયનને ખાંસી-શરદીની ફરિયાદ થતાં તેમને ક્વોરન્ટીન કરાયા છે એટલું જ નહીં તેમના સ્વેબ નમૂના લઇને સયાજી હોસ્પિટલ ખાતેની લેબમાં મોકલવામાં આવ્યાં છે.
કોરોના વાઈરસની મહામારી વચ્ચે જીવની ચિંતા કર્યા વગર જનસેવામાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં બુધવારે સંક્રમણના શંકાસ્પદોનું સ્ક્રીનીંગ કરવા પહોંચેલા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ અંગે પોલીસે કેસ નોંધી લીધો છે. તો બીજી બાજું ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરના મોરનામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકોએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાંથી એક સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ઘાયલ થયો છે.
દેશના રાજ્યોની સ્થિતિ
મહારાષ્ટ્ર; કુલ સંક્રમિત-335 બુધવારે એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી વસ્તી ધારાવીમાં મળી આવેલા સંક્રમિતનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. તંત્રએ 56 વર્ષના આ દર્દીને સાયન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ હતી અને કિડની ફેલ થવા જેવી સ્થિતિ હતી. મૃતકના પરિવારના સાત સભ્યોને હોમ ક્વૉરિન્ટાઈન કરાયા છે.
દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિનો સામનો કરવા ભારતીય સેનાની ત્રણેય પાંખ તૈયાર છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે આ મામલે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી હતી. જેમાં હાજર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)જનરલ બિપિન રાવતે કહ્યુ- આર્મીની હોસ્પિટલોમાં 9 હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. જેસલમેર, ચેન્નઇ, માનેસર, હિંડન અને મુંબઇમાં 1 હજારથી વધુ લોકોને ક્વૉરન્ટિનમાં રાખવામાં આવ્યા છે. જેમનો ક્વૉરન્ટિન 7 એપ્રિલના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. માર્ચ 2018 સુધીના આંકડાઓ અનુસાર દેશમાં આર્મીની 133 હોસ્પિટલ છે. જેમાં 112 મિલેટ્રી, 12 એરફોર્સ અને 9 નેવીની છે.
આ વીડિયો કોન્ફરન્સ દ્વારા રક્ષા મંત્રીએ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે, એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ, આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસના ડીજી લેફ્ટિનન્ટ જનરલ અનૂપ બેનર્જી અને ડીઆરડીઓ ચેરમેન ડૉ. સતીશ રેડ્ડી સાથે વાત કરી.
કોરોના વાઈરસનો સામનો કરવા સેનાની ત્રણેય પાંખ તૈયાર
આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે: 8500 થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ તૈયાર છે. આર્મીની હોસ્પિટલોમાં 9 હજારથી વધુ બેડ ઉપલબ્ધ.
એરફોર્સ ચીફ એર માર્શલ આરકેએસ ભદૌરિયા: છેલ્લા પાંચ દિવસમાં એરફોર્સે દેશના જુદાજુદા વિસ્તારોમાં 25 ટનથી વધુ મેડિકલ ઇક્વિપમેન્ટની સપ્લાઇ કરી.
નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ: કોઇપણ સ્થિતિનો સામનો કરવા નેવીના જહાજ સ્ટેન્ડબાય છે. જરૂર પડ્યે લોકલ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને પણ કામ કરવામાં આવી રહ્યું છે.
25 હજાર NCC કેડેટ્સ અને નિવૃત્ત હેલ્થ પ્રોફેશનલ્સ પણ તૈયાર
અર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસના ડીજી લેફ્ટિનન્ટ જનરલ અનૂપ બેનર્જીએ રક્ષા મંત્રીએ જણાવ્યું કે, નિવૃત્ત હેલ્થ પ્રોફેશનલ્સ પણ સેવા આપવા તૈયાર છે. 25 હજારથી વધુ NCC કેડેટ્સને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
DRDO એક સમયમાં 4 દર્દીઓને સપોર્ટ કરી શકે તેવા વેન્ટિલેટર બનાવી રહ્યું છે
DRDOના ચેરમેન ડૉ. સતીશ રેડ્ડીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને જણાવ્યું હતું કે ડીઆરડીઓ લેબમાં બનાવવામાં આવેલ 50 હજાર લિટર સેનેટાઇઝર દિલ્હી પોલીસ સહિત જુદાજુદા સુરક્ષા દળોને સપ્લાય કરવામાં આવ્યું છે. એ સિવાય 1 લાખ લિટર સેનેટાઇઝર દેશમાં સપ્લાય કરવામાં આવ્યું. દરરોજ 10 હજાર પાંચ લેયરવાળા નોનો ટેકનોલોજી ફેસ માસ્ક N-99 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેનું પ્રોડક્શન વધારી 20 હજાર પ્રતિદિવસ કરવામાં આવશે. 40 હજાર ફેસ માસ્ક દિલ્હી પોલીસને આપવામાં આવ્યા છે. એક લેબમાં દરરોજ 20 હજાર પીપીઇ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે જ એક એવું વેન્ટિલેટર પણ બનાવવામાં આવી રહ્યું છે જે એક સમયે 4 દર્દીઓને સપોર્ટ કરી શકે.
રક્ષા મંત્રાલયના તમામ કર્મચારી PM-કેર ફંડમાં એક દિવસનો પગાર આપશે
કોરોનાવાઇરસનો સામનો કરવા માટે બનાવવામાં આવેલા PM-કેર ફંડમાં રક્ષા મંત્રાલયના બધા કર્મચારી એક દિવસનો પગાર આપશે. બુધવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એવું અનુમાન છે કે આર્મી, નેવી અને એરફોર્સ સહિત રક્ષા મંત્રાલય હેઠળની તમામ વિંગના કર્મચારીઓના એક દિવસના પગારમાંથી 500 કરોડ રૂપિયાનું ફંડ મળશે.
આજે રામ નવમી છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ પ્રાકટ્યોત્સવ ઉજવવામાં આવે છે. ત્રેતાયુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુએ શ્રીરામ સ્વરૂપ અવતાર લીધો હતો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ વર્ષે રામ નવમીએ અનેક દુર્લભ યોગ બની રહ્યા છે. આ સમયે મકર રાશિમાં ગુરૂ સ્થિત છે. શનિની મકર રાશિમાં ગુરૂ અને રામ નવમીનો યોગ 118 વર્ષ બાદ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ રહેશે. આ શુભ યોગમાં કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થાય છે.
રામ નવમીએ ગ્રહોનો દુર્લભ યોગઃ-
118 વર્ષ પહેલાં 16 એપ્રિલ 1902ના રોજ રામ નવમીએ ગુરૂ શનિની મકર રાશિમાં હતો. ત્યાર બાદ 2020માં આ યોગ બન્યો છે. આ સિવાય 854 વર્ષ બાદ મકર રાશિમાં મંગળ, ગુરૂ અને શનિ એકસાથે સ્થિત છે. આ ત્રણેય ગ્રહોની આ યુતિમાં રામ નવમીનો યોગ 854 વર્ષ બાદ બન્યો છે. ગુરૂ પોતાની નીચ રાશિમાં, મંગળ ઉચ્ચ રાશિમાં અને શનિ સ્વરાશિમાં સ્થિત છે. 17 એપ્રિલ 1166ના રોજ રામ નવમીએ ગુરૂ, મંગળ અને શનિની યુતિ મકર રાશિમાં બની હતી.
શ્રીરામ જન્મની સંક્ષિપ્ત કથાઃ-
પં. શર્મા પ્રમાણે ત્રેતા યુગમાં રાવણનો આંતક ખૂબ જ વધી ગયો હતો. બધા જ દેવી-દેવતા અને પૃથ્વીના લોકો રાવણના કારણે ત્રસ્ત (કંટાળવું) હતાં. તે સમયે અયોધ્યાના રાજા દશરથ હતાં. રાજા દશરથને ત્યાં કોઇ પુત્ર હતો નહીં. ત્યારે તેમણે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞથી ખીર ઉત્પન્ન થઇ. આ ખીરનું સેવન રાજાની ત્રણેય રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાએ કર્યું. જેના પ્રભાવથી કૌશલ્યાએ શ્રીરામ, કૈકેયીએ ભરત અને સુમિત્રાએ લક્ષ્મણ તથા શત્રુઘ્નને જન્મ આપ્યો હતો. ભગવાન વિષ્ણુએ રાવણનો અંત કરવા માટે શ્રીરામ સ્વરૂપે અવતાર લીધો હતો.
રામ દરબારની પૂજા કરોઃ-
રામ નવમીએ રામ દરબારની પૂજા કરવી જોઇએ. રામ દરબારમાં શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી સામેલ છે. તેમની સાથે જ, ભરત અને શત્રુઘ્નની પૂજા પણ કરવી જોઇએ. આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ ચઢાવવું. શ્રીરામની પૂજા કરો. શ્રીરામચરિત માનસનો પાઠ કરો. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. આ દિવસે દેવી દુર્ગાની પણ વિશેષ પૂજા કરો.
બધી જ 12 રાશિઓ ઉપર ગ્રહ યોગની અસરઃ-
આ ગ્રહનો યોગ મેષ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિ માટે શુભ રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે અને ધનલાભ થશે. મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના લોકો માટે આ સમય અશુભ રહેશે. બેદરકારી કરવાથી બચવું અને ધૈર્ય જાળવવું. વૃષભ અને કર્ક રાશિના લોકો ઉપર આ ગ્રહોની સામાન્ય અસર થશે. આ લોકોને મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થશે.
વાલ્મીકિ રામાયણ પ્રમાણે ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ બપોરે શ્રીરામનો જન્મ થયો હતો. હિંદુ કેલેન્ડર પ્રમાણે આ પર્વ 2 એપ્રિલ એટલે આજે ઉજવાશે. આ દિવસે શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતા સાથે જ ભગવાન હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે. આ વાત રામાયણ સાથે જ લિંગ, નારદ અને બ્રહ્મપુરાણમાં પણ ઉલ્લેખવામાં આવી છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રિની સમાપ્તિ પણ થઇ જાય છે. એટલે જ, આ દિવસે શ્રીરામ સાથે-સાથે માતા દુર્ગાની પણ પૂજા થાય છે.
ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસઃ-
નવ દિવસના ચૈત્ર નોરતાના ઉત્સવનો છેલ્લો દિવસ રામ નવમી છે. આ પર્વને લોકો ભગવાન રામના જન્મ તરીકે ઉજવે છે, આ દિવસે ભક્ત રામાયણનો પાઠ કરે છે. આ દિવસને લઇને માન્યતા છે કે, આજે કોઇ મુહૂર્ત જોયા વિના દરેક પ્રકારના માંગલિક કાર્ય કરી શકાય છે. આ મહાપર્વ પર શ્રીરામ દરબારની પૂજા કરવામાં આવે છે. જેમાં માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજી પણ સામેલ છે. રામનવમીએ પારિવારિક સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત રાખવામાં આવે છે.
વાલ્મીકિ રામાયણમાં શ્રીરામ જન્મઃ-
ततो यज्ञे समाप्ते तु ऋतूनां षट्समत्ययु:।
ततश्च द्वादशे मासे चैत्रे नावमिके तिथौ।।1.18.8।।
नक्षत्रेऽदितिदैवत्ये स्वोच्चसंस्थेषु पञ्चसु।
ग्रहेषु कर्कटे लग्ने वाक्पताविन्दुना सह।।1.18.9।।
प्रोद्यमाने जगन्नाथं सर्वलोकनमस्कृतम्।
कौसल्याऽजनयद्रामं सर्वलक्षणसंयुतम्।।1.18.10।।
આ ત્રણેય શ્લોક વાલ્મીકિ રામાયણના બાલકાંડના 18માં અધ્યાયના છે. જેમાં ભગવાન રામના જન્મ સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવે છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ પુનર્વસુ નક્ષત્ર અને કર્ક લગ્નમાં દેવી કૌળલ્યાએ દિવ્ય લક્ષણોથી યુક્ત શ્રીરામને જન્મ આપ્યો હતો. જે દિવસે ભગવાન રામનો જન્મ થયો, તે દિવસે ગ્રહ-સ્થિતિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કર્ક લગ્નમાં શ્રીરામનો જન્મ થયો અને અન્ય ગ્રહોની સ્થિતિ જોઇએ તો-
સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચે સ્થાને
શુક્ર મીન રાશિમાં ઉચ્ચે સ્થાને
મંગળ મકર રાશિમાં ઉચ્ચે સ્થાને
શનિ તુલા રાશિમાં ઉચ્ચે સ્થાને
બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચે સ્થાને
ચંદ્ર પુનર્વસુથી પુષ્ય નક્ષત્ર તરફ આગળ વધી રહ્યો હતો
વ્રત અને પૂજા વિધિઃ-
રામનવમીના દિવસે સવારે જલ્દી જાગીને ઘરની સાફ-સફાઈ કરી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો. ઘર, પૂજાઘર અથવા મંદિરને ધજા, પાતકા અને તોરણ વગેરેથી સસજાવવું. ઘરના ફળિયામાં રંગોળી બનાવી શકો છો.
રામનવમીની પૂજામાં પહેલાં રામ દરબાર એટલે બધા દેવતાઓ ઉપર જળ, રોલી અને લેપ ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ મૂર્તિઓઓ ઉપર ચોખા ચઢાવવાં. ત્યાર બાદ બધી જ સુગંધિત પૂજન સામગ્રી ચઢાવ્યાં બાદ આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ શ્રીરામ જન્મકથા સાંભળવી જોઇએ. જે સમયે વ્રત કથા સાંભળો તે સમયે હાથમાં ઘઉં કે બાજરો વગેરે અનાજના દાણા રાખવા અને કથા પૂર્ણ થયા બાદ તેમાં વધુ અનાજ મિક્સ કરીને ક્ષમતા અને શ્રદ્ધાપ્રમાણે દાન કરો.
રામનવમી પૂજાના શુભ મુહૂર્તઃ-
નવમી તિથિ શરૂ- 2 એપ્રિલ, સવારે 4.05
નવમી તિથિ સમાપ્ત- 3 એપ્રિલ, રાતે 2.05 સુધી
સવારે 06.20 થી 7.40 સુધી
સવારે 11.10 થી બપોરે 1.40 સુધી
સાંજે 5.10 થી 6.30 સુધી