Ad

Thursday, April 2, 2020

Do you know how a tiger's radio collar is removed? Watch incredible video for the answer

Do you know how a tiger's radio collar is removed? Watch video for the answer

from India Today | Top Stories https://ift.tt/39DQvyn

Awareness of Covid-19 higher in India's Tier-1 cities, says study by IITs

Awareness of Covid-19 higher in India's Tier-1 cities, says study by IITs

from India Today | Top Stories https://ift.tt/2JwV3fp

પાકિસ્તાનમાં 22 હજાર શકમંદોના ટેસ્ટ રિપોર્ટનો ઇન્તજાર, દેશમાં માત્ર 25000 ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ

જ્યાં ઘણા દેશો કોરોનાથી બચવા માટે સંપૂર્ણપણે લોકડાઉન જેવા ઉપાય અપનાવી રહ્યા છે, ત્યાં પાકિસ્તાન સરકારે દેશમાં આંશિક લોકડાઉન કર્યું છે. વડાપ્રધાન ઇમરાન ખાનનું કહેવું છે કે સંપૂર્ણ લોકડાઉન સંભવ નથી. લોકો સ્વેચ્છાથી ઘરમાં રહે. ઇમરાન જે મુશ્કેલીની વાત કરી રહ્યા છે, તેનો અંદાજ દેશમાં મજૂરોની સ્થિતિ જોઇ લગાવી શકાય છે. ઇસ્લામાબાદની જિન્ના માર્કેટમાં રોજમદાર મજૂર ઇસ્માઇલ શાહ (37) કહે છે કે- મારા પરિવારે ચાર દિવસથી પેટભરીને ખાધુ નથી. સપ્તાહથી મેં એક રૂપિયાનું કામ કર્યું નથી. ઇસ્માઇલ પાક.ના એ લોકોમાંથી એક છે, જે બાંધકામ જેવા ક્ષેત્રમાં મજૂરી કરી ઘર ચલાવે છે. હવે આ લોકોને કામ મળી રહ્યું નથી. અહીં બજાર, જાહેર પરિવહન, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ, સ્કૂલ-કોલેજ, યુનિવર્સિટી બંધ છે. ભારત, ઇરાન અને અફઘાનિસ્તાન સરહદો સીલ કરી દેવાઇ છે.
ઘણા લોકો યુએઇ, પેલેસ્ટાઇન અને મધ્ય એશિયામાંથી આવ્યા
સરકારે મસ્જિદોમાં શુક્રવારની જુમ્માની નમાજ બંધ કરવાનો આદેશ કર્યા છે. તેનો ઘણા મૌલવીઓ વિરોધ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં લાહોરમાં ત્રણ દિવસીય ધાર્મિક સમ્મેલન યોજાયું હતું. તેમાં આશરે 1.50 લાખ લોકો સામેલ થયા હતા. તેમાંથી ઘણા લોકો યુએઇ, પેલેસ્ટાઇન અને મધ્ય એશિયામાંથી આવ્યા હતા. પાક.માં અત્યાર સુધી કોરોનાના 2291 મામલા આવી ચૂક્યા છે. ઇસ્લામાબાદમાં કોમ્યુનિટી હેલ્થ એક્સપર્ટ ડૉ. જીશાનનું કહેવું છે કે મેડિકલ ઉપકરણોની અછતને કારણે કોરોનાથી લડવું મુશ્કેલ થઇ રહ્યું છે. હેલ્થ કેર સિસ્ટમ ફેલ થઇ ગઇ છે. અહીં દર 5 હજાર લોકોએ એક બેડ છે. આરોગ્ય વિભાગના સૂત્ર પણ કહે છે કે પાકિસ્તાનમાં માત્ર 25000 ટેસ્ટિંગ કિટ છે. સરકારે કેનેડાથી એક લાખ કિટ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. 14 લેબોરેટરીમાં સેમ્પલની તપાસ થઇ રહી છે. આશરે 22 હજાર શકમંદોના ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
ડોક્ટરોની હડતાળની ચિમકી
કરાચીની આગા ખાન યુનિવર્સિટી હોસ્પિટલ જેવી હોસ્પિટલોએ નવેસરથી સેમ્પલ લેવાનો ઇનકાર કરી દીધો છે. બીજી બાજુ ઇસ્લામાબાદની 4 સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ હડતાળની ચેતવણી આપી છે. યુવા ડોક્ટર સંગઠનના ચેરમેન ડૉ. અસફાંદયારનું કહેવું છે કે જો તેમને પુરતા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ નહીં મળે તો તેઓ હડતાળ પર ઉતરી જશે. હોસ્પિટલોમાં કોરોના દર્દીઓ અને અન્ય માટે એક જ માર્ગ રખાયો છે. અહીં મેનેજમેન્ટમાં બહુ બેદરકારી છે.
તંત્રે મૃતકોના અંતિમ સંસ્કાર માટે વિશેષ વ્યવસ્થા કરી છે. પોલીસ અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓની દેખરેખમાં શબ સીધા હોસ્પિટલથી કબ્રસ્તાન મોકલામાં આવી રહ્યા છે. મૃતકોના પરિવારના સભ્યોને પણ દફનવિધિમાં સામેલ થવા દેવાતા નથી.
બેન્કોમાં મારામારી: પેશાવરમાં પૈસા ઉપાડવા માટે લોકોની ભીડ જામી
પેશાવરમાં સરકારી કર્મચારીઓ પૈસા ઉપાડવા માટે બેન્કોમાં ઉમટી પડ્યાં છે. જ્યારે ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સના અધિકારી જનરલ બાબર ઇફ્તેખારે કહ્યું કે કોઇ પણ અપ્રિય સ્થિતિનો સામનો કરવા અને સિવિલ કર્મીઓની મદદ માટે દેશભરમાં સેના તહેનાત કરી દેવાઇ છે. સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ તેનો આદેશ આપ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પેશાવરમાં સરકારી કર્મચારીઓ પૈસા ઉપાડવા માટે બેન્કોમાં ઉમટી પડ્યાં.


from Divya Bhaskar https://ift.tt/2UEe5qs

Covid-19: Google urges people to stay home, encourages social distancing with a Doodle

Covid-19: Google urges people to stay home, encourages social distancing with a Doodle




from News - Videos - The Times of India https://ift.tt/3dQfFgE

COVID-19: Cops, health workers face challenges during tough times

COVID-19: Cops, health workers face challenges during tough times




from News - Videos - The Times of India https://ift.tt/2JMwNGl

Watch: 2 full-grown Tigers engage in territorial fight

Watch: 2 full-grown Tigers engage in territorial fight




from News - Videos - The Times of India https://ift.tt/2R9rEfv

Coronavirus: IAF's C130J airlifts medicines, other health supplies to Maldives

Coronavirus: IAF's C130J airlifts medicines, other health supplies to Maldives

from India Today | Top Stories https://ift.tt/2UYziKM

Lockdown downside: Domestic violence up

Lockdown downside: Domestic violence up

from India Today | Top Stories https://ift.tt/2JyBcfJ

Notice to Tablighi Jamaat chief, 6 others for defying lockdown

Notice to Tablighi Jamaat chief, 6 others for defying lockdown

from India Today | Top Stories https://ift.tt/2X5aiEn

Covid-19 lockdown: Petty crimes decline in Delhi

Covid-19 lockdown: Petty crimes decline in Delhi

from India Today | Top Stories https://ift.tt/2R533s2

Coronavirus cases in Delhi go up to 293, two more deaths

Coronavirus cases in Delhi go up to 293, two more deaths

from India Today | Top Stories https://ift.tt/3dQZFec

વડોદરામાં કોરોના મૃતકના અંતિમ સંસ્કાર પછી સ્મશાનમાં એમ્બ્યુલન્સના સ્ટાફે કિટ ખુલ્લામાં ફેંકી દીધી

ઘાતક કોરોના વાઇરસે વડોદરામાં આજે 51 વર્ષીય દર્દીનો ભોગ લીધો હતો. શૈલેન્દ્રભાઇ દેસાઇ છેલ્લા 12 દિવસથી કોરોના આઇસોલેશન વોર્ડમાં સઘન સારવાર લઇ રહ્યાં હતા. કોરોના વાઇરસ અને જીંદગી સામેની જંગ દરમિયાન ગુરુવારે વહેલી સવારે 3.30 કલાકે તેમને આઇસોલેશન વોર્ડના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના મૃતદેહને સીધો જ ખાસવાડી સ્મશાનગૃહમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેમના નીકટના બે પરિવારજનો અને મેડિકલ સ્ટાફની હાજરીમાં ખાસ વાડીની વિશેષ ગેસચિતા પર અંતિમવિધિ કરવામાં આવી હતી.
નિઝામપુરાના બિલ્ડર શૈલેન્દ્રભાઇની અંતિમ ક્રિયાના સમયે પરિવારજનો સાથે આવનાર વ્યક્તિઓમાં એસએસજીનો અને એમ્બ્યુલન્સનો સ્ટાફ પણ હતો. અંતિમવિધિ બાદ સ્મશાનના કર્મચારીઓની નજર ત્યાં જ ફેંકી દેવાયેલી એક પીપીઇ કિટ જેવા ડ્રેસ પર પડતાં તેઓ ચોંકી ગયા હતા અને હોબાળો કર્યો હતો. તેની જાણ પણ એસએસજીને કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ તેને ઉઠાવીને નિકાલ કરાયો હતો. શૈલેન્દ્રભાઇ અને તેમના પત્ની શ્રીલંકાના પ્રવાસેથી 14મી માર્ચે પરત ફર્યા હતા. તેમની સાથે વડોદરામાં અન્ય 12 વ્યક્તિઓ પણ હતી. 17મી માર્ચે શૈલેન્દ્રભાઇ અને તેમના પત્ની નિલિમાબહેનની તબિયત કથળી હતી. તેઓ 19મી માર્ચે એસએસજીમાં ગયા હતા અને ત્યારબાદ દાખલ કરાતા તેમની સારવાર ચાલી હતી. 21મી માર્ચે શૈલેન્દ્રભાઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પહેલા નિલિમાબહેનનો અને ત્યારબાદ શૈલેન્દ્રભાઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત શ્રીલંકાના પ્રવાસે ગયેલા રેખાબહેન શેઠનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ પણ સારવાર હેઠળ છે.
નિઝામપુરાના ડોક્ટરે ત્રણ દિવસ યોગ્ય સારવાર નહિં કરતાં મોત થયાનો આક્ષેપ
આજે શૈલેન્દ્રભાઇ દેસાઇના ભાણેજ પ્રણવ શાહે નિઝામપુરાના એક ફિઝિશયન તબીબ સામે ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ડો. ચૈતન્ય જોશીની બેદરકારીને લીધે જ શેલૈન(શૈલેન્દ્ર) મામાને અમે ગુમાવ્યાં છે, તેઓ અમારા પરિવારના મોભી હતા. ડો. ચૈતન્ય જોશીએ શૈલેન્દ્રભાઇની ત્રણ દિવસ સુધી વાઇરલની દવાઓ ન કરી હોત અને અમને સમય સમયસર ચેતવી દીધા હોત તો તેઓ આજે જીવતા હોત.’ શૈલેન્દ્રભાઇ શ્રીલંકાથી પરત ફર્યા બાદ તેમને ખાંસી-શરદી અને કફ થતાં તેઓ નિઝામપુરાના ફિઝિશિયન ડો. ચૈતન્ય જોશી પાસે પહેલીવાર ગયા હતા. આ આક્ષેપને યોગ્ય ન ગણાવતા ડો. ચૈતન્ય જોશીએ જણાવ્યું કે, ‘ જ્યારે તેઓ(શૈલેન્દ્રભાઇ) મારી પાસે આવ્યા ત્યારે શ્રીલંકામાં કોરોના ન હતો અને તે કોરોના નોટિફાઇડ દેશમાં ન હતો. તેથી મેં તેમના લક્ષણોના આધારે વાઇરલ ઇન્ફેક્શનની દવાઓ આપી હતી. પણ જ્યારે એક્સરે રિપોર્ટમાં તેમના ફેફસામાં કફ હોવાનું જણાવતા મેં જ તેમને અને તેમના પુત્રને એસએસજીમાં કોરોનાનો ટેસ્ટ કરવા જણાવ્યું હતું. હું પોતે પણ હાલમાં ક્વોરેન્ટાઇન છું.
પુત્ર અને પત્નીને PPE કિટ પહેરાવીને શૈલેન્દ્રભાઈના અંતિમ દર્શન કરાવ્યાં
શૈલેન્દ્રભાઇના મૃત્યુની જાણ કોરોના આઇસોલેશન વોર્ડમાં સારવાર લઇ રહેલા પુત્ર સમીરભાઇ અને તેમના પત્નીને પણ કરવામાં આવી હતી. તેમને પીપીઇ કિટ પહેરાવીને શૈલેન્દ્રભાઇના અંતિમ દર્શન કરાવ્યાં ત્યારે તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને 100 માઇક્રોનથી જાડી પ્લાસ્ટિકની વિશેષ બેગમાં અને તેના પર વિશેષ બોડી જેકેટથી ઢાંકીને અંતિમ સંસ્કાર માટે લઇ જવાયો હતો. આ સમયે પીપીઇ કિટમાં એસએસજીના તબીબ સહિતનો ત્રણ વ્યક્તિનો સ્ટાફ પણ આવ્યો હતો. બપોરે બાર વાગ્યાના સુમારે તેમના પરિવારજનોએ તેમના અસ્થિઓ ખાસવાડી સ્મશાનેથી લીધા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોનાગ્રસ્તની અંતિમ ક્રિયા બાદ હોસ્પિટલમાંથી આરોગ્ય વિભાગના કર્મચારીએ તેની કોરોના કિટને ખુલ્લામાં ફેંકી દેતા હોબાળો થયો હતો. કિટને આ રીતે લાકડીથી ઉચકવામાં આવી હતી.


from Divya Bhaskar https://ift.tt/2R1AEDl

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

ગુજરાતી નખશિખ બિઝનેસમેન હોય છે. પછી ભલેને ગમે તેવી સ્થિતિ હોય તે ધંધાનું કામ કરવાનું ચૂકતો નથી. સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા ફૈઝલ ચુનારાની કહાની પણ આવી જ છે. દુબઇથી આવ્યા બાદ કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે તે સીધો સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દસ દિવસ સુધી સિવિલ હોસ્પિટલમાં રહેવાનું આવ્યુ, ધંધાદારી માણસ આમ, તો 24 કલાક એક જ જગ્યાએ એક જ રૂમમાં, એક જ બેડ પર નિકળે નહીં, એટલે તેણે પોતાનો એડવાઇઝરીનો બિઝનસના અધુરા કામ કરવાનું શરૂ કર્યું, માર્ચે એન્ડિંગ હતુ એટલે હિસાબો સરખા કર્યા, ઓડિટ કરાવવાનું હતુ એ કરાવ્યુ. એક રીતે હોસ્પિટલના બિછાનેથી પણ કામ જ કર્યું, દસ દિવસ વીતી ગયા અને છેવટે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા અને ફૈઝલને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી.
જી઼દ કરી મેં ફોર્મ ભર્યું અને મારો ત્રણમાંથી એક ટેસ્ટ પોઝિટિવ આવ્યો
પોતાના અનુભવ અંગે ઘોડદોડની કરીમાબાગ સોસાયટીમાં રહેતા 23 વર્ષીય ફૈઝલ કહે છે કે હું ફોરેનમાં ધંધાકીય એડવાઇઝ આપવાનું કામ કરું છું અને આ માટે તે 1લી માર્ચના રોજ દુબઇ ગયો અને ત્યાંથી 15મી માર્ચના રોજ મુંબઇ એરપોર્ટથી બાયરોડ સુરત આવ્યો હતો. ઘરે આવ્યા બાદ મને સારું નહીં લાગતા હું ફેમિલિ ડોકટરને મળ્યો હતો અને તેઓએ મને સિવિલમાં જઈ કોરોના ટેસ્ટ કરાવવા કહ્યુ હતુ. જો કે, સિવિલના ડોકટરો માનવા તૈયાર જ ન હતા કે મને કોરોના છે. તેઓએ મને ત્રણ સવાલ કર્યા, તાવ છે?, માથુ દુખે છે? અને શ્વાસ લેવામાં તકલીફ છે? મને માત્ર માથું દુખતુ હતુ, શરદી કે ખાંસી પણ ન હતી. આથી ડોકટરોએ મને ઘર જવાનું કહ્યુ, પરંતુ ફોરેન હિસ્ટ્રી અને ઘરમાં મમ્મી અને નાનો ભાઈ પણ હોય મેં જીદ પકડી કે હું કોરોના ટેસ્ટ વગર જવા જ નહીં. અંદાજે 20 થી 25 મિનિટ રિકઝીક ચાલી છેવટે મેં કહ્યુ કે હું મીડિયાને બોલાવીશ. તો તેઓ ટેસ્ટ કરાવવા રાજી થયા, મેં ફોર્મ ભર્યું અને મારો ત્રણમાંથી એક ટેસ્ટ પોઝિટિવ આવ્યો. એટલે 21મીના રોજ હું સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો. હવે સમય કાઢવાનો હતો. એટલે મે જે ધંધાનું જે પેન્ડિંગ કામ હતુ તે કર્યું, 31મી માર્ચ પણ હોય હિસાબો સરખા કર્યા, ઓડિટનું કામ હતુ તે કરાવ્યુ. આ રીતે સમય પસાર કર્યો. અને છેવટે હું સાજો થઈ ગયો. હોસ્પિટલમાં જમવાનું પણ ઘર જેવું મળતુ હતું. મને સાજો કરીને ઘરે મોકલનાર ડોકટરો, સ્ટાફનો હું ખુબ ખુબ આભાર માનું છું.
ફૈઝલ સાથે દુબઇમાં રહેતા છ મિત્રોના રિપોર્ટ નેગેટીવ
ફૈઝલ સાથે દુબઇમાં ત્યાં જ રહેવાસી એવા છ મિત્રો પણ હતા જેઓ સાથે જ રહ્યા હતા. આથી ફૈઝલનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેણે મિત્રોને જાણ કરી હતી જો કે તે તમામનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ફૈઝલ કહે છે કે મુંબઇ એરપોર્ટ પર કોરોનાને લઇને પુરતી તકેદારી રખાતી ન હતી. જે ચેપ લાગવાનુ એક કારણ હોય શકે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફૈઝલ ચુનારા.


from Divya Bhaskar https://ift.tt/2X0S3Qp

Lockdown 21: Cops sing ‘we shall overcome’ to lift morale of general public

Lockdown 21: Cops sing ‘we shall overcome’ to lift morale of general public




from News - Videos - The Times of India https://ift.tt/2JwAlMG

પાકિસ્તાનમાં અપહૃત હિન્દુ કિશોરી સાથે દુષ્કર્મ, ધર્માંતરણ કરાવ્યું

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓ સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના અટકવાનું નામ નથી લેતી. બહાવલપુર શહેરમાં 15 વર્ષની એક હિન્દુ કિશોરીનું તેના જ ગામના મુનીર અહમદે અપહરણ કર્યું હતું. 13 માર્ચે મુનીર તેને ફૈસલાબાદ લઈ ગયો. ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યું પછી તેનું ધર્માંતરણ પણ કરાવ્યું. મુનીરે ત્યાર પછી તેની સાથે જબરદસ્તીથી લગ્ન કર્યા.
મુનીરે ચાર લાખ રૂપિયા ખંડણી પણ માંગી
બીજીબાજુ કિશોરીની માતાને હવે ડર છે કે મુનીર તેને અને તેના અન્ય પાંચ બાળકો પર પણ જુલમ ગુજારશે. તેની માતા તેના સંબંધીને ઘરે રહેવા જતી રહી. તેણે કહ્યું કે દિવસભર ખેતીકામ કરીને છ લોકોનું પેટ ભરીએ છીએ. પતિનું મોત થયું છે. મુનીરે ચાર લાખ રૂપિયા ખંડણી પણ માંગી. લાચાર માતા પૈસા ભેગા કરી શકી નહીં. તો તેના ભત્રીજાએ હિન્દુ સમુદાય પાસેથી પૈસા મેળવ્યા. મુનીરને આ પૈસા આપ્યા તો તેણે આ નાણાં રાખી લીધા પણ કિશોરીને મુક્ત કરી નહોતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ એક શીખ યુવતી સાથે આ પ્રકારની ઘટના બની હતી. તેની હત્યા પણ કરી દેવામાં આવી હતી. ભારત સરકારે આ અંગે પાકિસ્તાન સરકાર સમક્ષ ભારે વિરોધ નોંધાવી ત્યાંના લઘુમતીઓના રક્ષણની ખાતરી માંગી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2wamDMr

UPI-ભીમ એપનું ટ્રાન્ઝેકશન માર્ચ મહિનામાં રૂ.16,000 કરોડ ઓછું રહ્યું

લૉકડાઉનના કારણે ગત માર્ચમાં ઓનલાઇન પેમેન્ટ્સમાં ઘટાડો નોંધાયો. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(એનપીસીઆઇ)ની સીઇઓ પ્રવીણા રાયે જણાવ્યું કે આ વર્ષે ફેબ્રુઆરીની તુલનામાં માર્ચમાં યુપીઆઇ અને ભીમ એપથી કરાતું ટ્રાન્ઝેક્શન આશરે 16,055 કરોડ રૂપિયા ઓછું થયું. તેની સંખ્યા 8 કરોડ રૂપિયા ઘટી ગઇ. આ ઘટાડો એટલા માટે થયો, કારણ કે તમામ કોમર્શિયલ સંસ્થાન બંધ છે અને લોકો પણ ઘરોમાં છે. તેની સાથે જ આઇએપીએસ અને આધાર પેમેન્ટ સિસ્ટમ(એઇપીએસ)થી થનાર ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટી ગઇ.
વ્યક્તિગત પેમેન્ટ ઘટ્યું, ફૂડ-ગ્રોસરીમાં 6% વધ્યું
એનપીસીઆઇની સીઇઓ રાયે જણાવ્યું કે પર્સન ટુ પર્સન થનારા પેમેન્ટમાં ઘટાડો થયો છે, જ્યારે ફૂડ અને ગ્રોસરી કેટેગરીમાં પર્સન ટુ મર્ચન્ટ પેમેન્ટમાં 5થી 6 ટકાનો વધારો થયો. અમે શાકભાજીની દુકાન, પેટ્રોલપંપ, રેસ્ટોરન્ટ, ઇ-કોમર્સ અને બિલની ચુકવણીને સ્માર્ટ ફોન વગેરેથી પ્રોત્સાહન આપતું યુપીઆઇ કેમ્પેન પણ લોન્ચ કર્યું છે.

ટ્રાન્ઝેક્શન ફેબ્રુઆરી માર્ચ અંતર
આઇએમપીએસ (સંખ્યા) 24.78 21.68 -3.1
આઇએમપીએસ (રકમ) 2,14,566 2,01,962 -12,604
ભીમ-યુપીઆઇ (સંખ્યા) 133 125 -8
ભીમ-યુપીઆઇ (રકમ) 2,22,517 2,06,462 16,055
એઇપીએસ (સંખ્યા) 21.67 18.18 -3.49
એઇપીએસ (રકમ) 11,389 10,170 -1219

નોંધ: તમામ ટ્રાન્ઝેક્શન કરોડ અને રકમ કરોડ રૂપિયામાં છે. સ્ત્રોત: નેશનલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
UPI-Bhim App's transaction down by Rs 16,000 crore in March


from Divya Bhaskar https://ift.tt/2UBMSVq

દિલ્હીમાં પાર્કિંગની ઘટ પડી તો રનવે પર પણ વિમાન ઊભા રાખવા પડ્યા

લૉકડાઉનથી દેશમાં પ્રવાસી વિમાની સેવા બંધ છે. આ કારણે એરપોર્ટ પર કોઈ શોરબકોર નથી. રોજ 700થી વધુ વિમાનોનું આવાગમન દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થાય છે તે હવે પાર્કિંગ પ્લોટ બની ગયું છે. અહીં 194 વિમાન પાર્કિંગમાં ઊભા છે અને 24 વિમાન રનવે 1 પર ઊભા છે. ચાર્ટર્ડ વિમાન અલગ. ડીજીસીએમાં 648 વિમાન નોંધાયેલા છે. આ રીતે દિલ્હીમાં ત્રીજા ભાગથી વધુ વિમાન પાર્ક છે. અહીં રનવે 2 પરથી માત્ર કાર્ગો વિમાનનું ઉડ્ડયન થાય છે. બીજીબાજુ મુંબઈ એરપોર્ટ પર રોજ સરેરાશ 980 ફ્લાઈટની મુવમેન્ટ થાય છે. પરંતુ અહીં 100થી વધુ વિમાન પાર્ક છે. માત્ર 4-10 કાર્ગો વિમાન ઉડ્ડયન કરે છે.
22 માર્ચે 62 વિમાન પાર્ક થયા, 24મીથી ડોમેસ્ટિક ફ્લાઈટ પણ અટકી
દેશમાં 22 માર્ચથી ઈન્ટરનેશનલ સેવા બંધ થઈ ગઈ. તે દિવસે દિલ્હીમાં 64 વિમાન પાર્ક થઈ ગયા. ત્યારપછી 24 માર્ચથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ બંધ થઈ. જો ચાર્ટર્ડ વિમાનને ગણીએ તો દિલ્હીમાં પાર્ક થયેલા વિમાનની સંખ્યા 250થી વધુ થાય છે.
55 કાર્ગો વિમાન દ્વારા મેડિકલ સાધનો પહોંચાડાયા, સિલસિલો હજી ચાલુ
દેશના વિવિધ ભાગમાં 55 વિમાન દ્વારા મેડિકલ સાધનો મોકલાયા છે. તેમાં એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી ખાનગી એરલાઈન્સના 8 વિમાન પણ સામેલ છે. મુંબઈથી દવા અને મેડિકલ સાધનો મોકલવા 4-10 કાર્ગો વિમાન ઉડ્ડયન કરી રહ્યા છે.
મુંબઈ એરપોર્ટ પર 30 ટકા સ્ટાફ મેઈન્ટેનન્સ અને સફાઈમાં વ્યસ્ત
મુંબઈ એરપોર્ટ પર કુલ કર્મચારીઓમાંથી માત્ર 30 ટકા એટલે કે 400 લોકો જ કામ કરે છે. તેમાંથી મોટાભાગનો મેઈન્ટેનન્સ અને ક્લિનિંગ સ્ટાફ છે. આ સ્ટાફ એસી, રનવેની લાઈટ, આઈટી સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં તેની રોજ ચકાસણી કરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ વિહંગમ દૃશ્ય દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું છે. અહીં પાર્કિંગ એરિયા ફુલ હોવાથી રનવે પર પણ વિમાન ઊભા છે.


from Divya Bhaskar https://ift.tt/3dOi3UY

Wednesday, April 1, 2020

Pilates significantly improves blood pressure in young, obese women: Study

Pilates significantly improves blood pressure in young, obese women: Study




from News - Videos - The Times of India https://ift.tt/2w6MYe9

We will only be as healthy as our supply chains

Perhaps this is most urgently being felt by those at the frontline of the war against Covid-19, where disruptions in the global and domestic supply chain have rendered doctors, nurses and support staff dangerously vulnerable....

from Times of India Opinion https://ift.tt/3dOO8fi

કોરોના વાઈરસથી વડોદરામાં પહેલુ મોત, મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી પણ કોરોના પોઝિટિવ છે

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષીય પુરૂષનું કોરોના વાઈરસની બીમારીથી મોત નીપજ્યું છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત થયું છે. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

16 માર્ચે કોરોના વાઈરસના લક્ષણો દેખાયા હતા

વડોદરાજિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા52 વર્ષની ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા આ વ્યક્તિને 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. તેમના પછી તેમના પરિવારના 4 સભ્યોનો પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનેપણ સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.

સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના 30 તબીબો અને નર્સિંગ સ્ટાફને ક્વોરન્ટાઇન કરાયા

કોરોના આઇસોલેશન વોર્ડમાં કામ કરતા અને પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદતેમને સંક્રમણની અસર થઇ છે કે નહીં અને તેમને વધુ કોઇ અસર ન થાય તે માટે તબીબી અને નર્સિંગ સ્ટાફને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. સયાજીહોસ્પિટલ અને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલના 15-15 કુલ 30 તબીબો અને નર્સિંગ સ્ટાફને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. ગોત્રી હોસ્પિટલના ક્વોરન્ટાઇન સ્ટાફને ખાલી કરવામાં આવેલી ઇન્ટર્ન હોસ્ટેલ ક્વાટર્સ ખાતે ઊભી કરવામાં આવેલી વિશેષ ક્વોરન્ટીનવ્યવસ્થામાં અને સયાજી હોસ્પિટલના ક્વોરેન્ટાઇન સ્ટાફને નર્સિંગ હોસ્ટેલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યાછે.

સ્વેબ નમૂના લેબમાં મોકલવામાં આવ્યા
કેટલાક દિવસ પહેલા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સેવા બજાવતા તબીબની તબિયત લથડ્યા બાદ દાખલ કરાયા હતા અને તેમનો નમૂનો નેગેટિવ આવ્યો હતો. હવે ગોત્રી હોસ્પિટલમાં એક ટેક્નિશિયનને ખાંસી-શરદીની ફરિયાદ થતાં તેમને ક્વોરન્ટીન કરાયા છે એટલું જ નહીં તેમના સ્વેબ નમૂના લઇને સયાજી હોસ્પિટલ ખાતેની લેબમાં મોકલવામાં આવ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona update LIVE Vadodara 2 April


from Divya Bhaskar https://ift.tt/3bJ4kwL

29 રાજ્યોમાં 2056 કેસ, 63 મોતઃ એક દિવસમાં રેકોર્ડ 437 કેસ; ઈન્દોરમાં સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પર પથ્થરમારો, મુઝફ્ફરનગરમાં પોલીસ પર હુમલો

કોરોના વાઈરસની મહામારી વચ્ચે જીવની ચિંતા કર્યા વગર જનસેવામાં લાગેલા અધિકારીઓ અને કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં ટાટપટ્ટી બાખલ વિસ્તારમાં બુધવારે સંક્રમણના શંકાસ્પદોનું સ્ક્રીનીંગ કરવા પહોંચેલા સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ પણ લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ અંગે પોલીસે કેસ નોંધી લીધો છે. તો બીજી બાજું ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગરના મોરનામાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહેલા લોકોએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો હતો, જેમાંથી એક સબ ઈન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ ઘાયલ થયો છે.

દેશના રાજ્યોની સ્થિતિ
મહારાષ્ટ્ર; કુલ સંક્રમિત-335 બુધવારે એશિયાની સૌથી મોટી ઝુપડપટ્ટી વસ્તી ધારાવીમાં મળી આવેલા સંક્રમિતનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. તંત્રએ 56 વર્ષના આ દર્દીને સાયન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન જ મોત થયું હતું. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ હતી અને કિડની ફેલ થવા જેવી સ્થિતિ હતી. મૃતકના પરિવારના સાત સભ્યોને હોમ ક્વૉરિન્ટાઈન કરાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આંધ્રપ્રદેશના ધોનમાં લોકડાઉન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે પોલીસકર્મીઓએ યમરાજ, ચિત્રગુપ્ત અને કોરોનાનું રૂપ ધારણ કર્યું


from Divya Bhaskar https://ift.tt/2w35Iv0

133 હોસ્પિટલ, 8500 ડોક્ટર્સ, 9 હજાર બેડ તૈયાર, DRDO ચાર દર્દીઓને સપોર્ટ આપનાર વેન્ટિલેટર બનાવી રહ્યા છે

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિનો સામનો કરવા ભારતીય સેનાની ત્રણેય પાંખ તૈયાર છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે આ મામલે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી હતી. જેમાં હાજર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)જનરલ બિપિન રાવતે કહ્યુ- આર્મીની હોસ્પિટલોમાં 9 હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. જેસલમેર, ચેન્નઇ, માનેસર, હિંડન અને મુંબઇમાં 1 હજારથી વધુ લોકોને ક્વૉરન્ટિનમાં રાખવામાં આવ્યા છે. જેમનો ક્વૉરન્ટિન 7 એપ્રિલના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. માર્ચ 2018 સુધીના આંકડાઓ અનુસાર દેશમાં આર્મીની 133 હોસ્પિટલ છે. જેમાં 112 મિલેટ્રી, 12 એરફોર્સ અને 9 નેવીની છે.
આ વીડિયો કોન્ફરન્સ દ્વારા રક્ષા મંત્રીએ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે, એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ, આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસના ડીજી લેફ્ટિનન્ટ જનરલ અનૂપ બેનર્જી અને ડીઆરડીઓ ચેરમેન ડૉ. સતીશ રેડ્ડી સાથે વાત કરી.

કોરોના વાઈરસનો સામનો કરવા સેનાની ત્રણેય પાંખ તૈયાર

આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે: 8500 થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ તૈયાર છે. આર્મીની હોસ્પિટલોમાં 9 હજારથી વધુ બેડ ઉપલબ્ધ.
એરફોર્સ ચીફ એર માર્શલ આરકેએસ ભદૌરિયા: છેલ્લા પાંચ દિવસમાં એરફોર્સે દેશના જુદાજુદા વિસ્તારોમાં 25 ટનથી વધુ મેડિકલ ઇક્વિપમેન્ટની સપ્લાઇ કરી.
નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ: કોઇપણ સ્થિતિનો સામનો કરવા નેવીના જહાજ સ્ટેન્ડબાય છે. જરૂર પડ્યે લોકલ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને પણ કામ કરવામાં આવી રહ્યું છે.
25 હજાર NCC કેડેટ્સ અને નિવૃત્ત હેલ્થ પ્રોફેશનલ્સ પણ તૈયાર
અર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસના ડીજી લેફ્ટિનન્ટ જનરલ અનૂપ બેનર્જીએ રક્ષા મંત્રીએ જણાવ્યું કે, નિવૃત્ત હેલ્થ પ્રોફેશનલ્સ પણ સેવા આપવા તૈયાર છે. 25 હજારથી વધુ NCC કેડેટ્સને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
DRDO એક સમયમાં 4 દર્દીઓને સપોર્ટ કરી શકે તેવા વેન્ટિલેટર બનાવી રહ્યું છે
DRDOના ચેરમેન ડૉ. સતીશ રેડ્ડીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને જણાવ્યું હતું કે ડીઆરડીઓ લેબમાં બનાવવામાં આવેલ 50 હજાર લિટર સેનેટાઇઝર દિલ્હી પોલીસ સહિત જુદાજુદા સુરક્ષા દળોને સપ્લાય કરવામાં આવ્યું છે. એ સિવાય 1 લાખ લિટર સેનેટાઇઝર દેશમાં સપ્લાય કરવામાં આવ્યું. દરરોજ 10 હજાર પાંચ લેયરવાળા નોનો ટેકનોલોજી ફેસ માસ્ક N-99 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેનું પ્રોડક્શન વધારી 20 હજાર પ્રતિદિવસ કરવામાં આવશે. 40 હજાર ફેસ માસ્ક દિલ્હી પોલીસને આપવામાં આવ્યા છે. એક લેબમાં દરરોજ 20 હજાર પીપીઇ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે જ એક એવું વેન્ટિલેટર પણ બનાવવામાં આવી રહ્યું છે જે એક સમયે 4 દર્દીઓને સપોર્ટ કરી શકે.

રક્ષા મંત્રાલયના તમામ કર્મચારી PM-કેર ફંડમાં એક દિવસનો પગાર આપશે
કોરોનાવાઇરસનો સામનો કરવા માટે બનાવવામાં આવેલા PM-કેર ફંડમાં રક્ષા મંત્રાલયના બધા કર્મચારી એક દિવસનો પગાર આપશે. બુધવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એવું અનુમાન છે કે આર્મી, નેવી અને એરફોર્સ સહિત રક્ષા મંત્રાલય હેઠળની તમામ વિંગના કર્મચારીઓના એક દિવસના પગારમાંથી 500 કરોડ રૂપિયાનું ફંડ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોવિડ-19ની તૈયારીઓ મામલે બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા સીડીએસ જનરલ બિપિન રાવત અને સેનાની ત્રણેય પાંખના ચીફ સાથે વાત કરી.


from Divya Bhaskar https://ift.tt/2JCJAe1

118 વર્ષ બાદ રામ નવમીએ શનિની મકર રાશિમાં ગુરૂ રહેશે, આ દિવસે 2 શુભ યોગ બની રહ્યા છે

આજે રામ નવમી છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ પ્રાકટ્યોત્સવ ઉજવવામાં આવે છે. ત્રેતાયુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુએ શ્રીરામ સ્વરૂપ અવતાર લીધો હતો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ વર્ષે રામ નવમીએ અનેક દુર્લભ યોગ બની રહ્યા છે. આ સમયે મકર રાશિમાં ગુરૂ સ્થિત છે. શનિની મકર રાશિમાં ગુરૂ અને રામ નવમીનો યોગ 118 વર્ષ બાદ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ રહેશે. આ શુભ યોગમાં કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થાય છે.

રામ નવમીએ ગ્રહોનો દુર્લભ યોગઃ-
118 વર્ષ પહેલાં 16 એપ્રિલ 1902ના રોજ રામ નવમીએ ગુરૂ શનિની મકર રાશિમાં હતો. ત્યાર બાદ 2020માં આ યોગ બન્યો છે. આ સિવાય 854 વર્ષ બાદ મકર રાશિમાં મંગળ, ગુરૂ અને શનિ એકસાથે સ્થિત છે. આ ત્રણેય ગ્રહોની આ યુતિમાં રામ નવમીનો યોગ 854 વર્ષ બાદ બન્યો છે. ગુરૂ પોતાની નીચ રાશિમાં, મંગળ ઉચ્ચ રાશિમાં અને શનિ સ્વરાશિમાં સ્થિત છે. 17 એપ્રિલ 1166ના રોજ રામ નવમીએ ગુરૂ, મંગળ અને શનિની યુતિ મકર રાશિમાં બની હતી.

શ્રીરામ જન્મની સંક્ષિપ્ત કથાઃ-
પં. શર્મા પ્રમાણે ત્રેતા યુગમાં રાવણનો આંતક ખૂબ જ વધી ગયો હતો. બધા જ દેવી-દેવતા અને પૃથ્વીના લોકો રાવણના કારણે ત્રસ્ત (કંટાળવું) હતાં. તે સમયે અયોધ્યાના રાજા દશરથ હતાં. રાજા દશરથને ત્યાં કોઇ પુત્ર હતો નહીં. ત્યારે તેમણે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞથી ખીર ઉત્પન્ન થઇ. આ ખીરનું સેવન રાજાની ત્રણેય રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાએ કર્યું. જેના પ્રભાવથી કૌશલ્યાએ શ્રીરામ, કૈકેયીએ ભરત અને સુમિત્રાએ લક્ષ્મણ તથા શત્રુઘ્નને જન્મ આપ્યો હતો. ભગવાન વિષ્ણુએ રાવણનો અંત કરવા માટે શ્રીરામ સ્વરૂપે અવતાર લીધો હતો.

રામ દરબારની પૂજા કરોઃ-
રામ નવમીએ રામ દરબારની પૂજા કરવી જોઇએ. રામ દરબારમાં શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી સામેલ છે. તેમની સાથે જ, ભરત અને શત્રુઘ્નની પૂજા પણ કરવી જોઇએ. આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ ચઢાવવું. શ્રીરામની પૂજા કરો. શ્રીરામચરિત માનસનો પાઠ કરો. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. આ દિવસે દેવી દુર્ગાની પણ વિશેષ પૂજા કરો.

બધી જ 12 રાશિઓ ઉપર ગ્રહ યોગની અસરઃ-
આ ગ્રહનો યોગ મેષ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિ માટે શુભ રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે અને ધનલાભ થશે. મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના લોકો માટે આ સમય અશુભ રહેશે. બેદરકારી કરવાથી બચવું અને ધૈર્ય જાળવવું. વૃષભ અને કર્ક રાશિના લોકો ઉપર આ ગ્રહોની સામાન્ય અસર થશે. આ લોકોને મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After 118 years, Guru in Saturn's Capricorn on Rama Navami, 2 auspicious yoga are being made on this day


from Divya Bhaskar https://ift.tt/3aC86Im

શ્રીરામજીની પૂજા માટે 3 શુભ મુહૂર્ત, આજે આખો દિવસ નોમ તિથિ રહેશે

વાલ્મીકિ રામાયણ પ્રમાણે ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ બપોરે શ્રીરામનો જન્મ થયો હતો. હિંદુ કેલેન્ડર પ્રમાણે આ પર્વ 2 એપ્રિલ એટલે આજે ઉજવાશે. આ દિવસે શ્રીરામ, લક્ષ્મણ અને માતા સીતા સાથે જ ભગવાન હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. શ્રીરામ ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે. આ વાત રામાયણ સાથે જ લિંગ, નારદ અને બ્રહ્મપુરાણમાં પણ ઉલ્લેખવામાં આવી છે. રામનવમીના દિવસે જ ચૈત્ર નવરાત્રિની સમાપ્તિ પણ થઇ જાય છે. એટલે જ, આ દિવસે શ્રીરામ સાથે-સાથે માતા દુર્ગાની પણ પૂજા થાય છે.

ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસઃ-
નવ દિવસના ચૈત્ર નોરતાના ઉત્સવનો છેલ્લો દિવસ રામ નવમી છે. આ પર્વને લોકો ભગવાન રામના જન્મ તરીકે ઉજવે છે, આ દિવસે ભક્ત રામાયણનો પાઠ કરે છે. આ દિવસને લઇને માન્યતા છે કે, આજે કોઇ મુહૂર્ત જોયા વિના દરેક પ્રકારના માંગલિક કાર્ય કરી શકાય છે. આ મહાપર્વ પર શ્રીરામ દરબારની પૂજા કરવામાં આવે છે. જેમાં માતા સીતા, લક્ષ્મણ અને હનુમાનજી પણ સામેલ છે. રામનવમીએ પારિવારિક સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે આ વ્રત રાખવામાં આવે છે.

વાલ્મીકિ રામાયણમાં શ્રીરામ જન્મઃ-
ततो यज्ञे समाप्ते तु ऋतूनां षट्समत्ययु:।
ततश्च द्वादशे मासे चैत्रे नावमिके तिथौ।।1.18.8।।
नक्षत्रेऽदितिदैवत्ये स्वोच्चसंस्थेषु पञ्चसु।
ग्रहेषु कर्कटे लग्ने वाक्पताविन्दुना सह।।1.18.9।।
प्रोद्यमाने जगन्नाथं सर्वलोकनमस्कृतम्।
कौसल्याऽजनयद्रामं सर्वलक्षणसंयुतम्।।1.18.10।।

આ ત્રણેય શ્લોક વાલ્મીકિ રામાયણના બાલકાંડના 18માં અધ્યાયના છે. જેમાં ભગવાન રામના જન્મ સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવે છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ પુનર્વસુ નક્ષત્ર અને કર્ક લગ્નમાં દેવી કૌળલ્યાએ દિવ્ય લક્ષણોથી યુક્ત શ્રીરામને જન્મ આપ્યો હતો. જે દિવસે ભગવાન રામનો જન્મ થયો, તે દિવસે ગ્રહ-સ્થિતિનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કર્ક લગ્નમાં શ્રીરામનો જન્મ થયો અને અન્ય ગ્રહોની સ્થિતિ જોઇએ તો-

સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચે સ્થાને
શુક્ર મીન રાશિમાં ઉચ્ચે સ્થાને
મંગળ મકર રાશિમાં ઉચ્ચે સ્થાને
શનિ તુલા રાશિમાં ઉચ્ચે સ્થાને
બૃહસ્પતિ કર્ક રાશિમાં ઉચ્ચે સ્થાને
ચંદ્ર પુનર્વસુથી પુષ્ય નક્ષત્ર તરફ આગળ વધી રહ્યો હતો

વ્રત અને પૂજા વિધિઃ-
રામનવમીના દિવસે સવારે જલ્દી જાગીને ઘરની સાફ-સફાઈ કરી સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરવો. ઘર, પૂજાઘર અથવા મંદિરને ધજા, પાતકા અને તોરણ વગેરેથી સસજાવવું. ઘરના ફળિયામાં રંગોળી બનાવી શકો છો.

રામનવમીની પૂજામાં પહેલાં રામ દરબાર એટલે બધા દેવતાઓ ઉપર જળ, રોલી અને લેપ ચઢાવવામાં આવે છે. ત્યાર બાદ મૂર્તિઓઓ ઉપર ચોખા ચઢાવવાં. ત્યાર બાદ બધી જ સુગંધિત પૂજન સામગ્રી ચઢાવ્યાં બાદ આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ શ્રીરામ જન્મકથા સાંભળવી જોઇએ. જે સમયે વ્રત કથા સાંભળો તે સમયે હાથમાં ઘઉં કે બાજરો વગેરે અનાજના દાણા રાખવા અને કથા પૂર્ણ થયા બાદ તેમાં વધુ અનાજ મિક્સ કરીને ક્ષમતા અને શ્રદ્ધાપ્રમાણે દાન કરો.

  • રામનવમીએ પૂજા માટે પૂજા સામગ્રીમાં રોલી, ચંદન, ચોખા, સ્વચ્થ જળ, ફૂલ, ઘંટ અને શંખ સાથે શ્રદ્ધા પ્રમાણે અન્ય પૂજન સામગ્રી પણ લઇ શકો છો.
  • રામનવમી પૂજામાં ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણની મૂર્તિઓ ઉપર જળ ચઢાવવું. ત્યાર બાદ ચંદન તથા રોલી અર્પણ કરો.
  • ચોખા અને ફૂલ ચઢાવવા તથા અન્ય સુગંધિત પૂજા સામગ્રી પણ ચઢાવો.
  • ભગવાનને ધૂપ-દીપ સમર્પિત કરો.
  • ભગવાન રામની આરતી, રામચાલીસા અથવા રામ રક્ષાસ્ત્રોતનો પાઠ કરો.
  • આરતી કરો અને નેવેદ્ય અર્પણ કરી પ્રસાદ ચઢાવો.
  • આરતી બાદ પવિત્ર જળને આરતીમાં જોડાયેલાં બધા જ લોકો ઉપર છાંટો

રામનવમી પૂજાના શુભ મુહૂર્તઃ-
નવમી તિથિ શરૂ- 2 એપ્રિલ, સવારે 4.05
નવમી તિથિ સમાપ્ત- 3 એપ્રિલ, રાતે 2.05 સુધી

સવારે 06.20 થી 7.40 સુધી
સવારે 11.10 થી બપોરે 1.40 સુધી
સાંજે 5.10 થી 6.30 સુધી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
3 auspicious times for worship of Shriramji, today will be Nom Tithi all day, Ram Navami 2020 Puja Vidhi


from Divya Bhaskar https://ift.tt/3dKTlEZ

At UNSC, China snubs Pak call for talks on J&K

As president of the UN Security Council in March, China ignored a plea by Pakistan for "urgent and appropriate" consideration of what the latter described as grave developments in Jammu and Kashmir (J&K). The significance of China’s action, or inaction, while holding the UNSC presidency has not been lost on India as the two countries look to jointly combat Covid-19.

from Times of India https://ift.tt/34dssW5

Coronavirus lockdown: Shashi Tharoor speaks fluent Bangla, requests Bengali migrant workers not to leave Kerala. Watch

Shashi Tharoor speaks fluent Bangla, requests migrant workers not to leave Kerala

from India Today | Top Stories https://ift.tt/2xJWfti

Covid-19: Khabib Nurmagomedov refuses to leave quarantine, UFC 249 fight is off

Covid-19: Blow to UFC 249 as Khabib refuses to leave quarantine in Russia

from India Today | Top Stories https://ift.tt/3dMQkUJ

Coronavirus in Dharavi a matter of concern, says Maharashtra minister after first death in slums

Coronavirus in Dharavi a matter of concern, says Maharashtra minister

from India Today | Top Stories https://ift.tt/340D5LG

On this day: MS Dhoni 'finishes off in style' as India win 2nd ICC World Cup in 2011

This day that year: Dhoni, Gambhir star as India lift 2nd ICC World Cup

from India Today | Top Stories https://ift.tt/3aDy2TI

Covid-19: India decides to accept foreign funds in PM CARES Fund to fight pandemic

Covid-19: India decides to accept foreign funds in PM CARES Fund to fight pandemic

from India Today | Top Stories https://ift.tt/341s2lv

Odisha: Volunteers capture 2 king cobras, violate COVID-19 isolation guideline

Odisha: Volunteers capture 2 king cobras, violate COVID-19 isolation guideline




from News - Videos - The Times of India https://ift.tt/2wNj5jA

MEA slams Pakistan, US, China and everyone else over comments on migrant crisis, says it’s our sovereign matter😜

The following article, despite appearing close to reality, is fiction. Mostly. The similarities with any events in real life are purely intentional but again, it’s a work of fiction and should be read accordingly. NEW...

from Times of India Opinion https://ift.tt/2wLt09l

Tokyo push pulls Indian shooting one step back

Shooting has been India's best medal bet over the last four Olympics. The last year was exceptional for Indian shooters, with three shooters ending as world No. 1. India also impressed by winning 15 quota places for Tokyo, their best yet.

from Times of India https://ift.tt/2UTX3Ub

27 fresh Covid-19 cases in Rajasthan, 11 of them attended Jamaat gathering in Delhi

27 fresh Covid-19 cases in Rajasthan, 11 of them attended Jamaat gathering in Delhi

from India Today | Top Stories https://ift.tt/342o0sZ

Covid-19: Centre steps in as doctors get infected

Covid-19: Centre steps in as doctors get infected

from India Today | Top Stories https://ift.tt/2JwDKLp

કોરોના ફેલાતો ગયો તો મે મહિના સુધીમાં ભારતમાં 2 લાખથી વધુ વેન્ટિલેટરની જરૂર

દેશમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા વધવા સાથે વેન્ટિલેટર્સની જરૂરિયાત પણ વધશે. કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લેતાં મે સુધીમાં ઓછામાં ઓછા 2 લાખ વેન્ટિલેટરની જરૂર પડશે પણ દેશમાં હાલ અંદાજે 55 હજાર વેન્ટિલેટર જ છે. અંદાજ છે કે કોરોનાના કેસો મહત્તમ હશે ત્યારે 15 મે સુધીમાં દેશને 1.10 લાખથી 2.20 લાખ વેન્ટિલેટરની જરૂર પડશે.
20 કંપનીઓ 4 કરોડ માસ્ક બનાવશે
20 કંપની મળીને વાર્ષિક અઢી કરોડ માસ્ક બનાવતી હતી. હવે આ ક્ષમતા 4 કરોડની કરી દેવાઇ છે. દર મહિને 6 લાખ પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ (પીપીઇ) બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે વેન્ટિલેટર કે અન્ય કોઇ મેડિકલ ડિવાઇસના ભાવમાં કંપની ગત વર્ષની તુલનાએ 10 ટકાથી વધુ વધારો નહીં કરી શકે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વેન્ટિલેટરની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2ysPLzh

Take immediate action against people associated with Tablighi Jamaat: Delhi Police to health dept 

Take immediate action against people associated with Tablighi Jamaat: Delhi Police to health dept 

from India Today | Top Stories https://ift.tt/39Bn3J6

Nizamuddin meet: India takes up matter with foreign govts

Nizamuddin meet: India takes up matter with foreign govts

from India Today | Top Stories https://ift.tt/2JvUnXJ

'Food trains' race to ferry PDS grain

On Tuesday, FCI moved 58 rakes, a record, through Indian Railways with around 1.6 lakh tonnes of wheat and rice — against an average 30-35 rakes. It was a similar story on Wednesday with 53-55 rakes expected to leave surplus states such as Punjab, Haryana, Andhra Pradesh and Telangana.

from Times of India https://ift.tt/2ysJmnJ

Coronavirus: How to use DIY masks in India

Coronavirus: How to use DIY masks in India

from India Today | Top Stories https://ift.tt/2X1f0mh

Tuesday, March 31, 2020

Andhra Pradesh cop rides horse painted with images of coronavirus to spread awareness. Twitter reacts

Andhra Pradesh cop rides horse painted with images of coronavirus. Twitter reacts

from India Today | Top Stories https://ift.tt/39BcSnY

Anxiety, demonetisation images, WhatsApp messages: What led to exodus of migrants

Anxiety, demonetisation images, WhatsApp messages: What led to exodus of migrants

from India Today | Top Stories https://ift.tt/2JuFPHD

Coronavirus: First-ever digital cabinet meet in Britain sparks security concerns

Coronavirus: First-ever digital cabinet meet in Britain sparks security concerns

from India Today | Top Stories https://ift.tt/2xC5Z8I