Ad

Wednesday, April 1, 2020

133 હોસ્પિટલ, 8500 ડોક્ટર્સ, 9 હજાર બેડ તૈયાર, DRDO ચાર દર્દીઓને સપોર્ટ આપનાર વેન્ટિલેટર બનાવી રહ્યા છે

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિનો સામનો કરવા ભારતીય સેનાની ત્રણેય પાંખ તૈયાર છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે બુધવારે આ મામલે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ કરી હતી. જેમાં હાજર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)જનરલ બિપિન રાવતે કહ્યુ- આર્મીની હોસ્પિટલોમાં 9 હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. જેસલમેર, ચેન્નઇ, માનેસર, હિંડન અને મુંબઇમાં 1 હજારથી વધુ લોકોને ક્વૉરન્ટિનમાં રાખવામાં આવ્યા છે. જેમનો ક્વૉરન્ટિન 7 એપ્રિલના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. માર્ચ 2018 સુધીના આંકડાઓ અનુસાર દેશમાં આર્મીની 133 હોસ્પિટલ છે. જેમાં 112 મિલેટ્રી, 12 એરફોર્સ અને 9 નેવીની છે.
આ વીડિયો કોન્ફરન્સ દ્વારા રક્ષા મંત્રીએ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે, એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરિયા, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ, આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસના ડીજી લેફ્ટિનન્ટ જનરલ અનૂપ બેનર્જી અને ડીઆરડીઓ ચેરમેન ડૉ. સતીશ રેડ્ડી સાથે વાત કરી.

કોરોના વાઈરસનો સામનો કરવા સેનાની ત્રણેય પાંખ તૈયાર

આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે: 8500 થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ તૈયાર છે. આર્મીની હોસ્પિટલોમાં 9 હજારથી વધુ બેડ ઉપલબ્ધ.
એરફોર્સ ચીફ એર માર્શલ આરકેએસ ભદૌરિયા: છેલ્લા પાંચ દિવસમાં એરફોર્સે દેશના જુદાજુદા વિસ્તારોમાં 25 ટનથી વધુ મેડિકલ ઇક્વિપમેન્ટની સપ્લાઇ કરી.
નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ: કોઇપણ સ્થિતિનો સામનો કરવા નેવીના જહાજ સ્ટેન્ડબાય છે. જરૂર પડ્યે લોકલ એડમિનિસ્ટ્રેશન સાથે મળીને પણ કામ કરવામાં આવી રહ્યું છે.
25 હજાર NCC કેડેટ્સ અને નિવૃત્ત હેલ્થ પ્રોફેશનલ્સ પણ તૈયાર
અર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસના ડીજી લેફ્ટિનન્ટ જનરલ અનૂપ બેનર્જીએ રક્ષા મંત્રીએ જણાવ્યું કે, નિવૃત્ત હેલ્થ પ્રોફેશનલ્સ પણ સેવા આપવા તૈયાર છે. 25 હજારથી વધુ NCC કેડેટ્સને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
DRDO એક સમયમાં 4 દર્દીઓને સપોર્ટ કરી શકે તેવા વેન્ટિલેટર બનાવી રહ્યું છે
DRDOના ચેરમેન ડૉ. સતીશ રેડ્ડીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહને જણાવ્યું હતું કે ડીઆરડીઓ લેબમાં બનાવવામાં આવેલ 50 હજાર લિટર સેનેટાઇઝર દિલ્હી પોલીસ સહિત જુદાજુદા સુરક્ષા દળોને સપ્લાય કરવામાં આવ્યું છે. એ સિવાય 1 લાખ લિટર સેનેટાઇઝર દેશમાં સપ્લાય કરવામાં આવ્યું. દરરોજ 10 હજાર પાંચ લેયરવાળા નોનો ટેકનોલોજી ફેસ માસ્ક N-99 માસ્ક બનાવવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં તેનું પ્રોડક્શન વધારી 20 હજાર પ્રતિદિવસ કરવામાં આવશે. 40 હજાર ફેસ માસ્ક દિલ્હી પોલીસને આપવામાં આવ્યા છે. એક લેબમાં દરરોજ 20 હજાર પીપીઇ એટલે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે જ એક એવું વેન્ટિલેટર પણ બનાવવામાં આવી રહ્યું છે જે એક સમયે 4 દર્દીઓને સપોર્ટ કરી શકે.

રક્ષા મંત્રાલયના તમામ કર્મચારી PM-કેર ફંડમાં એક દિવસનો પગાર આપશે
કોરોનાવાઇરસનો સામનો કરવા માટે બનાવવામાં આવેલા PM-કેર ફંડમાં રક્ષા મંત્રાલયના બધા કર્મચારી એક દિવસનો પગાર આપશે. બુધવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. એવું અનુમાન છે કે આર્મી, નેવી અને એરફોર્સ સહિત રક્ષા મંત્રાલય હેઠળની તમામ વિંગના કર્મચારીઓના એક દિવસના પગારમાંથી 500 કરોડ રૂપિયાનું ફંડ મળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કોવિડ-19ની તૈયારીઓ મામલે બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા સીડીએસ જનરલ બિપિન રાવત અને સેનાની ત્રણેય પાંખના ચીફ સાથે વાત કરી.


from Divya Bhaskar https://ift.tt/2JCJAe1

No comments:

Post a Comment