Ad

Thursday, April 2, 2020

દિલ્હીમાં પાર્કિંગની ઘટ પડી તો રનવે પર પણ વિમાન ઊભા રાખવા પડ્યા

લૉકડાઉનથી દેશમાં પ્રવાસી વિમાની સેવા બંધ છે. આ કારણે એરપોર્ટ પર કોઈ શોરબકોર નથી. રોજ 700થી વધુ વિમાનોનું આવાગમન દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થાય છે તે હવે પાર્કિંગ પ્લોટ બની ગયું છે. અહીં 194 વિમાન પાર્કિંગમાં ઊભા છે અને 24 વિમાન રનવે 1 પર ઊભા છે. ચાર્ટર્ડ વિમાન અલગ. ડીજીસીએમાં 648 વિમાન નોંધાયેલા છે. આ રીતે દિલ્હીમાં ત્રીજા ભાગથી વધુ વિમાન પાર્ક છે. અહીં રનવે 2 પરથી માત્ર કાર્ગો વિમાનનું ઉડ્ડયન થાય છે. બીજીબાજુ મુંબઈ એરપોર્ટ પર રોજ સરેરાશ 980 ફ્લાઈટની મુવમેન્ટ થાય છે. પરંતુ અહીં 100થી વધુ વિમાન પાર્ક છે. માત્ર 4-10 કાર્ગો વિમાન ઉડ્ડયન કરે છે.
22 માર્ચે 62 વિમાન પાર્ક થયા, 24મીથી ડોમેસ્ટિક ફ્લાઈટ પણ અટકી
દેશમાં 22 માર્ચથી ઈન્ટરનેશનલ સેવા બંધ થઈ ગઈ. તે દિવસે દિલ્હીમાં 64 વિમાન પાર્ક થઈ ગયા. ત્યારપછી 24 માર્ચથી તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ બંધ થઈ. જો ચાર્ટર્ડ વિમાનને ગણીએ તો દિલ્હીમાં પાર્ક થયેલા વિમાનની સંખ્યા 250થી વધુ થાય છે.
55 કાર્ગો વિમાન દ્વારા મેડિકલ સાધનો પહોંચાડાયા, સિલસિલો હજી ચાલુ
દેશના વિવિધ ભાગમાં 55 વિમાન દ્વારા મેડિકલ સાધનો મોકલાયા છે. તેમાં એર ઈન્ડિયા અને ઈન્ડિગો જેવી ખાનગી એરલાઈન્સના 8 વિમાન પણ સામેલ છે. મુંબઈથી દવા અને મેડિકલ સાધનો મોકલવા 4-10 કાર્ગો વિમાન ઉડ્ડયન કરી રહ્યા છે.
મુંબઈ એરપોર્ટ પર 30 ટકા સ્ટાફ મેઈન્ટેનન્સ અને સફાઈમાં વ્યસ્ત
મુંબઈ એરપોર્ટ પર કુલ કર્મચારીઓમાંથી માત્ર 30 ટકા એટલે કે 400 લોકો જ કામ કરે છે. તેમાંથી મોટાભાગનો મેઈન્ટેનન્સ અને ક્લિનિંગ સ્ટાફ છે. આ સ્ટાફ એસી, રનવેની લાઈટ, આઈટી સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં તેની રોજ ચકાસણી કરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ વિહંગમ દૃશ્ય દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું છે. અહીં પાર્કિંગ એરિયા ફુલ હોવાથી રનવે પર પણ વિમાન ઊભા છે.


from Divya Bhaskar https://ift.tt/3dOi3UY

No comments:

Post a Comment