
મુનીરે ચાર લાખ રૂપિયા ખંડણી પણ માંગી
બીજીબાજુ કિશોરીની માતાને હવે ડર છે કે મુનીર તેને અને તેના અન્ય પાંચ બાળકો પર પણ જુલમ ગુજારશે. તેની માતા તેના સંબંધીને ઘરે રહેવા જતી રહી. તેણે કહ્યું કે દિવસભર ખેતીકામ કરીને છ લોકોનું પેટ ભરીએ છીએ. પતિનું મોત થયું છે. મુનીરે ચાર લાખ રૂપિયા ખંડણી પણ માંગી. લાચાર માતા પૈસા ભેગા કરી શકી નહીં. તો તેના ભત્રીજાએ હિન્દુ સમુદાય પાસેથી પૈસા મેળવ્યા. મુનીરને આ પૈસા આપ્યા તો તેણે આ નાણાં રાખી લીધા પણ કિશોરીને મુક્ત કરી નહોતી. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ એક શીખ યુવતી સાથે આ પ્રકારની ઘટના બની હતી. તેની હત્યા પણ કરી દેવામાં આવી હતી. ભારત સરકારે આ અંગે પાકિસ્તાન સરકાર સમક્ષ ભારે વિરોધ નોંધાવી ત્યાંના લઘુમતીઓના રક્ષણની ખાતરી માંગી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2wamDMr
No comments:
Post a Comment