
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા 52 વર્ષીય પુરૂષનું કોરોના વાઈરસની બીમારીથી મોત નીપજ્યું છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસથી પ્રથમ મોત થયું છે. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
16 માર્ચે કોરોના વાઈરસના લક્ષણો દેખાયા હતા
વડોદરાજિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા52 વર્ષની ઉંમરના કોરોના પોઝિટિવ દર્દીનું આજે વહેલી સવારે મૃત્યુ થયું હતું. શ્રીલંકાનો પ્રવાસ કરીને આવેલા આ વ્યક્તિને 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. તેમના પછી તેમના પરિવારના 4 સભ્યોનો પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનેપણ સયાજી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી.
સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલના 30 તબીબો અને નર્સિંગ સ્ટાફને ક્વોરન્ટાઇન કરાયા
કોરોના આઇસોલેશન વોર્ડમાં કામ કરતા અને પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા બાદતેમને સંક્રમણની અસર થઇ છે કે નહીં અને તેમને વધુ કોઇ અસર ન થાય તે માટે તબીબી અને નર્સિંગ સ્ટાફને પણ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. સયાજીહોસ્પિટલ અને ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલના 15-15 કુલ 30 તબીબો અને નર્સિંગ સ્ટાફને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. ગોત્રી હોસ્પિટલના ક્વોરન્ટાઇન સ્ટાફને ખાલી કરવામાં આવેલી ઇન્ટર્ન હોસ્ટેલ ક્વાટર્સ ખાતે ઊભી કરવામાં આવેલી વિશેષ ક્વોરન્ટીનવ્યવસ્થામાં અને સયાજી હોસ્પિટલના ક્વોરેન્ટાઇન સ્ટાફને નર્સિંગ હોસ્ટેલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યાછે.
સ્વેબ નમૂના લેબમાં મોકલવામાં આવ્યા
કેટલાક દિવસ પહેલા સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સેવા બજાવતા તબીબની તબિયત લથડ્યા બાદ દાખલ કરાયા હતા અને તેમનો નમૂનો નેગેટિવ આવ્યો હતો. હવે ગોત્રી હોસ્પિટલમાં એક ટેક્નિશિયનને ખાંસી-શરદીની ફરિયાદ થતાં તેમને ક્વોરન્ટીન કરાયા છે એટલું જ નહીં તેમના સ્વેબ નમૂના લઇને સયાજી હોસ્પિટલ ખાતેની લેબમાં મોકલવામાં આવ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3bJ4kwL
No comments:
Post a Comment