
આજે રામ નવમી છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ પ્રાકટ્યોત્સવ ઉજવવામાં આવે છે. ત્રેતાયુગમાં આ તિથિએ ભગવાન વિષ્ણુએ શ્રીરામ સ્વરૂપ અવતાર લીધો હતો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ વર્ષે રામ નવમીએ અનેક દુર્લભ યોગ બની રહ્યા છે. આ સમયે મકર રાશિમાં ગુરૂ સ્થિત છે. શનિની મકર રાશિમાં ગુરૂ અને રામ નવમીનો યોગ 118 વર્ષ બાદ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ પણ રહેશે. આ શુભ યોગમાં કરવામાં આવતા પૂજા-પાઠ જલ્દી જ સફળ થાય છે.
રામ નવમીએ ગ્રહોનો દુર્લભ યોગઃ-
118 વર્ષ પહેલાં 16 એપ્રિલ 1902ના રોજ રામ નવમીએ ગુરૂ શનિની મકર રાશિમાં હતો. ત્યાર બાદ 2020માં આ યોગ બન્યો છે. આ સિવાય 854 વર્ષ બાદ મકર રાશિમાં મંગળ, ગુરૂ અને શનિ એકસાથે સ્થિત છે. આ ત્રણેય ગ્રહોની આ યુતિમાં રામ નવમીનો યોગ 854 વર્ષ બાદ બન્યો છે. ગુરૂ પોતાની નીચ રાશિમાં, મંગળ ઉચ્ચ રાશિમાં અને શનિ સ્વરાશિમાં સ્થિત છે. 17 એપ્રિલ 1166ના રોજ રામ નવમીએ ગુરૂ, મંગળ અને શનિની યુતિ મકર રાશિમાં બની હતી.
શ્રીરામ જન્મની સંક્ષિપ્ત કથાઃ-
પં. શર્મા પ્રમાણે ત્રેતા યુગમાં રાવણનો આંતક ખૂબ જ વધી ગયો હતો. બધા જ દેવી-દેવતા અને પૃથ્વીના લોકો રાવણના કારણે ત્રસ્ત (કંટાળવું) હતાં. તે સમયે અયોધ્યાના રાજા દશરથ હતાં. રાજા દશરથને ત્યાં કોઇ પુત્ર હતો નહીં. ત્યારે તેમણે પુત્રેષ્ઠિ યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞથી ખીર ઉત્પન્ન થઇ. આ ખીરનું સેવન રાજાની ત્રણેય રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રાએ કર્યું. જેના પ્રભાવથી કૌશલ્યાએ શ્રીરામ, કૈકેયીએ ભરત અને સુમિત્રાએ લક્ષ્મણ તથા શત્રુઘ્નને જન્મ આપ્યો હતો. ભગવાન વિષ્ણુએ રાવણનો અંત કરવા માટે શ્રીરામ સ્વરૂપે અવતાર લીધો હતો.
રામ દરબારની પૂજા કરોઃ-
રામ નવમીએ રામ દરબારની પૂજા કરવી જોઇએ. રામ દરબારમાં શ્રીરામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી સામેલ છે. તેમની સાથે જ, ભરત અને શત્રુઘ્નની પૂજા પણ કરવી જોઇએ. આ દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ ચઢાવવું. શ્રીરામની પૂજા કરો. શ્રીરામચરિત માનસનો પાઠ કરો. જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરો. આ દિવસે દેવી દુર્ગાની પણ વિશેષ પૂજા કરો.
બધી જ 12 રાશિઓ ઉપર ગ્રહ યોગની અસરઃ-
આ ગ્રહનો યોગ મેષ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિ માટે શુભ રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે અને ધનલાભ થશે. મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના લોકો માટે આ સમય અશુભ રહેશે. બેદરકારી કરવાથી બચવું અને ધૈર્ય જાળવવું. વૃષભ અને કર્ક રાશિના લોકો ઉપર આ ગ્રહોની સામાન્ય અસર થશે. આ લોકોને મહેનત પ્રમાણે ફળ પ્રાપ્ત થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3aC86Im
No comments:
Post a Comment