Ad

Saturday, May 23, 2020

ગુજરાત હાઇકોર્ટેનો આદેશ-‘કોરોનાની ટ્રીટમેન્ટના MoU ન કરનાર હોસ્પિટલ સામે ડિઝાસ્ટર એક્ટ લાગુ કરો’

કોરોનાને પગલે હાઇકોર્ટે લીધેલી સુઓમોટો અરજીમાં કોર્ટે ખાનગી હોસ્પિટલો સામે કડક વલણ અપનાવ્યું છે. ઝાયડસ, અપોલો, યુએન મહેતા જેવી 8 હોસ્પિટલો આધુનિક સાધનો ધરાવતી હોવા છતાં શા માટે કોરોનાની સારવાર કરતી નથી? તે અંગે સરકાર પાસે જવાબ માગ્યો છે. જે ખાનગી હોસ્પિટલો કોરોનાની સારવાર માટે MOU કરવાનો ઇન્કાર કરે તેમની સામે ડિઝાસ્ટર એકટ હેઠળ પગલા લેવા આદેશ કર્યો છે. ઝ।યડસ હોસ્પિટલના 12 માળમાંથી 2 માળ કોરોનાના દર્દીઓ માટે અનામત રાખવા હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો છે. આ ઉપરાંત નીતિન પટેલ અને જયંતી રવિએ સિવિલની કેટલી વખત મુલાકાત લીધી અને ત્યાંની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે? વેન્ટિલેટરના અભાવે મોતની સ્થિતિનું તારણ મેળવ્યું છે તેવા અનેક સવાલો હાઈકોર્ટે કર્યા હતા.
કોરોના વોર્ડના સીસીટીવીનું નિરીક્ષણ CM ઓફિસમાંથી થઇ રહ્યુ છે
આ અંગે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું છે કે, સિનિયર પલ્મોનોલોજીસ્ટની સેવા લેવામા આવે છે. વેન્ટિલેટર પૂરતા પ્રમાણમાં છે. કોરોના વોર્ડના સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ સી.એમ ઓફિસમા કરવામા આવી રહ્યુ છે.
મહામારી સામે કેવી રીતે ટકવું તેના માટે હાઇકોર્ટે ટાઇટેનિકનો દાખલો આપ્યો
જસ્ટીસ જે.બી પારડીવાલાએ મહામારી સામે ટકવા ટાઇટેનિક ફિલ્મનો દાખલો ટાંક્યો છે. સરકારને કાર્પેથિયા બનવાનુ ધ્યેય રાખવા ટકોર કરી છે. ટાઇટેનિકથી દૂર રહેલી કાર્પેથિયા જહાજ તેની ક્ષમતા કરતાં વધુ ઝડપથી ટાઇટેનિકને બચાવવા નજીક પહોંચી હતી. મદદના સંદેશા ક્યાંથી આવ્યા તેની ખબર ન હોવા છતાં તે સૌથી પહેલા મદદે પહોંચી અને 705 મુસાફરને બચાવ્યા હતા. આપણે પણ કાર્પેથિયા બનવાનું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2zZ6pXX

No comments:

Post a Comment