Ad

Friday, May 1, 2020

સુરતમાં પહેલાં કોરોના દર્દીને અગ્નિદાહ આપ્યો, બાદમાં ફુટપાથ પર બેસી રોઝો ખોલ્યો

શહેરમાં કોરોના જેટલું જ જાણીતું નામ ચોકબજાર સ્થિત એકતા ટ્રસ્ટના અબ્દુલ મબલારીનુંથઇ ગયું છેે. કોવિડનો પેશન્ટનું જો મૃત્યું થાય તો બોડીની અંતિમવિધીની જવાબદારી એકતા ટ્રસ્ટ કરે છે. ઘણીવાર એવું બને કે એક તરફ હોસ્પિટલમાંથી ફોન આવે અને બીજી તરફ રોઝો ખોલવાનો સમય હોય.
અજાણ્યા ઘરમાંથી ખજૂર અને પાણી માગીને રોઝો ખોલ્યો
હાલમાં એવું બન્યુ કે એક બોડી સ્મશાનગૃહ પહોંચાડવાની હતી અને બીજી તરફ 14 કલાકથી રાખેલો રોઝો છોડવાનો સમય થઈ ગયો. અબ્દુલભાઈએ પહેલાં બોડી પહોંચાડી, પછી ઓફિસ તરફ જઈ જ રહ્યા હતા કે રસ્તામાં જ અઝાન થઈ ગઈ. તેઓ આંબાવાડી કાલુપુર ખાતે એક ઘર પાસે ફુટપાથ પર ઊભા રહ્યા અને અજાણ્યા ઘરમાંથી ખજૂર અને પાણી માગીને રોઝો ખોલ્યો. આજુબાજુ જેવી ખબર પડી કે એક્તા ટ્રસ્ટના અબ્દુલભાઈ ફુટપાથ પર બેસીને રોઝો ખોલી રહ્યા છે તો આજુબાજુના દસ ઘરોમાંથી તેમના માટે જમવાનું આવી ગયુ. આ બનાવ અંગે તેઓ કહે છે કે મારે અશ્વનિકુમાર સ્મશાનગૃહ જઈને પરત ફર્યા ત્યાં ડોકટરનો ફોન આવતા હું કાગળ આપવા ગયો અને પરત ફરતી વખતે જ રસ્તામાં મગરીબની અઝાન થઈ ગઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોના દર્દીને અગ્નિદાહ આપ્યા બાદમાં ફુટપાથ પર બેસી રોઝો ખોલ્યો.


from Divya Bhaskar https://ift.tt/2WkXPdp

No comments:

Post a Comment