Ad

Monday, May 11, 2020

વૃદ્ધે સિવિલના દરવાજે દમ તોડ્યો, પુત્ર પગે પડ્યો છતાં શબવાહિની ના મળી, ટેમ્પોમાં મૃતદેહ લઈ જવો પડ્યો

દર્દી સિવિલમાં પહોંચે તે પહેલા દરવાજે જ દમ તોડ્યો હતો. લગભગ એક કલાક હોસ્પિટલ સ્ટાફને હાથ-પગ જોડ્યા તેમ છતાં સબવાહિની આપવામાં આવી નહોતી. રસ્તે ચાલતી રિક્ષાઓ બોલાવી પણ કોઈ આવવા તૈયાર ન થયું ત્યારે દીકરાએ છેવટે પિતાના મૃતદેહને માલસામાનના ટેમ્પોમાં ઘરે લઈ જવો પડ્યો હતો.
108માં ફોન કરી એમ્બુલન્સ નોંધાવી પણ ન આવી
ચમનપુરા વિસ્તારમાં રહેતા 64 વર્ષીય નરેન્દ્રસિંહ ચૌહાણને સોમવારે સવારે હૃદયમાં દુખાવા સાથે ડાબો હાથ કામ કરતો બંધ થયો હતો. તેમના દીકરાએ સવારે 10 કલાકે 108માં ફોન કરી એમ્બુલન્સ નોંધાવી. જોકે એમ્બુલન્સ 11 વાગ્યા સુધી આવી નહોતી. તબિયત વધારે લથડતા દીકરો પિતાને રિક્ષામાં સિવિલ લઈ આવ્યો હતો, પણ પિતાએ સિવિલના દરવાજા પાસે જ શ્વાસ છોડી દીધો. સિવિલના ડૉક્ટરે દર્દીને તપાસી સ્થળ પર જ મૃત જાહેર કર્યા હતા. આ અંગે મૃતકના દીકરા વિવેક ચૌહાણે કહ્યું કે, સિવિલથી મારું ઘર નજીક હોવા છતાં 108ની મદદ મળી શકી નહોતી. 108એ પહેલેથી અમને કહ્યું હોત કે, તેઓ સમયસર નહીં પહોંચી શકે તો અમે રાહ જોયા વગર અમારી રીતે સિવિલ પહોંચ્યા હોત. સિવિલના દરવાજે તેમના શ્વાસ બંધ થયા હતા અને શરીર ઠંડું પડી ગયું હતું.
રિક્ષાવાળાઓએ પણ મૃતદેહ લઈ જવા ઇનકાર કરી દીધો
પિતાના મૃતદેહને ઘરે લઈ જવા હોસ્પિટલ પાસે શબવાહિની માટે હાથપગ જોડ્યા હતા. એક કલાક સુધી કોઈએ અમારી વાત સાંભળી નહોતી. રિક્ષાવાળાઓએ પણ મૃતદેહ લઈ જવા ઇનકાર કરી દીધો હતો. છેવટે પિતાના મૃતદેહને ઘરે લઈ જવા ટેમ્પો મગાવ્યો હતો અને ઘરે પહોંચ્યા હતા.
મારી ગણતરી ખોટી પડી:મૃતકનો પુત્ર
મારા મમ્મી-પંપા બંને ઉંમર લાયક છે માટે મને હંમેશાથી લાગતું હતું કે, સિવિલ હોસ્પિટલ ઘરની એટલી નજીક છે કે, અડધી રાત્રે પણ કોઈ ઈમરજન્સી સર્જાશે ત્યારે મને સારવાર મળી શકશે. આ માટે હું મારૂ ઘર છોડીને બહાર રહેવા નહોતો ગયો, પરંતુ મારી તે ગણતરી ખોટી પડી ગઈ. મારી આંખો સામે પિતાએ સિવિલના દરવાજા પાસે છેલ્લા શ્વાસ લીધા હતા અને હું કંઈ ન કરી શક્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ટેમ્પોમાં મૃતદેહ લઈ જતો પુત્ર.


from Divya Bhaskar https://ift.tt/2YWJPcS

No comments:

Post a Comment