
અયોધ્યાની રામ જન્મભૂમિ પર ગરજતા જેસીબી મશીનો મંદિર નિર્માણ માટે જમીન તૈયાર કરી રહ્યા છે. 11 મેથી ચાલતી સમતલીકરણના કામમાં એક ડઝનથી વધુ કોતરણી કરેલા સ્તંભ, દેવીદેવતાની મૂર્તિઓ, નકશીદાર શિવલિંગ અને બારસાખ (ચૌખટ) વગેરે મળી આવ્યા છે. જે સ્થાને માળખાના ત્રણ ગુંબજ હતા, તેમાંથી એક નીચે કૂવો પણ મળ્યો છે. આ ઉપરાંત અનેક સ્થળે ચાંદીનું છત્ર, સિંહાસન, રામદરબાર સાથે જોડાયેલા અનેક મહત્ત્વના અવશેષો પણ મળ્યા છે. આ અંગે ટૂંક સમયમાં રામજન્મભૂમિ ટ્રસ્ટ પણ આપશે.
સ્તંભ અંગ્રેજોના જમાનામાં લગાવાયો હતો
પુરાતત્વવિદ કે.કે. મોહમ્મદ આ અવશેષોને આઠમી સદીના હોવાનું જણાવે છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી વિમલેન્દ્ર મોહન મિશ્રએ કહ્યું કે, કોરોનાનો પ્રકોપ ઓછો થયા પછી મંદિર નિર્માણ માટે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત એકસાથે થશે. રામ જન્મભૂમિને દર્શાવનારા એ સ્તંભને સમતલીકરણ કરતી વખતે પણ એવો જ રખાયો છે. તે સ્તંભ અંગ્રેજોના જમાનામાં લગાવાયો હતો. પીપળો અને વડના વૃક્ષોથી ઘેરાયેલા રામ જન્મભૂમિ ગર્ભગૃહ ટીલાને પણ સમતલ કરી દેવાયો છે. 1989માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ગર્ભગૃહથી થોડે જ દૂર મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરાયો હતો, એ હિસ્સાને પણ સમતલ કરાશે. 2.77 એકર ભૂમિનો પશ્ચિમી હિસ્સો ખૂબ ઊંડાણમાં અને પૂર્વ હિસ્સો કે જ્યાં ગર્ભગૃહ છે, તે ટીલાની ઊંચાઈનો હતો. આ બંને હિસ્સાને પણ સમતલ કરાઈ રહ્યા છે. અહીં જ રામમંદિરનું નિર્માણ થવાનું છે.
મહાકાય પથ્થરોને લાવવા માટે થોડા દિવસમાં રસ્તા પણ બની જશે
અહીં આશરે 40 ફૂટ ઊંડા પાયા ખોદાશે. બાકી 67.7 એકરમાં તીર્થયાત્રીઓ માટેની સુવિધા, પ્રસાદાલય વગેરે બનાવાશે. રામઘાટ પર મોજુદ રામ મંદિર નિર્માણ કાર્યશાલા આગામી કેટલાક દિવસોમાં સ્થળાંતરિત કરાશે. મહાકાય પથ્થરોને લાવવા માટે થોડા દિવસમાં રસ્તા પણ બની જશે. ટ્રસ્ટના સભ્ય ડૉ. અનિલ મિશ્રએ કહ્યું કે, હજુ પાયાના ખોદકામ વખતે પણ અવશેષો મળવાની શક્યતા છે.
સમતલીકરણ વૈજ્ઞાનિક ઢબે કરાઈ રહ્યું છે
પુરાતત્ત્વવિદ કે.કે. મોહમ્મદનું કહે છે કે, હું અગાઉ પણ કહી ચૂક્યો છું કે રામ જન્મભૂમિ પરિસરમાં સ્વર્ણિમ ઈતિહાસ દફન છે. એટલે સમતલીકરણનું કામ પણ વૈજ્ઞાનિક પદ્ધતિએ કરવું પડશે. ટ્રસ્ટે મંદિર નિર્માણ વખતે પુરાતત્ત્વીય ધરોહરોની સુરક્ષા કરવાની સાથે ઈતિહાસના સંકેતોને પણ ધ્યાનમાં રાખવા ચોક્કસ દિશા નક્કી કરવી પડશે. સમતલીકરણ વખતે મળેલા અવશેષોને જોઈને હું કહી શકું છું કે, તે આઠમી સદીના છે.
બ્લેક ટચ સ્ટોનના 7 સ્તંભ, રેડ સેન્ડ સ્ટોનના 6 સ્તંભમળ્યા
અયોધ્યામાં રામમંદિર નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કરાઈ રહેલા બાંધકામ દરમિયાન કેટલાક ઐતિહાસિક અવશેષો મળી આવ્યા છે. આ અવશેષોમાં પ્રાચીન મૂર્તિઓની સાથે બ્લેક ટચ સ્ટોનના 7 સ્તંભ, રેડ સેન્ડ સ્ટોનના 6 સ્તંભ, કોતરકામ કરાયેલું પાંચ ફૂટનું શિવલિંગ, પુષ્પ કળશ અને બારસાખ (ચૌખટ) સામેલ છે. હાલ અહીં ત્રણ જેસીબી, એક ક્રેન, 2 ટ્રેક્ટર અને 10 શ્રમિક છેલ્લા 10 દિવસથી ખાડા પૂરવાનો અને લોખંડની જાળીઓ તોડવાનું કામ ચાલુ છે. કોરોનાના કારણે અહીં શ્રમિકો સોશલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે. આ અવશેષો રામ જન્મભૂમિ અને આસપાસના સ્થળેથી મળ્યાં છે. આ અંગે ટ્રસ્ટના મહાસચિવ ચમ્પત રાયે કહ્યું છે કે, ‘અત્યાર સુધી અહીં જ્યાં પણ ખોદકામ થયું, ત્યાંથી આવા પ્રાચીન નમૂના મળી આવ્યા છે.’ જોકે, ટ્રસ્ટે અવશેષોના અંગે ખાસ વિગતો જાહેર નથી કરી. ટ્રસ્ટે કહ્યું છે કે, આ તમામ અવશેષોનું સંકલન કરાઈ રહ્યું છે. નિષ્ણાતો સાથે ચર્ચા પછી અમે તેની વિગતો જાહેર કરીશું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TsxrO6
No comments:
Post a Comment