
પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ કેસ આવી ચૂક્યા છે. જ્યારે 460થી વધુ મોત થઇ ગયા છે. નવા સંક્રમણના વધતા કેસોની વચ્ચે હવે ઇમરાન ખાન સરકાર સામે તીડ આક્રમણનું નવું સંકટ ઊભુ થયું છે. જેનો સામનો કરવા માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. કારણ એ છે કે જો તીડને કાબુમાં નહીં લેવાય તો પાકિસ્તાનમાં ખાદ્યાન્ન સંકટ સર્જાશે. સિંધ સરકારે તીડના આક્રમણની આશંકાને ધ્યાનમાં રાખી ઇમરાન સરકારની મદદ માગી છે. હેલિકોપ્ટરથી જંતુનાશકના છંટકાવનો આગ્રહ કર્યો છે.
દક્ષિણ-પશ્ચિમ એશિયામાં તીડ આક્રમણના કારણે વધુ સમસ્યાઓનો સામનો કરી શકે
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના એક રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાન એ દેશોમાં સામેલ છે, જ્યાં તીડ આક્રમણને કારણે ખાદ્યાન્ન સંકટ ઊભુ થઇ શકે છે. જેની અસર મોટાભાગની વસતી પર બે ટંકનું ભોજન મેળવવામાં થઇ શકે છે. એફએઓએ ‘પાકિસ્તાનમાં તીડદળની સ્થિતિ’ શીર્ષકથી જારી રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાન અને ઇરાન, દક્ષિણ-પશ્ચિમ એશિયામાં તીડ આક્રમણના કારણે વધુ સમસ્યાઓનો સામનો કરી શકે છે.
પાકિસ્તાનમાં 38 ટકા વિસ્તાર તીડ આક્રમણની ચપેટમાં આવે છે. બલૂચિસ્તાનમાં તો આશરે 60 ટકા ખેતર તીડ આક્રમણનો શિકાર થઇ રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પૂર્વ આફ્રિકામાં સ્થિતિ બહુ નાજુક છે, જ્યાં તીડની નવી જાતિ પૈદા થઇ ગઇ છે.
બ્રિટનમાં પાકિસ્તાનીઓને વધુ જોખમ
બ્રિટનમાં વસતા પાકિસ્તાની લોકોમાં કોરોના વાઇરસથી મોતનું જોખમ તોળાય છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને અર્થશાસ્ત્રી રોસ વોરવિકના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે બ્લેક કેરેબિયન વસતીમાં કોવિડ-19થી મોત વધારે છે. જ્યારે લઘુમતી પાકિસ્તાનીઓ અને બ્લેક આફ્રિકનમાં મોતનું પ્રમાણ પણ અન્ય બ્રિટિશ વસતીની તુલના વધુ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SASv4K
No comments:
Post a Comment