
લૉકડાઉનને પગલે ડાઉન સિન્ડ્રોમ ધરાવતાં બાળકોના માતા-પિતાની સ્થિતિ કફોડી બની ગઇ છે. સામાન્ય સંજોગોમાં 24 કલાકમાં 1 કલાક ફરજિયાત ઘરની બહાર જતાં ડાઉન સિન્ડ્રોમ બાળકોને લોકડાઉનને પગલે છેલ્લા દોઢ મહિનાથી ઘરમાં રહેવાનો વારો આવ્યો છે. તેમના ટ્રેનિંગ સ્કૂલ અને કાઉન્સેલિંગ પણ બંધ થઇ જતા ઘરમાં નુકશાન કરતા હોવાની અનેક ફરિયાદો તેમના માતા-પિતા દ્વારા હેલ્પલાઇન અને સાઇકયાટ્રીકને કરાઇ રહી છે.
લૉકડાઉનને કારણે નોર્મલ માણસોના માનસને પણ અસર થઇ રહી છે તો ડાઉન સિન્ડ્રોમ બાળકોને તેની વધુ વિપરિત અસર જોવા મળી રહી છે. તેમની ટ્રેનિંગ સ્કૂલ અને ફરવાનો સમય બન્ને બંધ થઇ જતા તેમના મગજ પર નિયંત્રણ રહેતુ નથી. ચંચળ મન હોવાથી સતત કોઇ પ્રવૃતિમાં તેમને વ્યસ્ત રાખવા પડતાં હોય છે આવા સંજોગોમાં માતા-પિતા તેમને નિયત્રંણમાં રાખી શકતા નથી. હેલ્પલાઇનમાં આવેલા કોલમાં એવી ફરિયાદ કરાઇ છે કે તેમના બાળકોની પ્રવૃતિ અટકી જતાં તેમના ઘરમાં કિંમતી વસ્તુઓની તોડફોડ કરે છે,ચીસો પાડે છે.જેના કારણે પાડોશી પણ ફરિયાદ કરી રહ્યા છે. હેલ્પલાઇનમાં આવી ફરિયાદ વધી જતા કાઉન્સિલર અને સ્પેશ્યલ ચિલ્ડ્રનના ટીચરને બાળકોને ઘરે મોકલાય છે.
માતા મોબાઇલમાં વ્યસ્ત હોવાથી બાળકે ફોન ફેંકી દીધો
વાસણામાં ભાવના ફ્લેટમાં રહેતા ઉર્વશીબેન શર્માનો 12 વર્ષનો દીકરો ડાઉન સિન્ડ્રોમ ધરાવે છે. તેને સામાન્ય સંજોગોમાં તેને રોજે સવારે અને સાંજે 1-1 કલાક ફરવા લઇ જવો પડે છે. પરતું લોકડાઉન થતા તે ઘરમાં પુરાઇ ગયો છે તેની પ્રવૃતિ બંધ ગઇ હતી તો બીજી તરફ તેની માતા ઉર્વશીબેન સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી હતી. જેના કારણે દિકરાએ એક રાત્રે ઉર્વશીબેનનો મોબાઇલ ફોન ફલેટની બાલ્કનીમાંથી બહાર ફેંકી દીધો હતો.
બાળકોને મુક્ત સમય-જગ્યા હકારાત્મક અસર ઉપજાવે
શહેરમાં હેલ્પલાઇનમાં 5 થી 7 બાળકોના માતા-પિતાએ મદદ માગી હતી. તેમણે જણાવ્યુ હતુ કે બાળકો ઘરમાં રહીને અન્ય સભ્યો પર હુમલો પણ કરે છે, કિંમતી વસ્તુઓ તોડી નાખે છે. તેમના શિક્ષકો કાઉન્સિલિંગ દરમ્યાન કહે છે કે તેમને ઘરની બહાર ચોખ્ખી હવામાં ફેરવવા જરૂરી છે.આવું કરવાથી તેમનામાં હકારાત્મક અસરો ઉપજી શકે છે. પરતું લોકડાઉનના લીધે માતા-પિતા તેમને બહાર લઇ જઇ શકતા નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WqVNZE
No comments:
Post a Comment