Ad

Wednesday, May 6, 2020

રાજ્યમાં કુલ 6625 દર્દી અને મૃત્યુઆંક 396, અમદાવાદ, સુરત અને નડિયાદમાં આજથી શાકભાજી વેચાણ ઉપર પ્રતિબંધ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 380 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 28 દર્દીના મોત થયા છે. જ્યારે 119 દર્દી સાજા થયા છે. આમ મૃત્યુઆંક 396, કુલ દર્દી 6,625 થયા છે જ્યારે અત્યાર સુધીમાં 1500 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. કોરોનાના વધતા જતા વ્યાપને પગલે અમદાવાદના સમગ્ર મ્યુનિસિપલ વિસ્તારોમાં શટડાઉન જાહેર કરાયું છે. આથી ગુરુવારથી દૂધ-દવા સિવાયની તમામ દુકાનો 15 મે સુધી બંધ રહેશે. અમદાવાદના પગલે સુરત અને નડિયાદમાં પણ શુક્રવારથી શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

રાજ્યમાં ખાનગી તબીબોને પ્રેક્ટિસ શરૂ કરવા આદેશ
હાલ ગુજરાતમાં અને ખાસ તો મોટા શહેરો કે જ્યાં કોરોના પોઝિટિવ કેસ વધુ આવતાં રેડ ઝોનમાં મુકાયાં છે ત્યાં ઘણાં ખાનગી તબીબો પ્રેક્ટિસ કરી રહ્યાં નથી. ગુજરાત સરકાર વતી આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામ તબીબો જોગ આદેશ જારી કરીને કહ્યું છે કે જે ખાનગી હોસ્પિટલો અને તબીબો પોતાની સેવા તાકીદે ગુરુવારથી શરુ નહીં કરે તેમના લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત નીતિન પટેલે બુધવારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ અહીં તજજ્ઞો સામેથી સેવા અથવા માર્ગદર્શન આપવા સામેથી આવે તેવી અપીલ કરી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો મૃત્યુદર ઊંચો હોવાથી તેમણે વિષય નિષ્ણાત તબીબોને સરકારની પડખે આવવા અપીલ કરી છે.

અગાઉ ક્યારે કેસ ઘટ્યાં
19 એપ્રિલે 367 કેસ નોંધાયા પછી 20મી એપ્રિલે 196 નોંધાયા જે 24 કલાકમાં 171 કેસનો ઘટાડો હતો. 21 એપ્રિલે 239 કેસ પછી 22 એપ્રિલે દસ ઘટ્યાં અને 229 કેસ નોંધાયા, તેના બીજા દિવસે પણ 12 કેસ ઓછા નોંધાતાં 23 એપ્રિલે 217નો આંકડો રહ્યો. આ સિલસિલો ત્રીજા દિવસે પણ રહ્યો અને 26 કેસ ઓછાં નોંધાતાં 24 એપ્રિલે 191 નવા કેસ સામે આવ્યાં હતાં, પરંતુ તે પછી આ આંકડો વધ્યો. 25 એપ્રિલે 256 અને પછી 26મીએ 230 જે 26 કેસનો ઘટાડો દર્શાવે છે. 27 એપ્રિલે 247 નોંધાયા પછી 19 કેસના ઘટાડા સાથે 28 એપ્રિલે 226 કેસ નોંધાયા. 28 એપ્રિલ પછી ઉત્તરોતર કેસ વધતાં જ રહ્યાં એ પછી 5 મેના રોજ 441 કેસ નોંધાયા બાદ 61 કેસ ઘટતાં 6 મેના રોજ 380 કેસ નોંધાયા છે.

કેસ ઘટ્યા પણ સામે ટેસ્ટ ઘટ્યાં નથી
સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે બુધવારે કેસ તો ઘટ્યાં છે પણ તેની સામે ટેસ્ટિંગની સંખ્યા વધી છે. તેથી કેસ ઓછા નોંધાય તે માટે ટેસ્ટ ઓછા કરાયાં તેવું કોઇ કારણ અહીં મળતું નથી. ઉલટાનું મંગળવારે કરાયેલાં કુલ 4,984 ટેસ્ટની સામે બુધવારે 5,559 સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 95,191 ટેસ્ટ કરાયાં છે તેમાંથી 6,625 પોઝિટિવ જ્યારે 88,566 નેગેટિવ આવ્યાં છે.
કુલ 6,662 દર્દી, 396ના મોત અને 1500ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 4716 298 778
વડોદરા 421 31 164
સુરત 772 33 314
રાજકોટ 62 01 26
ભાવનગર 82 05 21
આણંદ 76 06 38
ભરૂચ 27 02 22
ગાંધીનગર 83 05 15
પાટણ 24 01 12
નર્મદા 12 00 12
પંચમહાલ 51 03 06
બનાસકાંઠા 64 01 14
છોટાઉદેપુર 14 00 11
કચ્છ 07 01 05
મહેસાણા 42 00 08
બોટાદ 48 01 08
પોરબંદર 03 00 03
દાહોદ 15 00 02
ખેડા 12 00 02
ગીર-સોમનાથ 03 00 03
જામનગર 05 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 10 02 03
મહીસાગર 42 01 07
અરવલ્લી 22 02 14
તાપી 02 00 01
વલસાડ 06 01 03
નવસારી 08 00 04
ડાંગ 02 00 01
દેવભૂમિ દ્વારકા

03

00 00
સુરેન્દ્રનગર 01 00 01
જૂનાગઢ 02 00 00
કુલ 6662 396 1500


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE strong lockdown apply in ahmedabad


from Divya Bhaskar https://ift.tt/3caWe0x

No comments:

Post a Comment