
અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. બુધવાર સાંજે જાહેર થયેલ યાદી અનુસાર અમદાવાદમાં નવા 291 કેસ નોંધાયા છે. જ્યારે 25 લોકોના મોત થયા છે તથા 73 દર્દીઓ સ્વસ્થ થતાં ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4716, કલુ મૃત્યુઆંક 298 અને 778 દર્દીઓ સ્વસ્થ થયા છે. AMC દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર શહેરના શાહપુર, દાણીલીમડા, હાટકેશ્વર, નિકોલ, વટવા, નારોલ, સરસપુર, ખાડિયા, બાપુનગર, હાથીજણ, ગોમતીપુર, રખિયાલ, ગુલબાઇ ટેકરા, દરિયાપુર, કાલુપુર, વસ્ત્રાપુર, સેટેલાઇટ, થલતેજ, ગોતા, નારણપુરા, સરખેજ, મકરબા સહિતના વિસ્તારોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

















Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2SC7Q59
No comments:
Post a Comment