
વિશ્વમાં સૌથી વધુ આશાવાદી ભારતીય છે. અહીં ગ્રાહકની ઇન્કમ અને બચતમાં ઘટાડો છતાં આર્થિક સુધારા અંગે લોકો આશાવાદી છે. મેકેન્ઝી એન્ડ કંપનીના 1થી 4 મે વચ્ચે કરાયેલા એક સરવેમાં 57 ટકા લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2-3 મહિનામાં જ અર્થતંત્ર કોવિડ-19થી પહેલાંની જેમ જ ફરી પાટા પર આવી જશે. આવો જ ઇપ્સોસના સરવેમાં 63 ટકા ભારતીયોને ઝડપથી ઇકોનોમીમાં રિકવરીની આશા છે. એટલે 5માંથી 3 ભારતીય ભવિષ્ય અંગે આશાવાદી છે.
મેકેન્ઝીનો રિપોર્ટ: 93% માને છે કે એક વર્ષમાં જીવન પહેલાં જેવું થઇ જશે
રોજિંદા જીવન અંગે પણ આપણે વધુ આશાવાદી છીએ. મેકેન્ઝીના આ સરવેમાં માત્ર 7% લોકોએ કહ્યું કે જીવન સામાન્ય થતાં એક વર્ષ લાગી જશે. અન્ય 93%નું માનવું છે કે એક વર્ષની અંદર જ રૂટિન પહેલાં જેવું જ થઇ જશે. તેમાં 8% લોકોનું કહેવું છે કે 1 મહિનાની અંદર જ રુટિન પહેલાં જેવું થઇ જશે. 32%નું માનવું હતું કે મહામારી ઓગસ્ટ-ઓક્ટોબર સુધી રહી શકે છે.
વર્લ્ડ ઇકોનોમી ફોરમ: ભારતમાં લોકો વધુ ખર્ચ કરવાની તૈયારીમાં
વર્લ્ડ ઇકોનોમી ફોરમના જણાવ્યા મુજબ ભારતમાં લોકો ખર્ચ વધારવાની યોજના કરી રહ્યા છે. આ જ પ્રકારનો ટ્રેન્ડ ચીન, ઇન્ડોનેશિયા અને નાઇજિરિયામાં પણ જોવા મળ્યો છે. અમેરિકા, રશિયા, જર્મની જેવા ઘણા દેશોમાં લોકો ખર્ચ ઓછો કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. કેપઝેમિની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સરવે મુજબ 57% ભારતીયોએ કહ્યું કે તેઓ આ વર્ષે કાર ખરીદવા વિચારે છે.
ડેટા ફર્મ યુગોવનો રિપોર્ટ: 48% ભારતીયાના મતે મહામારી ટૂંકમાં ખતમ થઇ જશે
લંડન સ્થિત ગ્લોબલ માર્કેટ રિસર્ચ અને ડેટા કંપની યુગોવના સરવેમાં કોવિડ ટૂંકમાં ખતમ થવા અંગે ભારતીય લોકો વધુ આશાવાદી છે. ભારતમાં આશરે 48 ટકા લોકોએ કહ્યું કે જુલાઇના અંત સુધી મહામારી ખતમ થઇ જશે. જ્યારે વિશ્વમાં 40 ટકા લોકોને મહામારી ટૂંકમાં ખતમ થવાની આશા છે. મોટા ભાગના લોકોએ માન્યું કે આ સંકટમાં કંઇક ને કંઇક સારું થયું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3g4RTi7
No comments:
Post a Comment