
દિલ્હીની મિલિટરી એન્ડ રિસર્ચ રેફરલ હોસ્પિટલમાં દાખલ કેન્સરના 24 દર્દી કોરોના સંક્રમિત મળ્યા છે. 20 લોકો આર્મીના છે જ્યારે 1 નિવૃત્ત જવાન અને 3 સૈન્ય કર્મીઓના આશ્રિત છે. તેમને દિલ્હી કેન્ટમાં સૈન્યની બેઝ હોસ્પિટલમાં રિફર કરાયા છે. આ હોસ્પિટલમાં કોવિડ-19 માટે વોર્ડ તૈયાર કરાયો છે.
કેન્સરના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ કહ્યું હતું કે બધાની હાલત સ્થિર છે પરંતુ કેન્સરના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ છે. આથી તેમના પર સતત દેખરેખ રાખવી પડે છે. દિલ્હીમાં સીઆરપીએફના જવાનોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. આથી વધુ દેખરેખ રખાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WBQJ4K
No comments:
Post a Comment