Ad

Tuesday, May 19, 2020

ગુજરાતી ફાર્મા કંપનીઓ ચીનથી આયાત બંધ કરશે, લાઈફ સેવિંગ સહિત 200 પ્રકારની દવાનું 65% રૉ મટીરિયલ ચીનથી આવે છે

આત્મનિર્ભરતા મિશનની સૌથી મોટી શરૂઆત ગુજરાતનો ફાર્મા ઉદ્યોગ કરવા જઈ રહ્યો છે. ફાર્મા કંપનીઓએ દવાના રૉ-મટીરિયલ કે મોલિક્યુલ્સની આયાત રોકવાનો નિર્ણય કર્યો છે. તેની શરૂઆત પણ થઈ ગઈ છે. તેમનું લક્ષ્ય 3 વર્ષમાં 63 પ્રકારના રૉ-મટીરિયલ કે આયાતને સંપૂર્ણપણે રોકી દેવાનું છે. આ રીતે ત્રણ વર્ષમાં રૂ. 1.35 લાખ કરોડ બચાવવાની યોજના છે એટલે કે વાર્ષિક ધોરણે રૂ. 45 હજાર કરોડ. આ આયાતમાં 65% હિસ્સો ચીનનો છે. આ યોજનાથી આશરે 200થી વધુ પ્રકારની દવાનું રૉ -મટીરિયલ ગુજરાતમાં જ બનવાનું શરૂ થઈ જશે. જે અંતર્ગત નવી દવાના યુનિટ ખૂલશે અને હજારો લોકોને રોજગારી પણ મળશે.
રૂ. 1000 કરોડ રૉ-મટીરિયલ અને મેડિકલ ડિવાઈસ પાર્ક માટે ખર્ચ કરાશે
આઈડીએમએના ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ વિરંચી શાહનું કહેવું છે કે મેડિકલ ઈક્વિપમેન્ટની આયાત પણ બંધ કરવાની યોજના છે. હાલ કેન્દ્ર સરકારે દેશમાં ફાર્મા ઉદ્યોગમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા રૂ. 10 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. તેમાં આશરે રૂ. 7 હજાર કરોડની મદદ બલ્ક ડ્રગ્સ માટે છે, બાકીના રૂ. 3 હજાર કરોડનું ફંડ મેડિકલ ડિવાઈસ માટે ઉપયોગમાં લેવાશે. સરકારના પેકેજમાંથી રૂ. 1000 કરોડ રૉ-મટીરિયલ અને મેડિકલ ડિવાઈસ પાર્ક માટે ખર્ચ કરાશે.
એજિથ્રોમાઈસિન, એન્ટિબાયોટિક જેવી 200 દવાનો કાચો માલ અહીં બનશે
દેશમાં દવાઓના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ છે. અહીં રોજ આશરે રૂ. 500 કરોડથી વધુની દવાનું ઉત્પાદન થાય છે. તેમાં મેડિકલ ડિવાઈસ પણ સામેલ છે, પરંતુ સસ્તું હોવાના કારણે અત્યાર સુધી 65% દવાઓ માટે રૉ-મટીરિયલ ચીનથી આયાત કરાતું. તેમાંથી પેનિસિલિન જી, એજિથ્રોમાઈસિન, એન્ટિબાયોટિક જેવી 200થી વધુ દવા બને છે. ખાસ કરીને નાના ફાર્મા યુનિટ ચીનથી આયાત કરીને દવા બનાવે છે. હવે કોરોના મહામારીના કારણે ચીનથી આયાત અટકેલી છે, જેથી ફાર્મા કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રએ આ પેકેજની જાહેરાત કરી છે. આ સ્થિતિને દવા કંપનીઓ સારી તકની રીતે જુએ છે. આ રીતે ચીન પર નિર્ભરતા ખતમ થશે અને કંપનીઓનો નફો પણ વધશે.
સસ્તું ફર્મેન્ટેડ કન્ટેન્ટ ચીનથી આવે છે
ગુજરાતના નાના એટલે કે રૂ. 500-1000 કરોડનું મૂલ્ય ધરાવતા મોટા ભાગના યુનિટ દવા બનાવવા માટે વુહાન કે ચીનથી અન્ય શહેરોમાંથી રૉ-મટીરિયલ મંગાવે છે. તેમાં સૌથી વધુ ફર્મેન્ટેડ કન્ટેન્ટ હોય છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ભારતની તુલનામાં ચીન એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ્સ (એપીઆઈ) 3% સસ્તું પડે છે. આયાત બંધ થવાથી આ ખર્ચ 25-30% સુધી વધી ગયો હતો, એટલે દવાઓ મોંઘી થઈ અને કંપનીઓએ નફાનું માર્જિન ઘટ્યું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3g5ceUj

No comments:

Post a Comment