Ad

Friday, April 10, 2020

પોલીસ કમિશનરે ટ્વિટર પર લોક સંવાદ કર્યો, DGએ કહ્યું લૉકડાઉનમાં ધ્યાન રાખો

રાજ્યમાં લોકડાઉનના અમલીકરણની કામગીરી વચ્ચે પણ રાજ્યના બે ઉચ્ચ પોલીસ અધિકારી વચ્ચેનો વિરોધાભાસ સપાટી પર આવ્યો છે. શુક્રવારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ટ્વિટર લાઇવથી લોકસંવાદ કર્યો હતો, જે અંગે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કોઈ પ્રોત્સાહન ન આપતાં પોલીસને લોકડાઉનના અમલ પર ધ્યાન આપવા કહ્યું હતું. શુક્રવારે અમદાવાદ પોલીસ કમિશનરે ટ્વિટર લાઇવથી લોકોના પ્રશ્નો જાણ્યા હતા, જેમાં લોકડાઉનમાં મુશ્કેલી અનુભવતા લોકોએ પોતાની મુશ્કેલીઓ વર્ણવી હતી.
લોકોએ ટ્વીટ કરી પોતાની વાત રજૂ કરી હતી. જે પૈકી અમુક ટ્વીટ અહીં પ્રસ્તુત કર્યા છે
  • પત્ની પ્રેગ્નેન્ટ છે અને નજીકના દિવસોમાં તેમને હોસ્પિટલ જવાની જરૂર પડી શકે છે તો હોસ્પિટલ જવું હોય ત્યારે શું કરવું?
  • એક નાગરિકે એવો પ્રશ્ન કર્યો હતો કે તેમના પાલતુ કૂતરાને કુદરતી હાજત માટે લઈ જવાય કે નહીં, જો લઈ જાય ત્યારે પોલીસ પકડશે કે નહીં?
  • એક નાગરિકે જૂનાગઢમાં તેમના લકવાગ્રસ્ત પિતા અને સગર્ભા પત્નીને લેવા જવા માટે પોલીસ પાસે ટ્રાવેલ પાસની માગણી કરી હતી.
  • એક નાગરિકે વસ્ત્રાપુરમાં સાઈબાબા મંદિરમાં શ્રદ્ધાળુઓનાં ટોળાં ભેગાં થતાં હોવાથી પોલીસને આ અંગે પગલાં લેવા વિનંતી કરી હતી.
  • પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીએ પોતાના ઘરે જવા માટે પોલીસની મદદ માગી હતી.
  • અમદાવાદના રહેવાસીએ મહેસાણામાં પરિવાર સાથે ફસાયા હોવાથી તેમનાં સંતાનોનું ઓનલાઇન ક્લાસીસ શરૂ થઈ જતા હવે અમદાવાદ પાછા આવવું હોય તો શું કરવું તે અંગે માર્ગદર્શન માગ્યું હતું
  • અમદાવાદમાં ફસાયેલા રાંચીના યુવાને કાર સાથે રાંચી જવા માટે પોલીસની પરમિશનની માગણી કરી હતી.
  • એક નાગરિકે કૂતરાને લઈને ફરતા નાગરિકો સામે પગલાં લેવા માટે પોલીસના સ્ટાફની પ્રશંસા કરી હતી.
  • કોલકાતામાં બદલી થતાં આગામી સમયમાં નોકરીએ હાજર થવા માટે અમદાવાદથી કોલકાતા જવા માટે એક કર્મચારીએ પોલીસની મદદ માગી હતી.
પોલીસ સંવાદને બદલે લૉકડાઉનના અમલીકરણ પર ધ્યાન આપો : DG
લોકડાઉનને કારણે સ્વાભાવિક રીતે નાગરિકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે તેમના પ્રશ્નો કે સમસ્યાઓ જાણવાના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ ટ્વિટર મારફતે જન સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે. આવો કાર્યક્રમ અન્ય શહેરો અને જિલ્લાઓમાં પણ પોલીસ દ્વારા શરૂ કરાશે? તેવા પ્રશ્નના જવાબમાં ડીજીપી શિવાનંદ ઝાએ કહ્યું હતું કે, મારું મંતવ્ય છે કે પોલીસે સંવાદને બદલે લોકડાઉનના ચુસ્ત અમલીકરણ પર ધ્યાન આપવું જોઈએ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
DGP શિવાનંદ ઝા અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3ccuhFt

No comments:

Post a Comment