
દેશભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધતી-ઘટતી રહી છે ત્યારે કોઈ પણ લક્ષણ વિના નોંધાતા નવા કેસો મોટો પડકાર બન્યા છે. અમદાવાદમાં 80 ટકા કેસ એવા છે જેમાં કોઈ લક્ષણો નોંધાયા નહોતા. રવિવારે દિલ્હી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓએ પણ આ આશંકા વ્યક્ત કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે જણાવ્યું હતું કે શનિવારે કુલ 736 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો જેમાંથી 186 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. આ એવા લોકો હતા જેમનામાં કોરોનાના કોઈ જ લક્ષણો નહોતા. દિલ્હી અને મહારાષ્ટ્રે આ ચિંતા વ્યક્ત કર્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.
ઇ-કોમર્સ કંપનીઓ જરૂરી વસ્તુઓની ડિલિવરી કરી શકશે
સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જો કે રવિવારે જણાવ્યું હતું કે લક્ષણો વિના નોંધાતા પોઝિટીવ કેસોની સંખ્યા હજુ ઘણી મોટી નથી પણ જો લક્ષણ વગરના દર્દીઓ હાઇ-રિસ્ક પર હોય તો તેમનું સતત મોનિટરીંગ થવું જોઈએ. લક્ષણ વગરના દર્દીઓની કોન્ટેક્ટ હિસ્ટ્રી હોય તો તેમણે હૉમ ક્વૉરન્ટાઇન થવું જોઈએ. દેશના 354 જિલ્લામાં સોમવારથી કરિયાણા અને શાકભાજી-ફળોની દુકાનો ખૂલી જશે. આ એવા જિલ્લા છે કે જ્યાં કોરોના ફેલાયો નથી અથવા તો 14 દિવસથી એક પણ નવો કેસ નોંધાયો નથી. દરમિયાન, કેન્દ્ર સરકારે પાછલો આદેશ બદલતાં સ્પષ્ટ કર્યું છે કે ઇ-કોમર્સ કંપનીઓ માત્ર જરૂરી વસ્તુઓની ડિલિવરી કરી શકશે, અન્ય વસ્તુઓની નહીં.
પંજાબ સરકારે 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી
કોરોનામુક્ત જિલ્લાઓમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થતાં પહેલાં એક નવાં તથ્યએ ચિંતા વધારી છે. નવું જોખમ લક્ષણ વિનાના દર્દીઓની વધતી સંખ્યાથી છે. દિલ્હી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓએ આ જ આશંકા વ્યક્ત કરી. અરવિંદ કેજરીવાલે સોમવારથી લૉકડાઉનમાં ઢીલનો ઇનકાર કરતા કહ્યું કે દિલ્હીમાં શનિવારે 736 લોકોનો ટેસ્ટ કરાયો, જેમાંથી 186 એટલે કે 25 ટકા પોઝિટિવ જણાયા. ચિંતાની વાત એ છે કે તેમાંથી એકેય દર્દીમાં કોરોનાનાં લક્ષણો નહોતાં. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના 70-75 ટકા દર્દીઓ લક્ષણો વગરના છે. તેમાંથી 52 ટકાની હાલત ખૂબ ગંભીર છે. બીજી તરફ પંજાબ સરકારે પણ 3 મે સુધી લૉકડાઉનમાં કોઇ પણ પ્રકારની ઢીલ આપવા ઇનકાર કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે લક્ષણો વિનાના લોકો પોઝિટિવ નીકળ્યાનો આંકડો હાલ બહુ મોટો નથી.
- કર્ણાટકમાં ગુરુવારે 186, શુક્રવારે 208 દર્દી લક્ષણ વિનાના મળ્યા.
- ગુજરાતમાં રવિવારે સવારે 228 દર્દીમાંથી 213 લક્ષણ વિનાના જણાયા.
- એઇમ્સ, દિલ્હીના પ્રો. સંજય રાયે જણાવ્યું કે લક્ષણ વિનાના દર્દીઓ આવવા ગંભીર બાબત છે. આવા દર્દીઓની ઓળખ કોન્ટેક્ટ ટ્રેસિંગથી જ શક્ય છે. આવા લોકો અને તેમના કોન્ટેક્ટ્સની ઓળખ બહુ ઝડપથી કરવી પડશે. બીજી તરફ એઇમ્સના કમ્યુનિટી મેડિસિન વિભાગના વડા રહેલા ડૉ. સી. એસ. પાંડવે કહ્યું કે આટલી મોટી સંખ્યામાં લક્ષણ વિનાના દર્દીઓ સામે આવવા એ કમ્યુનિટી ટ્રાન્સમિશનનો સંકેત છે. તેથી મોટા પાયે રેપિડ એન્ટી બૉડી ટેસ્ટ કરવા પડશે.
ઈન્સ્પેક્ટરનું મૃત્યુ; પીપીઈમાં અંતિમ દર્શન અને ગાર્ડ ઓફ ઓનર
ઈન્દોરમાં કોરોના ચેપગ્રસ્ત પોલીસ ઈન્સ્પેક્ટર ચંદ્રવંશી મૃત્યુ પામ્યા. રવિવારે સવારે તેમના અંતિમ દર્શન માટે પરિવારને પીપીઈ સૂટમાં સ્મશાન લવાયો હતો. પોલીસે ગાર્ડ ઓફ ઓનર પણ પીપીઈ સૂટમાં જ આપ્યું. સ્થિતિ એવી હતી કે પરિવારને પાર્થિવ દેહથી દૂર રખાયો. ફક્ત તસવીર પર ફૂલ ચઢાવાયા.
6 રાજ્યોનાં 14 શહેરોમાં જ દેશના 70% દર્દી
WHO, સ્વાસ્થ્ય મંત્રાલય, રાજ્યોના વિભાગોના આંકડાનું એનાલિસિસ કરીએ તો એક ખાસ પહેલું દેખાય છે. એ છે કે ફક્ત છ રાજ્યો માટે એક જેવી રણનીતિની જરૂર છે. કેમ કે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુમાં જ દેશના 70 ટકા કોરોના દર્દી છે. બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ છ રાજ્યોમાં પણ પ્રત્યેકના ફક્ત બે કે 3 શહેરોમાં જ ચેપ છે.
3 લેયરમાં સમજો કોરોનાને
લેયર – 1: 32 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચેપ છે. 70% દર્દી 6 રાજ્યોમાં.
લેયર – 2: આ 6 રાજ્યોમાં 2 કે 3 શહેરો છે, જ્યાં આશરે 75% દર્દી છે. મહારાષ્ટ્રમાં મુંબઈ અને પૂણે. મધ્યપ્રદેશમાં ઇન્દોર-ભોપાલ. ગુજરાતમાં અમદાવાદ-સુરત.
લેયર-3:જે શહેરોમાં ચેપ છે, તેમાં પણ અમુક જ ભાગ છે. જેમ કે અમદાવાદમાં દાણીલીમડા, દરિયાપુર, કાલુપુર વગેરે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eBDE3i
No comments:
Post a Comment