
બાંગ્લાદેશના સંસ્થાપક તેમજ સ્વતંત્રતા સેનાની શેખ મુજીબુર્ર રહેમાનની હત્યાના દોષિતોમાંના એક અબ્દુલ માજિદને ઢાકાની સેન્ટ્રલ જેલમાં ફાંસી આપી દેવાઇ. કાયદા મંત્રી અનિસુલ હકે જણાવ્યું કે માજિદને શનિવારે રાત્રે 12:01 કલાકે ફાંસીએ લટકાવ્યો હતો. ડોક્ટરે માજિદને 12:15 કલાકે મૃત જાહેર કર્યો હતો. બાંગ્લાદેશની આતંકવાદ વિરોધી પોલીસે માજિદની ઢાકામાંથી થોડા દિવસ પહેલાં ધરપકડ કરી હતી. તેણે કબુલ્યુ હતું કે તે આશરે 23 વર્ષ સુધી કોલકાતામાં છુપાયેલો હતો. 15-16 માર્ચે જ ઢાકા પરત ફર્યો હતો. શેખ મુજીબુર્રની હત્યા 15 ઓગસ્ટ 1975ના સૈન્ય બળવામાં થઇ હતી. આ બળવામાં તેમના પરિવારના મોટાભાગના સભ્યો અને અન્ય ઘણાં લોકોની હત્યા કરી દેવાઇ હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XvFmgs
No comments:
Post a Comment