Ad

Friday, April 10, 2020

15 કલાક ડ્યૂટી કરનારી ટીમની ડૉક્ટર પણ છે નાસિક એસપી; પોલીસકર્મીઓને સૂચના આપી - કોઈને લક્ષણ દેખાય તો તાત્કાલિક મને ફોન કરે

નાસિક પોલીસદળ લૉકડાઉન દરમિયાન લાંબી ડ્યૂટીમાં પણ પોતાના સ્ટાફના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. તેમની કેપ્ટન આરતી સિંહ ડૉક્ટર પણ છે. તેઓ કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે પોતાની ટીમની સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી રહી છે. સંપૂર્ણ ટીમને એસપીએ સૂચના આપેલી છે કે- જો કોઈને વાઈરસના લક્ષણ જોવા મળે તો ડરે નહીં અને તાત્કાલિક મને ફોન કરે.
પોલીસ કોલોનીમાં જઈ મહિલાઓ અને બાળકો સાથે પણ વાત કરતા રહે છે
વાસ્તવમાં માલેગાંવ જેવા સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત ડૉ. આરતી સિંહને સૌથી વધુ ચિંતા 15-15 કલાક ડ્યૂટી કરતા પોલીસકર્મીઓની છે. ડૉ. સિંહ મિટિંગથી લઈ વોકી ટોકી પર વાત કરતા સમયે પણ ટીમને સ્વાસ્થ્ય અંગે સવાલ કરતી રહે છે. આ ઉપરાંત તેઓ પોલીસ કોલોનીમાં જઈ મહિલાઓ અને બાળકો સાથે પણ વાત કરતા રહે છે. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવવાસ ઘરની બહાન ના નીકળવાથી લઈ ડ્યૂટી પર જઈ રહેલા પોલીસકર્મીઓને ભોજન સંબંધિત ટિપ્સ પણ આપી રહી છે.
ડૉ. આરતી સિંહ યુપીના મિર્ઝાપુરની રહેવાસી છે.
પોલીસકર્મીઓને આ સલાહ આપી છે
  • ડ્યૂટી પૂર્ણ કર્યા બાદ ઘરે જાવ તો લાકડી વડે બેલ વગાડો અને તેને હાથ વડે ટચ ના કરો.
  • ગાડીની ચાવી, મોબાઈલ, શૂઝ હેલ્મેટને ઘરની બહાર રાખો.
  • હાથમાં સેનેટાઈઝર લગાવો અને કપડા, માસ્કને ગરમ પાણીમાં ધોવામાં નાંખી દો.
  • ન્હાયા બાદ જ ઘરમાં બાળકો પાસે જવું, મોબાઈલ પણ સેનેટાઈઝરથી સાફ કરો.
  • વિટામીન-સી માટે લીંબુ, મોસંબી, દાડમ, હળદરનું સેવન કરવાનું રાખો.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નાસિકના એસપી ડૉ. આરતી સિંહ.


from Divya Bhaskar https://ift.tt/3a1KbRg

No comments:

Post a Comment