Ad

Sunday, August 2, 2020

આજે પોરબંદરને 1031મું બેઠુંઃ જેઠવા વંશની રાજધાની અને સુદામાનગરી તરીકે જાણીતું શહેર મહાત્માના જન્મથી જગવિખ્યાત બન્યું

બળેવ પૂનમના દિવસે જેઠવા વંશની રાજધાની પોરબંદરની સ્થાપના થઈ હતી. જેઠવા વંશની રાજધાની ગણાતા પોરબંદરે ભવ્ય ઇતિહાસ સાથે આજે 1030 વર્ષ પૂર્ણ કર્યા છે અને 1031માં વર્ષનો પ્રવેશ્યું છે. નાળિયેરી પૂનમના દિવસે પોરબંદરની સ્થાપના થઈ હોવાનું મનાય છે. પૌરાઈ માતાજીના નામ ઉપરથી પોરબંદરનું નામ આપવામાં આવ્યું હોવાનું પણ લોકવાયકા છે. આમ તો પોરબંદરનો ઇતિહાસ ખૂબ રસપ્રદ રહ્યો છે. ત્યારે રાજવીઓની આગવી કોઠાસૂઝના કારણે જૂનું પોરબંદર આજે પણ નખશિખીનું જીવંત ઉદાહરણ છે.

અનેક ઐતિહાસિક ધરોહર સાચવીને બેઠું છે

શ્રીકૃષ્ણના મિત્ર સુદામાની નગરી
જેઠવા વંશની રાજધાની ગણાતા પોરબંદરને પ્રજા વાત્સલ્ય રાજવીઓ મળ્યા છે. જેમાં નટવરસિંહજીએ જે રીતે પોરબંદરનું નિર્માણ કર્યું છે જેને આજે પણ લોકો વિચારી શક્યાં નથી. પોરબંદરને ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામાજીની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ તરીકે પણ વિશ્વભરમાં પોરબંદર વિખ્યાત બન્યું છે. આ ઉપરાંત સુરખાબ નગરીનું પણ બિરુદ પોરબંદરે મેળવ્યું છે અને પૂજ્ય મોરારીબાપુએ સત્યમ-શિવમ-સુંદરમની ઉપમા આપી છે.

ઘણાં જોવાલાયક સ્થળો આવેલા છે

અનેક ઐતિહાસિક ધરોહરોનું હબ
પોરબંદર શહેર રાજકીય ક્ષેત્રે પણ હંમેશા ગુજરાતમાં એક આગવું સ્થાન ધરાવે છે. હાલ પોરબંદર સતત વિકસતું શહેર બની ગયું છે. અરબી સમુદ્રના કિનારે રેતીમાં રમતા આ નગરમાં આજે પણ રાજવીઓએ આપેલા ઐતિહાસિક ઇમારત પોરબંદરને ગૌરવ પ્રદાન કરે છે. આરજીટી કોલેજનો દરિયાઈ મહેલ, છાંયામાં આવેલ દરબાર ગઢ, ચિતલા ચોકનો દરબાર ગઢ ઐતિહાસિક કલા વારસો ધરાવે છે અને આજે પણ આ ઇમારતો પોરબંદરને એક આગવું ગૌરવ પ્રદાન કરે છે.

અરબી સમુદ્ર કિનારે વસેલી સુદામાનગરી

સમુદ્ર પૂજન સાથે મોસમનું પહેલું વહાણ હકારી તેનો ઉત્સવ ઉજવાતો
પોરબંદરમાં અનેક વર્ષો જૂની પરંપરાથી નાળીયેરી પૂનમનો ઉત્સવ ઉજવવામાં આવતો હતો. ચોમાસા પછી નાળિયેરી પૂનમ રક્ષાબંધનના દિવસે દરિયાનું બારણું ખૂલે છે. સમુદ્ર પૂજન સાથે મોસમનું પહેલું વહાણ હંકારી તેનો ઉત્સવ ઉજવવામાં આવતો હતો. સાથોસાથ પોરબંદરની સ્થાપનાનો ઉત્સવ પણ ઉજવાતો હતો. આજના દિવસે પોરબંદરની સ્થાપના થયેલી હોવાથી તેમજ આજના દિવસે રાજધાની તરીકે પોરબંદરનું તોરણ બાંધવામાં આવ્યું હતું. આમ અનેક વર્ષો જૂની પરંપરાને માછીમારો દ્વારા જાળવી રાખવામાં આવી છે. આજે સમુદ્ર પૂજન સાથે વિધિવત રીતે માછીમારો માછીમારીના વ્યવસાયનો શુભારંભ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
1030 વર્ષ જુનું પોરબંદર આજે કંઇક ડ્રોનની નજરથી આવું દેખાઇ રહ્યું છે. જાણે કે શહેર મકાનો અને લોકોથી ભરચક્ક થઇ ગયું હોઇ તેવું નજરે પડે છે.


from Divya Bhaskar https://ift.tt/2PeYHxc

લોકડાઉનમાં 80 લાખ નાગરિકે 30 હજાર કરોડ PFમાંથી ઉપાડ્યાઃકોંગ્રેસ

કોરોના મહામારીને કારણે સામાજિક સુરક્ષા માટે અનામત રાખવામાં આવતા પ્રોવિડંડ ફંડમાંથી પણ એપ્રિલથી જૂન-2020 સુધીમાં 80 લાખ નાગરિકે રૂ. 30 હજાર કરોડ ઉપાડી લીધા હોવાનું સત્તાવારરીતે બહાર આવ્યું હોવાનું કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું.

8 લાખ નાગરિકો પૈસા ઉપાડવા મજબૂર બન્યાં
કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું કે સીએમઆઈએનાં અહેવાલ અનુસાર દેશમાં દર ચોથો વ્યક્તિ રોજગાર ગુમાવે છે. પરિણામે છેલ્લા અઠવાડિયામાં 1 લાખથી વધુ નાગરિક તેમના પીએફમાંથી નાણાં ઉપાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. દેશમાં 50 લાખ લોકોએ મેિડકલ ટ્રિટમેન્ટ માટે રૂ.22 હજાર કરોડ ઉપાડ્યા છે જ્યારે 30 લોકોએ કોરોના વિન્ડો માટે રૂ. 8 હજાર કરોડ ઉપાડ્યા છે. ગુજરાતના 8 લાખ નાગરિકોને પોતાના પૈસા ઉપાડવા માટે મજબુર બન્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/33nZK6f

રૂપાણીએ સુરતમાં કોરોના વોરિયર વચ્ચે જન્મદિવસ ઉજવ્યો, નિર્માણાધીન કોવિડ હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યું

પોતાના જન્મદિવસે સુરત આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ફન્ટલાઈન વોરીયર્સ વચ્ચે જન્મ દિવસ ઉજવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીએ નવી સિવિલ કોવિડ-19 હોસ્પિટલ ખાતેના હેલ્પડેસ્કની મુલાકાત લઈ કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનોને દર્દીઓની તબિયત અંગે સમીક્ષા કરી હતી.ત્યારબાદ સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ સિવિલ હોસ્પિટલના કોવિડ 19 ટ્રેનિંગ સેન્ટર ખાતે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર તબીબો, નર્સો, એમબીબીએસના વિદ્યાર્થીઓ, આરોગ્યકર્મીઓ અને સફાઈકર્મીઓને સંબોધતા જણાવ્યું હતું કે, લોકોની જેઓ સેવા કરે છે, તેમના સન્માન કરવાનો આ મોકો પણ છે, અને જન્મ દિવસને યાદગાર બનાવ્યો છે.

27 દિવસ બાદ ફરી સુરતની મુલાકાતે
સુરત શહેરમાં કોરોના સતત વકરી રહ્યો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી 27 દિવસ બાદ ફરી સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે આવેલી સ્ટેમ સેલ કોવિડ-19 હોસ્પિટલની અને નજીકની કિડની બિલ્ડીંગમાં નિર્માણાધીન કોવિડ-19 હોસ્પિટલની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સુરત શહેર અને જિલ્લાની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાશે. જેમાં અધિકારીઓ અને ડોક્ટરો સાથે કોરોના મહામારીને નાથવા કરવામાં આવેલી કામગીરી અને આગળના આયોજન બાબતે રીવ્યું કરાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કિડની હોસ્પિટલમાં બની રહેલી કોવિડ હોસ્પિટલમાં નિરીક્ષણ કર્યું


from Divya Bhaskar https://ift.tt/33iKvvu

15 દેશના કેબિનેટ મંત્રીઓના વજનનો અભ્યાસ, ચોંકાવનારા પરિણામ મળ્યાઃ સરકાર જેટલી ભારે, દેશમાં તેટલો વધુ ભ્રષ્ટાચાર

દક્ષિણ ઇંગ્લેન્ડના બકિંગહામશાયરના હાઇ વાયકોમ્બે શહેરના સાંસદ, મેયર અને કોર્પોરેટર દર વર્ષે જાહેરમાં પોતાનું વજન કરાવતા હતા, જનતાને એ જણાવવા માટે કે ટેક્સના નાણાનો ઉપયોગ કરતા કરતા તેમનું વજન વધ્યું નથી. કોઇ નેતાનું વજન થોડુંય વધેલું જણાય તો ટોળું હોબાળો મચાવી દેતું. વર્ષો જૂની આ કવાયતની વર્તમાન સંદર્ભમાં પ્રાસંગિકતા જાણવા ફ્રાન્સની મોન્ટેપેલિયર બિઝનેસ સ્કૂલના સંશોધક પાવ્લો બ્લાવસ્કીએ રસપ્રદ અભ્યાસ કર્યો. તેમણે 15 દેશની સરકારોના કેબિનેટ મંત્રીઓના વજનનો અભ્યાસ કર્યો, જેના પરિણામ ચોંકાવનારા રહ્યા. તે દર્શાવે છે કે સરકાર જેટલી ભારે ભરખમ છે તે દેશમાં તેટલો જ વધુ ભ્રષ્ટાચાર છે.

જ્યાં મેદસ્વીતા વધુ ત્યાં ભ્રષ્ટાચાર વધુ હોવાનો દાવો
બ્લાવસ્કીએ 300 કેબિનેટ મંત્રીની તસવીર પરથી તેમના બૉડી-માસ ઇન્ડેક્સ (બીએમઆઇ)નો અંદાજ બાંધ્યો. તેને મિલાન વર્લ્ડ બેન્ક અને ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલના આંકડા સાથે મેળવ્યા. તેમણે નોંધ્યું કે જે દેશોના મંત્રીઓનો બીએમઆઇ વધુ હતો તે વધુ ભ્રષ્ટ દેશોમાં સામેલ હતા. એસ્ટોનિયા, લિથુઆનિયા, લાત્વિયા અને જ્યોર્જિયા ઓછા ભ્રષ્ટ દેશ હતા. આ 4 દેશની કેબિનેટ પણ સૌથી સુડોળ હતી જ્યારે તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં ભ્રષ્ટાચાર વધુ હતો તો ત્યાંની કેબિનેટ પણ મેદસ્વી હતી. અભ્યાસમાં તમામ 15 દેશના અંદાજે એક-તૃતીયાંશ મંત્રીઓ સૌથી મેદસ્વી જણાયા. ઉઝબેકિસ્તાનના 54 ટકા અને તાજિકિસ્તાનના 44 ટકા મંત્રી મેદસ્વી જણાયા. માત્ર 3 ટકા મંત્રી સામાન્ય વજન શ્રેણીમાં હતા. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિનની છબિ ભલે સ્વસ્થ પુરુષની હોય પણ તેમની કેબિનેટ પડોશી દેશોની માફક મેદસ્વી છે.

ગરીબ-ઓછા વજનવાળી વસતી ધરાવતા દેશોમાં ઓછો ભ્રષ્ટાચાર
બ્લાવસ્કી કહે છે કે મેદસ્વી લોકો સંતોષી દેખાતા હોય છે પણ તેઓ લોભી હોય છે. ટ્રાન્સપેરન્સી ઇન્ટરનેશનલનો રિપોર્ટ જોતાં માલૂમ પડે છે કે ગરીબ અને ઓછા વજનવાળી વસતી ધરાવતા દેશો ઓછા ભ્રષ્ટ છે. જોકે, આ સંબંધ દરેક મામલે યોગ્ય હોય તે જરૂરી નથી.

આ રીતે અભ્યાસ કરાયો
બ્લાવસ્કીએ 15 દેશના વર્ષ 2017ના મંત્રીઓની 300 તસવીરનો અભ્યાસ કર્યો, જેમાં આર્મેનિયા, અઝરબૈજાન, બેલારુસ, એસ્ટોનિયા, જ્યોર્જિયા, કઝાકિસ્તાન, રશિયા, કિર્ગિસ્તાન, લાત્વિયા, લિથુઆનિયા, યૂક્રેન, માલ્ડોવા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન સામેલ છે. બ્લાવસ્કીએ કમ્પ્યૂટર અલ્ગોરિધમ દ્વારા તસવીરો પરથી બીએમઆઇનું આકલન કર્યું. તેઓ એ જાણીને દંગ રહી ગયા કે બીએમઆઇના મધ્યાંકનો ભ્રષ્ટાચારના ઇન્ડેક્સ સાથે સંબંધ હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A study of the weights of 15 cabinet ministers found shocking results: the heavier the government, the more corruption in the country.


from Divya Bhaskar https://ift.tt/33g7iIh

કોરોનાકાળમાં જન્મેલા બાળકોને જોવા કેબિન બસ, પરિવારજનો બાળકને જોઈ શકે તે માટે બનાવી સ્પેશિયલ બસ

મેક્સિકોના મોર્ટેરેરે શહેરમાં કોરોનાકાળમાં જન્મેલા બાળકો માટે સ્પેશિયલ કેબિન વાળી બસ બનાવાઈ છે. જેથી સંબંધીઓ અને પરિવારજનો બાળકોને જોઈ શકે. તેને બેબી કેબિન પરેડ નામ અપાયું છે. બસમાં બાળક સાથે માત્ર માતા-પિતા હાજર રહી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Cabin bus to see babies born in Corona period, special bus made for family to see baby


from Divya Bhaskar https://ift.tt/39O09A0

100 નદી, કૈલાશ માનસરોવર તથા લંકાના સમુદ્રનું જળ અયોધ્યા પહોંચ્યું

અયોધ્યામાં 5 ઓગસ્ટે થનારા શ્રીરામ મંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભૂમિપૂજનનું પહેલું આમંત્રણ શ્રીરામલલા વિરાજમાનના ચારેય ભાઇઓ તથા બાળ હનુમાનને આપ્યું છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રવિવારે જણાવ્યું કે 5 ઓગસ્ટના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ અઢી કલાક રોકાશે. 170થી 180 લોકો આયોજનમાં ભાગ લેશે. ભૂમિપૂજન માટે 2 રામભક્ત રાધેશ્યામ અને ત્રિફલા 159 નદી અને 5 સમુદ્રનું જળ લઇને અયોધ્યા પહોંચ્યા છે. તેમણે 1968થી 2019 સુધી આ જળ એકઠું કર્યું છે. આ સિવાય કૈલાશ માનસરોવર અને લંકાના સમુદ્રનું જળ લઇને પણ ભક્તો પહોંચ્યા છે.

રામલલા નવરત્ન જડિત લીલા રંગના વાઘામાં દેખાશે
ભૂમિપૂજનના દિવસે રામલલા માટે 2 વસ્ત્ર તૈયાર કરાયા છે. આ દિવસે રામલલાને લીલા અને કેસરી રંગના નવરત્ન જડિત વસ્ત્ર પહેરાવાશે. રામા દલના અધ્યક્ષ પંડિત કલ્કિ રામે રામલલાના 4 વાઘા રામમંદિરના પુજારી સત્યેન્દ્ર દાસને આપ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
100 rivers, Kailash Mansarovar and sea water of Lanka reached Ayodhya


from Divya Bhaskar https://ift.tt/31eNJ07

દિલ્હીમાં જે એન્ટીજન ટેસ્ટના 35 ટકા પરિણામ ખોટા તે ટેસ્ટ વધાર્યા તો નવા દર્દી ઘટ્યા, અમદાવાદ-મુંબઈ પણ આ જ રસ્તે

દેશમાં રવિવારે કોરોનાના 2 કરોડ ટેસ્ટ પૂરા થયા તેમાં 20 લાખ એન્ટીજન ટેસ્ટ છે. જે સૌથી પહેલાં દિલ્હીમાં 18 જૂનથી શરૂ થયા હતા. તેનાથી દર્દીની ઓળખ બહુ જલદી થાય છે પણ તેમાં ખામી એ છે કે 35 ટકા દર્દી પકડમાં આવતા નથી. આ ટેસ્ટ શરૂ થયા પછી દિલ્હીમાં નવા દર્દીનો ગ્રાફ ઝડપથી ઘટ્યો. અમદાવાદ-મુંબઈમાં પણ જ્યારે એન્ટીજન ટેસ્ટ થવા માંડ્યા તો ત્યાં પણ દર્દીઓની સંખ્યા ઘટવા લાગી.

  • બિહાર: જુલાઈમાં કુલ 1 લાખ RTPCR ટેસ્ટ થયા, 2.3 લાખ એન્ટીજન ટેસ્ટ કર્યા
  • હરિયાણા: જુલાઈમાં 1.4 લાખ આરટીપીસીઆર, 1.2 લાખ એન્ટીજન ટેસ્ટ કર્યા
  • છત્તીસગઢ: જુલાઈમાં 98 હજાર RTPCR અને 29 હજાર એન્ટીજન ટેસ્ટ થયા

(3 રાજ્યોમાં જુનમાં એક પણ એન્ટીજન ટેસ્ટ થયો નથી.)

વિશ્વભરમાં RTPCR ટેસ્ટ જ સ્ટાન્ડર્ડ, એન્ટીજન નહીં
ભારતમાં કોરોનાની તપાસ 2 રીતે થઈ રહી છે. પ્રથમ આરટીપીઆર ટેસ્ટ અને બીજી એન્ટીજન ટેસ્ટ દ્વારા. સરકારે એન્ટીજન ટેસ્ટની મંજૂરી માત્ર કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા લોકોમાં કોરોના વાઈરસની ઓળખ માટે આપી છે. એન્ટીજન લોકોમાં જે દર્દી પોઝિટિવ આવે છે તેમની આરટીપીસીઆર તપાસ જરૂરી નથી. તેને કોરોના દર્દી માનવામાં આવે છે. કોરોનાના લક્ષણ વાળા જે દર્દીના રિપોર્ટ એન્ટીજન ટેસ્ટમાં નેગેટિવ આવે છે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાય છે. પરંતુ જો કોઈ લક્ષણ વિનાના દર્દીનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેને છોડી દેવામાં આવે છે. આ વાત સૌથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણકે 80 ટકા કોરોનાના દર્દી લક્ષણ વિનાના હોય છે. આઈસીએમઆરના અભ્યાસમાં જણાવ્યું છે કે એન્ટીજન તપાસ 50 ટકાથી 80 ટકા (સરેરાશ 65 ટકા) સુધી વાઈરસની ઓળખ કરી લે છે. તેનો અર્થ એ થયો કે 35% મામલામાં સાચું રિઝલ્ટ નથી આવતું. જ્યારે RTPCR ટેસ્ટ 90% મામલામાં સાચું રિઝલ્ટ આપે છે. એનો અર્થ એ થયો કે અહીં ભૂલની સંભાવના માત્ર 10 ટકા છે. આથી સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસની ઓળખ માટે ગોલ્ડન સ્ટાન્ડર્ડ ટેસ્ટ RTPCR જ છે, એન્ટીજન નહીં. - પ્રો. એકતા ગુપ્તા, ડિપાર્ટમેન્ટ ઓફ વાયરોલોજી, ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બૈલ્યરી સાયન્સ, નવી દિલ્હી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3k4LEN7

કોરોનાના 1101 નવા કેસ સાથે કુલ 46,587 દર્દીઓ થયા, 22 લોકોના મોતઃ અમદાવાદમાં માત્ર 2 મોત થયા

ગુજરાતમાં રવિવારે નવા 1,101 કેસ નોંધાયા હતા અને આ સાથે હવે કોરોનાના કુલ કેસનો આંકડો રાજ્યમાં 63,675 પર પહોંચ્યો છે. રવિવારે સમગ્ર રાજ્યમાં 23,255 ટેસ્ટ કરાયા હતા અને તે જોતાં કુલ ટેસ્ટની સામે પોઝિટીવ આવેલાં કેસનું પ્રમાણ 5 ટકાથી થોડું ઓછું છે, જ્યારે અત્યાર સુધીમાં થયેલાં કુલ 8,14,335 સેમ્પલના ટેસ્ટિંગ સામે અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનું પ્રમાણ 8 ટકાની આસપાસ છે. જોકે આ પ્રમાણ મે અને જૂન મહિનામાં લગભગ દસ ટકાની આસપાસ હતું.

કુલ મૃત્યુઆંક 2487 થયો
આજે ગુજરાતમાં 805 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો છે તેથી ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 46,587 પર પહોંચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,601 છે. આ ઉપરાંત ગુજરાતમાં કુલ 22 લોકોના મોત થયા છે અને આ સાથે ગુજરાતમાં કોરોનાને કારણે કુલ મૃત્યુઆંક 2,487 પર પહોંચ્યો છે. રવિવારે નોંધાયેલા 22 મૃત્યુમાં આશ્ચર્યજનક રીતે અમદાવાદમાં ઘણાં સમય બાદ માત્ર બે મૃત્યુના કિસ્સા નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં દૈનિક થતાં બેવડા આંકના મૃત્યુના કિસ્સાથી ફેલાયેલા માહોલ બાદ અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં હાલમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં છે અને સાથે મૃત્યુના કિસ્સા પણ ઘટી રહ્યા છે.

રાજ્યમાં હાલ 4 લાખથી વધુ લોકો ક્વોરન્ટીન
રવિવારે સૂરત શહેરમાં સાત અને ગ્રામ્ય વિસ્તારમાં 5 દર્દીના મોત થયાં હતાં. તો અમદાવાદ ઉપરાંત વડોદરા અને ભાવનગર શહેરમાં પણ 2-2 મૃત્યુ નોંધાયા હતા જ્યારે દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પાટણ અને રાજકોટમાં 1-1 મોત થયાં હતાં. હાલ ગુજરાતમાં મૃત્યુદર 3.9 ટકા જ્યારે રીકવરી રેટ 73 ટકા કરતાં વધુ છે. ગુજરાતમાં 4.79 લાખ લોકો હાલ ક્વોરન્ટાઇન છે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2PjxERC

Kashmir gets infrastructure boost in higher education sector

Kashmir gets infrastructure boost in higher education sector




from News - Videos - The Times of India https://ift.tt/39NYhHA

Saturday, August 1, 2020

TOI Daily: We must stand up to China, says Foreign minister S Jaishankar

TOI Daily: We must stand up to China, says Foreign minister S Jaishankar




from News - Videos - The Times of India https://ift.tt/3hQUeNA

Chilling: Tractor breaks into two after being hit by overloaded container, killing biker on spot

Chilling: Tractor breaks into two after being hit by overloaded container, killing biker on spot




from News - Videos - The Times of India https://ift.tt/2BPwutM

Happy Friendship Day 2020: Images, quotes, wishes

If you are looking for some heartfelt messages to share with your friends, here are some of them that guarantee to put a smile on your friend's face.

from Times of India https://ift.tt/317NlR7

વનવિભાગે કહ્યું- હિંમતનગર-ઇડર તાલુકાના જંગલોમાં વાઘ દેખાયાનો વાઈરલ વિડીયો ફેક

હિંમતનગર અને ઇડર તાલુકાના જંગલ વિસ્તારમાં વાઘ અને બચ્ચું દેખાયાની ચર્ચાઓ વચ્ચે બે સપ્તાહથી વાયરલ વાઘના વિડીયો સંદર્ભે વનવિભાગ દ્વારા વાઘની હાજરી અને વીડિયોની સત્યાર્થતા બંને દિશામાં તપાસ હાથ ધરાઇ છે અને વિડીયો ખોટો છે. વીડિયો શેર કરનાર પાંચ વ્યક્તિની પૂછપરછ પણ શરૂ કરાઈ છે. છેલ્લા પાંચેક દાયકાથી સાબરકાંઠા જિલ્લામાં વાઘનું અસ્તિત્વ જ નથી એવી સ્થિતિમાં બે સપ્તાહથી હિંમતનગર અને ઇડર તાલુકામાં વાઘણ અને બચ્ચું દેખાયા ના વિડીયો તથા ફોટા વાઈરલ થતાં ખળભળાટ મચી ગયો છે અને વનવિભાગ પણ હરકતમાં આવી ગયું છે. ઇડરના વસાઈ ઝુમસર અને હિંમતનગરના હુંજ તથા રાયગઢ પંથકમાં વાઘ દેખાયાની ચર્ચાથી ખળભળાટ મચ્યો છે.

વાઘના નિશાન કે વાઘ જોવા મળ્યો નથી
ઇડર આરએફઓ ગોપાલભાઈ પટેલના જણાવ્યાનુસાર બનાસકાંઠા જિલ્લામાંથી નાઇટ વિઝન કેમેરા લાવી રોજ રાત્રે કથિત જગ્યાએ લગાવી વોચ રખાઈ રહી છે. પરંતુ વાઘના નિશાન કે વાઘ જોવા મળ્યો નથી.

વિડીયો એડિટેડ જણાય છે
એ. સી.એફ. યોગેશ દેસાઇએ જણાવ્યું કે વીડિયોમાં હુંજ લખેલું આવે છે ઓડિયો પણ એડિટેડ હોય તેવું જણાય છે. પાંચ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરાઇ છે તથા વનવિભાગ દ્વારા વાઘની સંભવિત હાજરીના પૂરાવા શોધવા પણ તપાસ થઇ રહી છે. કમલેશ પટેલ નામના વ્યક્તિની પૂછપરછ દરમિયાન જણાવ્યું કે મે માસમાં વાઘ જેવું કંઇક જોયું હતું. તેમણે ઉમેર્યું કે આટલા સમયથી વાઘ જેવું પ્રાણી રહેતું હોય તો પ્રતિદિન મારણના અવશેષો મળે જે અત્યાર સુધી બન્યું નથી તથા વિડીયો એડિટેડ, ફેક પૂરવાર થશે તો કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.

હજુ સુધી કંઈ મળ્યું નથી
રાયગઢ રેન્જ આર.એફ.ઓ અનિરુદ્ધસિંહે જણાવ્યું કે વાઘ દેખાયાની ચર્ચા કરનારાઓની પૂછપરછ કરાઇ છે તેમના કહ્યા મુજબના વિસ્તારોમાં ફૂટ પ્રિન્ટસ, મળ વગેરે જેવા પૂરાવા મેળવવા પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ હજુ સુધી કંઈ મળ્યું નથી તથા આગામી સમયમાં કેમેરા લગાવી વોચ રાખવા તજવીજ હાથ ધરાઇ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વાઘ અને બચ્ચું દેખાયાની ચર્ચાઓ


from Divya Bhaskar https://ift.tt/3i49UNH

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એકદમ સરળ અને સાદા અધિકારી, અમદાવાદમાં કામગીરીનો બહોળો અનુભવ

રાજ્યના પોલીસવડાની નિયુક્તિ બાદ શનિવારે મોડી રાતે 74 IPS-SPS ઓફિસરોની બદલી થઈ હતી. અમદાવાદ પોલીસ કમિશનર તરીકે વર્ષ 1987ની બેચના IPS સંજય શ્રીવાસ્તવને મુકવામા આવ્યા છે. મૂળ ઉત્તરપ્રદેશના વતની સંજય શ્રીવાસ્તવે એન્જીયરીંગનો અભ્યાસ કર્યો છે. ભૂતકાળમાં અમદાવાદમાં ઝોન-1,2,3,5માં DCP પણ રહી ચૂક્યા છે એટલે અમદાવાદમાં કામ કરવાનો બહોળો અનુભવ તેઓ ધરાવે છે. લો-એન્ડ ઓર્ડરના એડીશનલ ડીજી, ટેકનીકલ સર્વિસમાં પણ એડીશનલ ડીજી અને CID ક્રાઈમ અને રેલવેના વડા પણ રહી ચૂક્યા છે.

"સેફ સુરત" નામથી પબ્લિક વેલ્ફેર ફંડથી સીસીટીવીનો પ્રોજેક્ટ લાવ્યા
સંજય શ્રીવાસ્તવ લો- પ્રોફાઈલ અને એકદમ સાદા અધિકારી તરીકે ઓળખાય છે. બેસ્ટ ટીમ વર્ક અને કાયદાની આંટીઘૂંટી સારી રીતે જાણતા અધિકારી છે. જ્યારે સુરત જોઈન્ટ પોલીસ કમિશનર હતા ત્યારે "સેફ સુરત" નામથી પબ્લિક વેલ્ફેર ફંડથી સીસીટીવીનો પ્રોજેક્ટ લાવ્યા હતા. તાજેતરમાં CID ક્રાઈમના વડા હતા ત્યારે રાજ્યના બહુચર્ચિત એવા મોડાસાનો સાયરા ગામની યુવતીના અપમૃત્યુનો કેસ ઉકેલયો હતો. ઉપરાંત કચ્છમાં આવેલી કે.ડી.સી.સી બેંકના લોન કૌભાંડ કેસમાં 9 જેટલા ગુના દાખલ કર્યા હતા અને 26 આરોપીઓની ધરપકડ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમદાવાદના નવા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3k22Oe6

ગુજરાતના 74 IPS અધિકારીઓની બદલી: 2006 બેચના 12 SPને DIGમાં બઢતી

ગાંધીનગર, તા. 2 ઓગસ્ટ 2020, રવિવાર

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીના જન્મ દિવસે તેમણે રાજ્યના IPS અધિકારીઓને જન્મ દિવસની ભેટ આપી છે, જેમાં રાજયના 74 IPSની બદલી સાથે પોલીસ તંત્રમાં ધરખમ ફેરફર કરાયા છે. 

2 ઓગષ્ટના રોજ ગાંધીનગર સ્થાપના દિન અને મુખ્યમંત્રી વિજય રુપાણીના જન્મ દિવસ નિમિતે શનિવારે મોડી રાત્રે 74 IPS અધિકારીઓના બદલીના હુકમો કર્યા છે. ગુજરાત કેડરના 2006 બેચના 12 SP રેન્કના અધિકારીઓને DIGમાં બઢતી આપી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરત શહેરમાં નવા પોલીસ કમિશનરની નિમણૂક કરી છે. અમદાવાદ,ગાંધીનગર,વડોદરા અને બોર્ડર રેન્જના IGની બદલી પણ કરી છે. આ ઉપરાંત SPS કેડરના અધિકારીઓની પણ બદલીના હુકમો કર્યા છે.

જેમાં અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવ, વડોદરા પોલીસ કમિશનર તરીકે આર બી બ્રહ્મભટ્ટ અને સુરત પોલીસ કમિશનર તરીકે અજય તોમરની નિમણુક થઈ છે. 

અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્પેશયલ પોલીસ કમિશનર અજય કુમાર તોમરની સુરત પોલીસ કમિશનર તરીકે, સીઆઈડી ક્રાઈમના એડીજી ડો.સમશેર સિંઘની ટેક્નિકલ સર્વિસીસ અને એસસીઆરબીના એડીજી તરીકે અમદાવાદ શહેર વહીવટના સ્પેશયલ કમિશનર ડો. નિરઝા ગોત્રુ રાવની હોમગાર્ડના કમાન્ડન્ડ જનરલ તરીકે બદલી કરી છે.

હોમગાર્ડના કમાન્ડન્ડ જનરલ ટીએસ બીસ્ટની સીઆઈડી ક્રાઈમના ડીજી તરીકે બદલી કરી છે. સીઆઈડી ક્રાઈમના ડીજી સંજય શ્રીવાસ્તવની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક આપી છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hXpVon

IPL franchises await answers as GC set for meet

The members of the governing council will meet on Sunday afternoon. Long due already, and with franchises and other stakeholders waiting to hear more, the meeting can be expected to turn into a marathon as BCCI president Sourav Ganguly joins the GC members in capacity of a special invitee.

from Times of India https://ift.tt/39KDapG

‘Saare jahan se achha’ is a better economic mantra



from Times of India https://ift.tt/39MwIyp

From Somnath to Ayodhya ::Modi junks Nehru model

In the past week , nothing has caused more angst and hurt among the Hindus who have long cherished raising a Ram Janmbhoomi Temple in Ayodhya than the continued public quibbling over August 5 ceremonies...

from Times of India Opinion https://ift.tt/39LXAhY

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયું

આજે રવિવારનો દિવસ છે અને તારીખ 2,ઓગસ્ટ છે. ઈદના તહેવાર સાથે આ મહિનાની શરૂઆત થઈ છે તો આગામી 5મી ઓગસ્ટના રોજ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે શિલાન્યાસ કરવામાં આવશે. સોમવારે રક્ષાબંધન છે. આપણે આશા રાખીએ કે ઓગસ્ટ મહિનો આનંદ-ઉત્સવમાં પસાર થાય, કોરોના મહામારીમાંથી રાહત મળે અને માનવ જીવન પૂર્વવત બને. હવે આપણે આગળ વધશું અને જોશું કે કયાં સમાચાર છવાયેલા રહ્યા. એકબાજુ ટિકટોકને લઈ ચર્ચા અટકવાનું નામ નથી લેતી તો બીજી બાજુ રાજસ્થાનનું રાજકીય નાટક હવે જેસલમેર પહોંચ્યું છે. સુશાંતની બહેને પ્રધાનમંત્રી સમક્ષ ન્યાયની અપીલ કરી છે. દેશમાં હંમેશા ચર્ચામાં રહેનારા અમર સિંહનું દુખદ અવસાન થયું છે.
સૌથી પહેલા વાત કરીએ ટિકટોકની. અત્યારે તો એવું લાગે છે કે જાણે ટિકટોક હંમેશા વાગતુ રહેશે અને કોઈને કોઈ ધૂન ચાલતી જ રહેશે. હવે એક બાજુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટિકટોક પર પ્રતિબંધ મુકવાની વાત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ માઈક્રોસોફ્ટ ટિકટોકનો US સ્થિત કારોબાર ખરીદવા માટે વાતચીત કરી રહી છે. જો બિલ ગેટ્સ ટિકટોકને ખરીદી લેશે તો ટિકટોક માટે આ સોદો ફાયદાનો રહે તેવી પૂરી શક્યતા છે. એટલુ જ નહીં તેને અન્ય દેશોમાં પણ કારોબાર કરવાની સરળતા રહેશે.
સુશાંતની બહેને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો
જો તમે રાજસ્થાનની રાજકીય ચર્ચાથી હવે કંટાળી ગયા હોય તો આજે આપણે આ રાજકીય ચર્ચાને અહીં વિરામ આપશું, પણ સુશાંત સિંહ રાજપૂતને લગતા સમાચારોથી તમે અપડેટ રહેવાનું ચોક્કસપણે પસંદ કરશો.
સુશાંતની બહેને પ્રધાનમંત્રીને એક પત્ર લખ્યો છે-હું સુશાંત સિંહની બહેન છું અને હું આ સમગ્ર પ્રકરણની તપાસ કરવા વિનંતી કરું છું. અમે ભારતની ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવી છીએ અને કોઈ પણ કિંમતે ન્યાયની આશા રાખી છીએ.
અમર સિંહની ચીરવિદાય
હવે આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરશુ કે જે કોઈને કોઈ કારણથી હંમેશા ચર્ચામાં રહેતા હતા. શનિવારે તેમનું અવસાન થયું. આપણે અહીં અમર સિંહની વાત કરી રહ્યા છીએ,જે એક સમયે મુલાયમ સિંહના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. આશરે છ મહિનાથી સિંગાપોરમાં તેમની કિડનીનો ઈલાજ ચાલતો હતો. અમર સિંહ વર્ષ 2002 અને વર્ષ 2008માં પણ રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હતા. અમિતાભ વચ્ચન પરિવાર સાથે અમર સિંહના ઘનિષ્ઠ સંબંધ રહ્યા હતા.

ટેક.કંપનીઓનું પ્રભૂત્વ વધ્યું, ત્રિમાસિક પરિણામોમાં વિક્રમજનક નફો નોંધાવ્યો
કારોબાર જગતની વાત કરીએ તો કોરોનાના સમયમાં ટેક કંપનીઓનું પ્રભૂત્વ વધી રહ્યું છે. ગુરુવારે ત્રિમાસિક ગાળાના જે પરિણામો આવ્યા તેમા એપલ, ફેસબુક, ગૂગલ અને અમેઝોને વિક્રમજનક નફો નોંધાવ્યો હોવાની જાહેરાત કરી તો બીજી બાજુ શનિવારે એપલે વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. સાઉદી અરામકોને પાછળ છોડી એપલ હવે વિશ્વની સૌથી મોટી કંપની બની ગઈ છે. કેટલાક સમય અગાઉ સાઉદી અરામકો વિશ્વમાં સૌથી મોટુ પ્રારંભિક જાહેર ભરણુ (IPO) રજૂ કરનારી કંપની બની હતી. તેણે રિલાયન્સ સાથે પણ ડીલ કરી હતી.

PFમાંથી રૂપિયા એક લાખ ઉપાડવાની લાંબા ગાળે અસર
રોકાણ અને બચત જીવનનો એક અત્યંત મહત્વનો ભાગ છે. રોકાણ સંબંધિત માહિતી જાહેર કરવા 31 જુલાઈ અંતિમ તારીખ હતી. આશા છે કે આ કામ તમે પૂરું કરી લીધુ હશે. પણ આજે રવિવાર છે અને તમારી પાસે બચત અંગે વિચારવા થોડો વધારે સમય હશે. તો PFને લગતા આ સમાચાર ચોક્કસપણે વાંચશો. જો તમારે નિવૃત્ત થવામાં 30 વર્ષનો સમય બાકી હોય અને અત્યારે તમે PF Account માંથી એક લાખ રૂપિયા ઉપાડો છો તો આ પગલાથી તમારા રિટાયરમેન્ટ ફંડ પર 11.55 લાખની અસર થશે. ખૂબ જ જરૂરી હોય તો જ PF Account માંથી પૈસા ઉપાડો.

હવે ગ્રાઉન્ડ રિપોર્ટ અંગે વાત કરીએ, જ્યાં બાળકોને શીખવા અને અભ્યાસ માટે તેમની સમર્પણની ભાવનાએ કોરોનાને હરાવ્યો છે. કાશ્મીરમાં મોટાભાગના બાળકો પાસે મોબાઈલ નથી તેમ જ ઘર સુધી નેટવર્કની પહોંચ પણ નથી. મોટાભાગના માતાપિતા મોબાઈલ ખરીદવા સક્ષમ નથી પણ આ પ્રતિકૂળ પરિસ્થિતિ બાળકોની શિક્ષણ મેળવવાની પ્રક્રિયામાં કોઈ અવરોધ ન સર્જે તે માટે ઓપન એર કમ્યુનિટી સ્કૂલ શરૂ કરી. બડગામમાં આ પ્રકારની શાળાઓમાં આશરે 8,000 બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
આજે રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે
રવિવાર 2 ઓગસ્ટનો મૂળાંક 2, ભાગ્યાંક 5, દિવસ અંક 1, 4, માસાંક 8 અને ચલિત અંક 1,4 છે. ન્યૂમેરોલોજીસ્ટ ડો.કુમાર ગણેશના મતે અંક 1ની અંક 4 સાથે વિરોધી યુતિ છે અને અંક 8 સાથે પરસ્પર પ્રબળ વિરોધી યુતિ બની છે. અંક 2ના અંક 1,4 સાથે પ્રબળ મિત્ર યુતિ તેમ જ અંક 5ની અંક 1,4 સાથે મિત્ર યુતિ બની છે.વેપારીઓને લાભ થવાના યોગ છે. રવિવાર 2 ઓગસ્ટ 2020ના રોજ ટેરો રાશિફળ પ્રમાણે 12 પૈકી 8 રાશિઓ માટે દિવસ અનેક બાબતોમાં મોટી સિદ્ધિ આપનારો બની રહેશે. કેટલાક લોકોને પોતાના કાર્યોની બાબતમાં સૌથી આગળ રહેવાનો આ ઉત્તમ સમય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tiktok controversy in US, Apple becomes largest company behind Saudi Aramco; Amar Singh dies


from Divya Bhaskar https://ift.tt/2PiMisi

‘વડતાલ સ્વામિનારાયણ મંદિરનો વહીવટ કોર્ટને સોંપી દો, બધી પૈસાની જ માથકૂટ છે’

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મથક એવા વડતાલધામમાં ચૂંટણીની જાહેરાત થતાં જ આક્ષ્ેપો અને પ્રતિ આક્ષ્ેપોનો મારો ચાલુ થઇ ગયો છે. જોકે વડતાલ મંદિરના પુર્વ ચેરમેન ઘનશ્યામ પ્રકાશની સેકસ લીલાના આક્ષેપો સાથેનો વિડિયો તેમના જ શિષ્ય દ્વારા પ્રકાશિત કરવામા઼ આવતાં ગરમાવો આવી ગછો છે. દરમિયાન જુનાગઢના યજ્ઞપુરુષ સ્વામીનો પણ સ્ફોટક વિડિયો વાયરલ થયો છે તેમને આ અંગે પીએમઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવાની પણ વાત કરી છે. સાથે આચાર્ય પોતે સત્સંગ સમાજ પાસે મદદની માગણી કરે ત્યારે સ્થિતિ કેટલી વણસી છે તેનો પણ ખ્યાલ આવે છે કહી મંદીરનો વહિવટ ન્યાયાલયને સોંપવાની વાત કરતાં ખળભળાટ મચી ગયો છે.

વડતાલ મંદિરમાં તાજેતરમાં જ ચૂંટણીની જાહેરાત થયા બાદ સ્વામી અને સત્સંગ સમાજ દ્વારા પણ તબક્કાવાર વિડિયો કે ઓડિયો દ્વારા સ્વામીઓના એક પછી એક સેક્સ લીલાના કૌભાંડો બહાર પાડતા રહયા છે. જુનાગઢના સ્વામી યજ્ઞ પુરૂષના વાયરલ થયેલા વીડિઓમાં તેઓ કહી રહ્યાં છે કે, તેઓને કશુ જ થતુ નથીની વાત કહી તેમને વિડિયોમાં કહયુ હતુ ધર્મસ્થાનોમાં કોઇ સાધુની લંપટ લીલા, આર્થીક ગોટાળા, ભ્રષ્ટાચાર બહાર આવે ત્યારે તમામ હિન્દુઓને હૃદયને ઠેસ પહોંચે છે. તેમની શ્રધ્ધાને આઘાત પહોંચે છે. ગુજરાત રાજ્ય સરકાર પાસે કોઇ જ અપેક્ષા નથી. એવા અનેક સાધુઓ એમ કહે છે કે, સરકાર આપણામાં ખીસ્સા છે. જો આ વાત સાચી હોય તો તે બહુ જોખમી બાબત છે. કારણ કે આ પ્રકરણ જોતા એવું લાગે છે કે, સરકાર ખરેખર તેમને મદદ કરે છે. કોઇ તપાસ થતી નથી. તો હવે, કોઇ પાસેથી અપેક્ષા રાખી શકીએ ? તો આ દેશની સર્વોચ્ચ અદાલત છે, જેણે ઘણા મોટા મોટા ગોડમેનને સજા કરી જેલમાં નાંખ્યા છે. આથી, ન્યાયાલય પાસે અમને
અપેક્ષા છે.

સીબીઆઈની તપાસ પણ થવી જરૂરી છે
ધર્મસ્થાનની શુદ્ધિ માટે પ્રજાએ આગળ આવવું પડશે. મારી એવી પણ અપીલ છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ. જેની પાસે કરોડોની મિલકત, જમીન, સંસ્થાઓ છે. આર્થીક ગોટાળા ઘણા પ્રકાશીત થઇ તેમ છે. તેની તપાસ અવશ્ય થવી જોઈએ. કોર્ટની નજર હેઠળ થવું જોઈએ. સરકારનો હસ્તક્ષેપ નહીં હોય તો દુધનું દુધ અને પાણીનું પાણી થશે. હિન્દુ સમાજના સાધુ સમાજનો પ્રશ્ન ગણી દરેક હિન્દુએ આગળ આવવું જોઈએ

છેલ્લા બે મહિનાથી વડતાલ સતત વિવાદમાં
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા બે મહિનાથી સંતોના કરતૂતોના કારણે વિવાદમાં સપડાયું છે. ખાસ કરીને ઘનશ્યામપ્રકાશ સ્વામી સામે વ્યાભીચારના આક્ષેપ સાથે પત્ર અને વિડીયો વાયરલ થયો છે.આ અંગે ચકલાસી પોલીસ મથકે અરજી પણ કરવામાં આવી છે. હજુ આ વિવાદનો અંત આવ્યો નથી, ત્યાં ઘનશ્યામપ્રકાશદાસજીના શિષ્ય ત્યાગ વલ્લભનો સ્ત્રી મોહ, ભક્તિ સ્વામીની મોબાઇલ ચેટિંગમાં ચુંબનોની ચર્ચાને લઇ હરિભક્તોમાં પણ રોષ ફેલાયો હતો. આમ સંપ્રદાય સતત વિવાદનું કેન્દ્ર બની રહ્યું છે.

સત્તા અને ધન માટે સંતો વચ્ચે હોડ જામતા સંપ્રદાયની નામના બગડી
વડતાલ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજીના બાળકો સાથેના કૃત્યને લઇ ભારે રોષ ફેલાયો છે. આ અંગે વેદાંત વલ્લભ સ્વાનીના વિડીયો બાદ તેને પદભ્રષ્ટ કરવા હરિભક્તોમાં જ માંગ ઉઠી હતી. જોકે, કોઇ કારણસર ટેમ્પલ કમિટિ તેમને છાવરી રહી હોવાથી દિવસે દિવસે રોષ બળવત્તર બની રહ્યો છે. બીજી તરફ વરસો અગાઉના કરતૂતો હવે બહાર લાવવા પાછળ પણ કોઇ ભેદી ઇરાદો હોય તેવું પણ હરિભક્તોનું જ એક જુથ માની રહ્યું છે. સંપ્રદાયની કિર્તી છેલ્લા કેટલાક સમયથી વધી છે, જેને કારણે દાન, ધર્માદાની રકમમાં પણ વધારો થયો છે. આવા સમયે સત્તાનું કેન્દ્ર બનવા સંતો વચ્ચે જ હોડ જામી હોય તેવું વાતાવરણ ખડું થયું છે.

વડતાલ તાબાના સંતોના કૌભાંડો પણ સોશિયલ મિડિયામા વાયરલ
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય છેલ્લા બે મહિનાથી ભારે વિવાદમા઼ આવી રહ્યું છે. દરમિયાન શનીવારે હરિભકતોના એક ગૃપમાં સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા અને નામી અને સંત ગણમા઼ મોટામાથાઓની ગણના થાય છે તેવા સ્વામીના પણ કથીત કાંભાંડોની વાતો વાયરલ કરવામાં આવી છે. જોકે આ હરિભકતોના ગૃપમાં થયેલા વાયરલ કોભાંડો કેટલા સાચા છે તેતો તપાસ કરવામાં આવે ત્યારેજ ખબર પડી શકે .



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
યજ્ઞપુરુષ સ્વામી આચાર્ય રાકેશ પ્રસાદ સાથે (જમણો ફોટો) અને યજ્ઞપુરુષ સ્વામી ઘનશ્યામ પ્રકાશ સ્વામી સાથે (ડાબો ફોટો)


from Divya Bhaskar https://ift.tt/3k1MxWy

જૂનાગઢના જંગલમાં લીલાછમ ઘાસની ચાદરમાં વનરાજ મુક્ત મને વિહરી રહ્યાં છે

વરસાદ થતાં જંગલમાં વનરાજી ખીલી ઊઠી છે. લીલાછમ ઘાસની ચાદર પથરાઇ ગઇ છે ત્યારે વનરાજ પણ આ વનરાજીમાં મુક્ત મને વિહરી રહ્યાં છે. સિંહ પરિવારની આ તસવીર જોઇ કવિ હૃદયમાંથી આ શબ્દો સરી પડે કે... વનરાજી જોઇ થયા રાજી વનરાજ, છોડી રૂવાબ બાળક થઇ આળોટ્યા સૌ સાથ. આ તસવીર ડીસીએફ સાસણગીરએ ટ્વીટ કરી છે અને લખ્યું છે કે, સૌરાષ્ટ્રમાં સિંહ મુક્ત મને ફરતા હોય છે. લોકોનો સહકાર અને અસરકારક સંચાલનનાં કારણે તેમની વસ્તી 674એ પહોંચી છે.

મચ્છરના ત્રાસથી સાવજોનું ડુંગરાળ વિસ્તારોમાં સ્થળાંતર
ગીર જંગલમાં વર્ષાઋતુના આગમન બાદ નદી-નાળાંમાં પૂરની સંભાવના વધી જતી હોય છે. પરિણામે સાવજોના આરામમાં ખલેલ પહોંચતી હોય છે. આથી આવા સમયે સિંહ ગીચતા અને ઘાસવાળા વિસ્તારો છોડી ડુંગરાળ અને ટેકરાવાળા વિસ્તારોમાં ચાલ્યા જાય છે. કારણકે, આવા વિસ્તારોમાં ખુલ્લી હવા સાથે પવનનું જોર પ્રમાણમાં વધુ હોય છે. જે તેને મચ્છરના ઉપદ્રવથી બચાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લીલાછમ ઘાસની ચાદરમાં રમી રહેલા 11 સિંહ.


from Divya Bhaskar https://ift.tt/2XlvkxP

We should occupy more mind space of China: S Jaishankar, External affairs minister

We should occupy more mind space of China: S Jaishankar, External affairs minister




from News - Videos - The Times of India https://ift.tt/39RwPIX

The way forward post lockdown

With lockdown and “social reclusivity” coming to an end people are at an interesting cusp of trying to reconfigure their sedentary lives back into action mode and also to deal with the repercussions of what...

from Times of India Opinion https://ift.tt/2XivyFE

One good choice leads to another!

The first small choice you make has the potential to dictate the final outcome of your plan Making important choices, taking big decisions, or facing a life-changing task always seems intimidating, till you decide to...

from Times of India Opinion https://ift.tt/2D9xucU

Nationalisation of data will destroy value for businesses, investors

In a move that reflects the Indian state’s China-envy, we’re probably at the inception of the largest exercise of state appropriation of private property in the history of independent India — the nationalisation of data....

from Times of India Opinion https://ift.tt/3gmzTiG

દેશમાં 11.5 લાખ કરોડના મોબાઈલ બનશે, 12 લાખને રોજગારી મળશે, લૉકડાઉન પછી 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા

કોરોના સંકટના કારણે સર્જાયેલા આર્થિક પડકારો વચ્ચે રોજગાર ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. 22 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં દેશમાં આશરે રૂ. 11.5 લાખ કરોડના મોબાઈલ ફોન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બીજી તરફ લૉકડાઉન પછી દેશમાં 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા. જેથી દેશમાં સ્માર્ટફોન યુઝર્સ 50 કરોડને પાર થઈ ગયા છે.

કેન્દ્રિય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદના કહેવા પ્રમાણે, આ યોજનાથી 12 લાખ લોકોને રોજગારી મળશે, જેમાં 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ અપ્રત્યક્ષ હશે. કેન્દ્રની રૂ. 41 હજાર કરોડની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ આ આવેદન આવ્યા છે. આ કંપનીઓમાં આઈફોન બનાવનારી કંપની ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સિવાય સેમસંગ, લાવા અને માઈક્રોમેક્સ પણ સામેલ છે. આ પ્રસ્તાવ મંજૂર થશે તેના આધારે આ કંપનીઓ હજારો કરોડનું રોકાણ કરશે. જૂનના આખરી સપ્તાહમાં કસ્ટમમાં તપાસના નામે આયાત રોકાતા ઉત્પાદન પર અસર પડી.

એપલ પ્રોડક્શનનો 20% હિસ્સો ભારતમાં શિફ્ટ કરશે
પીએલઆઈનો લાભ લેવા માટે એપલ ભારતમાં ઉત્પાદન વધારશે. કંપની સ્માર્ટફોનનું 20% ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવાની યોજના પર કામ કરી રહી છે. માર્કેટ એક્સપર્ટ શિલ્પી જૈનના કહેવા પ્રમાણે, લાવા અને માઈક્રોમેક્સ જેવી ભારતીય બ્રાન્ડ ફાયદો ઉઠાવીને ફરી માર્કેટમાં હિસ્સો વધારી શકે છે.

અનલૉકમાં તેજી આવી
કોરોના સંકટ વચ્ચે દેશમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 50 કરોડ છે. 31 માર્ચ સુધી આ આંકડો 48.3 કરોડ હતો. લૉકડાઉન ખૂલ્યા પછી મે-જૂનમાં 1.8 કરોડ ફોન વેચાયા, જેથી યુઝર્સ વધ્યા. આ સિવાય 35 કરોડ લોકો ફિચર ફોનનો પણ ઉપયોગ કરે છે. જોકે, લૉકડાઉનમાં ફોન કંપનીઓને ઘણું નુકસાન થયું. એપ્રિલથી જૂન વચ્ચે ફક્ત 1.8 કરોડ સ્માર્ટફોન વેચાયા છે, 2019માં આ જ ગાળામાં આ આંકડો 3.7 કરોડનો હતો. કાઉન્ટર પોઈન્ટના સિનિયર એનાલિસ્ટ પ્રાચીર સિંહ કહે છે કે, 40 દિવસના લૉકડાઉન પછી જૂનથી મોબાઈલ માર્કેટમાં તેજી આવી હતી. મોટા ભાગના યુનિટ એપ્રલથી બંધ થયા હતા, જે મેમાં જ ખૂલવા લાગ્યા હતા. ત્યાં પ્રોડક્શન તો ના થયું, પરંતુ કેટલીક બ્રાન્ડ્સે હૉલસેલમાં હેન્ડસેટ આયાત કરવાની માંગ પૂરી કરી.

  • 51% ઘટાડો નોંધાયો સ્માર્ટફોન વેચાણમાં. આ અછત લૉકડાઉન પછી એપ્રિલ, મે અને જૂનમાં નોંધાઈ હતી.
  • 68% ફિચર ફોન પણ ઓછા વેચાયા. ફોનના બદલે જરૂરી કામોમાં વધુ ખર્ચ કરાયો.
  • 45% રેકોર્ડબ્રેક વેચાણ ઓનલાઈન થયું અનેક પ્રોડક્ટ પણ ઓનલાઈન લૉન્ચ કરાઈ.

ચીનના વિરોધમાં સેમસંગનું વેચાણ 94% વધી ગયું

  • ચીન વિરોધી વલણનો લાભ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગને થયો. એક મહિનામાં કંપનીનું વેચાણ 94% વધી ગયું.
  • સેમસંગના એક અધિકારીએ કહ્યું કે, પહેલીવાર એક મહિનામાં કોઈ કંપનીના ફોનનું વેચાણ આટલું વધ્યું છે.
  • ભારતીય બજારમાં 29% હિસ્સા સાથે ચીની કંપની શાઓમી હજુયે લીડર છે.

ચીનની મોબાઈલ કંપનીઓનો માર્કેટ હિસ્સો દેશમાં 9% ઘટ્યો
ભારતની ડિજિટલ સ્ટ્રાઈકના કારણે ચીની મોબાઈલ કંપનીઓનો માર્કેટ હિસ્સો એપ્રિલથી જૂન 2020 દરમિયાન 9% ઘટી ચૂક્યો છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરીથી માર્ચ 2020 વચ્ચે ચીની કંપનીઓનો માર્કેટ હિસ્સો 81% હતો. એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં ચીની મોબાઈલ ફોન બનાવતી કંપનીઓનો માર્કેટ હિસ્સો ઘટીને 72% પર આવી ગયો છે.

મારુતિ જુલાઈમાં જૂનથી 88% વધુ કાર વેચાઈ, એમજીનું વેચાણ ગયા વર્ષથી 40% વધ્યું
ઓટો કંપનીઓને જુલાઈમાં ઘણી રાહત થઈ. જૂનની તુલનામાં મારુતિ સુઝુકીનું વેચાણ 88.17% અને હ્યુન્ડાઈનું 53.98% વધ્યું. જોકે, વાર્ષિક આધારે જુલાઈ 19ની સરખામણીમાં એમજી મોટર્સનું વેચાણ 40% સુધી વધ્યું

કંપની જુલાઈ 20 જૂન-20 જુલાઈ-19 માસિક વધારો
એમજી મોટર 2,105 2012 1,508 4.62%
{મારુતિ 1,08,064 57428 1,09,264 88.17%
હ્યુન્ડાઈ 41,300 26820 57,310 53.98%
ટોયોટા 5,386 3866 10,423 28.22%
કંપની (દ્વિચક્રી) જુલાઈ 20 જૂન-20 જુલાઈ-19 માસિક વધારો
સુઝુકી ઈન્ડિયા 34412 25149 69,236 37%
હીરો મોટર્સ 514509 450744 535810 14%

​​​​​​



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3hWYivz

અહીં પેઢીઓ નિભાવે છે મિત્રતા, પરંતુ મિત્રનું નામ લેવું પાપ, એટલે મહાપ્રસાદ કે ફૂલ-ફૂલવારી કહીને બોલાવે છે

છત્તીસગઢના રાજનાંદગાવ જિલ્લાનું મરકાકસા ગામ. આ ગામ મિત્રતાના સંબંધો માટે પ્રખ્યાત છે. આપણે જેવી રીતે નામકરણ, લગ્ન સહિત 16 સંસ્કાર વિધિ-વિધાનથી નિભાવીએ છીએ, એવી જ રીતે આ ગામ મિત્રતાને સંસ્કારની જેમ નિભાવે છે. તેના માટે વિશેષ પર્વ કે પ્રસંગને પસંદ કરાય છે.

ગામના સરપંચ ઈશ્વરી ઠાકુરે કહ્યું કે 190 ઘરના આ ગામમાં દરેક ઘરમાં ‘મિતાન’ એટલે ‘મિત્ર’ છે. અહીં મિત્રતા પેઢી દર પેઢી નિભાવાય છે. આજુબાજુનાં ગામડાંઓમાં પણ આ જ પરંપરા છે. અનેક લોકોના મિત્ર મહારાષ્ટ્રના ગામમાં પણ છે. ખાસ વાત એ છે કે તમે એક વખત કોઈને મિતાન બનાવી લો એટલે તેનું નામ લઈ શકો નહીં. નામ લો તો પંચાયતમાં નારિયેળ અને પૈસાનો દંડ આપવાનો હોય છે. જરૂર પડતાં લોકો મિતાનનું નામ લખીને જ બતાવે છે. બોલચાલમાં મિત્રને મહાપ્રસાદ, ગંગાજલ, તુલસીજલ કે ફૂલ-ફૂલવારી કહીને બોલાવાયા છે.

90 વર્ષના ભૂષણે જણાવ્યું કે, મહારાષ્ટ્રના ચિલ્હાટી ગામમાં મારા મહાપ્રસાદ (અગનુ) છે. હું 7 વર્ષનો હતો ત્યારે કબડ્ડી રમવા ગામે-ગામ જતો હતો. ત્યાં તેમને મળ્યો હતો. દરેક સુખ-દુ:ખમાં અમે સાથે ઊભા રહ્યા છીએ. તેમણે કહ્યું કે, મહિલા અને પુરુષ બંને મિતાન બનાવી શકે, પરંતુ પુરુષનો મિત્ર પુરુષ અને મહિલાની મહિલા જ હોય છે. આ સંબંધ પરિવારો વચ્ચે જોડાઈ જાય છે. રાજકુમારે કહ્યું કે, તે અને કોડીકસા ગામનો શત્રુઘ્ન રોજી-રોટી માટે આંધ્રપ્રદેશ ગયા હતા. શત્રુઘ્ન પડછાયાની જેમ તેની સાથે રહ્યો છે. રાધેલાલે કહ્યું કે, તેને બળદગાડાં હરિફાઈનો શોખ હતો. આ દરમિયાન મહારાષ્ટ્રના એક હરીફ સાથે દોસ્તી થઈ અને આજે 40 વર્ષથી મિતાન છીએ.

ગણેશજી અને ગૌરી સામે દોસ્તીની વિધિ, એરેન્જ ફ્રેન્ડશિપનું પણ ચલણ

  • દોસ્તીનો સંબંધ પેઢી-દર-પેઢી ચલાવવા માટે વડીલો પોતાનાં બાળકોનાં મિતાન નક્કી કરી દે છે. જેને એરેન્જ ફ્રેન્ડશિપ કહી શકાય. ગામની રાંજીએ કહ્યું કે, 13 વર્ષની વયે ઘરવાળાના કહેવાથી તેણે મહારાષ્ટ્રના મોહગાંવમાં મહાપ્રસાદ બનાવી હતી.
  • સંબંધીઓ એક-બીજાના ફૂલ-ફૂલવારી બની શકે નહીં. મોટા ભાગના લોકો જાતિ, ધર્મ-ગામથી બહાર જ ફૂલ-ફૂલવારી બનાવે છે.
  • કેટલાક લોકો ગામના બેગા (ધાર્મિક ક્રિયા કરાવનાર) કે નાઈને વિધિ કરવા બોલાવે છે. દેવી ગૌરી અને તેમના પુત્ર ગણેશ સામે પાંચ મિનિટની વિધિ હોય છે.
  • વિધિમાં મિત્રો સામ-સામે લાકડાના પાટલા પર બેસે છે. સિંદૂર, નારિયેળ, પૈસા-અનાજનું લેણ-દેણ થાય છે. એક-બીજાના માથા પર સિંદૂર લગાવે છે, પાન ખવડાવે છે. મિત્રના પિતાને ફૂલ બાબુ, માતાને ફૂલ દાઈ બોલાવાય છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જેલસિંહ અને રાજકુમાર કંવરે એકબીજાને બાળપણમાં ગામમાં જ મહાપ્રસાદ બનાવ્યા હતા.


from Divya Bhaskar https://ift.tt/3fsJkMx

પંજાબમાં લઠ્ઠો પીવાથી મૃતકોની સંખ્યા 86 થઈ, મૃતકોના પરિવારને રૂ. 2 લાખની સહાયની જાહેરાત

પંજાબમાં લઠ્ઠો પીવાથી મરનારની સંખ્યા વધીને 86ની થઈ ગઈ છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે કડક કાર્યવાહી કરીને બે ડીએસપી અને 4 એસએચઓ સહિત 7 આબકારી અધિકારીને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ મૃતકોના પરિવારને રૂ. 2 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

પંજાબ પોલીસે શનિવારે 100થી વધુ જગ્યાએ દરોડા પાડી 17 લોકોની ધરપકડ કરી છે. દરમિયાનમાં વિપક્ષ આમ આદમી પાર્ટીએ મુખ્યપ્રધાનના રાજીનામાની માંગણી કરી છે. પક્ષે કહ્યું છે કે મેજિસ્ટ્રેરિયલ તપાસથી કામ નહીં ચાલે. શિરોમણી અકાળીદળે પણ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વર્તમાન જજ પાસે તપાસની માંગ કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મૃતકોના પરિવારજનોનું આંક્રંદ.


from Divya Bhaskar https://ift.tt/30jKIg1

100 લોકોને મારી લાશ મગરને ખવડાવી દીધી સિરિયલ કિલર ડૉક્ટરનો ચોંકાવનારો ખુલાસો

ડૉક્ટર જેવા વ્યવસાયમાં રહીને લોકોનો જીવ લેનાર હેવાન દેવેન્દ્ર શર્મા અંગે અત્યંત ચોંકાવનારી માહિતી મળી છે. સિરિયલ કિલર ડૉ. દેવેન્દ્ર શર્માએ પહેલા કબૂલ્યું હતું કે 50 હત્યા પછી તેને હત્યાની ગણતરી કરવાનું છોડી દીધું હતું. હવે એવું બહાર આવ્યું છે કે અત્યાર સુધીમાં તે 100થી વધુ લોકોની હત્યા કરી ચૂક્યો છે. તેમાંથી મોટાભાગનાને યુપીની એક નહેરમાં રહેલા મગરનું ભોજન બનાવી દીધા હતા.

દેવેન્દ્ર શર્મા નામનો આ ડૉક્ટર થોડા સમય પહેલા દિલ્હીથી પકડાયો હતો. તે કિડની કેસમાં છેલ્લા 16 વર્ષથી સજા ભોગવી રહ્યો હતો અને હવે પેરોલ પર બહાર આવ્યો હતો. 20 દિવસ પછી તેને જેલમાં જવાનું હતું પણ તે અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો. તે પકડાતા તેના કારનામા બહાર આવી રહ્યાં છે.

શર્માએ કહ્યું કે મોટાભાગના શબ ઉત્તર પ્રદેશના કાસગંજની હજારા નહેરમાં ફેંકી દીધા હતા. આ નહેરમાં મોટી સંખ્યામાં મગરમચ્છ રહે છે. શર્માએ 1984માં બીએએમએસ થયા પછી રાજસ્થાનમાં ક્લિનીક શરૂ કરી હતી. 1994માં ગેસ એજન્સી માટે એક કંપનીમાં 11 લાખનું રોકાણ કર્યું પરંતુ કંપની અચાનક ગાયબ થઈ ગઈ. આ નુકસાન પછી તેને 1995માં નકલી ગેસ એજન્સી ખોલી હતી.

ડૉક્ટર કેવી રીતે કાતિલ બન્યો
દેવેન્દ્ર શર્મા રાજસ્થાનમાં પ્રેક્ટિસ કરતો હતો. એક રોકાણમાં છેતરપિડી પછી તે ગુનાખોરીના રસ્તે ચઢી ગયો હતો. પછી તે ડૉક્ટરીની સાથે કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટ અને નકલી ગેસ એજન્સી પણ ચલાવવા લાગ્યો. એટલું જ નહીં ચોરીના વાહન પણ વેચતો હતો. પોતાની નકલી ગેસ એજન્સી માટે સિલિન્ડર જોઈએ ત્યારે ગેસ ડિલિવરી ટ્રક લૂંટી લેતો હતો અને તેના ડ્રાઈવરને મારી નાંખતો હતો. એવી જ રીતે કેબ ડ્રાઈવરને પણ તે મારી નાંખતો હતો. દિલ્હીથી યુપી જવા માટે તેની ગેંગના લોકો ટેક્સી બુક કરાવીને લૂંટી લેતા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સિરિયલ કિલર ડૉ. દેવેન્દ્ર શર્મા.


from Divya Bhaskar https://ift.tt/2D3AveW

નેપાળ-ચીન સરહદે લિપુલેખ નજીક ચીને 1000 સૈનિક ખડકી દીધા, ભારતે પણ એટલા જ જવાનો તહેનાત કર્યા

પૂર્વ લદાખ સરહદે તણાવ વચ્ચે ચીને હવે લીપુલેખ પાસે સરહદ પર પોતાના સૈનિકોની એક કંપની તહેનાત કરી છે. તેમાં પીપલ્સ લિબરેશન આર્મીના 1000 જવાનો છે. ચીન એલએસીથી થોડે દૂર અક્ષય ચીનના વિસ્તારમાં પણ મોટી તૈયારી કરી રહ્યું હોય તેમ લાગે છે. સેટેલાઈટની તસવીર પરથી જણાય છે કે ચીન પોતાના સૈન્ય ઠેકાણાને આધુનિક બનાવી રહ્યું છે અને ત્યાં ઘાતક હથિયાર મૂકી રહ્યું છે. ભારતે પણ એટલી જ માત્રામાં સૈનિકો તહેનાત કર્યા છે. ચીન નેપાળ સાથે મળીને નવો મોરચો ખોલવાની તૈયારીમાં હોય એમ લાગે છે.

નેપાળ દુનિયાને વિવાદી નકશો મોકલી રહ્યું છેલીપુલેખ નેપાળ-ચીન સરહદનો વિસ્તાર છે. લીપુલેખ સાથે જ કાલાપાણી, લિંપિયાધુરાના ભારતીય ક્ષેત્રોને નેપાળે હાલમાં જ પોતાના નક્શામાં સામેલ કર્યા છે. આ વિવાદી નકશો નેપાળ હવે વિશ્વને મોકલી રહ્યું છે. નેપાળ આ નકશો અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરી તેને યુએન અને ગૂગલને પણ મોકલશે. નવા નકશામાં ભારતનો 335 કિમી જમીનનો વિસ્તાર નેપાળમાં દર્શાવાયો છે. ભારતે તેનો વિરોધ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચીનના સૈનિકોની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/318g4p8

સદભાવનાની મિસાલ બનશે શિલાન્યાસ, સુન્ની વકફ બોર્ડ અને અન્સારીને પણ આમંત્રણ, અયોધ્યામાં ભવ્ય સજાવટ કરાઈ

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસમાં સદભાવનાની મિસાલ જોવા મળશે. સુપ્રીમકોર્ટમાં બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અન્સારી, સુન્ની વકફ બોર્ડના અધ્યક્ષ જુફર અહમદ ફારુખી અને અયોધ્યા નિવાસી પદ્મશ્રી મોહમ્મદ શરીફને પણ આમંત્રણ અપાયું છે. બાબરી ધ્વંસના આરોપીઓમાં સામેલ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ આવવાની તૈયારી બતાવી છે. જ્યારે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી કદાચ આ કાર્યક્રમમાં હાજરી નહીં આપે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ નથી કરાઈ. સૂત્રોના જણાવ્યાનુસાર, કાર્યક્રમમાં હાજર નહીં રહેનારા નેતાઓ ઓનલાઈન કાર્યક્રમમાં ભાગ લેશે.

એવું કહેવાય છે કે, જે લોકોને કાર્યક્રમનું આમંત્રણ મોકલાઈ રહ્યું છે તેમાં ભાજપ-સંઘના નેતાઓની સાથે રામમંદિર આંદોલનમાં ભાગ લેનારા અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત સાધ્વી ઋતંભરા, વિનય કટિયાર, ડૉ. રામવિલાસ વેદાંતી પણ સામેલ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અનેક કારસેવકના પરિવારજનોને પણ આમંત્રણ પાઠવ્યું છે, જે બાબરી ધ્વંસમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા. આ દરમિયાન સમાચાર છે કે, રામમંદિર નિર્માણની તૈયારીની સમીક્ષા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે અયોધ્યા જશે.

વિવાદિત 2.77 એકર જમીનના માલિક બન્યા શ્રીરામ લલ્લા બિરાજમાન
શ્રીરામ લલ્લા બિરાજમાન સરકારી દસ્તાવેજોમાં લાંબો સમય વિવાદમાં રહેલી 2.77 એકર જમીનના માલિક બની ગયા છે. અયોધ્યા જિલ્લા વહીવટી તંત્રએ મહેસૂલી ખાતા નંબર 159 અને 160 તથા પેટા નંબર 583ના જમીન માલિક તરીકે શ્રીરામ લલ્લા બિરાજમાનનું નામ દાખલ કર્યું છે. મહેસૂલી ભાષામાં તેને અમલદરામદ એટલે કે અધિકાર આપવો કહે છે. હવે જન્મભૂમિ પરિષરની સંપૂર્ણ 70 એકર જમીન ટ્રસ્ટની થઈ ગઈ છે.

સમગ્ર શહેર રોશનીથી ઝગમગી રહ્યું છે
શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પહેલા અયોધ્યામાં ભવ્ય સજાવટ કરાઈ રહી છે. સમગ્ર શહેર રોશનીથી ઝગમગી રહ્યું છે.

अवधपुरी प्रभु आवत जानी। भई सकल सोभा कै खानी॥
बहइ सुहावन त्रिबिध समीरा। भइ सरजू अति निर्मल नीरा॥

અર્થાત્: પ્રભુ રામના આગમનની માહિતી મળતાં અયોધ્યાની શોભા વધી ગઈ. શીતળ અને સુગંધિત વાયુ મંદ મંદ વહેવા લાગ્યો. સરયૂનું જળ અતિ નિર્મળ થઈ ગયું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
શનિવાર રાત્રીની આ તસવીર રામ કી પેડીની છે.


from Divya Bhaskar https://ift.tt/33ud0GL

અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી

31 જુલાઈએ રાજ્યના DGP શિવાનંદ ઝા નિવૃત થતા અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાની રાજ્યના નવા DGP તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આજે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે.

35મા પોલીસ કમિશનર તરીકે નિમણૂક
સંજય શ્રીવાસ્તવ 1987ની બેચના IPS અધિકારી છે અને હાલમાં તેઓ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે હવે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. સંજય શ્રીવાસ્તવ અમદાવાદના 35મા પોલીસ કમિશ્નર તરીકે નીમાયા છે. તાજેતરમાં જ તેમને DG તરીકેનું પ્રમોશન પણ મળ્યું છે. અમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે અને શહેરના પોલીસ કમિશ્નરના શિરે અનેક જવાબદારી રહેલ છે. જેથી અનુભવના આધારે સંજય શ્રીવાસ્તવની નિમણૂક કરવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સંજય શ્રીવાસ્તવ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3hUWmUs

Friday, July 31, 2020

US may ban Chinese-owned video app TikTok, says President Donald Trump

US may ban Chinese-owned video app TikTok, says President Donald Trump

from India Today | Top Stories https://ift.tt/2XfYxtI

California, Florida report record increases in Covid-19 deaths

California, Florida report record increases in Covid-19 deaths

from India Today | Top Stories https://ift.tt/3fhSawg

Raksha Bandhan 2020: PM Modi’s Pakistani sister sends him ‘rakhi’

Raksha Bandhan 2020: PM Modi’s Pakistani sister sends him ‘rakhi’




from News - Videos - The Times of India https://ift.tt/30feEtF