
ગુજરાતમાં રવિવારે નવા 1,101 કેસ નોંધાયા હતા અને આ સાથે હવે કોરોનાના કુલ કેસનો આંકડો રાજ્યમાં 63,675 પર પહોંચ્યો છે. રવિવારે સમગ્ર રાજ્યમાં 23,255 ટેસ્ટ કરાયા હતા અને તે જોતાં કુલ ટેસ્ટની સામે પોઝિટીવ આવેલાં કેસનું પ્રમાણ 5 ટકાથી થોડું ઓછું છે, જ્યારે અત્યાર સુધીમાં થયેલાં કુલ 8,14,335 સેમ્પલના ટેસ્ટિંગ સામે અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનું પ્રમાણ 8 ટકાની આસપાસ છે. જોકે આ પ્રમાણ મે અને જૂન મહિનામાં લગભગ દસ ટકાની આસપાસ હતું.
કુલ મૃત્યુઆંક 2487 થયો
આજે ગુજરાતમાં 805 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો છે તેથી ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 46,587 પર પહોંચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,601 છે. આ ઉપરાંત ગુજરાતમાં કુલ 22 લોકોના મોત થયા છે અને આ સાથે ગુજરાતમાં કોરોનાને કારણે કુલ મૃત્યુઆંક 2,487 પર પહોંચ્યો છે. રવિવારે નોંધાયેલા 22 મૃત્યુમાં આશ્ચર્યજનક રીતે અમદાવાદમાં ઘણાં સમય બાદ માત્ર બે મૃત્યુના કિસ્સા નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં દૈનિક થતાં બેવડા આંકના મૃત્યુના કિસ્સાથી ફેલાયેલા માહોલ બાદ અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારમાં હાલમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં છે અને સાથે મૃત્યુના કિસ્સા પણ ઘટી રહ્યા છે.
રાજ્યમાં હાલ 4 લાખથી વધુ લોકો ક્વોરન્ટીન
રવિવારે સૂરત શહેરમાં સાત અને ગ્રામ્ય વિસ્તારમાં 5 દર્દીના મોત થયાં હતાં. તો અમદાવાદ ઉપરાંત વડોદરા અને ભાવનગર શહેરમાં પણ 2-2 મૃત્યુ નોંધાયા હતા જ્યારે દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, પાટણ અને રાજકોટમાં 1-1 મોત થયાં હતાં. હાલ ગુજરાતમાં મૃત્યુદર 3.9 ટકા જ્યારે રીકવરી રેટ 73 ટકા કરતાં વધુ છે. ગુજરાતમાં 4.79 લાખ લોકો હાલ ક્વોરન્ટાઇન છે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PjxERC
No comments:
Post a Comment