Ad

Sunday, August 2, 2020

100 નદી, કૈલાશ માનસરોવર તથા લંકાના સમુદ્રનું જળ અયોધ્યા પહોંચ્યું

અયોધ્યામાં 5 ઓગસ્ટે થનારા શ્રીરામ મંદિર નિર્માણના ભૂમિપૂજન કાર્યક્રમની તૈયારીઓને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ભૂમિપૂજનનું પહેલું આમંત્રણ શ્રીરામલલા વિરાજમાનના ચારેય ભાઇઓ તથા બાળ હનુમાનને આપ્યું છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રવિવારે જણાવ્યું કે 5 ઓગસ્ટના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ અઢી કલાક રોકાશે. 170થી 180 લોકો આયોજનમાં ભાગ લેશે. ભૂમિપૂજન માટે 2 રામભક્ત રાધેશ્યામ અને ત્રિફલા 159 નદી અને 5 સમુદ્રનું જળ લઇને અયોધ્યા પહોંચ્યા છે. તેમણે 1968થી 2019 સુધી આ જળ એકઠું કર્યું છે. આ સિવાય કૈલાશ માનસરોવર અને લંકાના સમુદ્રનું જળ લઇને પણ ભક્તો પહોંચ્યા છે.

રામલલા નવરત્ન જડિત લીલા રંગના વાઘામાં દેખાશે
ભૂમિપૂજનના દિવસે રામલલા માટે 2 વસ્ત્ર તૈયાર કરાયા છે. આ દિવસે રામલલાને લીલા અને કેસરી રંગના નવરત્ન જડિત વસ્ત્ર પહેરાવાશે. રામા દલના અધ્યક્ષ પંડિત કલ્કિ રામે રામલલાના 4 વાઘા રામમંદિરના પુજારી સત્યેન્દ્ર દાસને આપ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
100 rivers, Kailash Mansarovar and sea water of Lanka reached Ayodhya


from Divya Bhaskar https://ift.tt/31eNJ07

No comments:

Post a Comment