
દેશમાં રવિવારે કોરોનાના 2 કરોડ ટેસ્ટ પૂરા થયા તેમાં 20 લાખ એન્ટીજન ટેસ્ટ છે. જે સૌથી પહેલાં દિલ્હીમાં 18 જૂનથી શરૂ થયા હતા. તેનાથી દર્દીની ઓળખ બહુ જલદી થાય છે પણ તેમાં ખામી એ છે કે 35 ટકા દર્દી પકડમાં આવતા નથી. આ ટેસ્ટ શરૂ થયા પછી દિલ્હીમાં નવા દર્દીનો ગ્રાફ ઝડપથી ઘટ્યો. અમદાવાદ-મુંબઈમાં પણ જ્યારે એન્ટીજન ટેસ્ટ થવા માંડ્યા તો ત્યાં પણ દર્દીઓની સંખ્યા ઘટવા લાગી.
- બિહાર: જુલાઈમાં કુલ 1 લાખ RTPCR ટેસ્ટ થયા, 2.3 લાખ એન્ટીજન ટેસ્ટ કર્યા
- હરિયાણા: જુલાઈમાં 1.4 લાખ આરટીપીસીઆર, 1.2 લાખ એન્ટીજન ટેસ્ટ કર્યા
- છત્તીસગઢ: જુલાઈમાં 98 હજાર RTPCR અને 29 હજાર એન્ટીજન ટેસ્ટ થયા
(3 રાજ્યોમાં જુનમાં એક પણ એન્ટીજન ટેસ્ટ થયો નથી.)
વિશ્વભરમાં RTPCR ટેસ્ટ જ સ્ટાન્ડર્ડ, એન્ટીજન નહીં
ભારતમાં કોરોનાની તપાસ 2 રીતે થઈ રહી છે. પ્રથમ આરટીપીઆર ટેસ્ટ અને બીજી એન્ટીજન ટેસ્ટ દ્વારા. સરકારે એન્ટીજન ટેસ્ટની મંજૂરી માત્ર કન્ટેઈનમેન્ટ ઝોનમાં રહેતા લોકોમાં કોરોના વાઈરસની ઓળખ માટે આપી છે. એન્ટીજન લોકોમાં જે દર્દી પોઝિટિવ આવે છે તેમની આરટીપીસીઆર તપાસ જરૂરી નથી. તેને કોરોના દર્દી માનવામાં આવે છે. કોરોનાના લક્ષણ વાળા જે દર્દીના રિપોર્ટ એન્ટીજન ટેસ્ટમાં નેગેટિવ આવે છે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ કરાય છે. પરંતુ જો કોઈ લક્ષણ વિનાના દર્દીનો એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવે તો તેને છોડી દેવામાં આવે છે. આ વાત સૌથી વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણકે 80 ટકા કોરોનાના દર્દી લક્ષણ વિનાના હોય છે. આઈસીએમઆરના અભ્યાસમાં જણાવ્યું છે કે એન્ટીજન તપાસ 50 ટકાથી 80 ટકા (સરેરાશ 65 ટકા) સુધી વાઈરસની ઓળખ કરી લે છે. તેનો અર્થ એ થયો કે 35% મામલામાં સાચું રિઝલ્ટ નથી આવતું. જ્યારે RTPCR ટેસ્ટ 90% મામલામાં સાચું રિઝલ્ટ આપે છે. એનો અર્થ એ થયો કે અહીં ભૂલની સંભાવના માત્ર 10 ટકા છે. આથી સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસની ઓળખ માટે ગોલ્ડન સ્ટાન્ડર્ડ ટેસ્ટ RTPCR જ છે, એન્ટીજન નહીં. - પ્રો. એકતા ગુપ્તા, ડિપાર્ટમેન્ટ ઓફ વાયરોલોજી, ઈન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બૈલ્યરી સાયન્સ, નવી દિલ્હી
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3k4LEN7
No comments:
Post a Comment