
કોરોના મહામારીને કારણે સામાજિક સુરક્ષા માટે અનામત રાખવામાં આવતા પ્રોવિડંડ ફંડમાંથી પણ એપ્રિલથી જૂન-2020 સુધીમાં 80 લાખ નાગરિકે રૂ. 30 હજાર કરોડ ઉપાડી લીધા હોવાનું સત્તાવારરીતે બહાર આવ્યું હોવાનું કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું.
8 લાખ નાગરિકો પૈસા ઉપાડવા મજબૂર બન્યાં
કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું કે સીએમઆઈએનાં અહેવાલ અનુસાર દેશમાં દર ચોથો વ્યક્તિ રોજગાર ગુમાવે છે. પરિણામે છેલ્લા અઠવાડિયામાં 1 લાખથી વધુ નાગરિક તેમના પીએફમાંથી નાણાં ઉપાડી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. દેશમાં 50 લાખ લોકોએ મેિડકલ ટ્રિટમેન્ટ માટે રૂ.22 હજાર કરોડ ઉપાડ્યા છે જ્યારે 30 લોકોએ કોરોના વિન્ડો માટે રૂ. 8 હજાર કરોડ ઉપાડ્યા છે. ગુજરાતના 8 લાખ નાગરિકોને પોતાના પૈસા ઉપાડવા માટે મજબુર બન્યા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/33nZK6f
No comments:
Post a Comment