
1. સંઘર્ષપૂર્ણ રાજકીય કારકિર્દીની મહત્વતા
રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલી અત્યાર સુધીની સૌથી મોટી ઉથલપાથલ અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું એક વિશ્લેષણ રજૂ કર્યું છે. આ વિશ્લેષણ પરથી એક વાત ચોક્કસપણે સમજી શકાય છે કે તકલીફ પાયલટની બળવાખોરીની નથી પણ તેમની ઉંમરની છે. વાત એમ બની કે 69 વર્ષિય ગેહલોતે બુધવારે ત્રણ મિનિટ સુધી મીડિયા સાથે વાતચીત કરી અને આ વાતચીતમાં તેમણે 42 વર્ષિય સચિન પાયલટ પર ચોતરફથી આકરા પ્રહારો કર્યા.
સંઘર્ષભરી રાજનીતિનું શું મહત્વ રહેલું છે તે અંગે ગેહલોતે કહ્યું- જે નવી પેઢી આવી છે તેમણે પૂરતો સંઘર્ષ કર્યો નથી. જો તેમણે વધુ સંઘર્ષભર્યું રાજકીય ખેડાણ કર્યું હોત તો તેઓ વધારે સારું કામ કરી શક્યતા હોય, કદાંચ અમારા કરતા પણ સારું કામ કરી શક્યા હોત.
આ સમયે ગેહલોતનો અંદાજ એવો હતો કે જાણે શાળામાં હેડમાસ્ટર બાળકોને કડકાઈથી કહેતા હોય કે તેમનું કંઈ જ થવાનું નથી. કારણ કે હજુ જીવનમાં સંઘર્ષ કરવાનો બાકી છે....ગેહલોત અહીં જ અટક્યા ન હતા...તેમણે કહ્યું-સારું અંગ્રેજી બોલવાથી અને હેન્ડસમ પર્સનાલિટીથી કંઈ જ થતુ નથી. ગેહલોતના આ નિવેદનથી કોંગ્રેસના જ નેતાઓ દ્વિધામાં મુકાઈ ગયા કે ગેહલોતના નિશાન પર છેવટે કોણ-કોણ છે?
હવે સચિન પાયલટને પણ સાંભળી લઈએ. ગેહલોતે જે નિવેદન આપ્યું તેના પાંચ કલાક અગાઉ પાયલટે એક ઈન્ટરવ્યૂ આપ્યુ હતું. તેમણે પણ એક નવી વાત કહી. તેમણે કહ્યું-હું ગેહલોતથી ગુસ્સે નથી, હું કોઈ પદ કે પાવર ઈચ્છતો નથી. બસ, મને રાજસ્થાનના વિકાસના કાર્યો કરવા દેવામાં આવતા નથી.
બે એવી વાત કે જે અમારા પત્રકારોએ કહી...
પહેલી- પક્ષને તૂટતો અટકાવવા માટે ગેહલોત હવે બે નાયબ મુખ્યમંત્રી, સાત નવા પ્રધાન અને 10થી 15 સંસદીય સચિવ બનાવી શકે છે. આ રીતે તેઓ આશરે 20 ધારાસભ્યને ખુશ કરી શકશે.
બીજી- જો કોંગ્રેસના 19 બળવાખોર ધારાસભ્યોનું પદ યથાવત રહે છે તો તે ફ્લોર ટેસ્ટના સંજોગોમાં ગેહલોત સરકાર સામે વોટિંગ કરશે. જો તેમના સભ્યપદનો અંત લાવવામાં આવશે તો ગેહલોત માટે મુશ્કેલી ઓછી થઈ જશે.
2. રિલાયન્સની AGM
વર્તમાન સમયમાં રિલાયન્સ જિયો ચર્ચામાં છે. તેમા છેલ્લા ત્રણ મહિનામાં 14મું ઈન્વેસ્ટમેન્ટ આવ્યુ છે, જે અંગે ગઈકાલે પણ અમે તમને માહિતી આપી હતી. બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ એ વાતની પૃષ્ટિ કરી છે કે ગૂગલ રૂપિયા 33,737 કરોડમાં જિયોમાં 7.7 ટકા હિસ્સો ખરીદશે.
AGMમાં અંબાણીએ કહ્યું કે જિયોએ મેડ ઈન ઈન્ડિયા 5G સોલ્યુશન ડેવલપ કરી લીધુછે. સ્પેક્ટ્રમ મળવાના સંજોગોમાં કંપની ટ્રાયલ શરૂ કરશે. AGMમાં મુકેશ અંબાણીના દિકરી ઈશા અંબાણીએ નવી જિયો ટીવી પ્લસ અંગે જાણકારી આપી. તેમા 12 OTT પ્લેટફોર્મનું કન્ટેન્ટ મળશે.
3. CBSEના પરિણામોમાં છોકરીઓ આગળ
હવે એક સારા સમાચાર! CBSEએ બુધવારે ધોરણ-10ના પરિણામોની જાહેરાત કરી. તેમા સતત ત્રીજા વર્ષે છોકરીઓ આગળ રહી છે. છોકરીઓનું પાસિંગ પર્સન્ટેઝ 93.31 ટકા જ્યારે છોકરાઓનું 90.14 ટકા રહ્યું. આ રીતે છોકરીઓ 3.17 ટકા આગળ રહી. ધોરણ-12ના પરિણામોમાં પણ છોકરીઓ આગળ રહી હતી.
રિઝલ્ટને લગતા એક રસપ્રદ સમાચાર છે. ગ્રેટર નોઈડામાં બે જોડીયા બહેન માનસી અને માન્યા રહે છે. આ બન્ને બહેનનું પરિણામ એક સરખુ આવ્યુ છે. બન્નેના માર્ક્સ 95.80% રહ્યા છે. અંગ્રેજી અને કોમ્પ્યુટર સાયન્સમાં બન્નેને 98-98 નંબર મળ્યા છે. એવી જ રીતે ફિઝીક્સ,કેમિસ્ટ્રી અને ફિઝીકલ એજ્યુકેશનમાં પણ બન્ને બહેનને એક સરખા 95-95 નંબર મળ્યા છે. આ સંયોગથી બન્ને બહેનોને પણ આશ્ચર્ય થયુ છે.
4. બે એવા સમાચાર જે આજના દિવસને લગતા છે
બિહારમાં લોકડાઉન
બિહારમાં આજથી 31 જુલાઈ સુધી લોકડાઉન અમલી બનવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન બસો બંધ રહેશે. ઓટો-ટેક્સિ પણ ઈમર્જન્સી માટે જ ચાલશે. રાજ્યમાં કોરોનાના 1,742 કન્ટેનમેન્ટ ઝોન બની ગયા છે. જ્યાં કોઈ જ પ્રકારની છૂટ મળશે નહીં. બિહારમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધારે કેસ આવી ગયા છે. મંગળવારે પ્રથમ વખત ચાર જીલ્લામાં 100 કરતા નવા દર્દી આવ્યા છે. કુલ જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે તે પૈકી 14 ટકા પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ સંજોગોમાં લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે.
વેસ્ટઈન્ડિઝ-ઈગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ
ઈગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ માન્ચેસ્ટરમાં આજથી શરૂ થશે. તે ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે. જો વેસ્ટઈન્ડિઝ આ મેચમાં વિજય મેળવશે તો તે ઈગ્લેન્ડમાં 32 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ જીતશે. પ્રથમ ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝે ઈગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યુ હતું.
5. આજનો દિવસ કેવો રહેશે?
એસ્ટ્રોલોજી કહે છે કે આજે ગુરુવારનો દિવસ પાંચ રાશિવાળા લોકોને આર્થિક નુકસાન અપાવી શકે છે. આ રાશિઓ-વૃષભ, મિથુન, સિંહ, તુલા અને મકર. જોબ, બિઝનેસ, લેવડ-દેવડ અને રોકાણને લગતા વ્યવહારોમાં કાળજી રાખવી. મેષ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન,કુંભ અને મીન રાશિવાળાઓ માટે દિવસ સારો રહેશે.
ટેરોકાર્ડ્સ કહે છે કે ગુરુવારનો દિવસ 12 પૈકી 8 રાશિઓ માટે સારો છે. વૃષભ રાશિવાળાઓને આજે કેટલીક શાનદાર ઓફર મળી શકે છે. મિથુન રાશિ વાળાઓએ પૈસાની બાબતમાં તકેદારી રાખવી જરૂરી છે.
6. તમારા માટે બે સમાચાર....જે તમે વાંચવાનું પસંદ કરશો
અમેરિકાની ફાર્મા કંપની મોર્ડના 27 જુલાઈથી વેક્સિન mRNA-1273ના ત્રીજા તબક્કાનું હુમન ટ્રાયલ શરૂ કરશે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે ટ્રાયલમાં જોવાનું રહેશે કે વેક્સિન વિશ્વભરમાં કોરોનાના દર્દીઓને વાઈરસથી બચાવી શકે છે કે નહીં. ત્રીજા તબક્કાના પરિક્ષણમાં 30 હજાર વોલેન્ટીયર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મેજર દેવેન્દ્ર સિંહ વર્ષ 1999માં જ્યારે કારગિલ યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે તેમની ઉંમર માંડ 25 વર્ષની હતી. દુશ્મનની પોસ્ટ માંડ 80 મીટર દૂર હતી. આ લડાઈમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. શરીર પર 40 કરતા વધારે ઘા હતા. આશરે અઢી કલાક બાદ હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે એક સીનિયર ડોક્ટરે જોયુ કે તેમનો શ્વાસ ચાલી રહ્યો છે. તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવી.અને તેમનો જીવ બચી ગયો...
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38YXoM1