Ad

Wednesday, July 15, 2020

ગેહલોતે સંઘર્ષપૂર્ણ રાજનીતિને નવું નામ આપ્યું;આજથી બિહારમાં 31 જુલાઈ સુધી લોકડાઉન, ઈગ્લેન્ડ-વેસ્ટઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ શરૂ

1. સંઘર્ષપૂર્ણ રાજકીય કારકિર્દીની મહત્વતા
રાજસ્થાન કોંગ્રેસમાં સર્જાયેલી અત્યાર સુધીની સૌથી મોટી ઉથલપાથલ અંગે મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેમનું એક વિશ્લેષણ રજૂ કર્યું છે. આ વિશ્લેષણ પરથી એક વાત ચોક્કસપણે સમજી શકાય છે કે તકલીફ પાયલટની બળવાખોરીની નથી પણ તેમની ઉંમરની છે. વાત એમ બની કે 69 વર્ષિય ગેહલોતે બુધવારે ત્રણ મિનિટ સુધી મીડિયા સાથે વાતચીત કરી અને આ વાતચીતમાં તેમણે 42 વર્ષિય સચિન પાયલટ પર ચોતરફથી આકરા પ્રહારો કર્યા.
સંઘર્ષભરી રાજનીતિનું શું મહત્વ રહેલું છે તે અંગે ગેહલોતે કહ્યું- જે નવી પેઢી આવી છે તેમણે પૂરતો સંઘર્ષ કર્યો નથી. જો તેમણે વધુ સંઘર્ષભર્યું રાજકીય ખેડાણ કર્યું હોત તો તેઓ વધારે સારું કામ કરી શક્યતા હોય, કદાંચ અમારા કરતા પણ સારું કામ કરી શક્યા હોત.

આ સમયે ગેહલોતનો અંદાજ એવો હતો કે જાણે શાળામાં હેડમાસ્ટર બાળકોને કડકાઈથી કહેતા હોય કે તેમનું કંઈ જ થવાનું નથી. કારણ કે હજુ જીવનમાં સંઘર્ષ કરવાનો બાકી છે....ગેહલોત અહીં જ અટક્યા ન હતા...તેમણે કહ્યું-સારું અંગ્રેજી બોલવાથી અને હેન્ડસમ પર્સનાલિટીથી કંઈ જ થતુ નથી. ગેહલોતના આ નિવેદનથી કોંગ્રેસના જ નેતાઓ દ્વિધામાં મુકાઈ ગયા કે ગેહલોતના નિશાન પર છેવટે કોણ-કોણ છે?
હવે સચિન પાયલટને પણ સાંભળી લઈએ. ગેહલોતે જે નિવેદન આપ્યું તેના પાંચ કલાક અગાઉ પાયલટે એક ઈન્ટરવ્યૂ આપ્યુ હતું. તેમણે પણ એક નવી વાત કહી. તેમણે કહ્યું-હું ગેહલોતથી ગુસ્સે નથી, હું કોઈ પદ કે પાવર ઈચ્છતો નથી. બસ, મને રાજસ્થાનના વિકાસના કાર્યો કરવા દેવામાં આવતા નથી.

બે એવી વાત કે જે અમારા પત્રકારોએ કહી...
પહેલી- પક્ષને તૂટતો અટકાવવા માટે ગેહલોત હવે બે નાયબ મુખ્યમંત્રી, સાત નવા પ્રધાન અને 10થી 15 સંસદીય સચિવ બનાવી શકે છે. આ રીતે તેઓ આશરે 20 ધારાસભ્યને ખુશ કરી શકશે.
બીજી- જો કોંગ્રેસના 19 બળવાખોર ધારાસભ્યોનું પદ યથાવત રહે છે તો તે ફ્લોર ટેસ્ટના સંજોગોમાં ગેહલોત સરકાર સામે વોટિંગ કરશે. જો તેમના સભ્યપદનો અંત લાવવામાં આવશે તો ગેહલોત માટે મુશ્કેલી ઓછી થઈ જશે.

2. રિલાયન્સની AGM
વર્તમાન સમયમાં રિલાયન્સ જિયો ચર્ચામાં છે. તેમા છેલ્લા ત્રણ મહિનામાં 14મું ઈન્વેસ્ટમેન્ટ આવ્યુ છે, જે અંગે ગઈકાલે પણ અમે તમને માહિતી આપી હતી. બુધવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ એ વાતની પૃષ્ટિ કરી છે કે ગૂગલ રૂપિયા 33,737 કરોડમાં જિયોમાં 7.7 ટકા હિસ્સો ખરીદશે.
AGMમાં અંબાણીએ કહ્યું કે જિયોએ મેડ ઈન ઈન્ડિયા 5G સોલ્યુશન ડેવલપ કરી લીધુછે. સ્પેક્ટ્રમ મળવાના સંજોગોમાં કંપની ટ્રાયલ શરૂ કરશે. AGMમાં મુકેશ અંબાણીના દિકરી ઈશા અંબાણીએ નવી જિયો ટીવી પ્લસ અંગે જાણકારી આપી. તેમા 12 OTT પ્લેટફોર્મનું કન્ટેન્ટ મળશે.

3. CBSEના પરિણામોમાં છોકરીઓ આગળ
હવે એક સારા સમાચાર! CBSEએ બુધવારે ધોરણ-10ના પરિણામોની જાહેરાત કરી. તેમા સતત ત્રીજા વર્ષે છોકરીઓ આગળ રહી છે. છોકરીઓનું પાસિંગ પર્સન્ટેઝ 93.31 ટકા જ્યારે છોકરાઓનું 90.14 ટકા રહ્યું. આ રીતે છોકરીઓ 3.17 ટકા આગળ રહી. ધોરણ-12ના પરિણામોમાં પણ છોકરીઓ આગળ રહી હતી.
રિઝલ્ટને લગતા એક રસપ્રદ સમાચાર છે. ગ્રેટર નોઈડામાં બે જોડીયા બહેન માનસી અને માન્યા રહે છે. આ બન્ને બહેનનું પરિણામ એક સરખુ આવ્યુ છે. બન્નેના માર્ક્સ 95.80% રહ્યા છે. અંગ્રેજી અને કોમ્પ્યુટર સાયન્સમાં બન્નેને 98-98 નંબર મળ્યા છે. એવી જ રીતે ફિઝીક્સ,કેમિસ્ટ્રી અને ફિઝીકલ એજ્યુકેશનમાં પણ બન્ને બહેનને એક સરખા 95-95 નંબર મળ્યા છે. આ સંયોગથી બન્ને બહેનોને પણ આશ્ચર્ય થયુ છે.

4. બે એવા સમાચાર જે આજના દિવસને લગતા છે

બિહારમાં લોકડાઉન
બિહારમાં આજથી 31 જુલાઈ સુધી લોકડાઉન અમલી બનવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન બસો બંધ રહેશે. ઓટો-ટેક્સિ પણ ઈમર્જન્સી માટે જ ચાલશે. રાજ્યમાં કોરોનાના 1,742 કન્ટેનમેન્ટ ઝોન બની ગયા છે. જ્યાં કોઈ જ પ્રકારની છૂટ મળશે નહીં. બિહારમાં અત્યાર સુધીમાં 20 હજારથી વધારે કેસ આવી ગયા છે. મંગળવારે પ્રથમ વખત ચાર જીલ્લામાં 100 કરતા નવા દર્દી આવ્યા છે. કુલ જેટલા ટેસ્ટ થઈ રહ્યા છે તે પૈકી 14 ટકા પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ સંજોગોમાં લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

વેસ્ટઈન્ડિઝ-ઈગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ
ઈગ્લેન્ડ અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ માન્ચેસ્ટરમાં આજથી શરૂ થશે. તે ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી શરૂ થશે. જો વેસ્ટઈન્ડિઝ આ મેચમાં વિજય મેળવશે તો તે ઈગ્લેન્ડમાં 32 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ જીતશે. પ્રથમ ટેસ્ટમાં વેસ્ટઈન્ડિઝે ઈગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યુ હતું.

5. આજનો દિવસ કેવો રહેશે?
એસ્ટ્રોલોજી કહે છે કે આજે ગુરુવારનો દિવસ પાંચ રાશિવાળા લોકોને આર્થિક નુકસાન અપાવી શકે છે. આ રાશિઓ-વૃષભ, મિથુન, સિંહ, તુલા અને મકર. જોબ, બિઝનેસ, લેવડ-દેવડ અને રોકાણને લગતા વ્યવહારોમાં કાળજી રાખવી. મેષ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન,કુંભ અને મીન રાશિવાળાઓ માટે દિવસ સારો રહેશે.

ટેરોકાર્ડ્સ કહે છે કે ગુરુવારનો દિવસ 12 પૈકી 8 રાશિઓ માટે સારો છે. વૃષભ રાશિવાળાઓને આજે કેટલીક શાનદાર ઓફર મળી શકે છે. મિથુન રાશિ વાળાઓએ પૈસાની બાબતમાં તકેદારી રાખવી જરૂરી છે.

6. તમારા માટે બે સમાચાર....જે તમે વાંચવાનું પસંદ કરશો
અમેરિકાની ફાર્મા કંપની મોર્ડના 27 જુલાઈથી વેક્સિન mRNA-1273ના ત્રીજા તબક્કાનું હુમન ટ્રાયલ શરૂ કરશે. કંપનીએ આપેલી માહિતી પ્રમાણે ટ્રાયલમાં જોવાનું રહેશે કે વેક્સિન વિશ્વભરમાં કોરોનાના દર્દીઓને વાઈરસથી બચાવી શકે છે કે નહીં. ત્રીજા તબક્કાના પરિક્ષણમાં 30 હજાર વોલેન્ટીયર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મેજર દેવેન્દ્ર સિંહ વર્ષ 1999માં જ્યારે કારગિલ યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે તેમની ઉંમર માંડ 25 વર્ષની હતી. દુશ્મનની પોસ્ટ માંડ 80 મીટર દૂર હતી. આ લડાઈમાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. શરીર પર 40 કરતા વધારે ઘા હતા. આશરે અઢી કલાક બાદ હોસ્પિટલ પહોંચ્યા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે એક સીનિયર ડોક્ટરે જોયુ કે તેમનો શ્વાસ ચાલી રહ્યો છે. તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવી.અને તેમનો જીવ બચી ગયો...



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gehlot renamed conflict politics; Lockdown in Bihar from today till July 31, second Test between England and West Indies begins


from Divya Bhaskar https://ift.tt/38YXoM1

રાજકોટમાં 4.8.ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજી

 

રાજકોટ, તા. 16 જુલાઈ 2020 ગુરૂવાર

રાજકોટમાં આજે વહેલી સવારે 7.40 મિનિટે 4.8.ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા. રાજકોટથી 22 કિલોમીટર દૂર મધ્યકેન્દ્ર બિંદુ નોંધાયુ છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટથી 22 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયુ છે. CM વિજય રૂપાણીએ સૌરાષ્ટ્રમાં આવેલા ભૂકંપના આંચકાની નોંધ લીધી છે. જામનગર અને રાજકોટના કલેકટર સાથે વાતચીત કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે એક મહિની અંદર રાજકોટમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ સાથે સાથે સુરેન્દ્રનગરના સાયલા, ચોટલી, અમરેલી, કાલાવડ, લોધિકા, ગોંડલ, કોટડાસાંગણી વગેરે જગ્યાએ આંચકા અનુભવાયા છે.

જસદણના આટકોટમા ધરતીકંપનો આંચકો અનુભવાયો છે. જસદણમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. જેનાથી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. જેતપુર તથા વીરપુરમાં પણ ધરતી કંપનો આંચકો અનુભવાયો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી ભયનો માહોલ વ્યાપી ગયો છે. 

હાલ, કોરોના મહામારી સામે લડ્યા પછી તેની સાથે જીવવાની વાતો થવા લાગી પણ રાજ્યએ ભૂકંપ સાથે જીવતા શિખવાની તો સદીઓથી જરૂર છે. જાપાન આ રીતે જીવે જ છે. એક ઉક્તિ પ્રચલિત છે કે માણસો ભૂકંપથી નથી મરતા પણ ઈમારત પડવાથી તેમાં દબાઈ જવાથી મૃત્યુ પામે છે. 

આમ, ભૂકંપ સામે ટકી શકે તેવા જ બાંધકામો કરવા તે અનિવાર્ય જરૂરિયાત છે. ઉપરાંત ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા પણ વધારે રહે છે, કારણ કે તે અરબી સમુદ્રના કાંઠે વસેલું રાજ્ય છે. જે સમુદ્રમાં વર્ષે પાંચ-છ વાવાઝોડા આવતા હોય છે અને ગત વર્ષે તો સુપર સાયક્લોન પણ આવ્યું હતું. આમ, હવે ભૂકંપ અને વાવાઝોડાનું જોખમ ગણીને જ જીવનની ગતિ આગળ વધારવી પડે તેવા કુદરતી સંજોગો છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j710jv

India-EU summit forges ahead on trade, multilateralism, terror; Chinese aggression, CAA discussed

India-EU summit forges ahead on trade, multilateralism, terror; Chinese aggression, CAA discussed

from India Today | Top Stories https://ift.tt/3ftiTXH

India-China faceoff: De-escalation in Pangong Tso, Depsang still some distance away

India-China faceoff: De-escalation in Pangong Tso, Depsang still some distance away




from News - Videos - The Times of India https://ift.tt/2OzL0bH

2nd Test: Can batsmen shake off the rust?

While attention has been on bowlers post resumption, captains Joe Root and Jason Holder push batsmen to defeat challenges and hit form in the second Test that starts in Manchester from today.

from Times of India https://ift.tt/2DGq4xC

Twitter accounts of Apple, Musk, Gates, others hit

The official Twitter accounts of Apple, Elon Musk, Jeff Bezos and others were hijacked on Wednesday by scammers trying to dupe people into sending cryptocurrency bitcoin, in a massive hack. The list of accounts commandeered simultaneously grew rapidly to include Joe Biden, Barack Obama, Uber, Microsoft co-founder Bill Gates, bitcoin specialty firms and many others.

from Times of India https://ift.tt/3j4ocz0

Over 150 countries sign up for global coronavirus vaccine plan

Over 150 countries sign up for global coronavirus vaccine plan

from India Today | Top Stories https://ift.tt/3j7TMvW

Brazil's Bolsonaro, infected with Covid-19, touts unproven drug

Brazil's Bolsonaro, infected with Covid-19, touts unproven drug

from India Today | Top Stories https://ift.tt/3h0za6T

સરકારે કહ્યું- સેનિટાઇઝર પર સાબુની જેમ 18% GST યોગ્ય, સેનિટાઈઝર પર ટેક્સ ઘટાડાથી ઘરેલુ ઉત્પાદકોને નુકસાન થશે

કેન્દ્ર સરકારે સેનિટાઇઝર પર 18% જીએસટીને યોગ્ય ગણાવ્યો છે. તેની તરફેણમાં તર્ક આપતાં સરકારે કહ્યું કે સેનિટાઇઝર સાબુ, એન્ટિ-બેક્ટેરિયલ લિક્વિડ, ડેટોલ જેવું જ કીટાણુનાશક છે અને તે બધા પર 18% જીએસટી લાગે જ છે.

કેન્દ્રીય નાણામંત્રાલયે બુધવારે કહ્યું કે સેનિટાઇઝર બનાવવા માટે વપરાતાં અન્ય રસાયણો, પેકિંગ સામગ્રી અને ઇનપુટ સેવાઓ પર પણ જીએસટીનો દર 18% જ છે. સેનિટાઇઝર તથા તેવી અન્ય ચીજો પર જીએસટીનો દર ઘટાડવાથી કરમાળખું ઊલટાઇ જશે અને તેનાથી ઘરેલુ ઉત્પાદકો તથા નિકાસકારોને નુકસાન થશે.

નોંધનીય છે કે ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગની ગોવા બેન્ચે તેના નિર્ણયમાં કહ્યું હતું કે આલ્કોહોલ બેઝ્ડ હેન્ડ સેનિટાઇઝર પર 18% જીએસટી લગાવવો યોગ્ય છે. સરકાર દ્વારા સેનેટાઈઝર 18 ટકા જીએસટી લગાવવાના ‌ફેસલાનો વિરોધ થઈ રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Govt says 18% GST on sanitizer is same as soap, tax cut on sanitizer will hurt domestic producers


from Divya Bhaskar https://ift.tt/30lfi7U

દુનિયામાં સૌથી ગરમ કેલિફોર્નિયાની ‘મોતની ખીણ’માં પારો 53.3, વિજ્ઞાનીઓએ કહ્યું- ઉત્સર્જન નહીં ઘટે તો તાપમાન 60 ડિગ્રી થઈ જશે

ક્લાઈમેટ ચેન્જની અસર દુનિયાભરમાં જોવા મળી રહી છે. અમેરિકાના પૂર્વ કેલિફોર્નિયાના રણપ્રદેશની ‘ડેથ વેલી’ એટલે કે ‘મોતની ખીણ’માં રવિવારે ગરમીનો પારો 53.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. આ છેલ્લાં ત્રણ વર્ષમાં પૃથ્વી પર કોઈ વિસ્તારમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. ઋતુચક્રમાં અચાનક થયેલા ફેરફાર પછી અમેરિકન હવામાન વિભાગે દક્ષિણ અમેરિકામાં રહેતા પાંચ કરોડ લોકોને સખત ગરમી અને લૂથી બચવાની ચેતવણી પણ જારી કરી છે.

વિજ્ઞાનીઓનું કહેવું છે કે જો કાર્બન ઉત્સર્જન આ જ ગતિએ વધતું રહ્યું તો 2030 સુધી આ ખીણનું તાપમાન 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. કેલિફોર્નિયાનો આ રણપ્રદેશ ફ્લોરિડાના પનામા સિટી સુધી આશરે પોણા ત્રણ હજાર કિ.મી.માં ફેલાયેલો છે. અહીં આસપાસના વિસ્તાર જેવા કે બોર્ગર, ટેક્સાસ, એમારિલો, ફોનિક્સ, રોજવેલ અને ન્યુ મેક્સિકોમાં પણ તાપમાન 46 ડિગ્રીએ પહોંચી ગયું છે, જે સરેરાશ બે ડિગ્રી વધુ છે.

મોતની ખીણ દુનિયાની સૌથી ગરમ જગ્યા છે. અહીં સામાન્ય તાપમાન પણ 50 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહે છે. વર્ષ 1913માં અહીંનું તાપમાન 56.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે હમણાં સુધીનો સૌથી ઊંચો આંકડો હતો. અમેરિકન હવામાન નિષ્ણાત બ્રાયન થોમસનનું કહેવું છે કે ડેથ વેલીનું તાપમાન આટલું ઊંચુ હોવાના કારણ અનેક છે. અહીં વરસાદ ખૂબ ઓછો થાય છે અને શિયાળો હોતો નથી. પેસિફિક સમુદ્રમાંથી આવતી હવાઓ અહીં સુધી પહોંચે ત્યાં સુધી સૂકી થઈ ગઈ હોય છે. તેમાં ભેજ હોતો નથી, એટલે અહીં ફક્ત ગરમ પવન ફૂંકાય છે. વળી, આ ખીણની સપાટી એવી છે જે સૂરજના પ્રકાશમાં ઝળહળી ઊઠે છે.

આ સ્થળ સમુદ્ર સપાટીથી 190 ફૂટ નીચે છે, જેથી હવાના દબાણથી ગરમી વધે છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વનું કારણ કાર્બન ઉત્સર્જન છે. તેનાથી ગરમી વધવાની ગતિ 600 ગણી વધી ગઈ છે. અહીં રાતનું તાપમાન 28થી 37 ડિગ્રી વચ્ચે રહે છે.

સાઈબેરિયામાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ વધ્યું, વાતાવરણ રાખથી ભરાયું
વિજ્ઞાનીઓનું કહેવું છે કે સાઈબેરિયામાં જાન્યુઆરીથી જૂન 2020 સુધી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવા પાછળ ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન છે. અહીં જંગલોમાં લાગેલી આગથી 11.5 લાખ હેક્ટરમાં પથરાયેલાં વૃક્ષો ખાક થઈ ગયાં છે, જેથી 5.6 કરોડ ટન કાર્બન ઉત્સર્જન થયું હતું. આગની લપેટોએ અહીંના વાયુમંડળને પણ રાખથી ભરી દીધું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
અમેરિકાના પૂર્વ કેલિફોર્નિયાના રણપ્રદેશની ‘ડેથ વેલી’ .


from Divya Bhaskar https://ift.tt/32qriYb

પાઈલટે કહ્યું- ભાજપમાં નહીં જઉં, ગેહલોતે કહ્યું- પાઈલટ સરકાર પાડવામાં વ્યસ્ત હતા, 20 કરોડનો સોદો હતો

રાજસ્થાનમાં 6 દિવસથી ચાલી રહેલા રાજકીય ઘમસાણ વચ્ચે સચિન પાઈલટના તેવર બુધવારે ઢીલા પડી ગયા. તેમણે અટકળો પર વિરામ લાવતાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ‘રાજસ્થાનના અમુક નેતાઓ હું પક્ષપલટો કરવાનો છું’ તેવી અફવા ફેલાવી રહ્યા છે પણ હું સ્પષ્ટ કહી દઉં છું કે હું ભાજપમાં જોડાવાનો નથી. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, પાઈલટ ભાજપ સાથે મળીને સરકાર અસ્થિર કરવાનું કાવતરું કરતા હતા. રૂ. 20 કરોડની સોદાબાજીના પુરાવા પણ છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, હરિયાણા ભાજપની સરકારની મહેમાનનવાજી છોડીને પાઈલટ પોતાના ઘર જયપુર પરત ફર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જે પક્ષ છોડવા ઈચ્છે છે, તે જશે, નવા લોકોને તક મળશે. હાલમાં ગેહલોત સાથે 109, જ્યારે પાઈલટને 22 MLAનું સમર્થન છે.

પાઇલટે કહ્યું- સ્વાભિમાન પાછું જોઇએ છે

  • વિકાસકાર્ય ન કરવા દીધાં. અધિકારીઓને આદેશ માનતા રોક્યા. ફાઇલો મારી પાસે નહોતી મોકલાતી. વચનો પાળી ન શકીએ તેવા પદ પર રહેવાનો શું અર્થ?
  • ભાજપના નેતાઓને નથી મળ્યો. જ્યોતિરાદિત્ય સિંધિયાને કે ઓમ માથુરને તો 6 મહિનાથી નથી મળ્યો.
  • રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષનો હોદ્દો છોડ્યો ત્યારથી ગેહલોત અને તેમના સમર્થકો મને હાંસિયામાં ધકેલી રહ્યા હતા. પોલીસે મને એક નોટિસ પાઠવી, જેમાં રાજદ્રોહનો આરોપ હતો.
  • મુખ્યમંત્રીપદ સહિત મારી કોઇ જ લાલસા નથી. મને ગેહલોત સામે રોષ નથી કે હું કોઇ પદ-પાવર પણ નથી ઇચ્છતો. હું તો પક્ષમાં ગુમાવેલું સ્વાભિમાન પરત ઇચ્છું છું.

ગેહલોતનો કટાક્ષ- આમણે ઘસાવું નથી પડ્યું

  • પાયાવિહોણો આક્ષેપ છે. મેં ક્યારેય કોઇ અધિકારીને આવા આદેશ નથી આપ્યા. સીએમની મંજૂરી વિના પાઇલટ ઘણોખરો સમય દિલ્હી, લંડન સહિતના સ્થળોએ રહે છે.
  • સરકાર ઊથલાવવાની ડીલ પાઇલટ પોતે કરતા હતા. મારી પાસે પુરાવા છે. ભાજપ સાથે મળીને હોર્સ ટ્રેડિંગ કરાતું હતું. રાત્રે 2 વાગ્યે લોકોને રવાના કરાતા હતા.
  • નવી પેઢીને અમે પ્રેમ કરીએ છીએ. કાલ તેમની છે. 40 વર્ષ જૂની લીડરશિપમાં ઘણું ઘસાયા છીએ. આ ઘસાયા નથી, મંત્રી બન્યા. જો ઘસાવું પડ્યું હોત તો વધુ સારું કામ કરત.
  • સોનાની કાંટા ચમચી ખાવા માટે ન હોય. સારું અંગ્રેજી બોલવાથી અને સ્માર્ટ દેખાવાથી કંઇ નથી થતું. મનમાં શું છે, કમિટમેન્ટ શું છે એ બધું જ જોવાય છે.

હવે શું : 36 ધારાસભ્યો તૂટશે તો નવી પાર્ટી બનાવી ભાજપ સાથે સરકાર સંભવ
પાઇલટે બુધવારે તમામ પત્તાં ખોલ્યાં નહોતાં. તે અનેક વિકલ્પો ચકાસી રહ્યા છે. બુધવાર સુધીની સ્થિતિને જોતાં તેમની સામે આ ત્રણ વિકલ્પો દેખાઈ રહ્યા છે.

  • કોંગ્રેસમાં વાપસી: શક્યતા છે પણ ગેહલોતની આક્રમતાને જોતાં હાલ વાપસીના રસ્તા લગભગ બંધ છે. જો પાછા ફરશે તોપણ રાજસ્થાનમાં સક્રિય નહીં રહી શકે.
  • ભાજપમાં એન્ટ્રી: આ વિકલ્પ ખુલ્લો છે. તે અને તેમના સાથી ધારાસભ્ય પણ સ્થાનિક સમીકરણને જોતાં સીધી રીતે ભાજપમાં જવાની ના પાડી રહ્યા છે.
  • નવી પાર્ટી બનાવે: કોંગ્રેસના 107માંથી 36 MLAને તોડી પાઇલટ નવી પાર્ટી બનાવી શકે છે. ભાજપના સમર્થનથી CM બની શકે છે. તેની સંભાવના છે.

પાઇલટ સહિત 19 બળવાખોર ધારાસભ્યોને સ્પીકરની નોટિસ
સ્પીકર સી.પી.જોશીએ કોંગ્રેસની ફરિયાદ પર પાઈલટ સહિત 19 બળવાખોર ધારાસભ્યોને નોટિસ ઈશ્યૂ કરી શુક્રવાર સુધી જવાબ માગ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pilot says: Don't go to BJP, Gehlot degrades me in the eyes of high command


from Divya Bhaskar https://ift.tt/2WiKZxl

આત્મનિર્ભર સહાય માટે ગુજરાતમાં અધધ 1.65 લાખ અરજી 99.55 % અરજી મંજૂર, કુલ રૂ. 9 હજાર કરોડની લોન અપાઈ

ગુજરાતમાં આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ કોરોના બાદ ધંધા રોજગારને બેઠા કરવા માટે અથવા તો સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને સહાયભૂત થવા માટે જાહેર કરાયેલી યોજનાના 1.65 લાખ અરજદારોને અત્યાર સુધીમાં કુલ 9,000 કરોડ કરતાં વધુની લોન અપાઇ છે. ગુજરાતમાં આ માટે કુલ 1.65 લાખ કરતાં વધુ અરજી આવી હતી તેમાંથી 99.55 ટકા અરજિઓ મંજૂર રહી છે જ્યારે માત્ર 0.16 ટકા અરજી જ નામંજૂર થઇ છે. જ્યારે બાકીની અરજીઓ હાલ મંજૂરી પ્રક્રિયા હેઠળ છે.

ગુજરાતના એસએલબીસી એટલે કે સ્ટેટ લેવલ બેંકિંગ કમિટીના રિપોર્ટને આધારે જાહેર થયેલાં આંકડાઓ ચકાસીએ તો 14 જુલાઇ સુધીમાં ગુજરાતમાં વિવિધ એમએસએમઇ કે ધંધાર્થીઓએ 1,65,286 અરજિઓ કરી હતી અને તે પૈકી 1,64,537 અરજી મંજૂર થઇ છે અને 9,029 કરોડ રૂપિયાની લોન મંજૂર કરી દેવાઇ છે.

જ્યારે કુલ અરજીઓ પૈકી માત્ર 35 અરજીઓ અધૂરા કે ક્ષતિયુક્ત દસ્તાવેજો અને 243 અરજીઓ અન્ય શરતો સંતોષાતી ન હોવાને કારણે નામંજૂર રહી છે. આ ઉપરાંત હાલ 471 અરજીઓ પ્રક્રિયા હેઠળ છે. આ રીતે આંકડા જોઇએ તો 1.64 લાખ કરતાં વધુ અરજીઓને 9000 કરોડ કરતાં વધુની લોન અપાઇ હોવાથી સરેરાશ એક અરજી દીઠ સાડા પાંચ લાખ રૂપિયા જેટલી લોન ચૂકવાઇ છે.

70 હજાર લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ યુનિટોએ લાભ લીધો
ગુજરાતમાં 70,114 એમએસએમઇ એટલે કે લઘુ અને મધ્યમકક્ષાના ઔદ્યોગિક યુનિટોએ આ યોજનાનો લાભ લીધો છે. આ તમામ યુનિટોને કુલ 5,467.22 કરોડ રૂપિયાની લોન મંજૂર કરાઇ છે. તે પૈકી અમદાવાદના 11 હજારથી વધુ, સૂરતના 8,000થી વધુ, રાજકોટના 7,700 અને વડોદરાના 6,300 એકમોએ લોન માટેની અરજી કરી હતી જે મંજૂર રહી છે.

અરજીમાં એક પણ જિલ્લો બાકાત નહીં
આ અરજી કરવામાં ગુજરાતનો એકપણ જિલ્લો બાકાત નથી. ડાંગ, પંચમહાલ, નર્મદા જેવા આદિવાસી ક્ષેત્રોમાંથી પણ અરજિઓ થઇ હતી અને તેઓને પણ બેંકોએ લોન આપી છે.

સૌથી વધુ ધિરાણ એસબીઆઇનું, 3,100 કરોડથી વધુ ધીર્યાં, તમામ અરજી મંજૂર કરી
આ માટે ગુજરાતની કુલ 14 બેંકોએ ધિરાણ આપ્યાં છે જેમાં સૌથી વધુ ધિરાણ એસબીઆઇએ કર્યું છે. એસબીઆઇએ તેને મળેલી તમામ 39,723 અરજીઓ મંજૂર કરી કુલ 3,157.46 કરોડનું ધિરાણ આપ્યું છે. તે પછી બેંક ઓફ બરોડાએ 32,861 અરજીને મંજૂર રાખી 1,533 કરોડ રૂપિયાનું ધિરાણ મંજૂર કર્યું છે. એચડીએફસી બેંકે 1,131 કરોડ, આઈસીઆઈસીઆઈએ 459 કરોડ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ 372 કરોડ, બેંક ઓફ ઇન્ડિયાએ 331 કરોડની લોન આપી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/30hCG5Q

મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ ઘટસ્ફોટ કરતાં કહ્યું- મુંબઈમાં રૂ. 10 લાખ પ્રતિ લિટરે વેચાય છે પ્લાઝમા

દેશભરમાં કોવિડ-19ના વધતા કેસ વચ્ચે મુંબઈમાં પ્લાઝ્મા રેકેટનો ભાંડાફોડ થયું હતું. મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પ્લાઝ્માની કાળાબજારી અંગે મોટો ખુલાસો કરતાં જણાવ્યું કે ડાર્ક નેટ પર પ્લાઝમા 10 લાખ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારમાં પ્લાઝમા રેકેટ સક્રિય છે.

તેમણે કહ્યું કે, તેમાં ડાર્ક નેટ પર પોતાની જાતને વ્યક્તિ કોરોનાથી સાજું થયેલ દર્દી ગણાવે છે અને પ્લાઝમા આપવા માટે જરૂરિયામંદો પાસેથી ભારે ભરખમ નાણાં વસૂલે છે. રાજ્ય સરકારે મુંબઈ પોલીસ અને સાઈબર સેલને આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

ડાર્ક નેટ શું હોય છે?
ડાર્ક નેટ ઈન્ટરનેટનો એ ભાગ છે જેને સામાન્ય રીતે વપરાતા સર્ચ એન્જિનથી એક્સેસ ન કરી શકાય. તેનો ઉપયોગ માનવ તસ્કરી, નશીલા પદાર્થોના ખરીદ-વેચાણ, હથિયારોની તસ્કરી જેવી પ્રવૃત્તિઓમાં થાય છે. ઈન્ટરનેટ પર તેને કોઈ ડાર્ક વેબ કહે છે તો કોઈ ડીપ વેબ. અહીં હથિયારો અને ડ્રગ્સની ડીલ થાય છે. જેને તમે ઈન્ટરનેટની દુનિયા માનો છો તે ફક્ત ચાર જ ટકા છે અને બાકી 96 ટકા દુનિયા ડાર્ક છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ.


from Divya Bhaskar https://ift.tt/3ex0FDw

NEET પીજીમાં એડમિશન માટે પર્સેન્ટાઇલ 50% સુધી ઘટાડાયા, બે રાઉન્ડના કાઉન્સેલિંગ બાદ અંદાજે 3 હજાર સીટ ખાલી

MBBS બાદ પીજીમાં ખાલી બેઠકો ભરવા સરકારે નીટ પીજીના પર્સેન્ટાઇલમાં 50% સુધીનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ઓછા પર્સેન્ટાઇલવાળાને પણ NEET પીજીમાં એડમિશન મળી શકશે.

મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI)નું કામ સંભાળતા બોર્ડ ઓફ ગવર્નર્સ (BOG)ના જણાવ્યાનુસાર જનરલ કેટેગરીના સ્ટુડન્ટ્સ હવે 50ના બદલે 30 પર્સેન્ટાઇલ સાથે પણ NEET પીજીમાં એડમિશન મેળવી શકશે. એસસી, એસટી અને ઓબીસીના સ્ટુડન્ટ્સ માટે પર્સેન્ટાઇલ 40થી ઘટાડીને 20 કરાયા છે. જનરલ કેટેગરીના દિવ્યાંગ સ્ટુડન્ટ્સને 25 પર્સેન્ટાઇલ પર જ નીટ પીજીમાં એડમિશન મળી શકે છે. પ્રથમ બે રાઉન્ડમાં જનરલ કેટેગરીના 50 અને રિઝર્વ કેટેગરીના 40 પર્સેન્ટાઇલવાળા સ્ટુડન્ટ્સને કાઉન્સેલિંગ માટે બોલાવાયા હતા. કાઉન્સેલિંગની પ્રોસેસ 31 જુલાઇ સુધીમાં પૂરી કરવાની છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાનુસાર દેશભરમાં પીજીની અંદાજે 48 હજાર બેઠક છે, જેમાંથી 3 હજારથી વધુ બેઠકો હજુ પણ ખાલી છે. તેમાં અંદાજે 500 બેઠક ક્લિનિકલ અને બાકીની નોન-ક્લિનિકલ છે. પીજીની બેઠકો ખાનગી મેડિકલ કોલેજોમાં ખાલી છે, જેથી પર્સેન્ટાઇલ ઘટાડાયા છે.

અધિકારીએ એમ પણ કહ્યું કે પહેલેથી નિર્ધારિત પર્સેન્ટાઇલમાં 10%નો પણ ઘટાડો કરાયો હોત તો ખાલી બેઠકો ભરાઇ જાય તેમ હતી પરંતુ એમસીઆઇએ અગાઉ જે નિર્ણય લીધો હતો તેને જ બોર્ડ ઓફ ગવર્નર્સએ મંજૂરી આપી દીધી. દર વર્ષે અમુક સ્પેશિયાલિટીમાં ખાસ કરીને ખાનગી મેડિકલ કોલેજોમાં પીજીની બેઠકો ખાલી રહી જાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2DErfO2

ફોન ઉત્પાદક કંપની એપલે યુરોપિયન યુનિયન વિરુદ્ધ રેકોર્ડ 1.12 લાખ કરોડ ટેક્સનો કેસ જીત્યો 

દુનિયાની સૌથી મોટી આઈ ફોન ઉત્પાદક કંપની એપલે યુરોપિયન યુનિયન વિરુદ્ધ રેકોર્ડ 1.12 લાખ કરોડ રૂપિયા(13 બિલિયન યુરો) ટેક્સ સંબંધિત આઇરિશ બિલનો કેસ જીતી લીધો છે.

ઈયુની કોર્ટે એપલની તરફેણમાં ચુકાદો સંભળાવતા કહ્યું કે યુરોપિયન કમિશન આઈફોન નિર્માતા એપલ વિરુદ્ધ એ જણાવવામાં નિષ્ફળ રહ્યું છે કે કંપનીએ આયર્લેન્ડમાં ઓછો ટેક્સ ચૂકવ્યો હતો. 2016માં અમેરિકી કંપની એપલ પર અત્યાર સુધીની સૌથી મોટી ટેક્સ પેનલ્ટી લગાવાઈ હતી.

યુરોપિયન યુનિયને તેના એક આદેશમાં કહ્યું હતું કે એપલે આયર્લેન્ડમાં 11 વર્ષ સુધી ખૂબ જ ઓછો ટેક્સ ચૂકવ્યો. આમ કરવું યોગ્ય નથી. એટલા માટે તેણે 13 અબજ યુરો એટલે કે 1.12 લાખ કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવવા પડશે. તેમાં કહેવાયું હતું કે તેને પેનલ્ટી નહીં પણ ટેક્સ રિપેમેન્ટ તરીકે માનવામાં આવે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple has won a 1.12 lakh crore tax case against the European Union


from Divya Bhaskar https://ift.tt/3fJPacY

મુંબઈમાં 33 કલાકમાં 7 ઈંચ વરસાદ, દ.ગુજરાત માટે રેડ એલર્ટ જારી

મુંબઈમાં બુધવારે સાંજે 5.30 વાગ્યા સુધીના છેલ્લા 33 કલાકમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો. મુંબઈમાં આ મહિને સરેરાશથી 84.9 સેમી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. આગામી 24 કલાકમાં મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરી સહિત દ.ગુજરાતમાં સુરત, વલસાડમાં ભારે વરસાદ થવાનો રેડ એલર્ટ જાહેર કરાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mumbai receives 7 inches of rain in 33 hours, red alert issued for South Gujarat


from Divya Bhaskar https://ift.tt/32sT5rb

ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર 6.50%થી ઘટીને 1.50%, કેસની સંખ્યા બમણી થતા હવે 32 દિવસ લાગે છે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે જણાવ્યું હતું કે સીએફઆર એટલે કે કેસ ફેટાલિટી રેટનો અઠવાડિક દર માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન નોંધાયેલા 6.50 ટકાથી ઘટીને હવે 1.50 ટકા થયો છે. હજુ આ દર શૂન્ય થાય તેમ ઇચ્છીએ છીએ. રાજ્યમાં સાજા થવાનો દર 30 ટકાથી વધીને સારી અને ઝડપી સારવારને કારણે 70 ટકા થયો. સંક્રમણની સંખ્યા બમણી થવાનો વેગ એટલે કે ડબલિંગ રેટ એક સમયે નવ દિવસનો હતો તેના બદલે આજે આ રેટ 32 દિવસનો થયો છે.

એકથી દોઢ માસ પહેલાં જ્યાં રોજના ગુજરાતમાંથી કોરોનાને કારણે મૃત્યુના 30થી 50ના આંકડા સામે આવતાં હતાં ત્યાં આજે હવે માંડ દસથી પંદરનો આંકડો આવે છે. આ ચમત્કાર કેવી રીતે થયો તેને લઇને લોકોના મનમાં શંકા કુશંકા છે, પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે સરકાર કોઇ રીતે આંકડા દબાવવાનો પ્રયત્ન કરતી નથી. પરંતુ કોરોના વોરિયર્સની અથાગ મહેનત, ટોસિલિઝુમેબ જેવાં ઇન્જેક્શન અને અન્ય દવાઓ, નિષ્ણાતોની સલાહ જેવી તમામ બાબતોના સંગમને કારણે ગુજરાતમાં મોતના આંકડા ઘટ્યા છે. ગાંધીનગરમાં પત્રકારોને સંબોધતા પટેલે કહ્યું કે, અમે આંકડા આપીએ છીએ તે હકીકત લક્ષી, તથ્યલક્ષી, રેકોર્ડ મુજબ રોજ ભારત સરકારને મોકલી આપીએ છીએ તેવાં અને ખુલ્લા છે.

કોરોનાના 925 નવા કેસ, સુરતમાં 255, અમદાવાદમાં 170 પોઝિટિવ
ગુજરાતમાં બુધવારે વધુ 925 પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 900થી વધારે કેસ સાથે અત્યાર સૌથીના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે સુરતમાં 255 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. રાજ્યમાં કુલ કેસની સંખ્યા 44 હજારને પાર થઈને 44,648 થઈ હતી. રાજ્યમાં વધુ 10 લોકોના મોત નિપજ્યાં હતા. કુલ મરણાંક 2,081 થયો છે. બુધવારે 791 સાજા થયા હતાં.

દેશભરમાં ડૉક્ટરો માટે રેડ એલર્ટ જાહેર, 100થી વધુ તબીબોના મોત
દેશમાં 1302 કોરોનાગ્રસ્ત ડોકટરોમાંથી 100ના મોત થતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ)એ ડોકટરો માટે રેડ એલર્ટ જારી કર્યો છે. કોરોનાગ્રસ્ત થયેલાં ડોકટરોમાં મોતનું પ્રમાણ 8 ટકા જોવા મળ્યું છે. જેમાં ગુજરાતમાં કોરોનાગ્રસ્ત 350 ડોકટરોમાંથી 8 ડોકટરનાં મોત થયાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona mortality rate in Gujarat drops from 6.50% to 1.50%, doubling number of cases now takes 32 days


from Divya Bhaskar https://ift.tt/391Q6ai

બ્રિટનમાં કોરોનાની રસીનું સફળ પરીક્ષણ, સપ્ટેમ્બર સુધીમાં રસી તૈયાર થશે એવો ઓક્સફર્ડના સંશોધકોને વિશ્વાસ 

બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી એસ્ટ્રા ઝેનેકા કોરોના વાઇરસ વેક્સિનને પ્રથમ માનવ પરીક્ષણમાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ અગાઉ અમેરિકાની મોડેરેના વેક્સિનને પણ માનવ પરીક્ષણમાં સફળતા મળી હતી. ઓક્સફર્ડની રસીની મદદથી વોલેન્ટીયર્સમાં વાઇરસ વિરુદ્ધ પ્રતિરોધ ક્ષમતા વધારી શકાઈ હતી.

વિજ્ઞાનીઓએ આ રસી સંપૂર્ણ સફળ રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો બાકીની પ્રક્રિયા સફળ રહી તો સપ્ટેમ્બર સુધીમાં રસી તૈયાર થઈ જશે. ઓક્સફર્ડની વેક્સિનનું ઉત્પાદન એસ્ટ્રા ઝેનેકા કંપની દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષણ વિશે વૈજ્ઞાનિક સંશોધનો પર આધારિત મેગેઝીન ‘લાન્સેટ’માં વિગતવાર અહેવાલ છપાશે. તેની ટ્રાયલ 15 વૉલેન્ટીયર પર કરવામાં આવી હતી.

ઓક્સફર્ડના વિજ્ઞાનીઓએ દાવો કર્યો હતો કે વોલેન્ટીયરોના શરીરમાં એન્ટી બોડી તથા વ્હાઇટ બ્લડ સેલ્સ વિકસીત કરી શકાયા હતા. જેના લીધે જો શરીર કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો રોગ પ્રતિકારક ક્ષમતા વિકસીત થાય છે. આ વેક્સિનનું હજી હજારો લોકો પર પરીક્ષણ થશે. બ્રિટનના 8 હજાર તથા દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના 6 હજાર લોકો પરીક્ષણમાં સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3gVUwCm

જિઓ 5-જી માટે તૈયાર, થ્રી-ડી વીડિયો કૉલ પણ કરી શકાશે 

રિલાયન્સ જિઓ અમેરિકાની દિગ્ગજ ટેક કંપની ગૂગલની સાથે મળીને ભારતમાં સસ્તા 4-જી અને 5-જી એન્ડ્રોઇડ ફોન બનાવશે. બુધવારે યોજાયેલી કંપનીની 43મી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ આ જાહેરાત કરી હતી. અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે જિઓ પ્લેટફોર્મ્સ હેઠળ જિઓ ગ્લાસનું પણ નિર્માણ થશે. જેના દ્વારા થ્રી-ડી વ્યૂ મળશે. અંબાણીએ દેશમાં 5-જી સેવા માટે જિઓ તૈયાર હોવાની જાહેરાત પણ કરી હતી. મુકેશ અંબાણીએ જિઓ મીટ એપ દ્વારા આયોજીત કંપનીની પ્રથમ વર્ચ્યુઅલ એજીએમને સંબોધન કરતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ભાવિ રણનીતિ શેરધારકો સમક્ષ શૅર કરી હતી.

આ દરમ્યાન 63 વર્ષીય અંબાણીએ જણાવ્યું હતું કે કંપનીના ડિજીટલ મંચ જિઓ પ્લેટફોર્મ્સમાં દિગ્ગજ આઇટી કંપની ગૂગલ 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેના બદલમાં ગૂગલને 7.7 ટકા હિસ્સેદારી મળશે. સાઉદી અરામકો સાથેની બહુચર્ચિત ડીલ અંગે અંબાણીએ કહ્યું હતું કે કોરોનાને લીધે સર્જાયેલી સ્થિતિના પગલે આ ડીલ આગળ વધી શકી નથી. મુકેશ અંબાણીએ એમ પણ જણાવ્યું હતું કે આવનારા સમયમાં જિઓ માર્ટ ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, ફેશન અને હેલ્થકેરને પણ કવર કરશે.

મુકેશ અંબાણીની 5 સૌથી મોટી જાહેરાત

  • 5-જી નેટવર્ક માટે જિઓ તૈયાર. આવતા વરસે લૉન્ચ થશે.
  • જિઓ ગ્લાસ દ્વારા થ્રી-ડીમાં વીડિયો કૉલિંગ કરી શકાશે. ગ્લાસને ખાસ કેબલ દ્વારા સ્માર્ટ ફોનની સાથે કનેક્ટ કરી શકાશે.
  • જિઓમાં ગૂગલ 33,737 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેના બદલામાં ગૂગલને 7.7 ટકા હિસ્સેદારી મળશે
  • 2-જી મોબાઇલધારકો માટે એન્ટ્રી લેવલના એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન બનાવશે.
  • જિયો માર્ટમાં ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, ફેશન અને હેલ્થકેરને પણ આવરી લેવાશે.

જિઓ ગ્લાસ દ્વારા એક સાથે બે જણને વીડિયો કૉલ થશે
જિઓ ગ્લાસ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટથી સજ્જ હશે. કેબલની મદદથી તમે સ્માર્ટ ફોનને કનેક્ટ કરી શકાશે. તેનું વજન 75 ગ્રામ છે. ગ્લાસ દ્વારા એક સાથે બે લોકોને વીડિયો કૉલ કરી શકો છો.

5-જી ટેકનોલોજી માટે દેશના 20 સ્ટાર્ટઅપ્સની મદદ લેવાઈ
ગૂગલ-જિઓ વેલ્યૂ એન્જિનિયર્ડ એન્ડ્રોઇડ બેઝ્ડ સ્માર્ટફોન ઓપરેટીંગ સિસ્ટમ બનાવશે. 5-જીમાં સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ કરાયો છે. આ માટે 20 સ્ટાર્ટઅપ્સની મદદ લેવાઈ છે.

વિશ્વની સૌથી વિશાળ ડિજીટલ AGM યોજી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વર્ચ્યુઅલ એજીએમમાં વિશ્વના 48 દેશોના 550 શહેરોના 3.2 લાખથી વધારે લોકોએ ભાગ લીધો હતો. રિલાયન્સના દુનિયાભરમાં કુલ 26 લાખ શેરધારકો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Jio is ready for 5G, 3D video call can also be made for the Jio 5G


from Divya Bhaskar https://ift.tt/3jhL5zc

ખર્ચ ઘટાડવા એર ઈન્ડિયા લિવ વિધાઉટ પે હેઠળ સ્ટાફને 5 વર્ષની રજા પર મોકલશે

લૉકડાઉનનો સૌથી મોટો ફટકો એરલાઇન કંપનીઓને પડ્યો છે. આર્થિક સંકટ સાથે સંઘર્ષ કરતી કંપનીઓ ખર્ચ ઘટાડવા નવા નવા માર્ગ શોધી રહી છે. હવે એર ઇન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી છે. આ યોજના હેઠળ કર્મચારીઓ પગાર વિના લાંબી રજા પર જઈ શકે છે. તેને લિવ વિધાઉટ પે (એલડબ્લ્યુપી) કહેવામાં આવે છે. આ રજા 6 મહિનાથી પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે.

કંપનીના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર, રાજીવ બંસલને કેટલાક કર્મચારીઓને છ મહિનાથી પાંચ વર્ષ સુધી પગાર વિના રજા પર મોકલવાની સત્તા આપવામાં આવી છે. કર્મચારીઓની પસંદગી તેમની કાર્યક્ષમતા, કામગીરીની ગુણવત્તા, કર્મચારીઓના સ્વાસ્થ્ય, વગેરેના આધારે કરવામાં આવશે. ડિરેક્ટર બોર્ડની 102મી બેઠકમાં એર ઇન્ડિયાની આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.

23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ
કોરોના વાયરસ મહામારીને લીધે ભારતે 23 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યોહતો. તેની સાથે સ્થાનિક ફ્લાઈટ્સ પર બંધ કરી હતી. 25મેના રોજ સ્થાનિક ફ્લાઈટ્સ કોરોના સાથે જોડાયેલી માર્ગદર્શિકાને આધારે શરૂ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ અંગે ડીજીસીએના નિર્ણય બાદ વંદે ભારત મિશન હેઠળ 6મેથી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ વિદેશમાં ફસાયેલા ભારતીયોને દેશમાં લાવી રહી છે. આ સિવાયની તમામ એરલાઈન્સ ફ્લાઈટ ઠપ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3h1Nzja

લદાખમાં ચીનની છેતરપિંડીમાંથી બોધપાઠ- સશસ્ત્ર દળોને રૂ. 300 કરોડની ખરીદીનો વિશેષાધિકાર અપાયો

ભારત-ચીન વચ્ચેનો તણાવ ભલે ઘટી ગયો, પરંતુ ચીન પ્રત્યેના અવિશ્વાસની ભાવના ચરમસીમાએ છે. તેની અસર સરકાર અને સેનાના હાલના નીતિગત નિર્ણયોમાં પણ દેખાઈ રહી છે. બુધવારે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે સશસ્ત્ર દળોને રૂ. 300 કરોડ સુધીની સંરક્ષણ ખરીદીના વિશેષાધિકાર આપ્યા છે.

સંરક્ષણ મંત્રાલયે આ નિર્ણયનું મહત્ત્વ જણાવતા કહ્યું કે, આ નિર્ણયથી સેનાને ખરીદીમાં લાગતો સમય ઘટી જશે. એટલું જ નહીં, મહત્ત્વનો શસ્ત્રસરંજામ એક વર્ષની અંદર મળી જશે. ખરીદી સંબંધિત ચીજોની સંખ્યાને લઈને કોઈ મર્યાદા નથી, પરંતુ ઈમર્જન્સી કેટેગરી હેઠળ પ્રત્યેક ખરીદી રૂ. 300 કરોડથી વધુ મૂલ્યની ના હોવી જોઈએ.

કોર કમાન્ડરની બેઠકમાં ભારતે કહ્યું- LACથી સૈનિકોની પીછેહઠ કરે ચીન
પૂર્વ લદાખમાં સેનાઓની પીછેહઠ કરવા અંગે ભારત-ચીન વચ્ચે સેનાના કોર કમાન્ડરોની વાતચીત બુધવારે સમાપ્ત થઇ. ચોથા તબક્કાની આ મંત્રણા આશરે 15 કલાક લાંબી ચાલી હતી. લદાખના ચૂશુલમાં યોજાયેલી બેઠકમાં ભારતીય સેનાએ ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે પૂર્વ લદાખમાં 5 મે પહેલાંની સ્થિતિ બહાલ કરવામાં આવે. સરહદી સમજૂતી સાથે સંકળાયેલા તમામ મુદ્દાઓનું પાલન કરવામાં આવે. સરકારી સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે એલએસી પર શાંતિ અને સ્થિરતા માટે સરહદી મુદ્દાઓના પ્રોટોકોલનું પાલન કરવામાં આવે. મંત્રણા દરમિયાન એલએસી પર આવેલાં સૈન્ય ઠેકાણાં પરથી સૈનિકો અને હથિયારોને હટાવવા પર ભાર મુકાયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચીનથી સતર્કતાના પગલે લેહ તરફ જતો ભારતીય સેનાનો કાફલો.


from Divya Bhaskar https://ift.tt/2WpDDrL

કોરોનાની કેશલેસ સારવાર નહીં કરનારી હોસ્પિટલો સામે કાર્યવાહી થશે

વીમા નિયામક સંસ્થા ઈરડાએ કોરોના વાઈરસના દર્દીની કેશલેસ સારવાર નહીં કરનારી હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.ઈરડાએ વીમા કંપનીઓને કહ્યું છે કે, આવી હોસ્પિટલો સામેની ફરિયાદ સંબંધિત રાજ્યોની એજન્સીઓમાં નોંધાવવામાં આવે અને તે માહિતી વેબસાઈટ પર પણ અપલોડ કરાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Hospitals that do not provide cashless treatment for corona will be prosecuted


from Divya Bhaskar https://ift.tt/3j7zhzn

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન થયું છે. તેમના અંતિમ દર્શન https://ift.tt/2Wlr3Kk વેબસાઇટ પર ગુરૂવાર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાંઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં.

જૂન મહિનાના છેલ્લા સપ્તાહમાં ઈન્ફેક્શન લાગ્યું હતું
સૂત્રોના જણાવ્યા અનુસાર, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન ફેફસામાંઈન્ફેક્શન લાગ્યું હતું. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત અગાઉ સ્થિર હતી પરંતુ તેમના ફેફસાંમાં ઈન્ફેક્શન વધી ગયું હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

હરિભક્તોને એકત્ર ન થવા અપીલ
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે અત્યારના સંજોગોને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી. ગુરૂ શિષ્યના નાતે અંતિમસંસ્કારવિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી. આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી, પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા.

અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક
મણિનગર સ્વામીનારાયણ સંસ્થાન ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શનનીસારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની સ્થિતિ ઘણી નાજૂક રહેતા ગત 12 જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.

હાલમાં જ આચાર્ય મહારાજનો પ્રમાંજલિ પર્વ ઉજવાયો હતો
હજી ગત 29 મેના રોજ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનો પ્રેમાંજલિ પર્વ-78મો પ્રાગટ્ય પર્વ ઉજવાયો હતો. ગાદી સંસ્થાનના સંતોએ સાથે મળી આ પર્વની ઉમંગભેર ઉજવણી કરી હતી. સ્વામિનારાયણ મંદિર મણિનગરમાં મઘમઘતા જુઈ, મોગરાના પુષ્પોના બાગમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, સહજાનંદ સ્વામી મહારાજ, અબજી બાપા, સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર મુક્તજીવન સ્વામીબાપાની પુનિતમય નિશ્રામાં સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પુષ્પહાર પહેરાવી, ચરણોમાં બિરાજમાન થયા હતા. સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ અન્નકૂટોત્સવની મનોરમ્ય સજાવટ કરવામાં આવી હતી. આ પાવનકારી અવસરે પંચામૃત પૂજન, મહિમાગાન સહ લાઇવ સંતોના વિધ વિધ ધાર્મિક નૃત્યો, કેક કટિંગ સેરેમની અર્પણવિધિ, સદ્ગુરુઓની શબ્દ પુષ્પાંજલિ, આરતીઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો સંપન્ન થયા હતા.

પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી 41 વર્ષ સુધી સ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે રહ્યાં

  • આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત-1998 અધિક જેઠ સુદ-13 તદ્અનુસાર 28મી મે, 1942 ભારાસર-કચ્છ, ગુજરાતમાં થયો હતો.
  • તેઓ ગુરુદેવ જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા 19 વર્ષ, 9 મહિના અને 23મા દિવસે 21મી માર્ચ, 1962 (વિક્રમ સંવત-2018, ફાગણ સુદ પૂર્ણિમા)ના દિવસે સાધુ જીવન સ્વીકારી શિષ્ય બન્યા હતા.
  • 28મી ફેબ્રુઆરી, 1979 (વિક્રમ સંવત-2035, ફાગણ સુદ બીજ), જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાએ પૂજ્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે સ્થાપિત કર્યા. આ ઐતિહાસિક ક્ષણ તેઓનાં સાધુ જીવનના 16 વર્ષ 11 મહિના અને 17 દિવસ બાદ આવી હતી. એટલે કે તેઓ શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે 41 વર્ષ સુધી બિરાજમાન રહ્યાં.
  • શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા 22મી ફેબ્રુઆરી, 2004 (વિક્રમ સંવત-2060, ફાગણ સુદ બીજ)ના રોજ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના આચાર્યપદે બિરાજિત થયાનો રજત જયંતી મહોત્સવ ઉજવાયો હતો.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3fAW8kO

Tuesday, July 14, 2020

Exclusive: Sachin Pilot says I worked tirelessly for 5 years to win Rajasthan and Gehlot became CM, hurt but not joining BJP

Exclusive: Sachin Pilot says I worked tirelessly for 5 yrs, won state, but Gehlot became CM

from India Today | Top Stories https://ift.tt/32hIWNH

Live: CBSE to announce class 10 result today

The Central Board of Secondary Education (CBSE) will declare the class 10 results today on cbseresults.nic.in. The board will announce the results through an alternative assessment scheme after it cancelled remaining exams in wake of COVID-19 pandemic. Stay connected with the TimesofIndia.com for the latest news and updates on CBSE 10th result 2020.

from Times of India https://ift.tt/2Os1cM8

From intern journo to deputy CM: A Sachin Pilot tale

From intern journo to deputy CM: A Sachin Pilot tale

from India Today | Top Stories https://ift.tt/2WjKG5n

Live: BJP to hold meeting in Jaipur today

Sachin Pilot and MLAs loyal to him stayed away from the CLP meeting in Jaipur today. Soon after, the Congress announced that Pilot has been removed as deputy CM and PCC chief. Stay with TOI for all the updates

from Times of India https://ift.tt/32gpqkM

Live: West Bengal board Class 10 results to be out today

WB Madhyamik result 2020 will be announced around 10.00 am today on the official website of West Bengal Results — wbresults.nic.in. Students who await the WB class 10th result 2020 can get the latest updates on the result at the Times of India. Stay here for all live updates.

from Times of India https://ift.tt/2C2sZ3t

World Youth Skills Day: Advising youth to stay resilient & united

The theme given by UNESCO-UNEVOC for World Youth Skills Day this year on July 15 is: “Skills for a Resilient Youth.” Such resilience is needed in humanity in general and youth in particular if we...

from Times of India Opinion https://ift.tt/32i6EJL

પાયલટની પહેલી ગુગલી ગેહલોત ફ્રન્ટફુટ પર રમી ગયા;આજે CBSE ધોરણ-10ના પરિણામ આવશે,IITની કોરોના ટેસ્ટ કિટ લોંચ થશે

1. સરકાર પર સંકટના 4 દિવસ પસાર થઈ ગયા
રાજસ્થાનમાં કોંગ્રેસ માટે રાજકીય માહોલ બગડી ગયો હોય તેવુ લાગે છે. મંગળવારે સરકાર પર જે સંકટ આવ્યુ તેને લઈ 4 દિવસનો સમય વીતી ગયો છે. સતત 72 કલાક સુધી કરવામાં આવેલા પ્રયત્નો બાદ છેવટે CM અશોક ગેહલોતને કોંગ્રેસ તરફથી સંજીવની મળી. કોંગ્રેસ પક્ષે તેમને મજબૂત કરીને સચિન પાયલટને નાયબ મુખ્યમંત્રી તેમ જ પ્રદેશ અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા. આ રીતે પાયલટે ફેકેલી પહેલી ગૂગલીને ગેહલોત ફ્રન્ટફૂટ પર રમી ગયા. પાયલટ હવે પછી કયું પગલું ભરશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે, કારણ કે વિકેટની પાછળ ભાજપ તકની રાહ જોઈને ટાપીને ઉભુ છે.

બીજી બાજુ 'સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધીયુક્ત કોંગ્રેસ'ના નેતાઓ કહી રહ્યા છે કે અમારો પક્ષ 'વ્યક્તિઓ'થી નથી ચાલતો. માટે પાયલટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બાદમાં પાયલટે તેમના ટ્વિટર હેન્ડલ પરથી કોંગ્રેસનું નામ હટાવી દીધુ અને લખ્યુ- 'સત્યને પરેશાન કરી શકાય છે, પરાજીત નહીં'
કોંગ્રેસે પણ પાયલટને જવાબ આપતા કહ્યું- 'સત્ય તો હજુ પરાજીત નથી થયું'.....હવે એ વાત સમજની બહાર છે કે છેવટે સત્ય પર દાવો કોનો છે??? સત્ય-અસત્યથી અલગ હટીને ગેહલોતે 'આ બેલ મુઝે માર'ની એ હિન્દી કહેવત ટાંકી અને પાયલટ છાવણીની તેની સાથે તુલના કરી.

ત્રણ એવી વાત કે જે અમારા પત્રકારોએ જણાવી છે....
પહેલીઃ
સોનિયા, રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ, વેણુગોપાલ અને અહેમદ પટેલે સચિન પાયલટને મનાવવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ તેઓ ન માન્યા.
બીજીઃ પાયલટને CM પદ સિવાય અન્ય કંઈ પણ મંજૂર ન હતું. તેઓ ઈચ્છતા હતા કે SOG તરફથી જે નોટિસ મળી તે પણ પાછી ખેંચવામાં આવે. હવે તેઓ નવા પક્ષની રચના કરી શકે છે અને આ સંજોગોમાં ભાજપ તેમને ટેકો આપી શકે છે.
ત્રીજીઃગેહલોત હજુ તેમનું ટ્રમ્પ કાર્ડ રમ્યા જ નથી. તેઓ પોતાની ટીમમાં આઠ નવા પ્રધાનોને સામેલ કરી શકે છે. નવા ચહેરાને સ્થાન મળશે તો ધારાસભ્યોને જોડીને રાખવામાં સફળ નિવડશે.


2. અયોધ્યા કોની!!
હવે વાત વિદેશની કરીએ... પડોશી દેશ નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ભારત વિરોધી બની ગયા છે અને નિવેદનો આપી રહ્યા છે. અગાઉ તેમણે કહ્યું હતું કે નેપાળના કેટલાક ભાગ પર ભારત કબ્જો જમાવીને બેઠુ છે. તેમનો ગુસ્સો એટલે નહીં અટકતા હવે તેમણે ભગવાન રામ નેપાળી હતા અને તેમના સમયની અયોધ્યા ભારતમાં નહીં પણ નેપાળના બીરગંજમાં હતી તેવું નિવેદન આપ્યું છે.

હકીકતમાં ઓલીએ આ નિવેદન આપવામાં વિલંબ કરી દીધો છે. જો તેમણે કેટલાક મહિનાઓ પૂર્વે આ નિવેદન આપ્યુ હોત તો કદાંચ દેશમાં જે અયોધ્યા વિવાદનો કેસ ચાલતો હતો તેમા તેમને ફરિયાદી બનાવી દેત. તાજેતરના તેમના નિવેદનને લઈ તેમના દેશના લોકો જ કેટલીક ટીખળ કરી રહ્યા છે.

નેપાળના ભૂતપુર્વ પ્રધાનમંત્રી બાબૂ રામ ભટ્ટારાઈ કહે છે- 'તે આદિ કવિ ઓલી છે'જેઓ કળિયુગની નવી રામાયણ સંભળાવી રહ્યા છે. ઓલીના જ ભૂતપુર્વ સલાહકાર કુંદન આર્યલ કહે છે-' કદાંચ ઓલી ભારતની ન્યૂઝ ચેનલોમાં કોમ્પિટીશન કરી રહ્યા છે. નેપાળના ભૂતપુર્વ નાયબ પ્રધાનમંત્રી કમલ થાપા કહે છે- 'ઓલી ભારત-નેપાળના સંબંધોને વધુ ખરાબ કરવા માંગે છે'

3. મોટા સમાચાર તરફ આગળ વધતા પહેલા આજના દિવસ સાથે જોડાયેલી બે અગત્યની વાત
CBSE ધોરણ-10નું પરિણામ આજ બપોર સુધીમાં આવી જશે. આ પરિણામ મંગળવારે આવે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવતી હતી. આ વખતે આશરે 18 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી છે. પરિણામ cbseresults.nic.in પર જોઈ શકાય છે.
IIT દિલ્હીની લો-કોસ્ટ કોરોના ટેસ્ટ કિટ આજે લોંચ થશે. IIT દિલ્હી દેશની પ્રથમ એવી શૈક્ષણિક સંસ્થા છે, જેણે કોરોનાની તપાસ પદ્ધતિ તૈયાર કરી છે. આ માટે તેણે નોન-એક્સક્લુઝીવ ઓપન લાઈસન્સ કંપનીઓને આપ્યા છે. IITએ એક કિટની કિંમત રૂપિયા 500 રાખી છે. હવે એ જોવાનું રહેશે કે કંપનીઓ નફો રળવાની લાયમાં આ કિટ કેટલી ઉંચી કિંમત પર વેચશે.

4. હવે ગૂગલ (Google) પણ જિયો (Jio)માં રોકાણ કરશે
રિલાયન્સ જિયોમાં T-20 સ્ટાઈલથી રોકાણ આવી રહ્યું છે. હવે આ માટે ગૂગલ સાથે વાતચીત ચાલી રહી છે. ગૂગલ જિયોમાં આશરે 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરી શકે છે. જો આ ડિલ થશે તો જિયોમાં 14મું ઈન્વેસ્ટમેન્ટ થશે. રકમની દ્રષ્ટિએ આ કંપની બીજા ક્રમની સૌથી મોટી રોકાણકર્તા હશે.

આ અગાઉ ફેસબુકે રૂપિયા 43 હજાર કરોડનું રોકાણ કરી જિયોમાં 9.99 ટકા હિસ્સો ખરીદ્યો હતો. છેલ્લા 12 સપ્તાહમાં રિલાયન્સ જિયોને 13 રોકાણકારો મળી ચુક્યા છે. જિયોએ 25.24 ટકા હિસ્સો વેચી રૂપિયા 1.18 લાખ કરોડનું ભંડોળ એકત્રિત કર્યું છે.

5. ગત વિશ્વ કપની ફાઈનલ મેચના વિજેતા અંગે એક ખુલાસો
વર્ષ 2019ના વિશ્વ કપની ફાઈનલને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. આ સાથે એક ખુલાસો પણ થયો છે. વિશ્વ કપ જીતનાર ઈગ્લેન્ડ ટીમના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ફાઈનલમાં નોટઆઉટ 84 રન બનાવ્યા હતા. સુપર ઓવરમાં પણ 8 રન બનાવ્યા હતા. તેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.

ઈગ્લેન્ડ સૌથી વધુ બાઉન્ટ્રી લગાવવાને લીધે વિશ્વ ચેમ્પિયન બન્યુ. ફાઈનલમાં 2 કલાક 27 મિનિટ સુધી બેટિંગ કર્યા બાદ સ્ટોક્સ એટલો તણાવમાં આવી ગયો હતો કે ડ્રેસિંગ રૂમમાં પરત ફરી તેણે બાથરૂમમાં જઈ સિગારેટ પીધી હતી.

6. આજનો દિવસ કેવો રહેશે?
એસ્ટ્રોલોજી કહે છે કે બુધવારે બે અશુભ યોગ બની રહ્યા છે. તેનું નામ છે શૂલ અને કાણ. જો નામ સાંભળીને જ મૂઝવણ થતી હોય તો કામની વાત જાણી લો. બુધવારે મેષ, મિથુન, કર્ક, કન્યા, તુલા, મકર, કુંભ અને મીન રાશિવાળાઓને જોબ અને બિઝનેસમાં સાવચેત રહેવું. વૃષભ, સિંહ, વૃશ્ચિક અને ધનુ રાશિવાળાઓ માટે આ દિવસ સારો રહેશે.

એસ્ટ્રોલોજી પ્રમાણે આઠ રાશિઓના લોકો માટે આ દિવસ પડકારરૂપ બની રહેશે, પણ ટેરોકાર્ટ્સ પ્રમાણે નવ રાશિઓ માટે આ દિવસ સારો રહેશે. તેમા વૃષભ, મિથુન, તુલા અને મીનનો સમાવેશ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pilot's first Googly Gehlot played on the frontfoot; CBSE Std-10 results will be released today, IIT's Corona test kit will be launched


from Divya Bhaskar https://ift.tt/2ZsdtXd

ભારતમાં 6 કરોડ લોકો ભૂખના સંકટથી ઉગર્યા પણ 18 કરોડ હજુ કુપોષિત, 91 લાખ વયસ્કોમાં સ્થૂળતાની સમસ્યા વધી

ભારતમાં ગત એક દાયકાથી વધુ સમયમાં કુપોષિત લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો નોંધાયો છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વમાં ખાદ્ય સુરક્ષા અને પોષણ સ્થિતિ અંગેના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટમાં કહેવાયું કે ભારતમાં કુપોષિતોની સંખ્યા 2004-06માં 24.94 કરોડ હતી. તે 2017-19માં ઘટીને 18.92 કરોડ રહી ગઈ છે. ભારતમાં બાળકોમાં ઓછી ઊંચાઈની સમસ્યા પણ ઘટી છે, પણ મોટા લોકોમાં સ્થૂળતાની સમસ્યા વધી છે. 2019માં દુનિયાભરમાં આશરે 69 કરોડ લોકો કુપોષિત મળ્યા હતા. આ સંખ્યા 2018ની તુલનાએ એક કરોડ વધુ હતી. સંયુક્ત રાષ્ટ્રએ કુપોષણને ડામવાની પ્રગતિ પર નજર રાખવાના ઉદ્દેશ્યથી આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

રિપોર્ટના મુખ્ય મુદ્દા

  • રિપોર્ટ મુજબ દુનિયામાં કોરોના સંકટને લીધે 2020ના અંત સુધી વધુ 13 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી શકે.
  • એશિયાના પૂર્વ, દક્ષિણમાં કુપોષણમાં ઘટાડો નોંધાયો છે. અહીં મોટાં અર્થતંત્રો ભારત અને ચીનનું વર્ચસ્વ છે.
  • રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય-કૃષિ સંગઠન, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ ફંડ, યુનિસેફ, સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અને ડબ્લ્યુએચઓએ મળીને તૈયાર કર્યુ છે.

ભારતમાં કુપોષણ, બાળકોનાં કદ અને વયસ્કોની સ્થૂળતા અંગે સ્થિતિમાં સંતુલન
ભૂખ : 14% લોકો પર હજુ સંકટ

વર્ષ કુપોષિત વસતીમાં
2004-06 24.94 કરોડ 21.70%
2017-19 18.92 કરોડ 14%

સ્થૂળતા : વયસ્કોમાં 0.8%નો વધારો

વર્ષ વયસ્ક ટકામાં
2012 2.52 કરોડ 3.10%
2016 3.43 કરોડ 3.9%

કદ : 5 વર્ષ સુધીના 34.7% પીડિત

વર્ષ બાળકો ટકામાં
2012 6.2 કરોડ 47.8%
2019 4.03 કરોડ 34.7%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3j32StA

Trump administration rescinds rule on foreign students

The Trump administration has walked back a policy that would have stripped international college students of their US visas if their coursework was entirely online, ending a proposed plan that had thrown the higher education world into turmoil.

from Times of India https://ift.tt/2CyeqV1

Soon, banks may offer loans for studying from home



from Times of India https://ift.tt/2ZtQawt

બ્રિટનની ટેલિકોમ કંપનીઓને નિર્દેશ- 2027 સુધી હુવાવેનાં ઉપકરણો હટાવો

કોરોના વાઈરસની મહામારી વચ્ચે ચીનની શાખ સંપૂર્ણ દુનિયામાં ખરડાઈ છે. હવે બ્રિટને ચીનની કંપની હુવાવે પર દેશમાં 5જી નેટવર્ક લગાવવા અંગે પ્રતિબંધિત મૂકી દીધો છે. બ્રિટિશ સરકારે તેની ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો હતો કે તે 2027 સુધી 5જી નેટવર્કમાંથી હુવાવેનાં તમામ ઉપકરણો હટાવી દે. અમેરિકા પોતાના દેશમાં પહેલાંથી જ હુવાવેના ઉપકરણોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના નેતૃત્વ હેઠળ યોજાયેલી નેશનલ સિક્યોરિટી કાઉન્સિલની બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. બેઠકમાં નક્કી કરાયું કે બ્રિટનમાં 5જી નેટવર્કના નિર્માણમાં ચીનની કંપનીની ભાગીદારીને ખતમ કરી દેવાશે. બ્રિટિશ સરકારે આ નિર્ણય નેશનલ સાઈબર સિક્યોરિટી કાઉન્સિલના રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ લીધો હતો. ચીનની કંપની હુવાવે પર ડેટા ચોરી અને ગુપ્ત માહિતીઓ ચીનની સરકાર સુધી પહોંચાડવાનો આરોપ મુકાયો છે.

બ્રિટનનો નિર્ણય નિરાશાજનક : હુવાવે
હુવાવેએ બ્રિટિશ સરકારના એ નિર્ણયને બ્રિટનના એ તમામ લોકો માટે માઠા સમાચાર ગણાવ્યા છે જેમની પાસે મોબાઇલ ફોન છે. હુવાવેએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે આ પગલું બ્રિટનને ધીમા રસ્તા પર ધકેલી દેશે અને તેનાથી દેશમાં ડિજિટલ ખાઈ વધશે. અમે બ્રિટિશ સરકારને આગ્રહ કરીએ છીએ કે તે તેના નિર્ણય અંગે ફરી વિચારી લે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
UK telecom companies instructed to remove Huawei devices by 2027


from Divya Bhaskar https://ift.tt/3gWu6Ar

બંગાળમાં ભાજપ ધારાસભ્યના મોત મુદ્દે ઊહાપોહ, 8 જિલ્લા બંધ, ભાજપના નેતાઓ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળ્યા

ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ પશ્ચિમ બંગાળમાં ભાજપના ધારાસભ્યના મોત મામલે મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યું. ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયએ પ્રતિનિધિમંડળની આગેવાની કરી. તેમણે કહ્યું કે હેમતાબાદના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્રનાથ રાયના મોતની સીબીઆઇ તપાસ થવી જોઇએ અને બંગાળની મમતા બેનરજી સરકારને બરતરફ કરવી જોઇએ.

મુલાકાત બાદ વિજયવર્ગીયએ કહ્યું, અમને બંગાળની એકેય એજન્સી પર ભરોસો નથી. તેથી અમે રાષ્ટ્રપતિને આ મામલે સીબીઆઇ તપાસની માગ કરી છે. જ્યાં લોકોના પ્રતિનિધિ પણ સલામત ન હોય તેવી સરકારને સત્તા પર રહેવાનો અધિકાર નથી. વિજયવર્ગીયએ આક્ષેપ કર્યો કે છેલ્લાં 3 વર્ષમાં રાજ્યમાં ભાજપના 105 સમર્થકની હત્યા થઇ છે.

આક્રોશ: ભાજપના સમર્થકોએ રેલી કાઢી, દુકાનો બંધ કરાવી
ભાજપના પ.બંગાળ એકમે ઉત્તર બંગાળના 8 જિલ્લામાં 12 કલાકનું બંધ રખાવ્યું. માલદા જિલ્લામાં રેલી કાઢી અને દુકાનો બંધ કરાવી. ભાજપ સમર્થકોએ કૂચ બિહાર જિલ્લામાં પણ રેલી કાઢી અને દેખાવો કર્યા. કેટલીક બસોને નુકસાન પણ પહોંચાડ્યું. કેટલાંક સ્થળે ભાજપ-તૃણમૂલના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું. પોલીસે 15 લોકોની ધરપકડ પણ કરી છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ: રાયનું મોત ફાંસો લાગવાથી થયાનો દાવો
ધારાસભ્ય રાયનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગયો છે, જેમાં લખ્યું છે કે રાયનું મોત ફાંસો લાગવાના કારણે થયું. તેમના શરીર પર ઇજાનાં અન્ય કોઇ નિશાન નહોતાં. પોલીસે કહ્યું કે રાયના શર્ટના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી, જેમાં તેમણે તેેમના મોત માટે 2 લોકોને જવાબદાર ગણાવ્યા છે. રાયના પરિવારે અને ભાજપે દાવો કર્યો છે કે તૃણમૂલ કોંગ્રેસે તેમની હત્યા કરાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પશ્ચિમ બંગાળના હેમતાબાદમાં ભાજપના સમર્થકોએ MLAની હત્યાના વિરોધમાં દેખાવો કર્યા.


from Divya Bhaskar https://ift.tt/2Onyr39

ચાર ધામ યાત્રાના રસ્તામાં વન અને પર્યાવરણની મંજૂરીના સ્પીડ બ્રેકર, પરંતુ કોરોના કે ચોમાસુ પણ આ કામ રોકી ના શક્યા

કેદારનાથ, યમુનોત્રી અને બદ્રીનાથને દરેક ઋતુમાં જોડી રાખવા માટે રૂ. 12 હજાર કરોડની ચારધામ પરિયોજનાનું કામ કોરોના કાળ અને હવે ચોમાસામાં પણ અવિરત ચાલુ છે. ઋષિકેશથી લઈને બદ્રીનાથ નજીક ભારતના છેલ્લા ગામ માણા સુધી 300 કિ.મી. લાંબો રસ્તો પહોળો કરવા પહાડો કાપવાનું કામ ચાલુ છે. આશા છે કે, આવતા વર્ષની યાત્રા સુધી આ માર્ગનું મોટા ભાગનું કામ પૂરું થઈ જશે.

જોકે, પર્યાવરણીય મંજૂરીઓ અને હાઈકોર્ટમાં અરજીના કારણે અનેક કામ અટકી ગયા છે. ઋષિકેશથી ગંગોત્રી-યમુનોત્રી માર્ગ પર ઘરાસુ સુધી રસ્તા બનાવવાનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ ચારધામ માર્ગનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ છે. ચીન સાથેના તણાવને આ રસ્તાનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. ચીન સરહદે જવા માટે ભારતીય સૈનિકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે.

ઋષિકેશથી બદ્રીનાથ સુધી આશરે 300 કિ.મી. કાપવામાં હાલ દસથી બાર કલાક લાગે છે, પરંતુ આ પરિયોજના પૂરી થયા પછી સમય અડધો થઈ જશે. આ યોજના હેઠળ કુલ 889 કિ.મી. રસ્તાને પહોળો કરાઈ રહ્યો છે. એટલે કે અત્યાર સુધી જે આ રસ્તા પર બે વાહન પણ મુશ્કેલીથી એકબીજાને ક્રોસ કરી શકતા, પરંતુ હવે એકસાથે ચાર વાહન પસાર થઈ શકશે. આ રસ્તાને પગલે દુર્ઘટનાઓ પણ ઘટશે. ઋષિકેશથી ગંગોત્રી માર્ગ પર ચંબામાં બનેલી 440 મીટર લાંબી સુરંગનું મે માસમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ઉદઘાટન કરી ચૂક્યા છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને ખૂબ ઓછા સમયમાં આ સુરંગ બનાવી છે. આ રસ્તા માટે પહાડો કાપવાનું કામ પણ લગભગ પૂરું થઈ ગયું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન, પીડબલ્યુડી, પીઆઈયુ મોર્થ અને એનઆઈડીસીએલ સંયુક્ત રીતે આ યોજના પૂરી પાડી રહ્યા છે.

રસ્તા પર બે સુરંગ અને ત્રણ એલિવેટેડ રસ્તા પણ બનાવાયા
આ માર્ગ પર બે સુરંગ અને ત્રણ એલિવેટેડ રસ્તા પણ બની રહ્યા છે. ચંબા શહેરની બિલકુલ નીચે બનેલી 440 મીટર લાંબી સુરંગમાં અત્યાધુનિક ઓસ્ટ્રિયન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશના ડિરેક્ટર જનરલ હરપાલ સિંહના કહેવા પ્રમાણે, આ સુરંગને બનાવવી પડકારજનક હતી કારણ કે, તેની ઉપર આખું શહેર છે. અમે આ સુરંગના એક છેડાનું કામ જાન્યુઆરી 2019માં શરૂ કર્યું હતું, પરંતુ બીજા છેડાનું કામ ઓક્ટોબર 2019માં શરૂ થઈ શક્યું હતું.

આ ચાર સ્પોટ પર હાઈકોર્ટ અને વન વિભાગ સ્પીડ બ્રેકર

  • જોશીમઠ બાયપાસ: હાલ વનભૂમિના હસ્તાંતરણનો મામલો અટક્યો છે.
  • કલિયાસૌડ બાયપાસ: આ માર્ગ પર સૌથી વધુ ભૂસ્ખલન ધરાવતા કલિયાસૌડમાં બાયપાસ બનાવવામાં અનેક વૃક્ષો કાપવા પડશે, જેની હજુ મંજૂરી નથી મળી.
  • ઘરાસુ-ગંગોત્રી માર્ગ: આ માર્ગનો આશરે 87 કિ.મી. વિસ્તાર ભાગિરથી ઈકો સેન્સિટિવ ઝોનમાં હોવાથી વન ભૂમિના અધિગ્રહણની મંજૂરી નથી મળી શકી.
  • હાઈકોર્ટનો આદેશ: સિટિઝન ફોર ગ્રીન દૂન અને અન્ય દ્વારા દાખલ અરજી પર હાઈકોર્ટે ફક્ત એ જ કામની મંજૂરી ચાલુ રાખવાનું કહ્યું છે, જેના પર પહેલેથી કામ ચાલી રહ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
2021માં આ યોજના પૂરી થશે.


from Divya Bhaskar https://ift.tt/30870QB

કોરોના મહામારીમાં સાધુ-સાધ્વીજી ગોચરી લેવા નહીં જાય, જૈન સંઘો વ્યવસ્થા કરશે

કોરોના મહામારીમાં મુંબઈમાં જૈન સંપ્રદાયના સાધુ-સાધ્વીજીઓ પણ કોરોના સંક્રમિત થયા છે ત્યારે આ વિકટ સ્થિતિમાં સાધુ-સાધ્વીજીઓને ઘેર ઘેર ગોચરી લેવા જવું પડે છે અને સંક્રમણનું જોખમ રહે છે. રાજકોટમાં 100થી વધુ અને સૌરાષ્ટ્રમાં 2 હજારથી વધુ સાધુ-સાધ્વીજીઓ સ્થાયી થયા છે. ત્યારે જૈન સંપ્રદાયના મોટા સંત એવા મુંબઈમાં બિરાજતા ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્ર સ્વામીજી અને હાલ સૌરાષ્ટ્રમાં ચાતુર્માસ અર્થે પધારેલા રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજે વર્તમાન પરિસ્થિતિ અંગે ‘દિવ્ય ભાસ્કર’ માટે લખ્યું અને કહ્યું કે સાધુ-સાધ્વીજી સમાજની મૂડી છે, તેમને જાળવવા સંઘોનું કર્તવ્ય છે. કોરોનાની સ્થિતિમાં તેઓ ગૌચરી લેવા ન જાય અને તમામ આહાર-જળની વ્યવસ્થા જૈન સંઘો કરે તે જરૂરી છે.

સાધુ-સાધ્વીજી માટે આહાર-પાણીની વ્યવસ્થા જૈન સંઘો કરે: ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી
કોરોના મહામારીના સમયમાં અપવાદ માર્ગનો ગૅનો સ્વીકાર કરી સાધુ-સાધ્વીજીઓની સુરક્ષા માટે આહાર-પાણીની વ્યવસ્થા જૈન સંઘોમાં જ થાય તે જરૂરી છે. સાધુ-સંતો એ સમાજની મહામૂલી મોંઘેરી મૂડી છે. ભારતભરમાં લગભગ 17000 આસપાસ સાધુ-સાધ્વીજીઓ વિદ્યમાન છે. અત્યારે એક - એક ગલી અને મહોલ્લામાં કોરોનાગ્રસ્ત સંક્રમિતો થઈ ગયાં છે. આવા સમયે ગોચરી, આહાર-પાણી માટે સાધુઓએ બહાર નીકળવું જોખમી સાબિત થશે. જૈન સમાજે અપવાદ માર્ગનો અને આવેલ પરિસ્થિતિને સમજી સાધુ-સાધ્વીજીઓની સુરક્ષા અને આરોગ્ય કાજે જૈન સમાજે ધર્મ સ્થાનકની પ્રિમાઈસીમાં જ કે નજીકમાં જ ભોજનની વ્યવસ્થા કરીને સમયને અનુસરવા સેવા - વૈયાવચ્ચમાં સહાયરૂપ બનવું જોઈએ.

ભગવાન મહાવીરના સૂત્રને ચતુર્વિધ સંઘે અપનાવવું જોઈએ: નમ્રમુનિ મહારાજ
કોરોના મહામારીના સમયે ભગવાન મહાવીરના સૂત્રને ચતુર્વિધ સંઘે અપનાવવું જોઈએ. ‘काले कालं समायरे’ એટલે કે સમય અનુસાર વર્તવું જોઈએ. સાધુ સાધ્વીજી જૈન સમાજની મૂડી છે. તેમને જાળવવા સંઘોનું કર્તવ્ય છે. સમય અનુસાર કોરોનાની સ્થિતિને સમજીને સાધુ-સાધ્વીજીની ગોચરી, આદિની વ્યવસ્થા આયંબિલ ભવન, આદિમાં થાય અને દેશકાળ અનુસાર સંઘો વ્યવસ્થા ગોઠવે તે અપવાદ માર્ગે જરૂરી છે. વર્તમાન સમય જોઈને વર્તવું, પ્રભુ આજ્ઞા છે. એક વખત સાધુ-સાધ્વીજીને કોરોના થઇ જવાથી હોસ્પિટલમાં અનેક દોષોનું સેવન કરવું પડે છે. એના કરતા જો પહેલેથી જ જો ધ્યાન રાખવામાં આવે તો અનેક પાપથી બચી જવાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામી અને નમ્રમુનિ મહારાજ.


from Divya Bhaskar https://ift.tt/3j59R5i