Ad

Wednesday, July 15, 2020

સરકારે કહ્યું- સેનિટાઇઝર પર સાબુની જેમ 18% GST યોગ્ય, સેનિટાઈઝર પર ટેક્સ ઘટાડાથી ઘરેલુ ઉત્પાદકોને નુકસાન થશે

કેન્દ્ર સરકારે સેનિટાઇઝર પર 18% જીએસટીને યોગ્ય ગણાવ્યો છે. તેની તરફેણમાં તર્ક આપતાં સરકારે કહ્યું કે સેનિટાઇઝર સાબુ, એન્ટિ-બેક્ટેરિયલ લિક્વિડ, ડેટોલ જેવું જ કીટાણુનાશક છે અને તે બધા પર 18% જીએસટી લાગે જ છે.

કેન્દ્રીય નાણામંત્રાલયે બુધવારે કહ્યું કે સેનિટાઇઝર બનાવવા માટે વપરાતાં અન્ય રસાયણો, પેકિંગ સામગ્રી અને ઇનપુટ સેવાઓ પર પણ જીએસટીનો દર 18% જ છે. સેનિટાઇઝર તથા તેવી અન્ય ચીજો પર જીએસટીનો દર ઘટાડવાથી કરમાળખું ઊલટાઇ જશે અને તેનાથી ઘરેલુ ઉત્પાદકો તથા નિકાસકારોને નુકસાન થશે.

નોંધનીય છે કે ઓથોરિટી ફોર એડવાન્સ રુલિંગની ગોવા બેન્ચે તેના નિર્ણયમાં કહ્યું હતું કે આલ્કોહોલ બેઝ્ડ હેન્ડ સેનિટાઇઝર પર 18% જીએસટી લગાવવો યોગ્ય છે. સરકાર દ્વારા સેનેટાઈઝર 18 ટકા જીએસટી લગાવવાના ‌ફેસલાનો વિરોધ થઈ રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Govt says 18% GST on sanitizer is same as soap, tax cut on sanitizer will hurt domestic producers


from Divya Bhaskar https://ift.tt/30lfi7U

No comments:

Post a Comment