Ad

Tuesday, July 14, 2020

ચાર ધામ યાત્રાના રસ્તામાં વન અને પર્યાવરણની મંજૂરીના સ્પીડ બ્રેકર, પરંતુ કોરોના કે ચોમાસુ પણ આ કામ રોકી ના શક્યા

કેદારનાથ, યમુનોત્રી અને બદ્રીનાથને દરેક ઋતુમાં જોડી રાખવા માટે રૂ. 12 હજાર કરોડની ચારધામ પરિયોજનાનું કામ કોરોના કાળ અને હવે ચોમાસામાં પણ અવિરત ચાલુ છે. ઋષિકેશથી લઈને બદ્રીનાથ નજીક ભારતના છેલ્લા ગામ માણા સુધી 300 કિ.મી. લાંબો રસ્તો પહોળો કરવા પહાડો કાપવાનું કામ ચાલુ છે. આશા છે કે, આવતા વર્ષની યાત્રા સુધી આ માર્ગનું મોટા ભાગનું કામ પૂરું થઈ જશે.

જોકે, પર્યાવરણીય મંજૂરીઓ અને હાઈકોર્ટમાં અરજીના કારણે અનેક કામ અટકી ગયા છે. ઋષિકેશથી ગંગોત્રી-યમુનોત્રી માર્ગ પર ઘરાસુ સુધી રસ્તા બનાવવાનું કામ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આ ચારધામ માર્ગનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ છે. ચીન સાથેના તણાવને આ રસ્તાનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. ચીન સરહદે જવા માટે ભારતીય સૈનિકો આ જ રસ્તાનો ઉપયોગ કરે છે.

ઋષિકેશથી બદ્રીનાથ સુધી આશરે 300 કિ.મી. કાપવામાં હાલ દસથી બાર કલાક લાગે છે, પરંતુ આ પરિયોજના પૂરી થયા પછી સમય અડધો થઈ જશે. આ યોજના હેઠળ કુલ 889 કિ.મી. રસ્તાને પહોળો કરાઈ રહ્યો છે. એટલે કે અત્યાર સુધી જે આ રસ્તા પર બે વાહન પણ મુશ્કેલીથી એકબીજાને ક્રોસ કરી શકતા, પરંતુ હવે એકસાથે ચાર વાહન પસાર થઈ શકશે. આ રસ્તાને પગલે દુર્ઘટનાઓ પણ ઘટશે. ઋષિકેશથી ગંગોત્રી માર્ગ પર ચંબામાં બનેલી 440 મીટર લાંબી સુરંગનું મે માસમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ ઉદઘાટન કરી ચૂક્યા છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને ખૂબ ઓછા સમયમાં આ સુરંગ બનાવી છે. આ રસ્તા માટે પહાડો કાપવાનું કામ પણ લગભગ પૂરું થઈ ગયું છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન, પીડબલ્યુડી, પીઆઈયુ મોર્થ અને એનઆઈડીસીએલ સંયુક્ત રીતે આ યોજના પૂરી પાડી રહ્યા છે.

રસ્તા પર બે સુરંગ અને ત્રણ એલિવેટેડ રસ્તા પણ બનાવાયા
આ માર્ગ પર બે સુરંગ અને ત્રણ એલિવેટેડ રસ્તા પણ બની રહ્યા છે. ચંબા શહેરની બિલકુલ નીચે બનેલી 440 મીટર લાંબી સુરંગમાં અત્યાધુનિક ઓસ્ટ્રિયન ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશના ડિરેક્ટર જનરલ હરપાલ સિંહના કહેવા પ્રમાણે, આ સુરંગને બનાવવી પડકારજનક હતી કારણ કે, તેની ઉપર આખું શહેર છે. અમે આ સુરંગના એક છેડાનું કામ જાન્યુઆરી 2019માં શરૂ કર્યું હતું, પરંતુ બીજા છેડાનું કામ ઓક્ટોબર 2019માં શરૂ થઈ શક્યું હતું.

આ ચાર સ્પોટ પર હાઈકોર્ટ અને વન વિભાગ સ્પીડ બ્રેકર

  • જોશીમઠ બાયપાસ: હાલ વનભૂમિના હસ્તાંતરણનો મામલો અટક્યો છે.
  • કલિયાસૌડ બાયપાસ: આ માર્ગ પર સૌથી વધુ ભૂસ્ખલન ધરાવતા કલિયાસૌડમાં બાયપાસ બનાવવામાં અનેક વૃક્ષો કાપવા પડશે, જેની હજુ મંજૂરી નથી મળી.
  • ઘરાસુ-ગંગોત્રી માર્ગ: આ માર્ગનો આશરે 87 કિ.મી. વિસ્તાર ભાગિરથી ઈકો સેન્સિટિવ ઝોનમાં હોવાથી વન ભૂમિના અધિગ્રહણની મંજૂરી નથી મળી શકી.
  • હાઈકોર્ટનો આદેશ: સિટિઝન ફોર ગ્રીન દૂન અને અન્ય દ્વારા દાખલ અરજી પર હાઈકોર્ટે ફક્ત એ જ કામની મંજૂરી ચાલુ રાખવાનું કહ્યું છે, જેના પર પહેલેથી કામ ચાલી રહ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
2021માં આ યોજના પૂરી થશે.


from Divya Bhaskar https://ift.tt/30870QB

No comments:

Post a Comment