Ad

Tuesday, July 14, 2020

ભારતમાં 6 કરોડ લોકો ભૂખના સંકટથી ઉગર્યા પણ 18 કરોડ હજુ કુપોષિત, 91 લાખ વયસ્કોમાં સ્થૂળતાની સમસ્યા વધી

ભારતમાં ગત એક દાયકાથી વધુ સમયમાં કુપોષિત લોકોની સંખ્યામાં 6 કરોડનો ઘટાડો નોંધાયો છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વમાં ખાદ્ય સુરક્ષા અને પોષણ સ્થિતિ અંગેના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટમાં કહેવાયું કે ભારતમાં કુપોષિતોની સંખ્યા 2004-06માં 24.94 કરોડ હતી. તે 2017-19માં ઘટીને 18.92 કરોડ રહી ગઈ છે. ભારતમાં બાળકોમાં ઓછી ઊંચાઈની સમસ્યા પણ ઘટી છે, પણ મોટા લોકોમાં સ્થૂળતાની સમસ્યા વધી છે. 2019માં દુનિયાભરમાં આશરે 69 કરોડ લોકો કુપોષિત મળ્યા હતા. આ સંખ્યા 2018ની તુલનાએ એક કરોડ વધુ હતી. સંયુક્ત રાષ્ટ્રએ કુપોષણને ડામવાની પ્રગતિ પર નજર રાખવાના ઉદ્દેશ્યથી આ રિપોર્ટ તૈયાર કર્યો હતો.

રિપોર્ટના મુખ્ય મુદ્દા

  • રિપોર્ટ મુજબ દુનિયામાં કોરોના સંકટને લીધે 2020ના અંત સુધી વધુ 13 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી શકે.
  • એશિયાના પૂર્વ, દક્ષિણમાં કુપોષણમાં ઘટાડો નોંધાયો છે. અહીં મોટાં અર્થતંત્રો ભારત અને ચીનનું વર્ચસ્વ છે.
  • રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય-કૃષિ સંગઠન, આંતરરાષ્ટ્રીય કૃષિ વિકાસ ફંડ, યુનિસેફ, સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમ અને ડબ્લ્યુએચઓએ મળીને તૈયાર કર્યુ છે.

ભારતમાં કુપોષણ, બાળકોનાં કદ અને વયસ્કોની સ્થૂળતા અંગે સ્થિતિમાં સંતુલન
ભૂખ : 14% લોકો પર હજુ સંકટ

વર્ષ કુપોષિત વસતીમાં
2004-06 24.94 કરોડ 21.70%
2017-19 18.92 કરોડ 14%

સ્થૂળતા : વયસ્કોમાં 0.8%નો વધારો

વર્ષ વયસ્ક ટકામાં
2012 2.52 કરોડ 3.10%
2016 3.43 કરોડ 3.9%

કદ : 5 વર્ષ સુધીના 34.7% પીડિત

વર્ષ બાળકો ટકામાં
2012 6.2 કરોડ 47.8%
2019 4.03 કરોડ 34.7%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3j32StA

No comments:

Post a Comment