Ad

Saturday, July 4, 2020

આગામી 3 દિવસમાં સૌરાષ્ટ્રમાં 15 અને અમદાવાદમાં 5 ઇંચ વરસાદની શક્યતા, આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ થશે

છેલ્લાં અઠવાડિયાથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. પરંતુ, અમદાવાદ સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ગેરહાજરીથી ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. પરંતુ, આનંદની વાત એ છે કે, દક્ષિણ ગુજરાતની સાથે અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રીય થતાં સમગ્ર રાજ્યમાં બારે મેઘ ખાંગા થશે, જેમાં આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળવોથી ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

અપર એર સરક્યુલેશન લો-પ્રેશરમાં બદલાશે
હાલમાં અરબી સમુદ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય છે, આ સરક્યુલેશન ઉત્તરોતર થોડું ઉપર તરફ વધીને 6 અને 7 જુલાઈએ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી પહોંચશે, અને સોરાષ્ટ્રનાં ભાગમાં લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. તેમજ લો-પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો- પ્રેશર બનશે, જેથી સૌરાષ્ટ્રનાં ભાગોમાં અતિભારે વરસાદ થતાં 5થી 15 ઇંચ જેટલું પાણી વરસવાની સાથે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થવાની શકયતા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3f1eI55

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને સ્થાને નવા નેતા આવે તેવી શક્યતા, રાજીવ શુકલા કે મહિલા નેતાની નિમણૂકની સંભાવના

ગુજરાત કોંગ્રેસના વર્તમાન પ્રભારી રાજીવ સાતવને સ્થાને નવા પ્રભારીની ટૂંકમાં નિમણૂંક કરાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાઇ કમાન્ડ પ્રભારી તરીકે રાજીવ શુક્લા અથવા કોઇ મહિલા નેતાની નિમણૂક કરી શકે છે. રાજીવ સાતવ ગુજરાતમાં સારા પરિણામ લાવવામાં ખાસ સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી. ગુજરાતમાં નવા પ્રભારી તરીકે કોંગ્રેસમાં સંગઠનના જાણકાર એવાં કોઇ વ્યક્તિને મુકવામાં આવી શકે છે. જો કે હાલ ગુજરાત પ્રભારી તરીકે રાજીવ શુક્લાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત ઉત્તર ભારતના એક યુવા પ્રભાવી મહિલા નેતા પણ ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે આવી શકે છે. 2017માં અશોક ગેહલોત પ્રભારી હતા ત્યારે કોંગ્રેસે સારો દેખાવ કર્યો હતો.

કોંગ્રેસના સંગઠનમાં પણ હિલચાલ શરૂ
ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ હવે નિયુક્તિઓ થવાં જઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ માળખાના તમામ હોદ્દાઓ પર નિમણૂકો થશે. પ્રમુખ અમિત ચાવડા સિવાયના બાકીના તમામ માળખાને અગાઉ વિખેરી નખાયું હતું. નવા માળખામાં યુવાન ધારાસભ્યને તક મળી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજીવ સાતવ - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3e0y8WH

WHOએ કહ્યું, ‘ચીને નહીં, અમે સૌથી પહેલાં કોરોનાની સૂચના આપી હતી’, 20 એપ્રિલે કહ્યું હતું, ‘પહેલો કેસ ચીનમાં આવ્યો હતો’

કોરોનાની જાણકારી મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યૂએચઓ)એ ગુલાંટ મારી હતી. હવે તે કહે છે કે વુહાનમાં ન્યુમોનિયા જેવા કેસ વિશે સૌથી પહેલાં ચીન સ્થિત તેની ઓફિસે માહિતી આપી, નહીં કે ખુદ ચીને. વૈશ્વિક સંગઠને માહિતી અપડેટ કરીને જણાવ્યું કે અત્યાર સુધી કોરોના સામેની લડાઈ કેવી રીતે લડાઈ. અગાઉ ડબ્લ્યૂએચઓએ કહ્યું હતું કે ગત વર્ષે 31 ડિસેમ્બર 2019ના રોજ ચીને કોરોનાના પ્રથમ કેસની માહિતી આપી હતી પણ ડબ્લ્યૂએચઓની વેબસાઇટ પર જે મહામારીની ટાઈમલાઇન અપડેટ થઈ છે, વિવાદ તેની સાથે જ સંકળાયેલો છે.

કોરોના સ્ત્રોતની તપાસ માટે ટીમ ચીન ગઈ હતી
20 એપ્રિલના રોજ ડબ્લ્યૂએચઓના ચીફ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયાસસે કહ્યું હતું કે ચીનમાં પ્રથમ કેસ સામે આવ્યો હતો. જોકે તેમણે એમ નહોતું જણાવ્યું કે આ રિપોર્ટ ચીનના અધિકારીઓએ મોકલ્યો હતો કે કોઈ અન્ય સૂત્રએ. આ દરમિયાન સંગઠને નક્કી કર્યુ છે કે તે કોરોનાના સ્ત્રોતની તપાસ માટે આગામી અઠવાડિયે ટીમને ચીન મોકલશે. આ નિર્ણય ચીનની લેબથી કોરોના નીકળવા અને તેના દુનિયામાં ફેલાવાના આરોપો બાદ લેવાયો હતો.

ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, ‘સમય જાગૃત થવા અને સાવચેતી રાખવાનો છે’
ડબ્લ્યૂએચઓના ઇમરજન્સી ડિરેક્ટર માઈકલ રેયાને કહ્યું કે લોકોને જાગૃત થવાની જરૂર છે. ડબ્લ્યૂએચઓએ કોરોના પ્રભાવિત દેશોને મહામારીના ફેલાવા પર કાબૂ કરવા અને ગ્રાઉન્ડ લેવલે સાવચેતી રાખવાની અપીલ કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2C7WxvW

ઇઝરાયલે સાઈબર એટેક કરીને ઇરાનના પરમાણુ ઠેકાણાને આગ ચાંપી, કહ્યું, ‘ઇરાન યહુદીના વિરોધી હિઝબુલ્લાને શસ્ત્રો-મિસાઇલો પૂરી પાડે છે’

ઈઝરાયલે દુશ્મન દેશ ઈરાનના ઈસ્ફાહનના નતાંજમાં આવેલા પરમાણુ ઠેકાણા પર સાઈબર હુમલો કરીને આગ લગાવી હતી. આ હુમલાથી યુરેનિયમ સેન્ટર અને મિસાઈલ પ્રોડક્શન સેન્ટરમાં આગ લાગી ગઈ હતી. આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં પ્રકાશિત તસવીરો પ્રમાણે ઈરાનના એક સરકારી મકાનનો અમુક હિસ્સો આગના કારણે નાશ પામ્યો છે. આ ઘટના ગુરુવાર સવારની હોવાનું કહેવાઈ રહ્યું છે.

પરમાણુ કેન્દ્રમાં આગ લાગી, પછી વિસ્ફોટ થયોઃ અલ જરીદા
ઈરાનના પરમાણુ કેન્દ્રમાં એક અઠવાડિયામાં આ બીજો હુમલો છે. કુવૈતના અખબાર ‘અલ જરીદા’ના અહેવાલ પ્રમાણે, સાઈબર હુમલાથી ગુરુવારે ઈરાનના પરમાણુ કેન્દ્રમાં આગ લાગી અને પછી જોરદાર વિસ્ફોટ થયો હતો. તેનાથી ઈરાનનો પરમાણુ કાર્યક્રમ બે મહિના પાછળ જતો રહ્યો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે (એસએનએસસી) કહ્યું છે કે નિષ્ણાતો આગનાં કારણોની તપાસ કરી રહ્યા છે અને યોગ્ય સમય તેની જાણકારી અપાશે.

આગથી ફક્ત ઇમારતને જ નુકસાન પહોંચ્યું: કેવાન ખોસરાવી
એસએનએસસીના પ્રવક્તા કેવાન ખોસરાવીએ કહ્યું કે આ ઘટના પછી નિષ્ણાતોએ તપાસ હાથ ધરી છે કે ત્યાં કોઈ રેડિયેશન નથી. રિએક્ટરને પણ નુકસાન નથી પહોંચ્યું. આગથી ફક્ત ઈમારતને નુકસાન થયું છે. નતાંજ ઈરાનની રાજધાની તહેરાનથી 250 કિ.મી. દૂર છે. આ સમગ્ર કેન્દ્ર એક લાખ ચો. મી. ક્ષેત્રમાં જમીનની નીચે બનાવાયું છે. હવાઈ હુમલાથી સુરક્ષા માટે ત્યાં 25 ફૂટ મોટું કોંક્રિટનું કવચ બનાવાયું છે.

ફાઈટર જેટ હુમલાનો પણ દાવો કરાયો
આંતરરાષ્ટ્રીય અહેવાલો પ્રમાણે ગયા શુક્રવારે ફાઈટર જેટ એફ-16ના પરચિન વિસ્તારમાં મિસાઈલ ઉત્પાદન કેન્દ્ર પર બોમ્બમારો કર્યો હતો. એક રિપોર્ટમાં કહેવાયું હતું કે ઈઝરાયલના એફ-35 ફાઈટર જેટે 26 જૂને ઈરાનના પરચિનમાં બોમ્બમારો કર્યો હતો.

ઈરાન પર થયેલા હુમલાનું કારણ શું?
ઈઝરાયલનો આરોપ છે કે ઈરાન યહૂદીઓના વિરોધી હિઝબુલ્લાને શસ્ત્રો અને મિસાઈલો પૂરી પાડે છે. એવા પણ અહેવાલ છે કે ઈરાને એપ્રિલમાં ઈઝરાયલની પાણી પુરવઠા સિસ્ટમ હેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઈરાન પર અગાઉ પણ હુમલા થયા છે
2010માં નતાંજ પરમાણુ કેન્દ્રના કમ્પ્યુટરોમાં સ્ટક્સનેટ વાઈરસ હુમલો થયો હતો, ઉચ્ચ ગતિ ધરાવતા સેન્ટ્રીફ્યુઝને નુકસાન પહોંચ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઇરાની પરમાણુ એજન્સી દ્વારા જારી કરાયેલી તસવીર


from Divya Bhaskar https://ift.tt/2BDuu7U

વિશ્વમાં સંક્રમિતોના મામલે આજે રાત્રે ભારત ત્રીજા સ્થાને પહોંચી શકે છેઃ દેશમાં સંક્રમિતોની સંખ્યા રશિયાની નજીક પહોંચી

ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા રશિયાની નજીક પહોંચી ગઈ છે ભારતમાં સંક્રમિતોની સંખ્યા 6,45,315 છે, જ્યારે રશિયામાં આ આંકડો 6,67,883 છે. ભારતમાં રોજ સરેરાશ 22 હજાર નવા દર્દી મળી રહ્યાં છે. એવામાં રવિવારે રાત્રી સુધીમાં ભારત સૌથી વધુ સંક્રમિત ત્રણ દેશમાં શામિલ થઈ શકે છે.

  • 10 સૌથી સંક્રમિત દેશોમાં બ્રાઝિલ, રશિયા, પેરુ, ચિલીમાં રિકવરી ભારતથી વધુ.
  • હવે અમેરિકા અને બ્રાઝિલમાં જ ભારતથી વધુ દર્દી હશે


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
India could reach third place in the world in terms of infected people tonight: the number of infected people in the country is close to that of Russia


from Divya Bhaskar https://ift.tt/3gmQcvq

દેશમાં 4 લાખ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે, 3 લાખ તો છેલ્લા એક મહિનામાં જ રિકવર થઈ ઘરે પહોંચી ગયા છે

દેશમાં લગભગ 4 લાખ લોકો કોરોના વાઈરસને હરાવી ચૂક્યા છે. દર્દી સાજા થવાની ઝડપ છેલ્લા એક મહિનામાં ઘણી બધી છે. 2 જૂન સુધી એક લાખ દર્દી સાજા થઈ ગયા છે. ત્યારે રિકવરી રેટ 48.30 ટકા જેટલો હતો. છેલ્લા 32 દિવસમાં 3 લાખથી વધુ લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. આ દરમિયાન રિકવરી રેટ 12.50 ટકા જેટલો વધી ગયો હતો. હવે રિકવરી રેટ 60.80 ટકા છે. રાહતની વાત એ છે કે મૃત્યુદર 2 જૂનવાળા સ્તરની પાસે જ છે.

  • સાજા થવાની ઝડપ સતત વધી રહી છે, આખરી 1 લાખ દર્દી 7 દિવસમાં જ સાજા થઈ ગયા.
  • એક મહિના પહેલા 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રિકવરી રેટ 50%થી વધુ હતો. હવે 16 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 50%થી વધુ દર્દી સાજા થઈ ગયા છે.
  • 31 રાજ્યો અને યુટીમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. પંજાબ, ગોવા અને અંદામાન નિકોબારમાં આ દરમિયાન રિકવરી રેટ ઘટ્યો છે.
  • દિલ્હી, હરિયાણા, બિહાર અને પ.બંગાળમાં દર્દી વઢવાની સાથે રિકવરી વધી છે.

એક મહિનામાં સૌથી વધુ રિકવરી ધરાવતા ટોપ-10 રાજ્ય આ રીતે બદલાયા
2 જૂન

અંદામાન નિકોબાર 100.00%
પંજાબ 86.12%
ગોવા 72.15%
ચંડીગઢ 71.10%
રાજસ્થાન 68.65%
ગુજરાત 67.46%
મધ્ય પ્રદેશ 62.01%
આંધ્રપ્રદેશ 63.68%
ઓડિશા 59.02%
ઉત્તર પ્રદેશ 59.30%

3 જુલાઈ

ચંડીગઢ 86.00%
ઉત્તરાખંડ 81.40%
રાજસ્થાન 80.21%
છત્તીસગઢ 79.51%
ત્રિપુરા 78.62%
મિજોરમ 77.78%
લદાખ 77.62%
મધ્ય પ્રદેશ 77.28%
બિહાર 74.99%
ઝારખંડ 74.25%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
4 lakh patients in the country have beaten corona, 3 lakh have recovered and reached home in the last one month alone


from Divya Bhaskar https://ift.tt/31OynBx

રાજ્યમાં કોરોનાનો હાહાકાર, એક જ દિવસે 712 કેસ નોંધાયાઃ રિકવરી રેટ થોડો ધીમો પડ્યો, સામે મૃત્યુદર ઘટી રહ્યો છે

ગુજરાતમાં કોરોના વાઇરસના ચોવીસ કલાકમાં નવા નોંધાતા કેસનો આંકડો સાતસોને પાર કરી ગયો છે. શનિવારે ગુજરાતમાં 712 નવા કેસ નોંધાયા હતા. તેમાં પણ હવે સુરત શહેર અમદાવાદને ઓવરટેક કરીને આગળ નીકળી ગયું છે. અમદાવાદ શહેરમાં 165 નવા કેસ નોંધાયા તેની સામે સુરત શહેરમાં 201 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના ગુજરાતમાં કુલ 35,398 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ વધીને 8,057 થઇ ગયો છે.એક્ટિવ કેસોની ટકાવારી હાલ 22 ટકા ઉપર છે. જ્યારે ગુજરાતનો રિકવરી રેટ હાલ થોડો મંદ પડ્યો છે. પંદર દિવસ પૂર્વે રીકવરી રેટ 73 ટકા આસપાસ હતો તેને સ્થાને શનિવારે તે 71.8 ટકા પર પહોંચ્યો છે. શનિવારે ગુજરાતમાં 473 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ અપાયો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 25,414 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે.

મૃત્યુઆંક 1927 એ પહોંચ્યો
ગુજરાતમાં હાલ મૃત્યુદર પણ પ્રમાણમાં ધીમો પડ્યો છે અને કોરોનાને કારણે મૃત્યુના કિસ્સા ઘટી રહ્યા છે. શનિવારે ગુજરાતમાં કુલ 21 મૃત્યુ નોંધાયા અને તેની સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 1,927 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર 5.44 ટકા જેટલો છે. હજુ 68 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટિલેટર પર રખાયા છે. શનિવારે અમદાવાદમાં 9, સુરત અને રાજકોટ શહેરમાં 4-4, જ્યારે મહેસાણા, કચ્છ, અરવલ્લી અને વલસાડ જિલ્લામાં 1-1 મૃત્યુ થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/38unqGH

દેશના યુવાનોને સ્વદેશી ઍપ બનાવવા મોદીનો પડકારઃ ‘આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચેલેન્જ’ની શરૂઆત

59 ચાઇનીઝ મોબાઇલ ઍપ પર પ્રતિબંધ લદાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનોને અને સ્ટાર્ટઅપ કંપનીઓને સ્વદેશી ઍપ્સ બનાવવા કહ્યું છે. મોદીએ શનિવારે નીતિ આયોગના ‘ડિજિટલ ઇન્ડિયા આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચેલેન્જ’ની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે ટિ્વટ કર્યું કે, આ પડકાર તમારા માટે છે. જો તમારી પાસે તેવી પ્રોડક્ટ હોય કે તમને એવું લાગતું હોય કે તમારી પાસે તેવી પ્રોડક્ટ બનાવવાનું વિઝન અને તજજ્ઞતા છે તો હું ટેક્નોલોજી સાથે જોડાયેલા તમામ મિત્રોને તેમાં ભાગ લેવાનો આગ્રહ કરું છું. આજે ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા લોકોમાં વિશ્વસ્તરની મેડ ઇન ઇન્ડિયા ઍપ બનાવવા અંગે ખૂબ વધારે ઉત્સાહ છે. તેમના વિચારો અને પ્રોડક્ટને આગળ વધારવા સરકારે આત્મનિર્ભર ભારત ઍપ ઇનોવેશન ચેલેન્જ રજૂ કરી છે. તેનો મંત્ર દેશ અને દુનિયા માટે મેક ઇન ઇન્ડિયા છે.

10 લાખથી 20 લાખ રૂ. સુધીના પુરસ્કાર
પ્રથમ પુરસ્કાર 20 લાખ રૂ., બીજો 15 લાખ અને ત્રીજો 10 લાખ રૂ.નો રખાયો છે. સબ-કેટેગરીઝ માટે પણ પ્રથમ પુરસ્કાર 5 લાખ, બીજો 3 લાખ અને ત્રીજો 2 લાખ રૂ.નો રખાયો છે.

8 કેટેગરીનો પડકાર
1. ઓફિસના કામ અને વર્ક ફ્રોમ હોમ
2. સોશિયલ નેટવર્કિંગ
3. ઇ-લર્નિંગ
4. મનોરંજન
5. હેલ્થ એન્ડ વેલનેસ
6. કૃષિ ટેક્નિક, ફિનટેક સહિત કારોબાર
7. સમાચાર
8. સ્પોર્ટ્સ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નરેન્દ્ર મોદી - ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2Z1Rk22

સોનુ દિવાળી સુધી 82 હજારે પહોંચી શકે તેવો નિષ્ણાતોનો દાવોઃ સોનાના ભાવ ઝડપથી વધી રહ્યા છે, રોકાણ માટે સારી તક

છેલ્લા બે વર્ષમાં સોનુ 55% મોંઘુ થઈ ચૂક્યું છે. કોરોનાના કારણે ભારત અને ચીનમાં ફેબ્રુઆરીથી સોનાનું વેચાણ નથી. આ દરમિયાન વિશ્વમાં આશરે 1900 ટન સોનુ વેચાયું. આમ છતાં, સોનુ પ્રતિ ગ્રામ રૂ. 50 હજાર નજીક પહોંચી ગયું. નિષ્ણાતોનું કહેવું છે કે, સોનાની કિંમત હજુ વધશે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (આઈબીજેએ)ના ડિરેક્ટર તાન્યા રસ્તોગી કહે છે કે, ‘લોકોને રૂ. 50 હજાર પ્રતિ ગ્રામ સોનુ મોંઘુ લાગી શકે, પરંતુ સોનુ ખરીદવાનો આ સારો સમય છે. દિવાળી સુધી તેનો ભાવ રૂ. 82 હજારે પહોંચી શકે છે.’

ભારતના ઘરોમાં 25 હજાર ટન સોનુ
એડિશન ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ યુકે જેવી કંપનીના અહેવાલમાં પણ દાવો કરાયો છે કે, સોનાના ભાવ રૂ. 82 હજારને પાર થશે તો તે ઝડપથી વધશે. ભારત-ચીન સોનુ ના ખરીદે તો પણ તેના ભાવ નહીં ઘટે. દુનિયાના લગભગ તમામ દેશ હાલ સોનુ ખરીદી રહ્યા છે. આઈબીજેએ પ્રમાણે, મંદીમાં સોનુ મોંઘું થાય છે. આ વખતે લોકો ઘર ખર્ચ માટે સોનુ વેચે એવું થઈ શકે છે. જોકે, હજુ સુધી એવું નથી થયું. ભારતીયોના ઘરોમાં 25 હજાર ટન સોનુ છે, જેમાંથી 70% ગ્રામીણ ક્ષેત્રમાં છે.

આ 4 કારણથી સોનાની કિંમતો સતત વધે છે
જેમનું સોનુ ગિરવે હતું, તે પાછું લઈ રહ્યા છે

જે સરકારો પહેલા સોનુ વેચતી હતી, તે હવે ખરીદી રહી છે. બે વર્ષ પહેલા 16 દેશની સેન્ટ્રલ બેંકોએ સોનાની ખરીદી શરૂ કરી હતી. જેમનું સોનુ ગિરવે હતું, તે પાછું લઈ રહ્યા છે.

રોકાણ માટે સોનુ પસંદ
બજારમાં મંદીના કારણે રોકાણકારો સોનામાં રસ લઈ રહ્યા છે. કોરોના સામે ક્યાં સુધી લડવાનું છે, તે કોઈ નથી જાણતું. એટલે રોકાણકારોનો ઝોક સોના તરફ વધ્યો છે.

USમાં વ્યાજ દર શૂન્ય છે
સોનાની કિંમત ડૉલરના મૂલ્ય પર નિર્ભર હોય છે. ડૉલરનું મૂલ્ય ઘટશે તો સોનાની કિંમત વધવી નક્કી છે. અમેરિકામાં વ્યાજ દર ઝીરો થઈ ગયો છે, જેના કારણે સોનામાં તેજી જારી છે.

ઉત્પાદન-તસ્કરી, બંને બંધ
આ મુદ્દે કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં સોનાનું ઉત્પાદન બંધ છે. વિશ્વભરમાં લૉકડાઉનને પગલે તેની તસ્કરી પણ બંધ છે, જેના કારણે સોનામાં એકતરફી તેજી છે. આ તેજી હજુ રહેશે. - નૈનેશ પચ્ચીગર, જેમ્સ એન્ડ જ્વેલરી કમિટી



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/38r06K1

જ્યારે પાકિસ્તાની વિજ્ઞાનીએ પોતાના ભારતીય શિક્ષકના હાથમાં નોબેલ મેડલ આપીને કહ્યું...‘સર, આ નોબેલ તમારો છે, મારો નહીં.’

પાકિસ્તાની વિજ્ઞાની ડૉ.અબ્દુસ સલામે 1979માં ફિઝિક્સનું નોબેલ પારિતોષિક જીત્યું હતું. તેમના સંશોધનના કારણે બાદમાં હિગ્સ બોસોન એટલે કે ‘ગોડ પાર્ટિકલ’ની શોધ શક્ય બની હતી. નોબેલ મેળવ્યાં બાદ ડૉ.સલામે પોતાના ગણિત શિક્ષક પ્રોફેસર અનિલેન્દ્ર ગાંગુલીને શોધવા માટે ભારત સરકારને વિનંતી કરી હતી. ગાંગુલી સાહેબ લાહોરની સનાતન ધર્મ કોલેજમાં મેથ્સ ભણાવતા હતા. ડૉ.સલામ તેમના વિદ્યાર્થી હતા. ભાગલા બાદ પ્રોફેસર ગાંગુલીએ ભારતમાં સ્થળાંતર કર્યું હતું. ગાંગુલી સાહેબ કોલકાતામાં રહેતા હોવાની જાણ થયા બાદ ડૉ.સલામ 1981ની 19મી જાન્યુઆરીએ કોલકાતા પહોંચ્યા હતા. ડૉ.સલામ પોતાના પથારીવશ ગુરુ પ્રોફેસર ગાંગુલીને મળ્યા અને તેમના હાથમાં પોતાનો મેડલ આપીને કહ્યું, ‘સર આ મેડલ તમારો છે, મારો નહીં.’ બાદમાં ડૉ.સલામે કહ્યું કે, ‘આ મેડલ તમે આપેલા શિક્ષણ અને તમે જગાડેલા ગણિત પ્રત્યેના પ્રેમના કારણે મળ્યો છે.’ ડૉ.સલામે બાદમાં નોબેલ પારિતોષિક પોતાના શિક્ષકના ગળામાં પહેરાવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
1981ની 19મી જાન્યુઆરીએ ડૉ.અબ્દુસ સલામ તેમના ગુરુ પ્રોફેસર અનિલેન્દ્ર ગાંગુલીને મળ્યા હતા તથા ભાવવિભોર બનીને ભેટી પડ્યાં હતા


from Divya Bhaskar https://ift.tt/2YZkGhl

ગુજરાતમાં 5 વર્ષમાં 43000 કરોડની ‘ચીની ઘૂસણખોરી’, શું ચીન સાથે થયેલા કરાર રદ કરશે રૂપાણી સરકાર?

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ચીનની કંપનીઓએ 43 હજાર કરોડ રૂપિયાના રોકાણ માટે એમઓયુ કર્યાં છે. લદાખ સરહદે ચીનના દુ:સાહસ બાદ દેશભરમાં ચીનનો આર્થિક બહિષ્કાર થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર રાજ્યમાં ચીનનું રોકાણ રદ કરશે કે કેમ એ સવાલ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા જેવા રાજ્યોએ ચીનની કંપનીઓ સાથેનાં કરાર રદ કર્યા છે. તો બીજી બાજુ ભારતીય રેલવે અને બીએસએનએલ જેવા સાહસોએ પણ ચીન સાથે છેડો ફાડ્યો છે. 15 જૂનનાં રોજ લદાખના ગલવાનમાં સેના સાથે થયેલી ઝડપ બાદ પણ ચીની કંપનીઓ દ્વારા રોકાણનાં પ્રયત્નો જારી છે. છેલ્લા 20 જ દિવસમાં ત્રણ ચીની કંપનીઓએ આ પ્રકારનાં રોકાણ કર્યા છે.

સ્માર્ટસિટી પ્રોજેક્ટ માટે 19 હજાર કરોડનું રોકાણ
રાજ્ય સરકારના આંકડા મુજબ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ માટે 19,000 કરોડ, ટેક્સટાઇલ પાર્ક માટે 12,000 કરોડ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે 10,500 કરોડ રૂપિયાનું પ્રસ્તાવિત રોકાણ છે. ચીનને ગુજરાતમાં એક્સપોર્ટની ઊજળી તકો દેખાઇ રહી છે. સ્માર્ટ સિટી અને ટેક્સટાઇલ પાર્કનાં એમઓયુ આનંદીબેન પટેલનાં કાર્યકાળમાં થયા હતાં જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એમઓયુ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં કાર્યકાળમાં થયા હતા. મુખ્યમંત્રીએ અગાઉ કરેલા દાવા પ્રમાણે આ પ્રોજેક્ટથી રાજ્યમાં 15 હજાર લોકોને રોજગારી મળશે. જોકે હવે આ પ્રોજેક્ટો આગળ વધશે કે નહીં તેનાં પર સવાલ છે. ગુજરાતમાં રોકાણ મુદ્દે જનરલ મોટર્સ અને અદાણી આગળ છે. જનરલ મોટર્સમાં ચીને 3900 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

અન્ય રાજ્યોમાં ચીનની આર્થિક ઘૂસણખોરી પર રોક

  • રેલવેનો 471 કરોડનો સિગ્નલિંગ રોકાણ રદ
  • બીએસએનએલનો 7,000 કરોડનો 5જી પ્રોજેક્ટ રદ
  • નેશનલ હાઇવે ઓથોરિટીનો પ્રોજેક્ટોમાં ચીની કંપની સાથે જોડાવા પ્રતિબંધ
  • સીએઆઇટી દ્વારા ચીનની 500 પ્રોડક્ટનો બહિષ્કાર

ગુજરાતમાં ચીનની કંપનીઓને જમીન પસંદ કરવાની છૂટ!
ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટર્નલ ટ્રેડનાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 19 વર્ષમાં ગુજરાતમાં કુલ 1.55 લાખ કરોડ એફડીઆઈ ઇક્વિટી આવ્યું, જેમાં 6 ટકા ચીનનું છે. ચીને સૌથી વધુ 15 ટકા રોકાણ ઓટોમોબાઇલમાં કર્યું છે. ચીનને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્રણ વર્ષમાં પૂરો કરવા માટે ગુજરાત સરકારે 200 એકર જમીન આપવા નક્કી કર્યું છે. સચાણામાં તો ચીની કંપનીઓને જમીન પસંદગીનાં અધિકાર પણ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં ચીનની કંપનીઓનું રૂ. 9900 કરોડનું રોકાણ

ભારતીય કંપની ચીની ભાગીદાર કંપની કુલ રોકાણ
જનરલ મોટર્સ સાઇક જીએમ 3911.55 કરોડ
ટીબીયા ટીબીયા શિનયાંગ 317.86 કરોડ
ચાઇના સ્ટીલ ચાઇના સ્ટીલ 599.14 કરોડ
હાઇલી ઇલે. એપ્લાયન્સીસ શાંઘાઇ હિટાચી 140.55 કરોડ
અન્ય ઇન્વેસ્ટમેન્ટ અને ઇક્વિટી 4930.19 કરોડ
કુલ 9900 કરોડ

ગુજરાતમાં ચીનની કંપનીઓએ અત્યાર સુધીમાં સૌથી વધારે રોકાણ ઑટોમોબાઇલ સેક્ટરમાં કર્યું છે.

શું ધોલેરા ચાઇનીઝ કંપનીઓને સોંપી દેવાશે?
2014માં ચીનના પ્રમુખ શી જિનપિંગ ગુજરાત આવ્યા એ પછી ચાઇના એસોસિએશન ઑફ સ્મૉલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (CASME) અને ગુજરાત સરકાર વચ્ચે ધોલેરામાં ચાઇના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા માટેના એમઓયુ થયા હતા. એ વખતે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે 2022 સુધીમાં ચાઇનીઝ કંપનીઓ ધોલેરામાં પોતાના એકમો સ્થાપી દેશે. હવે ધોલેરામાં ચીની રોકાણને લઈને રાજ્ય સરકાર સામે સવાલો થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
43000 crore 'Chinese infiltration' in Gujarat in 5 years, will the Rupani government cancel the agreement with China?


from Divya Bhaskar https://ift.tt/2YX8Iov

સુરતમાં રૂ.100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલ તૈયાર કરાશે, આઠ દિવસમાં પહેલી હોસ્પિટલ ચાલુ થશે: વિજય રૂપાણી

સુરતને અજગરી ભરડામાં લઇ રહેલા કોરોનાના સંક્રમણને ધ્યાને લઇનેને શનિવારે રાજ્યાના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નિતીન પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. અઠવાલાઇન્સ સ્થિતિ જિલ્લા સેવાસદન ખાતે અગ્રસચિવ, જિલ્લા કલેકટર, મનપા કમિશનર તથા અધિકારીઓ અને ડોકટરો સાથે બેઠક કરી કોરોનાને કાબુમાં લેવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા સ્ટેમસેલ હોસ્પિટલ અને કિડીની હોસ્પિટલમાં રૂ.100 કરોડના ખર્ચે બે કોવિડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે.

સિવિલ હોસ્પિટલમાં 200 જેટલા વેન્ટિલેટર મોકલી આપવામાં આવશે
મુખ્યમંત્રીએ જણાવ્યું હતુંકે, આ બે પૈકી સ્ટેમસેલ કોવિડ હોસ્પિટલ 8 થી 10 દિવસમાં તૈયાર થઇ જશે. જ્યારે કિડની હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ એક મહિનામાં બનાવીને કાર્યરત કરી દેવામાં આવશે. જ્યારે આજે શનિવારે સાંજ કે રવિવાર સુધીમાં સુરત સિવિલ હોસ્પિટલમાં 200 જેટલા વેન્ટિલેટર મોકલી આપવામાં આવશે. જે સોમવાર સુધી ઇનસ્ટોલ કરી નાખવામાં આ‌વશે.

ધનવંતરી રથથી અમદાવાદમાં સ્થિતિ સુધરી, સુરતમાં પણ લોકો લાભ લે: CM
પાલિકાએ તમામ ઝોન વિસ્તારોમાં ધનવંતરી રથ ફેરવી રહ્યું છે પ્રત્યેક ઝોન દિઠ 20 જેટલા ધનવંતરી રથો દ્વારા સારવાર દવા આપવામાં આવે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણઈએ જણાવ્યું હતું કે, ધનવંતરી રથથી અમદાવાદમાં સ્થિતિમાં સુધારો આવ્યો છે. સુરતમાં પણ તેનો વધુને વધુ પ્રચાર પ્રસાર કરવામાં આવે, તમામ વિસ્તારો આવરી લેવામાં આવે લોકો તેનો વધુ લાભ લે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/38A3gew

આકાશી વીજળીથી બચવા દામિની એપ મદદરૂપ થશે, 40 કિ.મી.માં વીજળી પડશે કે કેમ તે દર્શાવે છે

કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ વિભાગ અને પુના સ્થિતિ આઇઆઇટીએમ વિભાગે એક એપ તૈયાર કરી છે. દામિની નામની આ એપની મદદથી જે તે વિસ્તારના જીપીએસ લોકેશનના આધારે તે વિસ્તારમાં વિજળી થવાની સંભાવના વ્યક્ત કરાય છે. જીપીએસ લોકેશનના 20 થી 40 કિલોમીટરના વિસ્તારની ત્રણ તબક્કામાં આગાહી કરવામાં આવે છે. પ્રથમ તબક્કામાં 5 મિનિટની અંદર, બીજા તબક્કામાં 5 થી 10 મિનિટની અંદર અને ત્રીજા તબક્કામાં 10 થી 15 મિનિટની અંદર વિજળી થશે કે કેમ તે ચેતવણી જાહેર કરાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
થોડા સમય પહેલા (1લી જુલાઈ) રાજકોટમાં પડેલી વીજળીની ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2VH3F9J

કોરોનાના રિસર્ચનો ડેટા ચોરી હેકરો કરોડો રૂપિયાની ખંડણી વસૂલી રહ્યા છે, એક મહિનામાં 10 લાખ ઈમેલ મોકલી ધમકાવ્યા

કોરોના પર રિસર્ચનો ડેટા ચોરી હેકરો 5 કરોડ રૂપિયાથી લઈને 23 કરોડ રૂપિયા સુધીની ખંડણી વસૂલી રહ્યા છે. સાઈબર રિસર્ચર એજન્સી પ્રૂફપોઈન્ટ અનુસાર ગત મહિને હેકરોએ આવી ખંડણી માટે અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ગ્રીક અને ઈટાલી સહિત અનેક દેશોમાં જુદી જુદી સંસ્થાઓને આશરે 10 લાખ ઈમેલ મોકલી ધમકાવ્યા હતા. હેકર ગ્રૂપ નેટવૉકરે અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાનાં કમ્પ્યુટરોમાં માલવેર નાખી દીધું હતું. આ કમ્પ્યુટરમાં કોરોના રિસર્ચ સંબંધિત માહિતીઓ હતી. પછી હેકરોએ ડાર્કવેબના માધ્યમથી ખંડણી માગી. ડાર્ક વેબ પર ઉપલબ્ધ આ હેકર ગ્રૂપનું પેજ એક સામાન્ય કસ્ટમર સર્વિસની વેબસાઈટ જેવો દેખાય છે. તેમાં એક તરફ સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો છે તો બીજી બાજુ પોતાના સોફ્ટવેરની ફ્રી સેમ્પલ ઓફર અને એક લાઈવ ચેટની સુવિધાનો વિકલ્પ છે. એક જગ્યાએ કાઉન્ટડાઉન ટાઈમ છે. તેના પર જેમ જેમ સમય ઓછો થાય છે, હેકરો ખંડણીની રકમ બમણી કરે છે કાં પછી માલવેરના માધ્યમથી જે ડેટા એકઠો કર્યો છે , તેને મિટાવી દે છે.

9 કરોડમાં હેકરોએ ડીલ ફાઇનલ કરી
હેકરોએ યુનિવર્સિટીને મેસેજ મોકલી 23 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. યુનિવર્સિટીએ કહ્યું કે કોરોના સંકટને લીધે તે 6 કરોડ રૂપિયા જ આપી શકે છે. છેવટે 9 કરોડ રૂપિયામાં ડીલ થઈ. યુનિવર્સિટીએ બિટકોઈનના માધ્યમથી હેકર ગ્રૂપના ઈ-વૉલેટમાં ખંડણીની રકમ મોકલી. તેના પછી યુનિવર્સિટીને રેનસમવેર ડિક્રિપ્શન સોફ્ટવેર મળી શક્યું.

અમેરિકી, યુરોપિયન તપાસ એજન્સીઓએ મામલા શેર કરવા કહ્યું
સુરક્ષા એજન્સીઓ એફબીઆઈ, યુરોપોલ અને બ્રિટનની નેશનલ સાઈબર સિક્યોરિટી સેન્ટરે રિસર્ચ ટીમોને હેકરથી સાવધાન રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે તે ડિજિટલ ખંડણીના મામલા શેર કરે. રિસર્ચ એજન્સીઓ કહે છે કે ગુનાઈત સાઈબર ગેંગ એવા સોફ્ટવેરનો ઉપયોગ વધારે પસંદ કરે છે જેનાથી કમ્પ્યુટરથી એક જ વખતમાં સંપૂર્ણ ડેટા ડાઉનલૉડ થઈ જાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2D4hsk4

Uttar Pradesh: 23 killed in incidents of lightning strikes

Uttar Pradesh: 23 killed in incidents of lightning strikes

from India Today | Top Stories https://ift.tt/2C61zsW

Farmers get ‘Rural Hut’ to sell their products directly to customers in J&K’s Doda

Farmers get ‘Rural Hut’ to sell their products directly to customers in J&K’s Doda




from News - Videos - The Times of India https://ift.tt/3gmR8zW

Friday, July 3, 2020

Jamal Khashoggi murder trial told oven was lit after killing

Jamal Khashoggi murder trial told oven was lit after killing

from India Today | Top Stories https://ift.tt/31GOaSP

TOI daily: 8 UP cops killed as mission to nab gangster turns into trap

TOI daily: 8 UP cops killed as mission to nab gangster turns into trap




from News - Videos - The Times of India https://ift.tt/2BuE9Oa

TOI Top10: Why is UP hotbed of gun violence?



from Times of India https://ift.tt/2tlZbpO

બ્લેક-ગ્રીન ટી અને હિમેજમાં કોરોના સામે લડવાની ક્ષમતા, તેમાં હાજર કેમિકલ વાઈરસ પ્રોટીનને નષ્ટ કરી શકે છે

IIT દિલ્હીમાં થયેલા તાજેતરના રિસર્ચ પ્રમાણે, બ્લેક ટી, ગ્રીન ટી અને હિમેજના એક્સટ્રેક્ટમાં એન્ટિવાઈરલના ગુણો મળ્યા છે. તે કોરોનાથી લડવામાં મદદ કરી શકે છે અને તેમાં દર્દીઓને સાજા કરવાની ક્ષમતા છે. ટૂંક સમયમાં તેનું ક્લિનિકલ ટ્રાયલ શરુ થશે. સંશોધક પ્રોફેસર અશોક કુમાર પટેલ પ્રમાણે, ઔષધીય છોડથી વાઈરલ ડિસીઝની ગંભીરતાને ઓછું કરી શકાય છે. ઓછા ખર્ચમાં સારવાર માટે આ વસ્તુઓ સારો વિકલ્પ સાબિત થાય છે.

કોરોનાના પ્રોટીનને ટાર્ગેટ કરવાના પ્રયત્નો
જર્નલ ફિઝિયોથેરપી રિસર્ચમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, સંશોધકોએ 51 ઔષધીય છોડની અસર કોરોનાના 3 સીએલપી પ્રોટીએઝ પ્રોટીન પર જોઈ. શરીરમાં કોરોનાવાઈરસના રેપ્લિકેશન માટે આ પ્રોટીન જવાબદાર હોય છે. આ પ્રોટીનને ટાર્ગેટ કરીને શરીરમાં વધતા કોરોનાની સંખ્યાને કન્ટ્રોલ કરી શકાય છે. સંશોધકો પ્રમાણે, ચા અને હિમેજમાં ગેલોટેનિન નામનું તત્ત્વ હોય છે, જે કોરોનાના પ્રોટીનને અટકાવે છે.

ચાથી કોરોનાનાં દર્દીઓને રાહત મળી શકે છે
IIT દિલ્હીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ડીન એસ. કે ખરે પ્રમાણે, ભારતીય ઔષધીય છોડમાં એવા બાયોએક્ટિવ કમ્પોનન્ટ છે જે ઘણી બીમારી સામે લડવામાં મદદ કરે છે. રિસર્ચમાં એવા પ્રમાણ મળ્યા છે, જે જણાવે છે કે ચા કોવિડ સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત આપે છે. તે કોરોના 3 સીએલપી પ્રોટીએઝ પ્રોટીનને અટકાવે છે.

સંશોધક પ્રોફેસર અશોક કુમાર પટેલ પ્રમાણે, રિસર્ચ દરમિયાન ગેલોટેનિનમાં મેડિસિનલ ગુણો હોય છે તે વાત ખબર પડી. તે ટેનિક એસિડથી પણ ઓળખાય છે.

એક્સપર્ટ એડવાઈઝ: દિવસભર બેથી વધારે ગ્રીન ટી-બ્લેક ટી ન લેવી

આયુર્વેદ અને નેચરોપેથી એક્સપર્ટ ડો. કિરણ ગુપ્તા પ્રમાણે, જ્યારે વાઈરસનો હુમલો થાય છે ત્યારે શરીર ઇન્ટરફેરોન્સ રિલીઝ કરવા લાગે છે. આ ઇન્ટરફેરોન્સ મોટાભાગે વાઈરસને પ્રથમ સ્ટેજમાં નષ્ટ કરી દે છે. ગેલોટેનિન આ ઇન્ટરફેરોન્સને મજબૂત કરાવે છે જેથી તે વાઈરસના સંક્રમણથી બચાવી શકે.

દિવસભરમાં બેથી વધારે ગ્રીન કે બ્લેક ટી લેવી ના જોઈએ. સૌથી જરૂરી વાત એ છે કે, તેમાં ખાંડનો ઉપયોગ ન કરો અને સાંજે 6 વાગ્યા પહેલાં પી લો, નહિતો અનિંદ્રાની સમસ્યા થઇ શકે છે.

આ બંને પ્રકારની ચામાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરો પરંતુ ચા ઠંડી થયા પછી જ તેમાં મધ ભેળવો. આમ ન કરવાથી તેના પોષક તત્ત્વો નષ્ટ થઇ જાય છે. ચાને વધારે ફાયદેમંદ બનાવવા માટે તેમાં લીંબુનાં રસના થોડા ટીપાં નાખી શકો છો.

હિમેજ પેટને સાફ રાખવાનું કામ કરે છે. ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે મોટાભાગની પેટ બીમારીઓ પેટથી શરુ થાય છે અને હિમેજ પેટને સાફ કરવામાં મદદ કરે છે જેથી ઈમ્યુનિટી વધે. તે આંતરડાંને સૂકાવાથી પણ અટકાવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The ability to cure corona patients in black green tea and greenery, damage the proteins of the gallotinin virus present in them


from Divya Bhaskar https://ift.tt/2YUDm1E

ભગવાન જગન્નાથ 12 દિવસ પછી આજે ફરી મંદિરમાં પ્રવેશ કરશે, રથને તોડીને તેના લાકડા મંદિરની રસાઈના ચૂલામાં બાળવામાં આવશે

પુરીમાં 1 જુલાઈએ પૂર્ણ થયેલી રથયાત્રા બાદ હવે ભગવાન જગન્નાથ શનિવારે મુખ્ય મંદિરમાં આવશે. ગુંડિચા મંદિરથી પાછા ફર્યા બાદથી જ ભગવાન અત્યાર સુધી મંદિરની બહાર રથ ઉપર જ વિરાજમાન હતાં. શનિવારે એટલે આજે સાંજે 5 વાગ્યે તેમને રથમાંથી ઉતારીને મંદિરમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ત્રણેય રથને તોડી નાખવામાં આવશે. રથના લાકડાને ભગવાનની રસોઈમાં વર્ષભર સુધી ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.

રથયાત્રા પરત ફર્યા બાદ પણ ત્રણ દિવસ ભગવાનને મંદિરની બહાર જ રાખવામાં આવે છે. અહીં અનેક પ્રકારની પરંપરા હોય છે. શનિવારે સાંજે ભગવાનને રથ પરથી ઉતારીને મંદિરની અંતર રત્ન સિંહાસન ઉપર વિરાજમાન કરવામાં આવશે. અહીં ભગવાન જગન્નાથ અને લક્ષ્મીના લગ્નની પરંપરાઓ પૂર્ણ થશે. ત્યાર બાદ ભગવાનને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

રથયાત્રા મુખ્ય મંદિરમાં પરત ફર્યા બાદથી કર્ફ્યૂ દેવી સ્થિતિ હતી. જોકે, પરંપરા એેવી પણ છે કે, ભગવાન ત્રણ દિવસ મંદિરની બહાર રહીને વિવિધ સ્વરૂપોમાં જનતાને દર્શન આપે છે, પરંતુ આ વર્ષો લોકડાઉનના કારણે ભક્તો વિના જ બધી પરંપરાઓ મંદિર સમિતિના સભ્યો અને પૂજારીઓની ઉપસ્થિતિમાં થઇ. આજે રથયાત્રાની છેલ્લી પરંપરાઓ પૂર્ણ કરવામાં આવશે, તેમાં પણ બહારના લોકોનો પ્રવેશ રહેશે નહીં.

રથને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે થોડી વસ્તુઓ જેમ કે, સારથી, ઘોડા અને થોડી પ્રતિમાઓ સુરક્ષિત રાખવામાં આવશે. રથના થોડાં ભાગને કારીગર પોતાની સાથે લઇ જશે. જેને તેઓ પોતાનું મહેનતાણું અને ભગવાનનો આશીર્વાદ માને છે. થોડાં લોકો હવન માટે પણ રથના લાકડા લઇ જાય છે. આ પ્રકારે શનિવાર એટલે આજે રથયાત્રાનું સમાપન થશે.

રથનું નિર્માણ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે. વસંત પંચમીએ વૃક્ષોને કાપવાનું શરૂ થાય છે. લગભગ 150 વિશ્વકર્મા સેવક રથના નિર્માણનું કામ કરે છે. આ વર્ષે રથ નિર્માણ કાર્ય 12 દિવસ મોડું શરૂ થયું હતું પરંતુ સમયે પૂર્ણ થયું.
રથનું નિર્માણ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે. વસંત પંચમીએ વૃક્ષોને કાપવાનું શરૂ થાય છે. લગભગ 150 વિશ્વકર્મા સેવક રથના નિર્માણનું કામ કરે છે. આ વર્ષે રથ નિર્માણ કાર્ય 12 દિવસ મોડું શરૂ થયું હતું પરંતુ સમયે પૂર્ણ થયું.

2000 થી વધારે વૃક્ષોથી રથ બને છેઃ-
રથના નિર્માણ માટે દર વર્ષે લગભગ 2000 વૃક્ષના લાકડાની જરૂર પડે છે. જે પુરી પાસેના જંગલોથી જ લાવવામાં આવે છે. મંદિરના પૂજારી પં. શ્યામ મહાપાત્રા પ્રમાણે રથના લાકડા વર્ષભર સુધી ભગવાનની રસોઈમાં બાળવામાં આવે છે. થોડાં લાકડાઓ મઠના હવન માટે લઇ જવામાં આવશે. ભગવાન જગન્નાથની રસોઈ દુનિયાની સૌથી મોટી રસોઈ માનવામાં આવે છે, જેમાં 752 ચૂલા છે. તેમાં જ રોજ ભગવાનનો ભોગ બને છે.

શુક્રવારે અધરપાણામાં સેંકડો કિલો દૂધ-માખણનો ભોગઃ-
શુક્રવારે સાંજે અધરપાણા નામની પરંપરા પૂર્ણ કરવામાં આવી. તેમાં ભગવાન જગન્નાથ સાથે તેમના ભાઇ-બહેનને 3-3 માટલામાં દૂધ, માખણ, ઘી, પનીર વગેરેનો ભોગ ધરાવવામાં આવ્યો છે. ત્રણેય પ્રતિમાઓ સામે 3-3 માટલા રાખવામાં આવે છે, આ માટલા 3 થી 4 ફૂટના હોય છે, જે ભગવાનના હોઠ સુધી આવે છે. એક માટલામાં લગભગ 200 કિલો દૂધ, માખણ વગેરે હોય છે. ભગવાનને ભોગ ધરાવ્યાં બાદ આ માટલાને રથ ઉપર જ ફોડી દેવામાં આવે છે, જેથી બધું જ દૂધ-માખણ રથ પરથી વહીને રસ્તા ઉપર આવી જાય છે.

ભગવાન જગન્નાથને રથયાત્રા પરત ફર્યાના બીજા દિવસે સોનાના આભૂષણ પહેરાવવામાં આવે છે. આ પરંપરાને સુનોબેસા કહેવામાં આવે છે. આ દૃશ્ય જોવા માટે વિશાળ સંખ્યામાં લોકો આવે છે, પરંતુ આ વર્ષે આ પરંપરા દરમિયાન પુરી શહેરમાં કર્ફ્યૂ હતો.
ભગવાન જગન્નાથને રથયાત્રા પરત ફર્યાના બીજા દિવસે સોનાના આભૂષણ પહેરાવવામાં આવે છે. આ પરંપરાને સુનોબેસા કહેવામાં આવે છે. આ દૃશ્ય જોવા માટે વિશાળ સંખ્યામાં લોકો આવે છે, પરંતુ આ વર્ષે આ પરંપરા દરમિયાન પુરી શહેરમાં કર્ફ્યૂ હતો.

200 કિલો સોનાના ઘરેણા ભગવાન પહેરે છેઃ-
ગુરુવારે ભગવાનને સોનાના ઘરેણાથી સજાવવામાં આવ્યાં હતાં. આ પરંપરામાં 200 કિલો સોનાના ઘરેણા ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા દેવીને પહેરાવવામાં આવ્યાં હતાં. આ ઘરેણા મંદિરના પરંપરાગત ઘરેણા છે, જેમની કિંમત કરોડોમાં છે. વર્ષભમાં એકવાર જ આ ઘરેણાનો ઉપયોગ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Lord Jagannath will re-enter the temple today after 12 days, the chariot will be broken and its wood will be burnt in the kitchen stove of the temple


from Divya Bhaskar https://ift.tt/38rW6c6

રાજ્યમાં કોરોનાના કુલ 34,686 કેસ નોંધાયા, જેમાથી 24,941 દર્દી ડિસ્ચાર્જ અને 1,906ના મોત

રાજ્યમાં જૂન તેમજ જુલાઈ મહિનામાં કોરોનાની સંખ્યામાં વધારો થયો છે. દરરોજ 600થી વધુ નવા કેસ તેમજ 15થી 20 લોકોના સારવાર દરમિયાન મોત થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 34,686 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1906એ પહોંચ્યો છે. જ્યારે 24,941 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં 7,839 એક્ટિવ કેસ છે. જેમાથી 61 વેન્ટીલેટર પર જ્યારે 7778ની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 687 કેસ નોંધાયા છે અને 18 દર્દીના મોત થયા છે. જ્યારે 340 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગઈકાલે કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા
સુરત-204, અમદાવાદ-204, વડોદરા-62, જૂનાગઢ-26, ભાવનગર-21, ગાંધીનગર-16,ખેડા-14 ,સુરેન્દ્રનગર-14,ભરૂચ-13,પંચમહાલ-13, જામનગર-13, પાટણ-11, રાજકોટ-10, આણંદ-9, બનાસકાંઠા-8, મહીસાગરમાં 7, વલસાડ-6, નવસારી-6, સાબરકાંઠા-5, કચ્છ-5, મહેસાણા-5, નર્મદા-3, તાપી-3, બોટાદ-મોરબીમાં 2-2, અરવલ્લી, ગીર સોમનાથ, દાહોદ અને દેવભૂમિ દ્વારકા-પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા.

7 દિવસથી રાજ્યમાં દરરોજ 600થી વધુ કેસ,અમદાવાદમાં 11દિવસથી 250થી ઓછા કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)
26 જૂન 580(219)
27 જૂન 615(211)
28 જૂન 624(211)
29 જૂન 626(236)
30 જૂન 620(197)
1 જુલાઈ 675(215)
2 જુલાઈ 681(211)
3 જુલાઈ 687(204)

કુલ 34,686દર્દી,1,906ના મોત અને 24,941 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 21,543 1,466 16,385
સુરત 5,461 172 3706
વડોદરા 2433 51 1768
ગાંધીનગર 693 31 518
ભાવનગર 302 13 152
બનાસકાંઠા 210 11 155
આણંદ 241 13 202
અરવલ્લી 215 19 172
રાજકોટ 220 8 128
મહેસાણા 300 11 156
પંચમહાલ 200 16 145
બોટાદ 97 3 65
મહીસાગર 147 2 118
પાટણ 229 17 119
ખેડા 186 10 119
સાબરકાંઠા 187 9 117
જામનગર 258 4 118
ભરૂચ 266 10 131
કચ્છ 175 5 96
દાહોદ 65 1 47
ગીર-સોમનાથ 79 1 49
છોટાઉદેપુર 60 2 43
વલસાડ 179 4 63
નર્મદા 94 0 59
દેવભૂમિ દ્વારકા 25 2 16
જૂનાગઢ 147 4 58
નવસારી 131 2 61
પોરબંદર 21 2 13
સુરેન્દ્રનગર 180 8 84
મોરબી 31 1 17
તાપી 12 0 8
ડાંગ 4 0 4
અમરેલી 95 7 42
અન્ય રાજ્ય 88 1 8
કુલ 34,686 1,906 24,941


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, A total of 34,686 cases were reported, 24,941 patient discharges and 1,906 deaths


from Divya Bhaskar https://ift.tt/2BBeza7

કોંગ્રેસના આઠ ધારાસભ્ય ભાજપમાં જોડાયા પછી અન્ય 5 લાઇનમાં હતા, ભાજપ ઈચ્છત તો 15 રાજીનામાં પાડી શકત

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યનાં રાજીનામાં પડ્યાં અને કોંગ્રેસના એક ઉમેદવાર જીતી શકે તેમ હતા છતાં હારી ગયા. જો ભાજપે ઈચ્છ્યું હોત તો આઠને બદલે 15 ધારાસભ્યનાં રાજીનામાં પડી શક્યાં હોત. ભાજપના એક મોટાગજાના નેતાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીના એક દિવસ અગાઉ પણ ફોન કરીને ભાજપમાં જોડાઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ નેતાએ જણાવ્યું કે, પાંચ ધારાસભ્યો સતત અમારા સંપર્કમાં રહી અમને કોંગ્રેસની પળેપળની માહિતી પણ પહોંચાડતા હતા. આ પાંચ સિવાય બીજા બે ધારાસભ્યો તો 2017માં ચૂંટાઇને આવ્યા પછી ચાર-પાંચ મહિના બાદ જ સંપર્ક કરીને ભાજપમાં જોડાઇ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને હજુ પણ તેઓ સતત તેમ કરી રહ્યા છે.

સાત ધારાસભ્યોનો સમય આવ્યે સંપર્ક કરાશે
આ સાત ધારાસભ્યમાં 3 કોંગ્રેસી ધારાસભ્યો સૌરાષ્ટ્ર, બે ઉત્તર ગુજરાત, એક મધ્ય ગુજરાત અને એક દક્ષિણ ગુજરાતના છે. ભાજપના નેતાના જણાવ્યા અનુસાર, આ પાંચ ધારાસભ્યોને આગામી સમયમાં ભાજપમાં જોડાવવા માટે નિર્ણય લેવામાં આવશે.

વિધાનસભા ચૂંટણી પહેલા જ નંબર લાગશે
આ ધારાસભ્યો આગામી વિધાનસભાની યોજાનારી ચૂંટણી પૂર્વે જ જોડાશે. રાજ્યસભાની ચૂંટણી હવે ત્રણ વર્ષે 2023માં આવશે અને તે દરમિયાન કોઇ જરૂર પડશે નહીં. આ સિવાય ચૂંટણીમાં લોકો પર માહોલ ઊભો કરવા માટે આવી જરૂર પડતી હોવાથી હવે વિધાનસભાની ચૂંટણી ટાણે જ પ્રવેશ થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After Eight Congress MLAs joining BJP, other 5 Congress MLAs was in the line


from Divya Bhaskar https://ift.tt/3f0icVv

Delhi riots: Links to Zakir Naik, Saudi Arabia, PFI established in police probe

Delhi riots: Links to Zakir Naik, Saudi Arabia, PFI established in police probe

from India Today | Top Stories https://ift.tt/38pROSx

WHO sees first results from coronavirus drug trials within two weeks

WHO sees first results from coronavirus drug trials within two weeks

from India Today | Top Stories https://ift.tt/2ZtvLWQ

We found out, China didn't alert: WHO on Covid-19

The World Health Organization has updated its account of the early stages of the Covid crisis to say it was alerted by its own office in China, and not by China itself, to the first pneumonia cases in Wuhan. The UN health body has been accused by US President Trump of failing to provide the information needed to stem the pandemic and being complacent, charges it denies.

from Times of India https://ift.tt/3itKCcD

Nike deal ends, will BCCI take a hit?

The BCCI is in the middle of putting together a Request for Proposal (RFP) to be brought out next week as Indian cricket's clothing rights deal with athletic footwear and apparel giant Nike comes to an end this September. Given the volatile markets BCCI is structuring the RFP in a way that could see the base (reserve) price for logo rights scale down by almost 31%.

from Times of India https://ift.tt/3dWk8gr

Blog: Allow the Chinese to save face



from Times of India https://ift.tt/31I1eYn

Delhi: How more hotels & restaurants are trying to unlock

Delhi: How more hotels & restaurants are trying to unlock

from India Today | Top Stories https://ift.tt/38sSRRu

A second front: BSF steps up its vigil along Pak border

A second front: BSF steps up its vigil along Pak border

from India Today | Top Stories https://ift.tt/31UFNU7

નાણાકીય કટોકટી, કામદારોની અછત-ઉત્પાદન ખર્ચ વધતા ગુજરાતની 1500થી વધુ MSMEએ બિઝનેસ રિસફલ કર્યો

કોરોના વાયરસ મહામારીના કારણે ત્રણ માસ જેટલો સમય લોકડાઉનમાં પસાર થયો જેના કારણે ગુજરાતને અનેક એમએસએમઇને વેપાર રિસફલ કરવાની ફરજ પડી છે. લોકડાઉન દૂર થયું છે પરંતુ ગુજરાતની અંદાજે 1500થી વધુ MSMEએ વેપાર જાળવી રાખવા માટે મેઇન બિઝનેસમાંથી અન્ય વેપાર તરફ ડાઇવર્ટ થયા છે. મેનપાવરની અછત, નાણાંકિય કટોકટી તેમજ અનેક યુનિટો ડિમાન્ડ પર આધારિત છે તેને અસર થતા સંખ્યાબંધ કંપનીઓ પોતાના મેઇન બિઝનેસમાંથી અન્ય બિઝનેસ અપનાવવા લાગ્યા છે. આગામી હજુ બે માસ સુધીમાં ગુજરાતની કુલ 4.5-5 લાખ એમએસએમઇ યુનિટોમાંથી અંદાજે 75000 જેટલી નાની કંપનીઓ પોતાનો બિઝનેસ રિસફલ કરશે તેવો અંદાજ છે.

પાયાના સેક્ટર એવા ટેક્સટાઇલ-ગારમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર- રિઅલ એસ્ટેટ, આયાત-નિકાસ, એફએમસીજી, ટૂરિઝમ, હોટલ-ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તથા જવેલરી સેક્ટરની અનેક કંપનીઓ ઓનલાઇન બિઝનેસ, ગ્રોસરી, વેજીટેબલ્સ-ફ્રૂટ, પીપીઇ કીટ, ગ્લોવ્સ-માસ્ક, સેનેટાઇઝરના ઉત્પાદન તરફ ડાઇવર્ટ થઇ છે. જેટલી કંપનીઓએ બિઝનેસ રિસફલ કર્યો છે તે કંપની શોર્ટટર્મમાં પ્રોફિટેબલ બની ગઇ છે. એટલું જ નવા બિઝનેસના પ્રોફિટના કારણે જૂનો બિઝનેસ સસ્ટેઇન થઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે રિસફલ બિઝનેસ ઉપરાંત મેઇન બિઝનેસમાં સ્થિતિ રાબેતા મૂજબ થતા તેમાં પણ વેપાર ચાલુ રાખશે.

કોરોના ઇફેક્ટ હજુ આગામી ત્રણ થી ચાર માસ તો અમુક સેક્ટરમાં એકાદ વર્ષ સુધી ચાલુ રહેશે તેવો નિર્દેશ અગ્રણી બિઝનેસમેન કરી રહ્યાં છે. જ્યાં સુધી ડિમાન્ડ-સપ્લાય રાબેતા મુજબ નહિં બને તો આગળ જતા અનેક કંપનીઓ પોતાનો મેઇન બિઝનેસ રિસફલ કરશે તેમાં શંકાને સ્થાન નથી. જે કંપનીઓએ નવા બિઝનેસમાં ઝંપલાવ્યું છે તેમાં પોઝિટીવ ગ્રોથ જોવા મળ્યો છે.

શા માટે MSMEને બિઝનેસ રિસફલ કરવાની જરૂર પડી?
એમએસએમઇ અનેક કંપનીઓને અનલોકમાં સૌથી મોટો પ્રશ્ન મેનપાવર પૂરતો ન હોવાનો છે. આ ઉપરાંત નાણાંકીય કટોકટી, ડિમાન્ડ ન હોવાથી વેપારમાં અડચણ છે ત્યારે નવા બિઝનસેમાં શોર્ટટર્મ ગેઇન થતા જૂનો બિઝનેસ સસ્ટેઇન થઇ રહ્યો છે. નવા બિઝનેસમાં કમાણીની તક છે જેના કારણે મહામારીની સ્થિતિ હળવી થશે તો પણ અનેક કંપનીઓ હવે બે બિઝનેસ ચલાવશે.

કયા સેક્ટરમાંથી કયા સેક્ટરમાં ડાઇવર્સિફાઇ થયા

જૂનો બિઝનેસ ડાઇવર્ટ થયેલ બિઝનેસ
હોસ્પિટાલિટી ઓનલાઇન ગ્રોસરી બિઝનેસ
હોટલ-રેસ્ટોરન્ટ ઓનલાઇન વેજિટેબલ્સ-ફ્રૂટ્સ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રોપ બિઝનેસ, સિડ્સ
જ્વેલરી-ડાયમંડ જ્વેલરી, ઓનલાઇન વેચાણ
ટ્રાન્સપોર્ટેશન બોઇલર-ઓટોપાર્ટ્સ મેન્યુ.
ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ ઓનલાઇન ટ્રેનિંગ-એજ્યુ.
ઇમ્પોર્ટ-એક્સપોર્ટ પીપીઇ, ગ્લોવ્સ-માસ્ક

ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટમાંથી ઓનલાઇન તરફ પ્રયાણ કર્યું
એમડી-મેટાર્વસિટી ઇન્સ્ટીટ્યૂટના અંકીત જોષીપુરાએ જણાવ્યું કે, પેન ઇન્ડિયા ટ્રેઇનિંગ-કોચીંગ પૂરી પાડતી ઇન્સ્ટીટ્યૂટ છેલ્લા ફેબ્રુઆરી માસથી મૃત: પાય અવસ્થામાં છે જેની સામે નવી તક ઝડપી મેટાર્વસિટી નામનું ઓનલાઇન પ્લેટફોર્મ શરૂ કરવા પ્રયાસ કર્યો છે જેમાં અનેક કંપનીઓ-યુનિવર્સિટી દ્વારા સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ વેપારમાં ટુંકાગાળામાં ઝડપી ગ્રોથ મે‌ળવી લેશું તેવી આશા છે.

20 ટકા જેટલા MSME રિસફલ થશે
એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયનના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાયે કહ્યું કે,નાના-નાના અનેક યુનિટોને મેઇન બિઝનેસમાંથી અન્યમાં ફરજિયાત ડાઇવર્ટ થવું પડ્યું. મેનપાવરની શોર્ટેજ, નાણાં કટોકટી, ડિમાન્ડ-સપ્લાયનો અભાવ હોવાથી વેપાર બદલવાની ફરજ પડી.નવા બિઝનેસમાં ઝંપલાવ્યું છે તેમાં સારો ગ્રોથ મેળવવામાં કંપનીઓ સફળ રહી છે.

ઓર્ગેનિકમાં કમાણીની તક ઝડપી
ઓર્ગેનિક હાઉસીસના ફાઉન્ડર પાયલ વેકરીયાના જણાવ્યાનુસાર મુખ્ય વ્યવસાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો હતો પરંતુ મેનપાવરની શોર્ટેજઅને પ્રોજેક્ટ કોસ્ટ વધી જતા વેપાર સંતુલન માટે અન્ય વેપાર તરફ નજર દોડાવી પડી. ઓર્ગેનિકનો જમાનો હોવાથી અને ખેડૂતોને સારા ભાવ મળી રહે તે આશયથી ઓર્ગેનિક વેજિટેબલ્સ-ફ્રૂટના વેપારમાં ઝંપલાવ્યું .USA, કેનેડા,આફ્રિકામાં સ્પાઇસીસ-ગ્રોસરીની નિકાસની વિચારણા છે.

ઓનલાઇન ગ્રોસરી સ્ટોર્સમાં પ્રવેશ
કેપ્સિકમ રેસ્ટોરન્ટના કો-ફાઉન્ડર રૂપલ ઘીઆ એ જણાવ્યું કે, કોરોનામાં સૌથી મોટી અસર હોસ્પિટાલિટી-હોટલ તથા રેસ્ટોરન્ટ બિઝનેસને પડી છે અને હજૂ પડી રહી છે. હજુ બે માસ સુધી આ સેક્ટર માટે પડકારો છે તેને ધ્યાનમાં લેતા ઓનલાઇન ગ્રોસરી સ્ટોર શરૂ તરફ નજર દોડાવી. અમારા ક્લાઇન્ટો સાથે કોન્ટેક્ટ જળવાઇ રહે તે મુખ્ય આશય છે. જૂનો બિઝનેસ શરૂ થવા સાથે નવા વેપારને પણ વેગ આપીશું.

કિટ-માસ્ક-સેનિટાઇઝરમાં ઝંપલાવ્યું
સંકર-6 કોટન ફાઇબર પ્રા.લિ.ના એમડી તુષાર શેઠે જણાવ્યું કે, કોટન તથા યાર્નની નિકાસ કોરોના ઇફેક્ટથી અટકી છે. ચાર માસથી વેપાર ન હોવાથી અન્ય બિઝનેસમાં પીપીઇ કિટ, માસ્ક, સેનેટાઇઝર તથા હોસ્પિટલ પ્રોડક્ટમાં ઝંપલાવ્યું છે અને તેમાં સફળતા મળી છે. નવા વેપારમાં 10 કરોડથી વધુનું ટર્નઓવર મેળવી લીધું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
More than 1500 MSMEs in Gujarat reshuffle business due to financial crisis, labor shortage and rising production costs


from Divya Bhaskar https://ift.tt/2W0wJJB

મુખ્યમંત્રીના સુરત આગમન પૂર્વે જ સ્મીમેરમાં 2 દર્દીને ઓક્સિજન ન મળતાં બંનેના એકસાથે મોત

મુખ્યમંત્રીના સુરત આગમન પૂર્વે જ સ્મીમેર હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નિપજતા ખળભળાટ મચી ગયો હતો. સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર બાબતે પ્રશ્નો ઉભા થતા રહ્યા છે ત્યારે શુક્રવારે અત્યંત ગંભીર ઘટના બની જતા સ્મીમેર અને મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું.ડોક્ટર હાજર નહીં હોવાના કારણે તેમજ ઓક્સિજન ઓછો મળવાને કારણે આડોશ પાડોશમાં રહેતા બે વૃદ્ધોના મોત નીપજ્યા હતા.

સાંજે સાડા પાંચથી છ વાગ્યાના સમયે અચાનક જ બંનેના મોત
આખા મામલે ડોક્ટરો ઉપર આક્ષેપો થઇ રહ્યા છે અને ડોક્ટરોની બેદરકારી સામે રોષ વ્યાપી ગયો છે. કાપોદ્રાની ઇશ્વરકૃપા સોસાયટીમાં રહેતા 59 અને 65 વર્ષિય બે વૃદ્ધોને શ્વાસની તકલીફ થઇ હતી. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા ગુરુવારે સવારના સમયે સ્મીમેર હોસ્પિટલના કોરોનાની ઓપીડીમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં તેઓની હાલત ખરાબ થઇ હતી અને ઓક્સિજન ઉપર રખાયા હતા. શુક્રવારે સાંજે સાડા પાંચથી છ વાગ્યાના સમયે અચાનક જ બંનેના મોત નીપજ્યા હતા.

ડોક્ટરને કહેવા છતાં ધ્યાને ન લીધું
શુક્રવારે સાંજે સાડા પાંચ વાગ્યે ઘટના બની છે. મારા પિતાને ઓક્સીજન માટે બાઇપેપ મશીનરી લગાડી હતી અને અચાનક બંધ થઇ ગઇ હતી જેના કારણે ઓક્સીજન મળતો જ બંધ થઇ ગયો હતો. ડોક્ટરોને બોલાવીને જાણ કરાઇ હતી. પરંતુ હાજર એક ડોક્ટરે થોડી વારમાં આવું છુ કહીને ચાલ્યા ગયા હતા.ઓક્સિજન ન મળતા જ મોત થયું છે.> અજય કાકડીયા, મૃતકનો પુત્ર

મોત બેદરકારીથી થયા નથી: ડીન
સ્મીમેરમાં બેદરકારીને લીધે 2 દર્દીઓના મોત નિપજ્યાના કિસ્સામાં સ્મીમેર મેડિકલ કોલેજના ડિન આર.કે. બંસલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે બંને દર્દી લીંબાભાઈ કાપડિયા (57) અને નરસીભાઈ મોહનભાઇ મંગરોળિયા (65)(બંને રહે, ઇશ્વરકૃપા સોસાયટી, કાપોદ્રા) બંને પૈકી લીંબાભાઈ ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા જ્યારે નરસીભાઈને ન્યુમોનિયાની બીમારી હતી.ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પણ હતું. શરૂઆતથી જ વેન્ટિલેટર પર હતા.સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

ઓક્સિજન ચાલુ હતો, બંધ નથી થયો
ઓક્સિજન ચાલુને ચાલુ જ છે. તે બંધ થયો નથી. ઓક્સિજન નહીં મળવાને કારણે તેમના મોત નિપજ્યા નથી.> જયેશ પટેલ,સિનિયર આર.એમ.ઓ.,સ્મીમેર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/3irrP1J