
IIT દિલ્હીમાં થયેલા તાજેતરના રિસર્ચ પ્રમાણે, બ્લેક ટી, ગ્રીન ટી અને હિમેજના એક્સટ્રેક્ટમાં એન્ટિવાઈરલના ગુણો મળ્યા છે. તે કોરોનાથી લડવામાં મદદ કરી શકે છે અને તેમાં દર્દીઓને સાજા કરવાની ક્ષમતા છે. ટૂંક સમયમાં તેનું ક્લિનિકલ ટ્રાયલ શરુ થશે. સંશોધક પ્રોફેસર અશોક કુમાર પટેલ પ્રમાણે, ઔષધીય છોડથી વાઈરલ ડિસીઝની ગંભીરતાને ઓછું કરી શકાય છે. ઓછા ખર્ચમાં સારવાર માટે આ વસ્તુઓ સારો વિકલ્પ સાબિત થાય છે.
કોરોનાના પ્રોટીનને ટાર્ગેટ કરવાના પ્રયત્નો
જર્નલ ફિઝિયોથેરપી રિસર્ચમાં પબ્લિશ થયેલા રિસર્ચ પ્રમાણે, સંશોધકોએ 51 ઔષધીય છોડની અસર કોરોનાના 3 સીએલપી પ્રોટીએઝ પ્રોટીન પર જોઈ. શરીરમાં કોરોનાવાઈરસના રેપ્લિકેશન માટે આ પ્રોટીન જવાબદાર હોય છે. આ પ્રોટીનને ટાર્ગેટ કરીને શરીરમાં વધતા કોરોનાની સંખ્યાને કન્ટ્રોલ કરી શકાય છે. સંશોધકો પ્રમાણે, ચા અને હિમેજમાં ગેલોટેનિન નામનું તત્ત્વ હોય છે, જે કોરોનાના પ્રોટીનને અટકાવે છે.
ચાથી કોરોનાનાં દર્દીઓને રાહત મળી શકે છે
IIT દિલ્હીના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ડીન એસ. કે ખરે પ્રમાણે, ભારતીય ઔષધીય છોડમાં એવા બાયોએક્ટિવ કમ્પોનન્ટ છે જે ઘણી બીમારી સામે લડવામાં મદદ કરે છે. રિસર્ચમાં એવા પ્રમાણ મળ્યા છે, જે જણાવે છે કે ચા કોવિડ સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત આપે છે. તે કોરોના 3 સીએલપી પ્રોટીએઝ પ્રોટીનને અટકાવે છે.
સંશોધક પ્રોફેસર અશોક કુમાર પટેલ પ્રમાણે, રિસર્ચ દરમિયાન ગેલોટેનિનમાં મેડિસિનલ ગુણો હોય છે તે વાત ખબર પડી. તે ટેનિક એસિડથી પણ ઓળખાય છે.
એક્સપર્ટ એડવાઈઝ: દિવસભર બેથી વધારે ગ્રીન ટી-બ્લેક ટી ન લેવી
આયુર્વેદ અને નેચરોપેથી એક્સપર્ટ ડો. કિરણ ગુપ્તા પ્રમાણે, જ્યારે વાઈરસનો હુમલો થાય છે ત્યારે શરીર ઇન્ટરફેરોન્સ રિલીઝ કરવા લાગે છે. આ ઇન્ટરફેરોન્સ મોટાભાગે વાઈરસને પ્રથમ સ્ટેજમાં નષ્ટ કરી દે છે. ગેલોટેનિન આ ઇન્ટરફેરોન્સને મજબૂત કરાવે છે જેથી તે વાઈરસના સંક્રમણથી બચાવી શકે.
દિવસભરમાં બેથી વધારે ગ્રીન કે બ્લેક ટી લેવી ના જોઈએ. સૌથી જરૂરી વાત એ છે કે, તેમાં ખાંડનો ઉપયોગ ન કરો અને સાંજે 6 વાગ્યા પહેલાં પી લો, નહિતો અનિંદ્રાની સમસ્યા થઇ શકે છે.
આ બંને પ્રકારની ચામાં ખાંડને બદલે મધનો ઉપયોગ કરો પરંતુ ચા ઠંડી થયા પછી જ તેમાં મધ ભેળવો. આમ ન કરવાથી તેના પોષક તત્ત્વો નષ્ટ થઇ જાય છે. ચાને વધારે ફાયદેમંદ બનાવવા માટે તેમાં લીંબુનાં રસના થોડા ટીપાં નાખી શકો છો.
હિમેજ પેટને સાફ રાખવાનું કામ કરે છે. ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે મોટાભાગની પેટ બીમારીઓ પેટથી શરુ થાય છે અને હિમેજ પેટને સાફ કરવામાં મદદ કરે છે જેથી ઈમ્યુનિટી વધે. તે આંતરડાંને સૂકાવાથી પણ અટકાવે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2YUDm1E
No comments:
Post a Comment