Ad

Friday, July 3, 2020

ભગવાન જગન્નાથ 12 દિવસ પછી આજે ફરી મંદિરમાં પ્રવેશ કરશે, રથને તોડીને તેના લાકડા મંદિરની રસાઈના ચૂલામાં બાળવામાં આવશે

પુરીમાં 1 જુલાઈએ પૂર્ણ થયેલી રથયાત્રા બાદ હવે ભગવાન જગન્નાથ શનિવારે મુખ્ય મંદિરમાં આવશે. ગુંડિચા મંદિરથી પાછા ફર્યા બાદથી જ ભગવાન અત્યાર સુધી મંદિરની બહાર રથ ઉપર જ વિરાજમાન હતાં. શનિવારે એટલે આજે સાંજે 5 વાગ્યે તેમને રથમાંથી ઉતારીને મંદિરમાં લાવવામાં આવશે. ત્યાર બાદ ત્રણેય રથને તોડી નાખવામાં આવશે. રથના લાકડાને ભગવાનની રસોઈમાં વર્ષભર સુધી ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે.

રથયાત્રા પરત ફર્યા બાદ પણ ત્રણ દિવસ ભગવાનને મંદિરની બહાર જ રાખવામાં આવે છે. અહીં અનેક પ્રકારની પરંપરા હોય છે. શનિવારે સાંજે ભગવાનને રથ પરથી ઉતારીને મંદિરની અંતર રત્ન સિંહાસન ઉપર વિરાજમાન કરવામાં આવશે. અહીં ભગવાન જગન્નાથ અને લક્ષ્મીના લગ્નની પરંપરાઓ પૂર્ણ થશે. ત્યાર બાદ ભગવાનને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.

રથયાત્રા મુખ્ય મંદિરમાં પરત ફર્યા બાદથી કર્ફ્યૂ દેવી સ્થિતિ હતી. જોકે, પરંપરા એેવી પણ છે કે, ભગવાન ત્રણ દિવસ મંદિરની બહાર રહીને વિવિધ સ્વરૂપોમાં જનતાને દર્શન આપે છે, પરંતુ આ વર્ષો લોકડાઉનના કારણે ભક્તો વિના જ બધી પરંપરાઓ મંદિર સમિતિના સભ્યો અને પૂજારીઓની ઉપસ્થિતિમાં થઇ. આજે રથયાત્રાની છેલ્લી પરંપરાઓ પૂર્ણ કરવામાં આવશે, તેમાં પણ બહારના લોકોનો પ્રવેશ રહેશે નહીં.

રથને જ્યારે ખોલવામાં આવે છે ત્યારે થોડી વસ્તુઓ જેમ કે, સારથી, ઘોડા અને થોડી પ્રતિમાઓ સુરક્ષિત રાખવામાં આવશે. રથના થોડાં ભાગને કારીગર પોતાની સાથે લઇ જશે. જેને તેઓ પોતાનું મહેનતાણું અને ભગવાનનો આશીર્વાદ માને છે. થોડાં લોકો હવન માટે પણ રથના લાકડા લઇ જાય છે. આ પ્રકારે શનિવાર એટલે આજે રથયાત્રાનું સમાપન થશે.

રથનું નિર્માણ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે. વસંત પંચમીએ વૃક્ષોને કાપવાનું શરૂ થાય છે. લગભગ 150 વિશ્વકર્મા સેવક રથના નિર્માણનું કામ કરે છે. આ વર્ષે રથ નિર્માણ કાર્ય 12 દિવસ મોડું શરૂ થયું હતું પરંતુ સમયે પૂર્ણ થયું.
રથનું નિર્માણ અક્ષય તૃતીયાથી શરૂ થાય છે. વસંત પંચમીએ વૃક્ષોને કાપવાનું શરૂ થાય છે. લગભગ 150 વિશ્વકર્મા સેવક રથના નિર્માણનું કામ કરે છે. આ વર્ષે રથ નિર્માણ કાર્ય 12 દિવસ મોડું શરૂ થયું હતું પરંતુ સમયે પૂર્ણ થયું.

2000 થી વધારે વૃક્ષોથી રથ બને છેઃ-
રથના નિર્માણ માટે દર વર્ષે લગભગ 2000 વૃક્ષના લાકડાની જરૂર પડે છે. જે પુરી પાસેના જંગલોથી જ લાવવામાં આવે છે. મંદિરના પૂજારી પં. શ્યામ મહાપાત્રા પ્રમાણે રથના લાકડા વર્ષભર સુધી ભગવાનની રસોઈમાં બાળવામાં આવે છે. થોડાં લાકડાઓ મઠના હવન માટે લઇ જવામાં આવશે. ભગવાન જગન્નાથની રસોઈ દુનિયાની સૌથી મોટી રસોઈ માનવામાં આવે છે, જેમાં 752 ચૂલા છે. તેમાં જ રોજ ભગવાનનો ભોગ બને છે.

શુક્રવારે અધરપાણામાં સેંકડો કિલો દૂધ-માખણનો ભોગઃ-
શુક્રવારે સાંજે અધરપાણા નામની પરંપરા પૂર્ણ કરવામાં આવી. તેમાં ભગવાન જગન્નાથ સાથે તેમના ભાઇ-બહેનને 3-3 માટલામાં દૂધ, માખણ, ઘી, પનીર વગેરેનો ભોગ ધરાવવામાં આવ્યો છે. ત્રણેય પ્રતિમાઓ સામે 3-3 માટલા રાખવામાં આવે છે, આ માટલા 3 થી 4 ફૂટના હોય છે, જે ભગવાનના હોઠ સુધી આવે છે. એક માટલામાં લગભગ 200 કિલો દૂધ, માખણ વગેરે હોય છે. ભગવાનને ભોગ ધરાવ્યાં બાદ આ માટલાને રથ ઉપર જ ફોડી દેવામાં આવે છે, જેથી બધું જ દૂધ-માખણ રથ પરથી વહીને રસ્તા ઉપર આવી જાય છે.

ભગવાન જગન્નાથને રથયાત્રા પરત ફર્યાના બીજા દિવસે સોનાના આભૂષણ પહેરાવવામાં આવે છે. આ પરંપરાને સુનોબેસા કહેવામાં આવે છે. આ દૃશ્ય જોવા માટે વિશાળ સંખ્યામાં લોકો આવે છે, પરંતુ આ વર્ષે આ પરંપરા દરમિયાન પુરી શહેરમાં કર્ફ્યૂ હતો.
ભગવાન જગન્નાથને રથયાત્રા પરત ફર્યાના બીજા દિવસે સોનાના આભૂષણ પહેરાવવામાં આવે છે. આ પરંપરાને સુનોબેસા કહેવામાં આવે છે. આ દૃશ્ય જોવા માટે વિશાળ સંખ્યામાં લોકો આવે છે, પરંતુ આ વર્ષે આ પરંપરા દરમિયાન પુરી શહેરમાં કર્ફ્યૂ હતો.

200 કિલો સોનાના ઘરેણા ભગવાન પહેરે છેઃ-
ગુરુવારે ભગવાનને સોનાના ઘરેણાથી સજાવવામાં આવ્યાં હતાં. આ પરંપરામાં 200 કિલો સોનાના ઘરેણા ભગવાન જગન્નાથ, બળદેવ અને સુભદ્રા દેવીને પહેરાવવામાં આવ્યાં હતાં. આ ઘરેણા મંદિરના પરંપરાગત ઘરેણા છે, જેમની કિંમત કરોડોમાં છે. વર્ષભમાં એકવાર જ આ ઘરેણાનો ઉપયોગ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Lord Jagannath will re-enter the temple today after 12 days, the chariot will be broken and its wood will be burnt in the kitchen stove of the temple


from Divya Bhaskar https://ift.tt/38rW6c6

No comments:

Post a Comment