Ad

Saturday, July 4, 2020

દેશમાં 4 લાખ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે, 3 લાખ તો છેલ્લા એક મહિનામાં જ રિકવર થઈ ઘરે પહોંચી ગયા છે

દેશમાં લગભગ 4 લાખ લોકો કોરોના વાઈરસને હરાવી ચૂક્યા છે. દર્દી સાજા થવાની ઝડપ છેલ્લા એક મહિનામાં ઘણી બધી છે. 2 જૂન સુધી એક લાખ દર્દી સાજા થઈ ગયા છે. ત્યારે રિકવરી રેટ 48.30 ટકા જેટલો હતો. છેલ્લા 32 દિવસમાં 3 લાખથી વધુ લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે. આ દરમિયાન રિકવરી રેટ 12.50 ટકા જેટલો વધી ગયો હતો. હવે રિકવરી રેટ 60.80 ટકા છે. રાહતની વાત એ છે કે મૃત્યુદર 2 જૂનવાળા સ્તરની પાસે જ છે.

  • સાજા થવાની ઝડપ સતત વધી રહી છે, આખરી 1 લાખ દર્દી 7 દિવસમાં જ સાજા થઈ ગયા.
  • એક મહિના પહેલા 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રિકવરી રેટ 50%થી વધુ હતો. હવે 16 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 50%થી વધુ દર્દી સાજા થઈ ગયા છે.
  • 31 રાજ્યો અને યુટીમાં રિકવરી રેટ સતત વધી રહ્યો છે. પંજાબ, ગોવા અને અંદામાન નિકોબારમાં આ દરમિયાન રિકવરી રેટ ઘટ્યો છે.
  • દિલ્હી, હરિયાણા, બિહાર અને પ.બંગાળમાં દર્દી વઢવાની સાથે રિકવરી વધી છે.

એક મહિનામાં સૌથી વધુ રિકવરી ધરાવતા ટોપ-10 રાજ્ય આ રીતે બદલાયા
2 જૂન

અંદામાન નિકોબાર 100.00%
પંજાબ 86.12%
ગોવા 72.15%
ચંડીગઢ 71.10%
રાજસ્થાન 68.65%
ગુજરાત 67.46%
મધ્ય પ્રદેશ 62.01%
આંધ્રપ્રદેશ 63.68%
ઓડિશા 59.02%
ઉત્તર પ્રદેશ 59.30%

3 જુલાઈ

ચંડીગઢ 86.00%
ઉત્તરાખંડ 81.40%
રાજસ્થાન 80.21%
છત્તીસગઢ 79.51%
ત્રિપુરા 78.62%
મિજોરમ 77.78%
લદાખ 77.62%
મધ્ય પ્રદેશ 77.28%
બિહાર 74.99%
ઝારખંડ 74.25%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
4 lakh patients in the country have beaten corona, 3 lakh have recovered and reached home in the last one month alone


from Divya Bhaskar https://ift.tt/31OynBx

No comments:

Post a Comment