
ગુજરાતમાં કોરોના વાઇરસના ચોવીસ કલાકમાં નવા નોંધાતા કેસનો આંકડો સાતસોને પાર કરી ગયો છે. શનિવારે ગુજરાતમાં 712 નવા કેસ નોંધાયા હતા. તેમાં પણ હવે સુરત શહેર અમદાવાદને ઓવરટેક કરીને આગળ નીકળી ગયું છે. અમદાવાદ શહેરમાં 165 નવા કેસ નોંધાયા તેની સામે સુરત શહેરમાં 201 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં કોરોનાના ગુજરાતમાં કુલ 35,398 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો પણ વધીને 8,057 થઇ ગયો છે.એક્ટિવ કેસોની ટકાવારી હાલ 22 ટકા ઉપર છે. જ્યારે ગુજરાતનો રિકવરી રેટ હાલ થોડો મંદ પડ્યો છે. પંદર દિવસ પૂર્વે રીકવરી રેટ 73 ટકા આસપાસ હતો તેને સ્થાને શનિવારે તે 71.8 ટકા પર પહોંચ્યો છે. શનિવારે ગુજરાતમાં 473 દર્દીઓને સાજા થયા બાદ ડિસ્ચાર્જ અપાયો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 25,414 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે.
મૃત્યુઆંક 1927 એ પહોંચ્યો
ગુજરાતમાં હાલ મૃત્યુદર પણ પ્રમાણમાં ધીમો પડ્યો છે અને કોરોનાને કારણે મૃત્યુના કિસ્સા ઘટી રહ્યા છે. શનિવારે ગુજરાતમાં કુલ 21 મૃત્યુ નોંધાયા અને તેની સાથે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 1,927 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં હાલ મૃત્યુદર 5.44 ટકા જેટલો છે. હજુ 68 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટિલેટર પર રખાયા છે. શનિવારે અમદાવાદમાં 9, સુરત અને રાજકોટ શહેરમાં 4-4, જ્યારે મહેસાણા, કચ્છ, અરવલ્લી અને વલસાડ જિલ્લામાં 1-1 મૃત્યુ થયા છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38unqGH
No comments:
Post a Comment