Ad

Monday, June 22, 2020

દેશમાં હાજર 30 સૌથી મોટા સ્ટાર્ટઅપમાંથી 18માં ચીનના પૈસાઃ 2010માં ફક્ત રૂ. 1 હજાર કરોડનું રોકાણ હતું

સરહદે ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસ કરનારા ચીનની સરકારી અને ખાનગી કંપનીઓ ભારતીય બજારમાં ઘૂસણખોરી કરી ચૂકી છે. આ સિલસિલો 2010માં શરૂ થયો હતો. એ વર્ષે ચીની કંપનીઓએ ભારતમાં ફક્ત રૂ. 1 હજાર કરોડનું રોકાણ કર્યું હતું, પરંતુ એ પછી આ આંકડો વધતો ગયો. 2018 અને 2019માં બે જ વર્ષમાં ચીની કંપનીઓએ ભારતમાં રૂ. 85 હજાર કરોડનું રોકાણ કર્યું. 35% ચીની કંપનીઓ માને છે કે, 2022 સુધી ભારતીય અર્થતંત્રમાં તેજી આવી જશે.

રૂ. 7600 કરોડથી વધુ વેલ્યૂ ધરાવતા તમામ સ્ટાર્ટઅપમાં વિદેશી રોકાણ, 60%માં ચીનનું

  • દેશમાં 75થી વધુ કંપનીઓમાં ચીનનું રોકાણ છે. આ કંપનીઓ ઈ-કોમર્સ, ફિનટેક, મીડિયા/સોશિયલ મીડિયા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની છે. 30 યુનિકોર્ન (1 અબજ ડૉલર એટલે કે 7600 કરોડથી વધુ વેલ્યુના સ્ટાર્ટઅપ)માંથી 18માં ચીનનું રોકાણ છે.
  • રૂ. 7600 કરોડથી વધુ વેલ્યુ ધરાવતા તમામ સ્ટાર્ટઅપમાં વિદેશી રોકાણ છે, જેમાંથી 60%માં ચીનના પૈસા છે.

આ કંપનીઓ ચીનની નથી, રોકાણમાં ચીનનો હિસ્સો છે

બ્રાન્ડ રકમ (રૂ. કરોડમાં)
સ્નેપડીલ 5320
સ્વિગી 3800
ઓલા 3800
પેટીએમ.કોમ 3040
ફ્લિપકાર્ટ 2280
બિગ બાસ્કેટ 1900
ઝોમેટો 1520
હાઈક 1140
પેટીએમ મૉલ 1140
ઓયો 760
બાયજૂઝ 380

ચીની કંપનીઓ ખતરનાક, કારણ કે તે તમામ ચીન સરકારને ડેટા શેર કરે છે
બ્રુકિંગ્સ ઈન્ડિયામાં પ્રકાશિત અનંત કૃષ્ણનના સંશોધન પ્રમાણે, ચીનની ટેક્નોલોજી કંપનીઓનું ભારતમાં જંગી રોકાણ ડરાવનારું છે કારણ કે, ચીન સરકાર સર્વેઈલન્સથી લઈને સેન્સરશિપ જેવા સુરક્ષા સાથેના તમામ કામ આ જ કંપનીઓ પાસે
કરાવે છે.

સીધું રોકાણ કંપની કરોડ રૂ.માં
2008 1 9120
2009 1 2660
2012 1 1520
2014 2 2280
2015 6 12,388
2016 7 9,196
2017 6 21,280
2018 10 26,220
2019 8 25,536

સરકાર પાસે રોકાણના આંકડા નથી
ભારતના ટેક્નોલોજી ક્ષેત્રમાં ચીનના કુલ રોકાણનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કારણ કે, અનેક રોકાણો હોંગકોંગ સિંગાપોર કે કોઈ ત્રીજા દેશ થકી થયું છે. ઉદાહરણ તરીકે, શાઓમી ચીનની કંપની છે, પંરતુ ભારતના મોટા ભાગના આંકડામાં તેનો ઉલ્લેખ જ નથી. કારણ કે, શાઓમીની સબસિડિયરી કંપનીએ સિંગાપોરથી રોકાણ કર્યું છે. ચીની સરકાર પણ ભારતમાં રોકાણનો આંકડો જાહેર કરતી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
China's money in 18 of the 30 largest startups in the country: In 2010, only Rs. 1 thousand crore was the investment


from Divya Bhaskar https://ift.tt/2V6GzZI

મહારાષ્ટ્રે ચીનથી સંબંધ તોડ્યા, પરંતુ ગુજરાતને ચીનની માયા છૂટતી નથીઃ અમદાવાદના પણ ચીનના ગ્વાંગઝોઉ સાથે MOU

મહારાષ્ટ્રની શિવસેનાની યુતિ સરકારે હાલની પરિસ્થિતિને જોઇ ચીન સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યા છે, પરંતુ ગુજરાત સરકારને હજુ પોતાની ચીની બહેન સાથેની મમતાનું બંધન છૂટતું નથી. ગુજરાત સરકાર હાલ પણ ચીની પ્રાંત ગ્વાંગડોંગ સાથે કરેલાં સિસ્ટર સ્ટેટના સંબંધો તોડવા માટે રાજી નથી. 2014માં અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની પ્રમુખ શી જિનપિંગની હાજરીમાં કરેલાં સિસ્ટર સ્ટેટના કરારો કર્યા હતા. ગુજરાત સરકારના એક ખૂબ ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે આવી બાબતો હાલ રાજ્ય સરકારને નક્કી કરવાની રહેતી નથી. આ અંગે પહેલાં કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે પહેલ કરવાની રહે છે. તેમના તરફથી આવી સૂચના આવે તો તે પછી જ તેનું પાલન કરવાનું રહે છે.

ચીન સાથે વ્યવહાર બંધ કરતા અર્થતંત્રને નુકસાન થવાની શક્યતા
2014માં થયેલાં આ કરારો મુજબ ગુજરાત અને ગ્વાંગડોંગ એકબીજાના પ્રાંતમાં પોતાના ઉદ્યોગકારો રોકાણ કરે તે માટે ઉદ્દીપકીય ભૂમિકા ભજવશે. આ ઉપરાંત અમદાવાદ અને ગ્વાંગડોંગના પાટનગર ગ્વાંગઝોઉ વચ્ચે પણ સિસ્ટર સિટી કરારો થયાં છે, તે અન્વયે અમદાવાદ અને ગ્વાંગઝોઉમાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચના વિકાસ માટે સંયુક્ત પ્રોજેક્ટ, સેવાઓ તથા માર્ગદર્શન ઉપરાંત સાંસ્કૃતિક આદાન-પ્રદાનની સમજૂતિ સધાઇ હતી. આ અધિકારી જણાવે છે કે ગુજરાતમાં ચીની કંપનીઓના થયેલાં અને આવનારા રોકાણનો આંકડો 50,000 કરોડ આસપાસ હોઇ શકે અને હાલના સંજોગોમાં ચીન સાથે વ્યવહારો બંધ કરવા રાજ્યના અર્થતંત્રને નુક્સાનકારક સાબિત થઇ શકે. આવાં નિર્ણયો સંવેદનશીલતા કે લોકલાગણીને આધારે લેવાતાં નથી.

દેશમાં લોકપ્રિય થઈ રહેલી હેક્ટર કાર હાલોલમાં બને છે
છેલ્લાં કેટલાંય સમયથી ચીન સરકારની કંપની શાંગહાઇ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન હસ્તકની મોરિસ ગેરેજના હાલોલના પ્લાન્ટમાં હેક્ટર કાર બને છે. આ કાર હાલ ગુજરાતીઓમાં ખૂબ લોકપ્રિય બની છે અને તેની પ્રાઇઝ ઓન બોલાતી હતી. જનરલ મોટર કંપનીનો આ પ્લાન્ટ એસએઆઇસીએ અંદાજે 3,000 કરોડ રૂપિયામાં એક્વાયર કર્યો હતો.

ગુજરાતમાં ચીનનું 20 હજાર કરોડનું રોકાણ, હજુ આશા
ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચીનની વિવિધ કંપનીઓના વીસ હજાર કરોડ રૂપિયા જેટલી રકમ રોકાણ સ્વરૂપે આવી ગઇ છે. તેમાં વડોદરા પાસેનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, હાલોલ, ધોલેરા, કચ્છ અને અને સાણંદ તથા અન્ય વિસ્તારોમાં ચીની કંપનીઓનું મોટું એવું રોકાણ છે. આ ઉપરાંત ધોલેરામાં ચીનની ક્રોમેની સ્ટીલ કંપનીએ 21,000 કરોડ રૂપિયા તથા કાસ્મે નામના એમએસએમઇ એસોસિએશને ધોલેરામાં 11,000 કરોડ રૂપિયાના રોકાણનો વાયદો કર્યો છે. આ ઉપરાંત ગ્રેટ વોલ મોટર કંપની 8,000 કરોડ રૂપિયા તથા ઇસ્ટ હોપ ગ્રૂપ નામનું ચીનના સૌથી મોટા ઉદ્યોગગૃહોમાંનું એક જૂથ અદાણી સાથે મુંદ્રામાં સોલાર પાવર માટે અંદાજે 2500 કરોડ રૂપિયાના રોકાણ કરાર કરીને બેઠું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી


from Divya Bhaskar https://ift.tt/3dwND8B

માંડવીમાં 48 કલાકમાં 15 ઇંચ વરસાદઃ પ્રથમ વરસાદમાં જ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ

ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રથમ વરસાદમાં જ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ જોવા મળી. કચ્છના માંડવીમાં રવિ અને સોમવાર સવાર સુધી 48 કલાકમાં 15 ઇંચ વરસાદ ખાબકતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઊભી થઇ છે. મેઘરાજા મન મૂકીને વરસતા પ્રથમ વરસાદમાં જ શહેરોનું ટોપણસર તળાવ ઓગની ગયું છે. શહેરની રૂકમાવતીમાં ઘોડાપૂર આવ્યું હતું. શહેરના નીચાણવાળા રામેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતાં. અહીં રસ્સી વડે લોકો અને પશુઓને પણ રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે વર્ષ 2010માં પણ માંડવીમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે માત્ર 12 કલાકમાં અધધ 24 ઇંચ વરસાદ પડી જતા હતાં. કચ્છના મુન્દ્રામાં પણ ત્રણ ઇંચ તથા જિલ્લામથક ભુજ અને નખત્રાણામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના ગામોમાં પણ મેઘમહેર થઇ હતી.

જામનગરમાં પણ વરસાદી માહોલ
જામનગર ઉપરાંત જોડિયા અને જામજોધપુરમાં સોમવારે હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા.જયારે જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રવિવારે મોડી રાત્રી સુધી અવિરત વરસાદથી એકથી બે ઇંચ પાણી પડયુ હતુ.વાંસજાળીયામાં બે, સમાણામાં પોણા બે, જામવાડીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

સુરતમાં પણ બે ઇંચ જેટલો વરસાદ
સોમવારે વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવારે 4થી 8 વાગ્યાના અરસામાં સુરત શહેરમાં એક થઈ બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે જિલ્લામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જો કે બપોર પછી વરસાદે વિરામ લીધો હતો.

સોરઠમાં મેઘમહેર થઈ
સોરઠ પંથકમાં રવિવારે રાત્રીના ફરી મેઘસવારી આવી પહોંચી હતી અમુક જગ્યાએ ઝાપટાં તો અમુક જગ્યાએ સવા ઈંચ વરસાદ પડ્યો હતો. કોડીનાર પંથકમાં 40 મિમી,ગીર ગઢડા 14 મીમી, તાલાલા 10 મીમી, વેરાવળ 42 મીમી,સુત્રાપાડા 37 મીમી, કેશોદ 40 મીમી,માળીયા 13 મીમી,વંથલી 14 મીમી વરસાદ નોંધાયો હતો જ્યારે વંથલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પણ ઝાપટાં પડ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માંડવીમાં પાણીમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાઈ રહ્યાં છે


from Divya Bhaskar https://ift.tt/2NlWuiC

પુરીમાં જગન્નાથજીની રથયાત્રાને સુપ્રીમની મંજુરી


રથયાત્રા વખતે કેન્દ્ર સરકારે જાહેર કરેલી સ્વાસ્થ્ય સંબંધી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે 

રથયાત્રા દરમિયાન સ્થિતિ બેકાબૂ થશે તો ઓડિશા સરકાર ગમે ત્યારે અટકાવી શકશે : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 22 જૂન, 2020, સોમવાર

જગન્નાથ પુરીની વિશ્વવિખ્યાત રથયાત્રા યોજવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી હતી. તે સાથે જ હવે શ્રદ્ધાળુઓ વગર રથયાત્રાની વિિધ પૂરી કરવામાં આવશે. જો સિૃથતિ બેકાબૂ બનશે તો રાજ્ય સરકાર ગમે ત્યારે રથયાત્રા અટકાવી શકશે એવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. અગાઉ સુપ્રીમ કોર્ટે રથયાત્રા રદ્ કરી હતી, પરંતુ રીવ્યૂ પિટિશન પછી નવેસરથી ચુકાદો સંભળાવ્યો હતો. કોરોનાના કારણે જગન્નાથ પુરીની રથયાત્રા ન યોજવાનો આદેશ ગત 18મી જૂને સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. 

તે પછી કેટલીય રીવ્યૂ પિટિશન થઈ હતી, જેમાં જગન્નાથ પુરીની રથયાત્રા સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરીને યોજવાની માગણી કરવામાં આવી હતી. જગન્નાથ પુરીની સદીઓ જૂની પરંપરા જાળવી રાખવાની માગણી સાથે થયેલી રિવ્યૂ પિટિશન પછી સુપ્રીમ કોર્ટે જૂનો ચુકાદો રદ્ કરીને નવેસરથી ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કોરોનાને લગતી કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને શ્રદ્ધાળુઓ વગર રથયાત્રાની વિિધ પૂરી કરવાની મંજૂરી આપી  હતી. કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રથયાત્રા યોજવાની તરફેણમાં દલીલ કરતા કહ્યું હતું કે જો આ વર્ષે રથયાત્રા યોજવામાં નહીં આવે તો 12 વર્ષ સુધી રથયાત્રા યોજાશે નહીં, કારણે પુરીમાં આ જ પરંપરા છે.

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે શંકરાચાર્ય, પુરીના ગજપતિ અને જગન્નાથ મંદિર સમિતિએ રથયાત્રા યોજવાની તરફેણ કરી છે અને તેમની સલાહ પ્રમાણે રથયાત્રા યોજાશે. એ દલીલ પછી સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે મંદિર ટ્રસ્ટ અને મંદિર સમિતિ જ રથયાત્રા યોજે છે, તો પછી આમાં શંકરાચાર્યને સરકાર શું કામ સામેલ કરી રહી છે? જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે શંકરાચાર્ય સર્વોચ્ચ ધર્મગુરૂ હોવાથી તેમની સલાહ લેવામાં આવી છે.

કેન્દ્ર સરકાર અને ઓડિશાની રાજ્ય સરકારે નિયમોનું પાલન કરાવીને રથયાત્રાની યોજવાની તરફેણ કરી હતી. એ પછી સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી, સાથે સાથે જો સિૃથતિ બેકાબૂ બને તો રાજ્ય સરકાર ઈચ્છે ત્યારે રથયાત્રા અટકાવી શકશે એવી સત્તા પણ રાજ્ય સરકારને આપી હતી.

મંદિર સાથે જોડાયેલા પંડેને રથયાત્રામાં જોડવામાં આવશે નહીં, કારણ કે તેનાથી અવસૃથા સર્જાવાની ભીતિ અરજદારે વ્યક્ત કરી હતી. એને પણ કોર્ટે માન્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ એસ.એ. બોબડેએ રાજ્ય અને કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ જ બાંધછોડ ન થાય એ જોવાની જવાબદારી સૃથાનિક પ્રશાસનની રહેશે.

માઈક્રો મેનેજમેન્ટ રાજ્ય સરકારે કરવું પડશે અને ગાઈડલાઈનનું પાલન પણ કરાવવું પડશે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પુરી સિવાય બીજે ક્યાંક પણ રથયાત્રા કાઢી શકાશે નહીં. પુરીની પરંપરા જળવાત તે માટે જ આ મંજૂરી અપાઈ છે તેનો સૌએ ખ્યાલ રાખવાનો રહેશે.

મંદિરના 1172 સેવકોના રીપોર્ટ નેગેટિવ

જગન્નાથ મંદિરના 1172 સેવકો છે. ત્રણ રથ ખેંચવા માટે 750 લોકોની જરૂર પડે છે. સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન થતી હતી તે વખતે જ તમામ સેવકોનો કોરોનાનો રીપોર્ટ થયો હતો. સુપ્રીમ કોર્ટે એવો રીપોર્ટ માગી શકે એવી શક્યતા હોવાથી અને સલામતીના ભાગરૂપે તેમ જ રથયાત્રા યોજવાની દલીલ વધુ મજબૂત બને તે માટે આ રીપોર્ટ્સ થયા હતા.

એ તમામ સેવકોના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ સેવકો દર વર્ષે રથ ખેંચીને ગુંડિચા મંદિર સુધી લઈ જાય છે. ભગવાનની રથયાત્રામાં શ્રદ્ધાળુઓને સામેલ કરાશે નહીં, પરંતુ ટેલિવિઝનના માધ્યમથી દુનિયાભરના શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી શકાય એવી વ્યવસૃથા ઓડિશાની રાજ્ય સરકાર કરશે.

21 અરજદારોમાં મુસ્લિમ યુવક પણ સામેલ

ઓડિશાના માયાગઢ જિલ્લામાં રહેતા આફતાબ હુસેને 19મી જૂને જ સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન કરી હતી. 18મી સુપ્રીમે રથયાત્રા ન યોજવાનો ચુકાદો આપ્યો તે પછીના દિવસે સામાજિક કાર્યકર અને 19 વર્ષીય વિદ્યાર્થી આફતાબ હુસેને રિવ્યૂ પિટિશન કરી હતી. એમાં દલીલ કરવામાં આવી હતી કે પુરીની રથયાત્રા વિશ્વવિખ્યાત છે અને તે ઓડિશાની ઓળખ છે.

આ પરંપરા તોડવી ન જોઈએ. ઓડિશાના લોકોની આસૃથા આ રથયાત્રા સાથે જોડાયેલી હોવાથી રથયાત્રા યોજવાની પરવાનગી આપવી જોઈએ. રિવ્યૂ પિટિશન માટે વિવિધ સંગઠનો અને લોકો દ્વારા કુલ 21 અરજીઓ થઈ હતી. એ પછી મુપ્રીમ કોર્ટે તેની સુનાવણી હાથ ધરવાની તૈયારી બતાવી હતી. 

રથયાત્રામાં ભીડ એકઠી ન થાય તે માટે પુરી જિલ્લામાં કર્ફ્યુ

કર્ફ્યુનું પાલન કરાવવા જગન્નાથ પુરીમાં 1500 પોલીસ જવાનો તૈનાત કરાયા

ભુવનેશ્વર, તા. 22

રથયાત્રામાં સરકારી ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પુરી જિલ્લામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પુરી જિલ્લામાં 24મી જૂન સુધી કર્ફ્યુ રહેશે. કોઈને પણ બહાર નીકળવાની પરવાનગી અપાશે નહીં. રથયાત્રામાં વધુ લોકો જોડાય તો કોરોના સંક્રમણની ભીતિ છે.

એ કારણે રાજ્ય સરકારે જગન્નાથ પુરીની રથયાત્રા દરમિયાન સંપૂર્ણ કર્ફ્યુ જાહેર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી શ્રદ્ધાળુઓ વગર રથયાત્રા નીકળશે. ભગવાનના દર્શન ટીવીમાં થશે, પરંતુ નગરજનોને બહાર નીકળવાની પરવાનગી અપાશે નહીં. આખા પુરી જિલ્લામાં નાની-નાની રથયાત્રા નીકળે છે. એ ન નીકળે તે માટે જિલ્લાભરમાં પોલીસજવાનો તૈનાત કરી  દેવાયા છે.

પુરીમાં જ કર્ફ્યુનું પાલન કરાવવા 1500 જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. બીજા જિલ્લામાંથી પુરી આવવા નીકળેલા શ્રદ્ધાળુઓને પણ પાછા મોકલી દેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રથયાત્રામાં પુરીમાં ભીડ એકઠી ન થાય તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/319FDHQ

પુરીમાં રથયાત્રાને મંજૂરી : અમદાવાદમાં રથયાત્રા પર પાબંધી


અમદાવાદ, તા. 22 જૂન, 2020, સોમવાર

અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને પરવાનગી આપવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. શનિવારે એક જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રથયાત્રા પર રોક લગાવતા આજે રથયાત્રાની તરફેણમાં ખાનગી અરજદારોની સાત અને એક અરજી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. 

જેમાં આજે ઓડિશાના પુરીમાં યોજાથી જગન્નાથ રથયાત્રાને સુપ્રીમે મંજૂરી આપી હોવાથી હાઇકોર્ટ પણ અમદાવાદની રથયાત્રા અંગે ફેરવિચારણા કરવા માગણી કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે આ તમામ અરજીઓ ફગાવી ટકોર કરી હતી કે અગાઉ રાજ્ય સરકાર રથયાત્રાની તરફેણમાં નહોતી અને હવે સ્ટેન્ડ શા માટે બદલી રહી છે? કોરોનાની મહામારીની સ્થિતિ જોતા રથયાત્રાને પરવાનગી આપી શકાય નહીં.

હાઇકોર્ટમાં આજે હિન્દુ યુવા વાહિનીએ રથયાત્રાની પરવાનગી આપવા અરજી કરી હતી. શનિવારે હાઇકોર્ટે રથયાત્રા પર રોક લગાલતો આદેશ આપ્યો હોવાથી આ અરજી ફગાવાઇ હતી.

જો કે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ઓડિશાના પુરીમાં રથયાત્રાને શરતી મંજૂરી આપતા યુવા વાહિનીએ આ આદેશનો આધાર લઇ અરજી રિકોલ કરાવી હતી. મોડી સાંજ સુધીમાં હિન્દુ યુવા વાહિની સહિતના સાત ખાનગી અરજદારો તેમજ રાજ્ય સરકારે રથયાત્રાની તરફેણમાં અરજી કરી હતી. જે

માં ઓડિશાના પુરીની રથયાત્રાને સુપ્રીમ કોર્ટે આપેલી શરતી મંજૂરીનો આધાર લઇ અમદાવાદમાં પણ રથયાત્રાની પરવાનગી માટે માગણી કરવામાં આવી હતી. જેથી મોડી રાત્રે  એક વાગ્યે ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠ સમક્ષ અરજન્ટ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

રથયાત્રાની તરફેણની તમામ અરજીઓ ફગાવી હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે કે સરકાર ઇચ્છે તેવું જ ચલાવી શકાય નહીં.  અગાઉ સરકાર રથયાત્રાના આયોજનની સામે હતી તો સરકારે હવે સ્ટેન્ડ શા માટે બદલ્યું ? લોકો વગર રથયાત્રાનો શું મતલબ? રથ મંદિર પ્રાંગણમાં ફરે તે જ યોગ્ય છે. શ્રદ્ધા એ અંતરાત્મા સંતોષ માટે છે, કોરોનાના મહામારીના કાળમાં રથયાત્રા માટે મંજૂરી આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે પુરીની રથયાત્રાને આપેલી મંજૂરીનો આધાર લઇ અરજદારો રજૂઆત કરી રહ્યા છે પરંતુ અમદાવાદ અને પુરીની પરિસ્થિતિની સરખામણી થઇ શકે તેમ નથી. સરકાર અત્યારે લોકોના જીવની ચિંતા કરે તે જરૂરી છે. રથયાત્રાની તરફેણમાં આવેલા અરજદારોની રજૂઆત હતી કે હિ ન્દુ પરંપરામાં ભગવાન જગન્નાથ અને તેમની રથયાત્રા અતિ પવિત્ર અવસર છે.

અમદાવાદમાં યોજાતી રથયાત્રા આશરે પંદર દાયકાનો ઇતિહાસ ધરાવે છે. ભૂતકાળમાં કપરાં સંજોગોમાં પણ ક્યારેય રથયાત્રાનું આયોજન કર્ફ્યૂમાં પણ  મોકૂફ રાખવામાં આવ્યું નથી. 1878થી શરૂ થયેલી રથયાત્રાની ધાર્મિક પરંપરા જળવાઇ રહે તે જરૂરી છે. અત્યારે કોરોના વાઇરસની મહામારીનો સમય છે, પરંતુ હવે સરકાર અનલોકની કામગીરી તરફ આગળ વધી રહી છે.

દેશના તમામ ધાર્મિક સ્થળોને કેટલીક શરતો હેઠળ ખૂલ્લાં રાખવાની પરવાનગી આપવામાં આવી છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના જરૂરી પગલાંઓને ધ્યાને લઇ રથયાત્રાને પણ પરવાગની આપવામાં જરૂરી છે. દાયકાઓ જૂની આ પવિત્ર પરંપરામાં વિઘ્ન ન આવે તે માટે કોર્ટ જરૂરી આદેશો કરે તે જરૂરી છે.

યોગી આદિત્યનાથીની હિન્દુ યુવા વાહિનીની પણ અરજી

રથયાત્રાની તરફેણમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા સ્થાપિત હિન્દુ યુવા વાહિનીએ પણ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. હિન્દુ યુવા વાહિનીની ગુજરાતની શાખાએ એક એન.જી.ઓ. તરીકે પક્ષકાર બની રથયાત્રા પર ફરમાવવામાં આવેલો સ્ટે હટાવવા માગણી કરી હતી.

ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા પક્ષકારોએ પણ રથયાત્રાની તરફેણમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથની હિન્દુ યુવા વાહિની વિશ્વ હિન્દુ પરિષદ સામે મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી હોવાની ચર્ચા રાષ્ટ્રીય સ્તરે ઘણાં સમયથી ચાલી રહી છે. 

સરકારે રથયાત્રાને મંજૂરી આપવા અરજી કરી હતી

રથયાત્રા પર સ્ટે ફરમાવતા આદેશમાં ફેરફાર કરવાની માગણી સાથે રાજ્ય સરકારે અરજી કરી હતી. સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીની રજૂઆત હતી કે 142 વર્ષ જૂની રથયાત્રા સાથે અમદાવાદ શહેરની ધાર્મિક લાગણી જોડાયેલી છે. જેમ આજે સુપ્રીમ કોર્ટે ઓડિશઆના પુરીમાં કોરોનાની પરિસ્થિતિ અને ધાર્મિક લાગણી વચ્ચે સંતુલન સાધી રથયાત્રા આયોજીત કરવાની મંજૂરી આપી છે તેમ હાઇકોર્ટ પણ અમદાવાદમાં રથયાત્રા કાઢવાની મંજૂરી આપે.

સરકારે તૈયારી દર્શાવી હતી કે સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી રથયાત્રાના સંપૂર્ણ રૂટ પર કલમ-144 લગાડી કર્ફ્યુ લાગુ કરવામાં આવશે. રથયાત્રા સવારે 11 વાગ્યા પહેલાં પૂર્ણ કરી લેવામાં આવશે અને સરસપુરના રણછોડજી મંદિર  સિવાય રથયાત્રા ક્યાંય રોકાશે નહીં. યાત્રમાં માત્ર ત્રણ જ રથ અને ચાર કાર હશે અને દરેક રથમાં પાંચ વ્યક્તિ હશે. ચાર વાહનો પૈકી બેમાંમહંત તેમજ ધાર્મિક વડાઓ બેસશે અને બીજા બે વાહનોમાં ટી.વી.-મીડિયાકર્મીઓને સમાવિષ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત રથયાત્રાનો પ્રસાદ વહેંચવામાં નહીં આવે.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર

'નમસ્તે ટ્રમ્પ યોજી લાખોની ભીડ એકત્ર કરી શકાય તો રથયાત્રા શા માટે નહીં?' 

અમદાવાદ, સોમવાર

'નમસ્તે ટ્રમ્પ'  દ્વારા 1 લાખની ભીડ એકત્ર કરીને કોરોનાને આમંત્રિત કરાવી શકાતો હોય તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પાંચ લાખથી વધુ લોકોની ભેગી થનારી ભીડ દ્વારા સ્વયં રોગપ્રતિકારક શક્તિના જોરે કદાચ કોરોનાને પાછો પણ ભગાડી શકાય. ભવ્ય રથયાત્રાને પરંપરાને અવિરતપણે આગળ ધપાવવા સરકારને વિનંતી છે તેમ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે. 

ગુજરાત કોંગ્રેસના નેતા પરેશા ધાનાણી, અમિત ચાવડા, ઇમરાન ખેડાવાલાએ સોમવારે  બપોરે રથના પૂજનમાં ભાગ લીધો હતો. પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, 'ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પરંપરા 143 વર્ષથી ચાલે છે. રથયાત્રા કોમી એકતાનું પ્રતિક છે, જેમાં બિનરાજકીય રીતે તમામ લોકો જોડાય છે.

રથયાત્રા મુલતવી રાખવાના સમચાર શહેર અને રાજ્યની પ્રજા માટે આઘાતજનક છે. સરકારી તિજોરીના કરોડો રૂપિયા ખર્ચ કરીને નમસ્તે ટ્રમ્પ દ્વારા 1 લાખની ભીડ એકત્ર કરીને પધારો કોરોના આમંત્રિત કરાયો છે તે સ્પષ્ટ થતું જાય છે. વિદેશી વાયરસને નમસ્તે કહેવા ભેગા કરેલા 1 લાખના ટોળાએ અમદાવાદને એપી સેન્ટર બનાવ્યું હતું. 

ગુજરાત સરકારની અપૂરતી તકેદારી અને કથળેલી આરોગ્ય સેવાઓને કારણે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સરકારે ખુદ લોકોને ભગવાન ભરોસે મોતના મુખમાં ધકેલવા છુટા મૂકી દીધા છે. ગુજરાતમાં કોરોનાના ઊંચા મૃત્યુદર માટે અપૂરતા ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ ઘટ, આધુનિક સાધનોની ઉણપ વધારે જવાબદાર છે.'



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dt0bNY

Air India briefs employees on new guidelines as DGCA rules 'Risk Assessment' to determine quarantine for crew

Air India briefs employees on new guidelines as DGCA rules 'Risk Assessment' to determine quarantine for crew

from India Today | Top Stories https://ift.tt/318w8J0

4 major Chinese media outlets are foreign missions: US

4 major Chinese media outlets are foreign missions: US

from India Today | Top Stories https://ift.tt/3dmKJmx

Sunday, June 21, 2020

Coronavirus tightens its grip over Delhi doctors

Coronavirus tightens its grip over Delhi doctors

from India Today | Top Stories https://ift.tt/313g4bt

Rahul keeps up attack on PM ‘Surender Modi’

Congress’s Rahul Gandhi triggered a storm on social media on Sunday as he called Prime Minister Narendra Modi “Surender Modi”, playing on the word ‘surrender’ in the context of China. Tagging a news report in Japanese media headlined ‘India’s appeasement policy towards China unravels’, Rahul tweeted, “Narendra Modi is actually Surender Modi.”

from Times of India https://ift.tt/2YoBdLD

Localism in Covid times?

In some countries, it looks as if the pandemic has been largely contained, at least for now. Normal life is beginning in those places, even as other nations struggle with a continued rise in numbers....

from Times of India Opinion https://ift.tt/37LSod4

સાસુ અડદ દાળના પાપડ બનાવી રહી છે, તો વહુ ચોકલેટ-કેક બનાવામાં જોતરાઈ, કમાણીની હોડ

બારામતીથી 28 કિમી દૂર એક ગામ છે ઇન્દાપુર. ગામની સાસુ અને પુત્રવધૂ વચ્ચે કમાણીની અનોખી સ્પર્ધા શરૂ થઈ છે. સાત મહિલાઓના એસએજી (સ્વ-સહાય જૂથ) છે જે અડદની દાળના પાપડ બનાવવાનું કામ કરી રહી છે. આ વિસ્તારમાં તેમના પાપડની એટલી માંગ છે કે એક મહિનામાં નજીકમાં આવેલી શારદા નગર કોલેજના મેસમાં 400 કિલો સુધીના પાપડ વેચાય છે.

આ જૂથની સાત મહિલા વૃદ્ધ છે. તેમને કમાતા જોઈને હવે ગામની વહુઓએ પણ એક જૂથ બનાવ્યું છે, જે ચોકલેટ અને કેક બનાવે છે. સાસુ કહે છે કે વહુ ગમે તેટલી ફેશનની ચીજ બનાવે તો પણ, અમારી કમાણી વધારે રહેશે.

સપ્તાહમાં 3 દિવસ કામ કરતી પાપડ બનાવતી 7 મહિલાઓ વાર્ષિક કુલ રૂ. 7 લાખ કમાય છે. તેઓએ રાજમાતા પાપડ યુનિટ બનાવ્યુ છે. જ્યારે પૂત્રવધૂઓએ સ્વામી સામર્થ્ય નામથી એસએજી બનાવ્યુ છે. જેના કો-ઓર્ડિનેટર અને ગામમાં જ રહેતાં રાહુદ ગુરૂજી જણાવે છે કે, કોનુ જૂથ કેટલા રૂપિયા કમાવે છે તે વિશે સાસ-વહુ વચ્ચે હરિફાઇ ચાલી રહી છે. જે સારી બાબત છે. અમે ઇચ્છીએ છીએ કે અમારા ગામની સાસુ અને વહુઓ માટે કંકાસ, ઝઘડો કે એકબીજા સાથે દુઃવ્યવહાર કરવાનો સમય ન રહે. મહામારીના સમયમાં જ્યારે પુરૂષો પાસે કોઈ કામ ન હતું. ત્યારે મહિલાઓએ આખા ઘરની જવાબદારી લીધી.

શારદા મહિલા સંઘ અંતર્ગત રચાયેલા આ જૂથના કન્વીનર રાજારામ નાગરે કહે છે કે, બારામતીમાં આવા 200 જૂથો છે જે કંઈક ને કંઈક બનાવી રહ્યા છે અને તેનું માર્કેટિંગ જાતે કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજમાતા પાપડ યુનિટમાં કામ કરતી ગ્રુપની મહિલાઓ, તેમની વાર્ષિક આવક રૂ. 7 લાખ સુધી પહોંચી છે.


from Divya Bhaskar https://ift.tt/3doCvdH

પુરી રથયાત્રા રોક અંગે સુપ્રીમમાં આજે સુનાવણી

સુપ્રીમકોર્ટ પુરી રથયાત્રા પર રોકના તેના આદેશમાં સુધારાની માગ સાથે થયેલી અરજીઓ અંગે સોમવારે સુનાવણી કરશે. કોર્ટે 18 જૂને પુરી સહિત રાજ્યમાં વિવિધ સ્થળે નીકળતી રથયાત્રા પર રોક લગાવતાં કહ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં લેતાં આટલી ભીડને મંજૂરી ન આપી શકાય. તે માટે ભગવાન જગન્નાથ અમને માફ કરે.

સુપ્રીમકોર્ટમાં 4 રિવ્યૂ પીટિશન દાખલ થઇ છે, જે અંગે જસ્ટિસ એસ. રવીન્દ્ર ભટ આજે ચેમ્બરમાં સુનાવણી કરશે. જગન્નાથ મંદિર સમિતિ, ગોવર્ધન પીઠ, પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ, વિશ્વ હિન્દુ પરિષદ સહિત ઘણા સંગઠનોએ પુરીની રથયાત્રા પરની રોક હટાવવા માગ કરી છે.

જગન્નાથ મંદિર સમિતિએ કહ્યું કે રાજ્ય સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રથયાત્રાના આયોજન અંગે કરાયેલા સૂચનોને નજરઅંદાજ કરતા આ સ્થિતિ સર્જાઇ છે.

વિશ્વ હિન્દુ પરિષદે એમ પણ કહ્યું કે સુપ્રીમકોર્ટે આ મામલે નિર્ણય લેતાં પહેલાં તમામ સંબંધિત પક્ષકારોને સાંભળવા જોઇતા હતા. મૂળે ઓડિશા સરકાર સુપ્રીમકોર્ટમાં તમામ પાસાં બરાબર રીતે રજૂ કરી શકી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Supreme Court hearing on Puri Rathyatra Rock today


from Divya Bhaskar https://ift.tt/3fLfV0k

લદાખીઓએ દારૂગોળો ખભે ઊંચકી કારગિલ શિખર સુધી પહોંચાડ્યો હતો

ગલવાન ખીણમાં ભારત અને ચીન વિવાદ વચ્ચે લદાખના લોકો બહાદુરીનું પુનરાવર્તન કરવા તૈયાર છે. કારગિલ યુદ્ધના સમયે લદ્દાખીઓએ હથિયાર-વિસ્ફોટકો દુર્ગમ પર્વતો સુધી પહોંચાડવામાં ભારતીય સેનાની મદદ કરી હતી.

લદાખ બુદ્ધિસ્ટ એસોસિએશને પહેલ કરતાં સરકાર અને સ્થાનિક પ્રશાસનને કહ્યું કે અમે દરેક પ્રકારની મદદ માટે તૈયાર છીએ. એસોસિએશનના અધ્યક્ષ પી.ટી.કુનજેંગે ભાસ્કરને જણાવ્યું કે 1999ના કારગિલ યુદ્ધમાં અઢી હજાર લદાખવાસીઓએ દુર્ગમ પર્વતો સુધી રાશન અને ગોળા-બારુદ પહોંચાડવામાં ભારતીય સેનાની મદદ કરી હતી. ગોળાબારીના જોખમ વચ્ચે અમારો ફક્ત એક વોલેન્ટિયર ઘવાયો હતો. મહિલાઓ પણ રોટલીઓ બનાવી સેનાને મોકલાવતી હતી. વર્તમાન વિવાદમાં કદાચ સરકારને અમારી મદદની જરૂર ન પડે પણ અમારા તમામ યુવાનોને તૈયાર રહેવા કહેવાયું છે. સરકારનો નિર્દેશ મળતા જ એક અઠવાડિયામાં વોલેન્ટિયર તૈયાર કરી શકીએ છીએ.

કારગિલના યુદ્ધમાં વોલેન્ટિયર તરીકે કામ કરી ચૂકેલા લેહના વતની 52 વર્ષીય સેવાંગ યાંગ જોર જણાવે છે કે ત્યારે હું 31 વર્ષનો હતો. લદાખના લોકો ઓછા ઓક્સિજનમાં પણ ચાલવા, દોડવા અને વજન ધરાવતું સામાન પણ લઈ જવામાં સક્ષમ છીએ. અમે પર્વતીય વિસ્તારોમાં સામાન પહોંચાડવાનું કામ કર્યુ હતું. જ્યાં સુધી ખચ્ચર જઈ શકતા હતા ત્યાં સુધી સામાન ખચ્ચર પર લાદીને લઈ જતા હતા. તેની આગળ પોતાના ખભા પર ઊંચકીને લઈ જતા હતા. તેમાં હથિયાર અને વિસ્ફોટક પણ હતા. હું ખુદ બોફોર્સ તોપના ગોળા, મોર્ટારના ગોળા પોતાની પીઠ પર ઊંચકીને લઈ ગયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કારગિલ યુદ્ધમાં લદાખીઓએ સેનાનો સામાન પહોંચાડ્યો હતો. જ્યાં ઘોડા અને ગધેડા જઈ શક્યા નહીં ત્યાં તે ખભા પર સામાન લઈ ગયા હતા.


from Divya Bhaskar https://ift.tt/2BoZwA2

અમેરિકામાં ન્યૂયોર્ક સહિતના શહેરોમાં ગોળીબાર, 2 મોત અને 36 ઘાયલ

અમેરિકાના ન્યૂયોર્ક, મિનેપોલિસ, સિએટલ તથા ઓસ્ટિન શહેરોમાં શનિવાર અને રવિવારે ગોળીબાર તથા હિંસાની ઘટનાઓમાં 2 લોકોના મોત થયા અને 36 જણાં ઘાયલ થયા.

ન્યૂયોર્ક પોલીસ ગોળીબારની જુદી-જુદી 13 ઘટનાની તપાસ કરી રહી છે, જેમાં 19 લોકો ઘાયલ થયા છે. સિએટલમાં ગોળીબારમાં 1 મોત થયું અને 1 ઘાયલ છે. મિનેપોલિસમાં ગોળીબારમાં 1 મોત થયું અને 11 ઘાયલ છે જ્યારે ઓસ્ટિનમાં ગોળીબારમાં 5 લોકો ઘાયલ થયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મિનેપોલિસમાં થયેલ ગોળીબારનું ઘટનાસ્થળ.


from Divya Bhaskar https://ift.tt/2CtNd5X

દિવ્યભાસ્કના ગુજરાતમાં મંગળ પ્રવેશના 17 વર્ષ પૂર્ણ

દિવ્ય ભાસ્કર ગુજરાતમાં 17 વર્ષ પૂર્ણ કરીને 18મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. દિવ્ય ભાસ્કર પરિવાર માટે વરસ એટલે માત્ર 365 દિવસ પૂરા કરવા એ નહીં પણ 365 દિવસ સુધી સતત એવા પ્રયાસો કરવા જેથી વાચકોના હૃદયમાં તે પોતાનું સ્થાન જાળવી શકે, તેમનો વિશ્વાસ જીતતા રહીએ, તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરીએ. દિવ્ય ભાસ્કર દર 22મી જૂને ગુજરાતમાં શુભારંભની વર્ષગાંઠ જ નથી મનાવતું પણ તે વાચકોનો પ્રેમ જીતવાના, તેમનો ભરોસો જીતવાના સંકલ્પની સફળતાનો ઉત્સવ પણ મનાવે છે.

ભાસ્કરનો દૃઢ સંકલ્પ રહ્યો છે કે અખબારમાં તેમના વાચકો સદૈવ સર્વોપરિ રહે. સમાચારોના સિલેક્શનનો આધાર વાચકોની પસંદ જ રહી છે. સચ્ચાઈ, નિષ્પક્ષતાની સાથે વાચકોને હંમેશાં કંઇક નવું, અલગ આપવાની કોશિશ કરવી, કોઈ પણ પ્રકારની નેગેટિવિટી ફેલાવ્યા વિના મુદ્દાઓને ઉપાડવા ભાસ્કરની કાર્યશૈલીનો હિસ્સો રહ્યો છે. આ 18મી વર્ષગાંઠ નિમિત્તે અમે અમારા વાચક પરિવાર, શુભચિંતકોને ખાતરી આપીએ છીએ કે જે ભરોસો તેમણે અમારા પર મૂક્યો છે તેને અમે સતત મજબૂત કરતા રહીશું.

અંતમાં અમારા ચેરમેને સ્વ.રમેશજીના શબ્દોનું પુન:સ્મરણ કરીએ છીએ કે, ‘ભાસ્કરના ખરા માલિક તેના વાચકો છે.’ આ શબ્દો જ અખબાર તરીકે અમારી વિચારધારા છે. અમારો ઉદ્દેશ્ય છે. અને હંમેશાં રહેશે. જય જય ગરવી ગુજરાત.- ભાસ્કર પરિવાર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Divyabhask completes 17 years of entry in Gujarat


from Divya Bhaskar https://ift.tt/3fOk0B9

આ છે વિદેશી કંપનીઓને ચીનથી ગુજરાત લાવવાનો માસ્ટર પ્લાન, કોરોના કાળમાં જ 17 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું

ગુજરાત સરકારના ઉદ્યોગ-ખનીજ સચિવ મનોજ કુમાર દાસના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું કારણ બનેલા ચીનથી 4 હજારથી વધારે કંપનીઓ શિફ્ટ થવા તૈયાર થઈ ગઈ છે. તેમાં 1 હજારથી વધારે અમેરિકી, 2600 જાપાની અને આશરે 400 કોરિયન કંપનીઓ સામેલ છે. તેમાંથી મોટાભાગની કંપનીઓએ ભારતમાં આવવા રસ દાખવ્યો છે. તેનો સૌથી મોટો ફાયદો ગુજરાતને મળી શકે એમ છે. તેનું કારણ રાજ્યનો વિશાળ કોસ્ટલ એરિયા છે જ્યાંથી નિકાસ સરળ છે. આ માટે ઉચ્ચ અધિકારીઓની ડેડિકેટેડ ટીમ છે. આ ટીમ બે સ્તરે કામ કરે છે. એક સ્તર પર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ, પ્રૉડક્શન હબ માટે 1.20 લાખ હેક્ટર જમીનની લેન્ડ બેન્ક બનાવવામાં આવી રહી છે. જેમાંથી 33 હજાર હેક્ટર જમીન દહેજ, સાણંદ, ખોરજ અને ધોલેરામાં તારવવામાં આવી છે.

બીજા સ્તરે, અધિકારીઓની એક ટીમ આ કંપનીઓ સાથે સંપર્કમાં છે, જેથી તેમને ગુજરાત લાવી શકાય. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ વિદેશી કંપનીઓ રોકાણ કરી શકે એમ છે. ગુજરાતની સ્પર્ધા અન્ય રાજ્યો સાથે નહીં પણ વિયેટનામ, સિંગાપોર, થાઇલેન્ડ જેવા દેશો સાથે છે.પણ વિશાળ કુદરતી કોસ્ટ લાઇન, રેડિમેડ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કિલ્ડ લેબર અને સરકારની સાનુકૂળ નીતિઓના કારણે આપણે સૌથી વધારે એફડીઆઇ લાવવામાં સફળ થઈશું. (ગૌરવ તિવારી સાથેની વાતચીતના આધારે)

ગુજરાતમાં રોકાણ વધારવાનો પ્લાન

  • 10 સેક્ટરો પર ફોકસ
  • ઇલેક્ટ્રોનિક્સ, ફાર્મા, કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ, મેડિકલ ડિવાઇસ,
  • હેવી એન્જિનિયરિંગ, સોલર ઇક્વિપમેન્ટ અને ફૂડ પ્રોસેસિંગમાં અેફડીઆઇ લાવવા પર સરકારનું ફોકસ છે.

સરકાર શું કરી રહી છે
રાજ્યના સચિવોના એક જૂથે જાપાનની બે કંપનીઓને ગુજરાત લાવવામાં સફળતા મેળવી છે. બીજી અન્ય કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. 1.20 લાખ હેક્ટરની લેન્ડ બેન્ક બનાવવામાં આવી રહી છે. 33 હજાર હેક્ટર જમીન નક્કી કરી લેવાઈ છે. સાણંદ, રાજકોટ, ભરૂચમાં મેડિકલ ડિવાઇસ પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, ઑટો ઇન્ડસ્ટ્રીઝ સેટઅપ થઈ રહી છે. સાણંદમાં ઑટો એક્ઝિલરી પાર્ક સાથે 4600 એકરનો ઑટો પાર્ટ્સ હબ બનાવવાની તૈયારી છે.

શું સુવિધાઓ આપવામાં આવી રહી છે?

  • ભારતમાં આવનારી કંપનીઓને કેન્દ્ર સરકાર 40 હજાર કરોડ રૂપિયાનું પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ આપશે.
  • પ્રતિસ્પર્ધી મહારાષ્ટ્ર, તમિલનાડુની તુલનામાં ગુજરાત ઓછા ખર્ચમાં ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ કરાવશે.
  • ચીનથી ગુજરાત આવનારી કંપનીઓને સાત દિવસમાં જમીન અપાશે. તમામ પ્રક્રિયા ઑનલાઇન. એન્વાયરમેન્ટ ક્લિયરન્સમાં પણ રાહત. 15 દિવસમાં ડૉક્યુમેન્ટેશન કામગીરી પૂર્ણ કરાશે.
  • 1200 દિવસ એટલે કે 3.2 વર્ષ સુધી લેબર લૉમાં છૂટ.
  • દહેજ (એસઆઇઝેડ), સાણંદ, ખોરજ, ધોલેરા (એસઆઇઝેડ) તથા કેટલાક અન્ય એસઇઝેડમાં પહેલેથી જ જમીન તૈયાર.

કોરોના કાળમાં જ 17 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવી ચૂક્યું છે
ગુજરાતમાં કોરોના કાળ દરમ્યાન જ 17 હજાર કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવી ચૂક્યું છે. ઑટો સેક્ટરની ટોચની 12 કંપનીઓ દ્વારા ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાની ડિલ ફાઇનલ થઈ ચૂકી છે. કુલ 17 હજાર કરોડ રૂપિયાનો કરાર છે. ઑટો પાર્ટ્સ બનાવતી કંપનીઓ સાણંદમાં પ્લાન્ટ સ્થાપશે. જ્યારે કચ્છમાં 1800 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. આ રોકાણ અલ્ટ્રા મોડર્ન ફાર્મા એપીઆઇ પાર્ક બનાવવા માટે થયું છે. દહેજના ફાર્મા સેક્ટરમાં 250 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. ભરૂચમાં અલ્ટ્રા મોડર્ન ફાર્મા એપીઆઈ પાર્ક બનશે. ભરૂચમાં ફાર્મા સેક્ટરમાં જ 10 હજાર કરોડનું વધુ રોકાણ આવશે એવો સંકેત રાજ્ય સરકારે આપ્યો છે. તેનાથી આગામી 6 મહિનામાં 3થી 4 હજાર કરોડનું રોકાણ આવશે. કોલસા અને ઉદ્યોગ વિભાગના સચિવ કુમાર દાસે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉદ્યોગો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લૉકડાઉનમાં સ્થગિત વિકાસની ગતિ બમણા વેગે અનલૉક થશે. માત્ર ધોલેરામાં 91 હજાર કરોડનું રોકાણ થશે.


from Divya Bhaskar https://ift.tt/2BvKatC

1971માં કચ્છની 300 મહિલાઓએ માત્ર 71 કલાકમાં એર સ્ટ્રીપ બનાવી દીધી

1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભૂજમાં પાકિસ્તાની એરફોર્સે 18 બોમ્બ ઝીંકીને ઇન્ડિયન એરફોર્સની એર સ્ટ્રીપ તબાહ કરી દીધી હતી. ત્યારે આ સ્થિતિમાં કચ્છની 300 મહિલાઓ સામે આવી અને માત્ર 71 કલાકમાં એર સ્ટ્રીપ નવેસરથી બનાવી દીધી. એ પછી ભારતે એવો તો જવાબી હુમલો કર્યો કે પાકિસ્તાન બે ટુકડામાં વહેંચાઈ ગયું.

ગુજરાતની મહિલા શક્તિએ હંમેશાં દેશ, પરિવારને સર્વોપરિ રાખ્યો છે. દરેક મુસીબતમાં પરિવારને ટેકો આપ્યો છે. ભલે એ 2001નો ભૂકંપ હોય કે 2002ના રમખાણો હોય કે 2020ની કોરોના મહામારી. તેથી જ આજે ભાસ્કરની પહેલી તસવીર મહિલા શક્તિને સમર્પિત.

ભૂજ એરપોર્ટ પર હિંમતભેર શ્રમદાન કરનાર 300 બહાદુર મહિલાઓની યાદમાં સ્મારક બનાવાયેલું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ તસવીર છે ગુજરાતની મહિલાઓનાં સંકલ્પ, સ્વાભિમાન અને સફળતાની.


from Divya Bhaskar https://ift.tt/3djfKI1

અમદાવાદ નજીક બે મોરચે થાય છે વેક્સિન બનાવવાનું કામ, હ્યુમન સેલમાં કોરોના દાખલ કરી શોધાઈ રહ્યો છે મહામારીનો ઉકેલ

કાચની એક જાડી દીવાલને પેલે પાર જાણે એવું લાગે કે હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મનો સેટ હોય. જાડા કાચની દીવાલોથી જડેલી કેબિન જેવડા મોટા મોટા અનેક કક્ષ. દરેક રૂમમાં અવકાશયાત્રી પહેરે તેવા સફેદ સૂટ ધારી 12 - 18 લોકો. બધાના એક પ્રકારના સૂટના કારણે તેને પહેરનાર વ્યક્તિ મહિલા છે કે પુરૂષ તે પણ ઓળખવું મુશ્કેલ. બધા એકદમ એકાગ્રતાથી મશીનો પર કામ કરી રહ્યા છે. જાણે અર્જુનને માછલીની આંખ સિવાય બીજું કઇ ના દેખાય તે રીતે અહીયા પણ દરેક વ્યક્તિ પ્રવૃત્ત છે. કોઇ માઇક્રોસ્કોપમાં ઝીણવટથી જોઇ રહ્યું છે તો કોઇ ફરતા મશીનમાં ફિટ કરેલી નાની શીશીઓમાં રંગીન પાણીનું નિરીક્ષણ કરી રહ્યું છે. તો કોઇ ડ્રોપરથી પાણીમાં રંગનું મિશ્રણ કરી રહ્યૂં છે. છેલ્લા ઘણા દિવસોથી અખૂટ ધીરજ અને અત્યંત ઝીણવટપૂર્વક અહીં આ કામગીરી ચાલી રહી છે...

હકીકતમાં આ દૃશ્ય ઝાયડસ કેડિલાની અમદાવાદ સ્થિત રિસર્ચ લેબનું. અહીયા 100-200 નહીં પૂરા 1400 રિસર્ચર કોરોના, મતલબ કોવિડ-19ની વેક્સિન શોધવાની મથામણ કરી રહ્યા છે. લેબની મારી મુલાકાત દરમિયાન લેબોરેટરી સુધી મારી સાથે આવેલી એક વિજ્ઞાનીએ ઇશારામાં પૂછ્યું તો તેણે મંદ હાસ્ય સાથે કહ્યું - તમે બોલી શકો છો, અમે કાચની આ બાજુ છીએ. લેબમાં શું ચાલી રહ્યું છે એવું પૂછતાં તેમણે કહ્યું કે ‘અહીંયા મુખ્ય બે થીમ પર રસીની શોધ ચાલી રહી છે. પ્રથમ, ડીએનએ બેઝ વેક્સિન અને બીજી લાઇવ એટેંન્યૂટેડ રિકોમ્બિનેંટ મીઝલ વાઈરસ વેક્ટોરેટ વેક્સિન.

પ્રથમ થીમમાં વાયરલ મેંબ્રેનના પ્રોટીન પર રિસર્ચ થઇ રહ્યું છે. આના કારણે કોરોના માનવ સેલમાં પ્રવેશ કરે છે. આ રિસર્ચમાં પ્લાસ્મિડ ડીએનએને હૉસ્ટ સેલમાં પ્રવેશ કરાવાશે. તેના વાઈરલ પ્રોટીનમાં પરિવર્તન થશે અને સેલ્યુલર તેમજ હ્યૂમોરલ આર્મની મદદથી રોગ પ્રતિકારક શક્તિને મજૂબત કરશે. આ બિલકુલ એ જ રીતે કામ કરે છે જાણે આપણું શરીર અન્ય રોગો સામે લડે છે. બીજી થીમમાં કોરોના વાઈરસના કોડોન ઓપ્ટીમાઇઝ પ્રોટીનનું રિવર્સ એન્જિનિયરિંગ કરવામાં આવી રહ્યું છે. તેના દ્વારા એન્ટીબોડી તૈયાર કરાશે જે સીધું કોરોના સામે લડશે.

રિસર્ચ લેબોરેટરીમાંથી બહાર નીકળીને ઝાયડસના ચેરમેન પંકજ પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, લેબમાં દરેક થીમ પર અનેક પ્રકારના પ્રયોગો અજમાવવામાં આવી રહ્યા છે. કેડિલાએ 15 ફેબ્રુઆરીથી આ રિસર્ચ પ્રોગ્રામ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં હજારો ટેસ્ટ થયા છે. માત્ર ભારત નહીં યુરોપમાં પણ અમારી એક ટીમ વેક્સિન સંશોધન પર કામ કરી રહી છે. ભારતીય સેન્ટરોમાં અમે પ્લાસ્મિડ ડીએનએ વેક્સિન પર કામ કરી રહ્યા છીએ, જ્યારે યુરોપમાં મીઝલ રિવર્સ જેનેટિક પર કામ થઇ રહ્યું છે. અમે જલ્દી તેની ઘોષણા કરીશું. આ પહેલી વાર નથી અમે 2010માં પણ સ્વાઇન ફ્લૂની વેક્સિન બનાવી હતી. અમને ત્યારે પણ સફળતા મળી હતી અને પૂરો વિશ્વાસ છે કે આ વખતે પણ સફળતા મળશેજ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઝાઇડસ કેડિલાની લેબ, જ્યાં કોરોના વેક્સિન પર સંશોધન ચાલી રહ્યું છે.


from Divya Bhaskar https://ift.tt/2V7NX7j

ગુજરાતીઓએ કદી હાર ન માની તેનું સૌથી મોટું કારણ છે - પરિવાર

ગુજરાતમાં 32 લાખ સંયુક્ત પરિવાર, 20 હજાર ઘર એવા છે જ્યાં 10થી વધારે લોકો સાથે રહે છે. શહેરોમાં 13 લાખ, ગામડાઓમાં 19 લાખ ,સંયુક્ત પરિવારો છે....આ જ એ તાકાત જે કોઈને તૂટવા દેતી નથી..હંમેશા જીતવાની પ્રેરણા આપે છે.

ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં જેટલી વધારે મુશ્કેલીઓ આવી એટલી જ વધારે ઝડપથી પ્રગતિ પણ આવી છે. ભલે એ 1998નું પૂર હોય, 2001નો ભૂકંપ હોય કે 2002ના રમખાણો. ગુજરાતીઓને જુસ્સો અને હિંમત આપવામાં સૌથી મહત્ત્વની ભૂમિકા હોય છે એમની સંસ્કૃતિનો. સંયુક્ત પરિવારોની સંસ્કૃતિ. આ જ કારણોસર સંયુક્ત પરિવારમાં ખુશીઓની ચાવીની સાથે દરેક દર્દની દવા પણ મળી જાય છે.

વ્યવસાયમાં નુકસાન થાય. નોકરીમાં નિરાશા પ્રાપ્ત થાય. કે પછી અન્ય કોઈ પણ આપત્તિ આવે. સંયુક્ત પરિવાર આવી જ માનસિક, શારીરિક અને આર્થિક સંકટમાં હિંમત આપવાનું કામ કરે છે, સંઘર્ષ કરવાનું જોમ આપે છે અને ફરી બેઠા થવાની શક્તિ આપે છે. દેશમાં જ્યાં સંયુક્ત પરિવારોની સંખ્યા 18 ટકા છે, તો ગુજરાતમાં આ પ્રમાણ 24 ટકાછે. ગુજરાતમાં કુલ 1.22 કરોડ પરિવારો છે. તેમાં 32 લાખ સંયુક્ત પરિવાર તરીકે રહે છે. શહેરી વિસ્તારમાં 54 લાખ પરિવારોમાંથી 13 લાખ સંયુક્ત પરિવાર છે. જ્યારે ગામડાઓમાં 68 લાખમાંથી 19 લાખ સંયુક્ત પરિવાર છે.

વસ્તીગણતરીના આંકડાઓ પ્રમાણે 22 લાખ પરિવાર એવા છે જ્યાં બેથી વધારે કપલ એક જ ઘરમાં રહે છે. 3થી વધારે કપલ ધરાવતા 5 લાખ પરિવાર છે. 4થી વધારે કપલ ધરાવતા 70 હજાર પરિવાર છે.જ્યારે 25 હજારથી વધારે એ‌વા પરિવાર છે જ્યાં એક જ પરિવારમાં 10થી વધારે લોકો રહે છે. ભૂકંપ વખતે જ્યારે મોટાભાગના મકાનો ધરાશાયી થઈ ગયા હતા. કચ્છમાં આજે પણ 40 હજારથી વધારે મહિલાઓ સ્વરોજગાર દ્વારા પરિવાર ચલાવે છે.

આફતમાં આત્મવિશ્વાસ આપતા ઘર-ઘરના સંવાદ

  • હું છું ને, ચિંતા કેમ કરે!
  • બધા હસે એટલે આપણે પણ હસવું
  • મુશ્કેલીઓ સફળતાના અનેક માર્ગ ખોલી દેતી હોય છે.
  • કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઇએ
  • એક વાત યાદ રાખજો, સારા દિવસો મેળવવા માટે ખરાબ દિવસો સામે લડ઼વું પડે છે
  • ચિંતા ના કરો, સૌ સારા વાના થશે
  • ઈશ્વર સૌનો છે, આપણે ચિંતા નહી કરવાની!
  • ખાવું, પીવું ને જલસા કરવાના, ટેન્શન નહીં લેવાનું
  • ચિંતા ના કરીશ, આપણે છેલ્લે સુધી લડી લઇશું
  • અંધકાર પછી ઉજાસ હોય છે અને દુ:ખ પછી સુખ હોય છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The biggest reason of why Gujaratis never gave up is family


from Divya Bhaskar https://ift.tt/2Nk4kco

શ્રીનગર-શોપિયામાં ચાર આતંકી ઠાર, 3ની ધરપકડ

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને શોપિયામાં રવિવારે અથડામણોમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યા અને સોપોરમાં લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલા ત્રણ લોકોની ધરપકડ કરી હતી. શ્રીનગરના જૂનીમારના પોજવાલપોરા વિસ્તારમાં 3 અને શોપિયામાં એક આતંકીને ઠાર મરાયો હતો. તેમની પાસેથી એકે-47 રાઈફલ, બે પિસ્તોલ સહિત અન્ય હથિયારો મળી આવ્યા હતા. પોજવાલપોરામાં એક ઘરમાં આતંકીઓના છુપાયા હોવાની સૂચના પર સુરક્ષાદળોએ વિસ્તારની ઘેરાબંદી કરી હતી.

હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓની ઓળખ થતા તેમના માતા-પિતાને બોલાવી તેમને સરેન્ડર કરાવવા પ્રયાસ કરાયો હતો પણ આતંકીઓએ ઈનકાર કરી દીધો. અઢી કલાક પછી જ્યારે સુરક્ષાદળો આગળ વધ્યા તો આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. જવાબી કાર્યવાહીમાં આતંકીઓને ઠાર મરાયા. તેમાંથી એક આતંકી ગત મહિને શ્રીનગરના પાંડચ વિસ્તારમાં બીએસએફના બે જવાનોની હત્યામાં સામેલ હતો. અફવાઓને રોકવા માટે શ્રીનગર અને પુલવામા જિલ્લાના અમુક ભાગોમાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરાયો છે.

આ વર્ષમાં 106 આતંકી ઠાર મરાયા
કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે ગત ચાર મહિનામાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં ચાર મુખ્ય આતંકી સંગઠનો લશ્કર-એ-તોયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન અને અન્સાર ગઝવત-ઉલ-હિંદના વડાઓને ઠાર મરાયા છે. ચાલુ વર્ષે અત્યાર સુધી કુલ 106 આતંકીને ઠાર મરાયા છે. 100થી 200 આતંકી હજુ પણ સક્રિય છે. ગત વર્ષે કાશ્મીર ખીણમાં 252 આતંકી સક્રિય હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આતંકીઓના ખાત્મા પછી સેનાએ જશ્ન મનાવ્યો.


from Divya Bhaskar https://ift.tt/3hKAcFn

પોરબંદરમાં 7, રાણાવાવમાં 6 અને કુતિયાણામાં 4 ઇંચ, દ્વારકામાં 3 ઇંચ પાણી વરસ્યું

ચાર દિવસનાં વિરામ બાદ રવિવારે જૂનાગઢ, પોરબંદર, અમરેલી જિલ્લામાં મેઘસ્વારી આવી પહોંચી હતી. શનિવારે મોડી રાત્રીથી વરસાદ ધીમીધારે શરૂ થયો હતો. વચ્ચે-વચ્ચે તોફાની બેટિંગ પણ કરી હતી. જેમાં પોરબંદર જિલ્લામાં અનરાધાર વરસાદ પડ્યો હતો. પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં એક જ દિવસમાં 7 ઇંચ વરસાદ પડતા જમીન તરબોળ થઇ ગઇ હતી. રસ્તાઓ પર પાણી દોડવા લાગ્યા હતા. શહેરનાં અનેક વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાઇ ગયા હતા.

આ ઉપરાંત પોરબંદર જિલ્લાનાં રાણાવાવ પંથકમાં પણ 6 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને લઇ નદી-નાળામાં પાણી વહેવા લાગ્યા હતા. જ્યારે કુતિયાણામાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો. રવિવારે સવાર સુધી અવિરત વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ જિલ્લાનાં માણાવદરમાં 3 ઇંચ, જૂનાગઢ અને માળિયામાં 2 ઇંચ કેશોદ, માંગરોળમાં દોઢ ઇંચ, ભેંસાણમાં અડધો ઇંચ, વંથલીમાં એક ઇંચ અને વિસાવદરમાં ઝાપટાં પડ્યા હતા. જયારે ગીર-સોમનાથ જિલ્લાનાં ઊનાનાં સાણાવાંકીયામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જયારે અમરેલી જિલ્લાનાં ધારી, ખાંભા, વડિયા અને અમરેલીમાં દિવસભર ઝાપટાં પડ્યા હતા.

રાજકોટ-જામનગર: કલ્યાણપુરમાં 8, ખંભાળિયામાં 4, ભાણવડમાં 3.5 ઇંચ
હાલારમાં મેઘરાજાએ હેત વરસાવતા કલ્યાણપુર તાલુકામાં 7.5, ખંભાળિયામાં 3.5, દ્વારકા અને ભાણવડ તાલુકામાં 3 ઇંચ નોંધાયો છે. જયારે લાલપુરમાં 1.75, જામજોઘપુરમાં 1 ઇંચ મેઘ મહેર થઇ છે. અન્ય તાલુકામાં હળવાથી ભારે ઝાપટાં વરસ્યા છે. કુટી નદીમાં પૂર આવતા કલ્યાણપુર તાલુકાનું ટીટોડી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા અને મોટી પાનેલીમાં અડધાથી બે ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે રાત્રીના મેઘરાજાએ વિધિવત્ પધરામણી કરી હતી. મેઘરાજાએ ખાસ કરીને દ્વારકા જિલ્લામાં વિશેષ હેત વરસાવતા રવિવારે સાંજ સુધીમાં કલ્યાણપુર તાલુકામાં 7.5, ખંભાળિયામાં 3.5, દ્વારકા અને ભાણવડ તાલુકામાં 3 ઇંચ પાણી વરસી ગયું હતું. જયારે લાલપુરમાં 1.75, જામજોઘપુરમાં 1 ઇંચ વરસાદ પડયો હતો. વરસાદનું સમયસર આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રવિવારે અડધો, ઉપલેટામાં એક ઇંચ અને મોટી પાનેલીમાં બે ઇંચ સુધી પાણી વરસી ગયું હતું.

કચ્છમાં ધોધમાર, માંડવીમાં 8 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો
કચ્છમાં સત્તાવાર ચોમાસું કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી શરૂ થાય છે તેવામાં વિશ્વ યોગ દિવસના મેઘરાજાએ જાણે વર્ષાસન કર્યું હોય તેમ જિલ્લાના છ તાલુકા મેઘ મહેરથી તરબતર થયા હતા. માંડવીમાં આઠ કલાકમાં ધોધમાર 7 ઇંચ, મુન્દ્રામાં અડધો તો તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 2, નખત્રાણા સહિત આસપાસના ગામોમાં 2 ઇંચ, અબડાસાના કોઠારામાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

તો વળી ભુજ, અબડાસા, લખપત તાલુકામાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. માંડવીમાં ધોધમાર સાત ઇંચ ઉપરાંત જિલ્લાના અન્ય 5 તાલુકાઓમાં વાવણી લાયક વરસાદના પગલે જગતનો તાત ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પોરબંદર જિલ્લામાં વરસાદ પડ્યો હતો.


from Divya Bhaskar https://ift.tt/3hOSRjf

જે ચંદ્ર તેની ચમક માટે સૂર્યના પ્રચંડ પ્રકાશ પર નિર્ભર રહે છે, આજે તે જ ચંદ્રે સૂર્યને ઢાંકી દીધો

વર્ષ 2020નું પહેલું સૂર્યગ્રહણ રવિવારે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોવા મળ્યું. ભારતમાં સવારે 9:15 વાગ્યે શરૂ થયેલું સૂર્યગ્રહણ બપોરે 3:04 વાગ્યે આસામમાં પૂરું થયું. આશરે ત્રણ કલાક સુધી સૂર્ય પર ચંદ્રનો પડછાયો છવાયેલો રહ્યો. વલયાકાર સૂર્યગ્રહણ સવારે 10:25 વાગ્યે શરૂ થયું અને 30 સેકન્ડ સુધી સૂર્યનો ચમકતી વીંટી જેવો અદભુત નજારો જોવા મળ્યો.

સૂર્યગ્રહણની ખાસ વાતો
દેશે જોયું દસકાનું છેલ્લું સૂર્યગ્રહણ, રિંગ ઓફ ફાયર 30 સેકન્ડ દેખાઈ
ભારતમાં 21 મે, 2031એ વલયાકાર અને 20 માર્ચ, 2034એ પૂર્ણ સૂર્યગ્રહણ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર રાજકોટમાં સવારે11.37 કલાકની છે.


from Divya Bhaskar https://ift.tt/3doCu9D

બારામુલા LOC ઉપર પાકિસ્તાન સેનાનો ગોળીબાર, 2 બાળકો, 1 મહિલા સહિત 5 ઘવાયા

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં એલઓસી નજીક પાકિસ્તાની સેનાએ રવિવારે સતત બીજા દિવસે સીઝફાયરનો ભંગ કર્યો હતો અને ભારે ગોળીબાર કર્યો હતો. તેમાં બે બાળકો અને એક મહિલા સહિત 5 લોકો ઘવાયા હતા. જ્યારે પૂંછ જિલ્લાના બાલાકોટમાં પણ સવારે એલઓસી નજીક નાના હથિયારો અને મોર્ટારથી ગોળાબારી કરવામાં આવી હતી. જોકે અહીં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્તના સમાચાર નથી.

ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે શનિવારે ઉરી અને રામપુર સેક્ટરના હાજીપુર વિસ્તારમાં એલઓસી પર સેનાની ટોચની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોમાં પાકિસ્તાની સેનાએ ઓટોમેટિક હથિયારો અને મોર્ટાર વડે ગોળાબારી કરી હતી. તેનાથી રામપુર સેક્ટરના નંબલા ગામમાં 5 નાગરિક ઘવાયા હતા. તેમને ઉરીની હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. ભારતીય સેનાએ વળતો જવાબ આપતાં પાકિસ્તાની સેનાની ચોકીઓ પર તોપમારો કરી હતી. ગત 13 દિવસમાં પાક. સેનાએ 11 વખત યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સરહદ પર તૈનાત ભારતીય જવાનોની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3fNpVWO

Earthquake of magnitude 5.3 strikes Mizoram

Earthquake of magnitude 5.3 strikes Mizoram

from India Today | Top Stories https://ift.tt/3dpDnP8

SC to hear today 16 pleas seeking recall of its order staying Jagannath Rath Yatra in Puri

SC to hear today 16 pleas seeking recall of its order staying Jagannath Rath Yatra in Puri

from India Today | Top Stories https://ift.tt/2Nfgof6

Despite being in list, villagers didnít receive house allotted under PMAY

Despite being in list, villagers didnít receive house allotted under PMAY




from News - Videos - The Times of India https://ift.tt/2NuVjh3

Monsoon likely to arrive in Delhi by June 25: IMD

Monsoon likely to arrive in Delhi by June 25: IMD




from News - Videos - The Times of India https://ift.tt/317Amk3

PM Modi: Yoga has emerged as a force for unity

PM Narendra Modi on Sunday said yoga had emerged as a force for unity and it did not discriminate as it went beyond race, colour, gender, faith and nations. “If our immunity is strong, it is of great help in defeating this disease. For boosting immunity, there are several techniques in yoga, various asanas are there,” he added.

from Times of India https://ift.tt/2Yngho9

Maha strategy in Dharavi earns Centre's praise

Efforts led by the Maharashtra government and Brihanmumbai Municipal Corporation (BMC) to ‘chase the virus’ through aggressive targeted tracing of Covid suspects in Dharavi, which has recently seen a sharp decline in infections, drew the Centre’s praise on Sunday.

from Times of India https://ift.tt/315hnGS

Suicide rate for people with schizophrenia disorder 170 times higher: Study

Suicide rate for people with schizophrenia disorder 170 times higher: Study




from News - Videos - The Times of India https://ift.tt/2AZXW7A

Saturday, June 20, 2020

3 વર્ષની દીકરીને દિલ્હીમાં ડોલ્સ મ્યુઝિયમ ન બતાવી શક્યા તો પપ્પાએ રાજકોટમાં 3 વર્ષમાં 108 દેશની 800 બ્યુટીફુલ ડોલ્સ સાથેનું ઇન્ટરનેશનલ મ્યુઝિયમ બનાવ્યું

મા-બાપ બાળકની દરેક ઈચ્છા પૂરી કરે છે પણ કેટલીક ઈચ્છા પૂરી કરવી માતા-પિતા માટે અસંભવ બની જાય છે, પરંતુ આજે ફાધર્સ ડે નિમિત્તે એવા પિતાની વાત કરવી છે જેણે પોતાની દીકરીની એક ઈચ્છા માટે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડોલ્સ મ્યુઝિયમ બનાવી દીધું. દીપકભાઈ અગ્રવાલ પરિવાર સાથે વર્ષો પહેલા ચારધામની જાત્રાએ ગયા હતા. એ સમયે તેમણે ૩ વર્ષની દીકરીને કહેલું કે તને દિલ્હીનું ડોલ્સ મ્યુઝિયમ જોવા લઇ જઈશ. દીકરી ખુશ થઇ ગઈ, બધે ફરીને દિલ્હી પહોંચ્યા ત્યાં સોમવાર હોવાને કારણે મ્યુઝિયમ બંધ હતું, દીકરી નારાજ થઇ, પપ્પાને કહ્યું તમે ખોટું બોલ્યા આ મ્યુઝિયમ તો બંધ છે ત્યારે દીપકભાઈએ કહેલું કે આપણે રાજકોટમાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવીશું.

પિતાએ ઢીંગલી માટે 1 લાખ મેઇલ કર્યાં
ત્યારે તે વાત પૂરી થયા બાદ ચારેક મહિના પછી દીકરીએ યાદ કરાવ્યું કે મારું ઢીંગલીઓનું મ્યુઝિયમ ક્યા? ત્યારબાદ દીપકભાઈએ રોટરી સંસ્થામાં ઢીંગલીઓનું મ્યુઝિયમ બનાવવાની વાત કરી, લોકોએ કહ્યું આ તો અસંભવ છે. દીપકભાઈ કહે છે કે એ સમયે મે દુનિયાની12 જુદી જુદી રોટરી સંસ્થાઓમાં ઈ-મેલ કર્યો, જેમાંથી એક સંસ્થાનો રિપ્લે આવ્યો અને તેણે ઢીંગલીઓ પણ મોકલી. ઉત્સાહ વધ્યો એટલે વધુને વધુ દેશોને લગભગ 1 લાખ વ્યક્તિગત ઈ-મેલ કર્યા. ઢીંગલીઓ આવવાની શરૂ થઇ પરંતુ ક્યા રાખવી એ પ્રશ્ન હતો. ત્યારે અરવિંદભાઈ મણિયાર ટ્રસ્ટે 9 હજાર સ્ક્વેરફીટ જગ્યા આપી અને 2004માં ડોલ્સ મ્યુઝિયમની સ્થાપના થઇ. આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે દુનિયાનું પહેલું મ્યુઝિયમ છે કે જે કોઈ રાજા, નિઝામ કે સરકારે નહીં પણ એક પિતાએ તેની દીકરી માટે બનાવ્યું છે. અહીં 108 દેશની 800થી વધુ બ્યુટીફુલ ઢીંગલીઓ છે. દીપકભાઈ અને તેમના પત્ની મીનાક્ષીબેન કહે છે ડોલ્સ મ્યુઝિયમ અમારું ત્રીજું બાળક છે.

દરેક દેશની ઢીંગલીઓ તે દેશની ભૌગોલિક, સંસ્કૃતિક, પહેરવેશનો પરિચય કરાવે છે

  • દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના બે પૈકીનું એકમાત્ર આંતરરાષ્ટ્રીય ડોલ્સ મ્યુઝિયમ રાજકોટમાં છે. ઢીંગલીની આંખો સાચી લાગે, સુંદરતા એવી કે લાગે હમણાં બોલી ઉઠશે.
  • શો કેસમાં ઢીંગલીઓ રાખી છે તે દરેકની સાઈઝ અને શેઈપ અલગ છે.
  • શો કેસ સાથે જે-તે દેશની ઢીંગલીઓ વિષેની માહિતી પણ દર્શાવી છે.
  • જુદા જુદા મૂળ દર્શાવતી ડોલ્સ અહીં છે, કોઈ ગામડાંની કન્યા છે તો કોઈ શહેરી મોડર્ન ગર્લ છે.
  • દેશ-વિદેશની ઢીંગલીઓ અહીં છે, એકપણ ઢીંગલી રિપીટ નથી થતી.
  • કોઈ ઢીંગલી ઇંગ્લેન્ડથી શિપમાં આવી છે તો કોઈ બ્રિટનથી ખાસ હેલિકોપ્ટરમાં આવી છે.
  • ડોલ્સ મ્યુઝિયમનો મહિને મેન્ટેનન્સનો ખર્ચ 1 લાખ રૂપિયા થાય છે.
  • વર્ષમાં એક વખત બધી ઢીંગલીના કપડાં સારી રીતે ધોવામાં આવે છે.

રાજવી પરિવારની ઢીંગલી વાજતેગાજતે લવાઈ હતી
ડોલ્સ મ્યુઝિયમમાં એક ઢીંગલી રોયલ ડોલ છે. જે રાજકોટના રાજવી પરિવારના રાણીસાહેબ કાદમ્બરીદેવીના શૈશવની ઢીંગલી છે. રાણીસાહેબને તેમની માતાએ બાળપણમાં આ ઢીંગલી ભેટમાં આપી હતી. આ ઢીંગલી ભવ્ય ફુલેકું, તલવાર રાસ સાથે રણજિતવિલાસ પેલેસની આભા અને ગરિમા સમી આ ઢીંગલી ડોલ્સ મ્યુઝિયમમાં પધારી છે. આ પ્રસંગે પારંપરિક ઢબે ઢીંગલીનું સામૈયું કરાયું હતું. રાસ-ગરબાની રમઝટ બોળી હતી. હજારો લોકો જોડાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજકોટના રાજવી પરિવારના રાણીસાહેબ કાદમ્બરીદેવીના શૈશવની ઢીંગલી પણ અહીં છે.


from Divya Bhaskar https://ift.tt/3hMOIMQ

UN vote on race, policing in US is hypocrisy, says Mike Pompeo

UN vote on race, policing in US is hypocrisy, says Mike Pompeo

from India Today | Top Stories https://ift.tt/2NjGduk

Kashmir NGO catering to needs of specially-abled resumes its services

Kashmir NGO catering to needs of specially-abled resumes its services




from News - Videos - The Times of India https://ift.tt/310trZT

Int'l Yoga Day: PM Modi to address nation shortly

Modi to address nation on International Yoga Day

from Times of India https://ift.tt/2YjwZVp

India records 15k+ cases in one day, tally past 4L

India crossed the grim milestone of four lakh Covid cases on Saturday with a record of 15,203 people testing positive for the virus, taking the country’s caseload to 4,10,923. While it took 109 days to add the first one lakh cases, the last one lakh cases came in just eight days.

from Times of India https://ift.tt/2V3dO0e

How to survive cut-throat Bollywood? The best advice came from Rahman

The recent suicide of Sushant Singh Rajput, a successful and young movie star, has stirred up the nation. After all, how could someone who seemingly had it all want to end it all? Social media,...

from Times of India Opinion https://ift.tt/2NghIhQ

Boycotts and balcony beating won’t chase the dragon away

If we all stop eating Chinese food as of this minute, will the Ladakh problem go away? If we all stand on our balconies this Sunday, beat thaalis, light diyas, and shout as loudly as...

from Times of India Opinion https://ift.tt/2V3gHy5

Creating a positive state of mind

Everyone seems to be in lockdown fatigue and the most affected are relationships. Irritation, boredom, lack of personal space, lack of privacy, lack of understanding and lack of help is leading to a huge emotional...

from Times of India Opinion https://ift.tt/2AUplYH

A day to thank our fathers

Father’s Day celebrates and honours the men who have embraced the pivotal role of fatherhood. On this day, we thank fathers and father figures for the immense sacrifices they make, for diligently fulfilling the responsibility...

from Times of India Opinion https://ift.tt/2Bn0LQf

આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ, સવારે 10.03થી 209 મિનિટ સુધી ચાલશે

આજે 5 વર્ષ બાદ વિ.સં.2076 સૌથી મોટું અને અંતિમ કંકણાકૃતિ સૂર્યગ્રહણ.5 વર્ષ બાદ સૂર્યગ્રહણમાં એક સાથે 6 ગ્રહો જેવાકે મંગળ,બુધ,ગુરુ, શુક્ર, શનિ,રાહુ એક સાથે વક્રી ભ્રમણ થશે, તેમ જ મિથુન રાશિમાં ચાર ગ્રહો (સૂર્ય, ચંદ્ર, બુધ,રાહુ)ની યુતી બનતી હોવાથી ખૂબ મોટી કુદરતી કે અકુદરતી દુર્ઘટનાઓ,યુદ્ધ થવાની શક્યતા છે.તેમ જ રાજકીય મહાનુભાવો,ધર્માચાર્ય, વિદ્યાર્થીગણ માટે વધુ કસોટી વાળો સમય ગણાવી શકાય.આ પ્રકારનું ગ્રહણ 5 વર્ષ બાદ આવી રહ્યું છે.

આ અંગે જણાવતા એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પ્રણેતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર 21 રવિવારના રોજ સવારે 10.03 વાગે સૂર્યગ્રહણ શરૂ થશે. આ ગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા, યુરોપ તથા મધ્ય આફ્રિકામાં દેખાશે. ભારતમાં દેખાશે.

બપોરે 1.32 કલાકે ગ્રહણનો મોક્ષ

  • ગ્રહણનો સ્પર્શ : 10.03 સવારે
  • ગ્રહણનો સમય: 11.41 સવારે
  • ગ્રહણનો મોક્ષનો સમય: 01.32 મિનિટ
  • ગ્રહણનો ભોગ્ય સમય : 03.48 મિનિટ

શાસ્ત્રોમાં રાશિ મુજબ દાનનો મહિમા વર્ણવ્યો છે
મેષ,વૃશ્ચિક રાશિ સ્વામી મંગળ હોવાથી આ રાશિના જાતકોએ લાલ કપડું, ઘઉં, ગોળ, મસૂરની દાળ,લાડુનું દાન કરવું.
વૃષભ,તુલા રાશિ સ્વામી શુક્ર હોવાથી સફેદ કપડું,સફેદ ફૂલ, ચોખા,ખાંડ,સાકર,દૂધ ,કેળાનું દાન આપવું.
મિથુન,કન્યા રાશિ સ્વામી બુધ આ રાશિના જાતકોએ લીલું (લીલી)કપડું,મગ,તાજા લીલા શાકભાજી,લીલું નાળિયેર આપવું.
કર્ક રાશિ રાશિ સ્વામી ચંદ્ર હોવાથી સફેદ કાપડ,સફેદ ફુલ,ચોખા,સાકર,દૂધ ,દૂધની બનાવટો ગરીબોમાં અર્પણ કરવું.
સિંહ રાશિ સ્વામી સૂર્ય હોવાથી આ રાશિના જાતકોએ લાલ કાપડ,કેસરિયા ફૂલ,તલ,ગોળ,તાંબાની વસ્તુ વિતરણ કરવી.
ધન,મીન રાશિ સ્વામી ગુરુ હોવાથી આ રાશિના જાતકો એ પીળા કલરનું કાપડ,પીળાકલરના ફુલ, ચણાની દાળ,પીળું ચંદન આપવું
મકર,કુંભ આ રાશિનો સ્વામી શનિ હોવાથી આ રાશિના જાતકોએ કાળું કપડું,જાંબલી કલર ના ફુલ,કાળા તલ,કાળા અડદ,લવીગ,દેશી ચણા,જુનો પૈસૌ આપવો.

ગ્રહણમાં શું ન કરાય
ઊંઘ, આહાર, મુસાફરી, મહત્વની મીટિંગ, નવી મુલાકાત, ઔષધિ ગ્રહણ ન કરવી, દીપક ન સળગાવો, સગર્ભા તેમ જ બાળકોએ ઘરની બહાર ન જવું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2CsMiCL

કોરોનાના સંકટકાળ દરમિયાન બાળકોએ ક્યારથી સ્કૂલે જવું? કેવી રીતે સ્કૂલે જવું?

કોરોના સંકટને કારણે સ્કૂલ/કોલેજ અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બંધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્કૂલો ખોલવાની જુદી-જુદી તારીખો કહી રહી છે. પેરેન્ટ્સની ઇચ્છા શું છે? તેઓ ક્યારથી બાળકોને શાળાએ મોકલવા માગે છે? જો શાળાઓ ખૂલે તો પણ બાળક કેવી રીતે જશે?

દરેક ઘર સાથે જોડાયેલા આ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર દિવ્ય ભાસ્કર આજથી દેશભરમાં સર્વે શરૂ કરી રહ્યું છે. પેરેન્ટ્સના શું વિચાર છે, તેમનો શું અભિપ્રાય છે, શું તેઓ બાળકોની સ્કૂલ વિશેનો નિર્ણય સરકાર પર છોડી દેવા માગે છે કે પછી જાતે જ કોઈ નિર્ણય લેવા માગે છે?

આખરે સ્કૂલો ક્યારે ખૂલશે? કેવી રીતે ખૂલશે? આ પ્રકારના સવાલો તમારા મનમાં પણ હશે.

આ ગંભીર વિષય સાથે જોડાયેલા સવાલોને દિવ્ય ભાસ્કર તેના સર્વે દ્વારા તમારી વચ્ચે લઇને આવી રહ્યું છે.

સર્વે આજથી 28 જૂન સુધી ચાલશે. વાચકો તરફથી મળેલા સર્વેનાં પરિણામોને જુલાઈના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.

આ 4 સરળ રીતે તમે આ સર્વેમાં ભાગ લઇને તમારો અભિપ્રાય અમને મોકલી શકો છો

1. 1800-2124-777 ટોલ ફ્રી નંબર પર મિસ્ડ કોલ કરો. તમને મેસેજ દ્વારા સર્વે ફોર્મની લિંક મળશે. તેના પર ક્લિક કરતાં જ ફોર્મ ખૂલશે. તેને ભરીને સબમિટ કરી દો.

2.દિવ્ય ભાસ્કર એપ અથવા www.divyabhaskar.com પર જઇને પણ તમે સર્વે ફોર્મ ભરી શકો છો.

3. દિવ્ય ભાસ્કરના ફેસબુક પેજ પર જઇને પણ તમે આ સર્વેમાં ભાગ લઈ શકો છો.

4. સવાલો સાથે આપવામાં આવેલો QR કોડ સ્કેન કરીને સર્વે લિંક દ્વારા પણ તમા તમારો અભિપ્રાય અમને મોકલી શકો છો.

સર્વે ફોર્મ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો Link


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
divya bhaskars survey across the country when to go and how to go to school


from Divya Bhaskar https://ift.tt/2zNBY7h