Ad

Monday, June 22, 2020

પુરીમાં જગન્નાથજીની રથયાત્રાને સુપ્રીમની મંજુરી


રથયાત્રા વખતે કેન્દ્ર સરકારે જાહેર કરેલી સ્વાસ્થ્ય સંબંધી ગાઈડલાઈનનું પાલન કરવું પડશે 

રથયાત્રા દરમિયાન સ્થિતિ બેકાબૂ થશે તો ઓડિશા સરકાર ગમે ત્યારે અટકાવી શકશે : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 22 જૂન, 2020, સોમવાર

જગન્નાથ પુરીની વિશ્વવિખ્યાત રથયાત્રા યોજવાની સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી હતી. તે સાથે જ હવે શ્રદ્ધાળુઓ વગર રથયાત્રાની વિિધ પૂરી કરવામાં આવશે. જો સિૃથતિ બેકાબૂ બનશે તો રાજ્ય સરકાર ગમે ત્યારે રથયાત્રા અટકાવી શકશે એવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. અગાઉ સુપ્રીમ કોર્ટે રથયાત્રા રદ્ કરી હતી, પરંતુ રીવ્યૂ પિટિશન પછી નવેસરથી ચુકાદો સંભળાવ્યો હતો. કોરોનાના કારણે જગન્નાથ પુરીની રથયાત્રા ન યોજવાનો આદેશ ગત 18મી જૂને સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. 

તે પછી કેટલીય રીવ્યૂ પિટિશન થઈ હતી, જેમાં જગન્નાથ પુરીની રથયાત્રા સ્વાસ્થ્યના નિયમોનું પાલન કરીને યોજવાની માગણી કરવામાં આવી હતી. જગન્નાથ પુરીની સદીઓ જૂની પરંપરા જાળવી રાખવાની માગણી સાથે થયેલી રિવ્યૂ પિટિશન પછી સુપ્રીમ કોર્ટે જૂનો ચુકાદો રદ્ કરીને નવેસરથી ચુકાદો આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કોરોનાને લગતી કેન્દ્ર સરકારની ગાઈડલાઈનનું પાલન કરીને શ્રદ્ધાળુઓ વગર રથયાત્રાની વિિધ પૂરી કરવાની મંજૂરી આપી  હતી. કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ રથયાત્રા યોજવાની તરફેણમાં દલીલ કરતા કહ્યું હતું કે જો આ વર્ષે રથયાત્રા યોજવામાં નહીં આવે તો 12 વર્ષ સુધી રથયાત્રા યોજાશે નહીં, કારણે પુરીમાં આ જ પરંપરા છે.

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે શંકરાચાર્ય, પુરીના ગજપતિ અને જગન્નાથ મંદિર સમિતિએ રથયાત્રા યોજવાની તરફેણ કરી છે અને તેમની સલાહ પ્રમાણે રથયાત્રા યોજાશે. એ દલીલ પછી સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે મંદિર ટ્રસ્ટ અને મંદિર સમિતિ જ રથયાત્રા યોજે છે, તો પછી આમાં શંકરાચાર્યને સરકાર શું કામ સામેલ કરી રહી છે? જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું હતું કે શંકરાચાર્ય સર્વોચ્ચ ધર્મગુરૂ હોવાથી તેમની સલાહ લેવામાં આવી છે.

કેન્દ્ર સરકાર અને ઓડિશાની રાજ્ય સરકારે નિયમોનું પાલન કરાવીને રથયાત્રાની યોજવાની તરફેણ કરી હતી. એ પછી સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી, સાથે સાથે જો સિૃથતિ બેકાબૂ બને તો રાજ્ય સરકાર ઈચ્છે ત્યારે રથયાત્રા અટકાવી શકશે એવી સત્તા પણ રાજ્ય સરકારને આપી હતી.

મંદિર સાથે જોડાયેલા પંડેને રથયાત્રામાં જોડવામાં આવશે નહીં, કારણ કે તેનાથી અવસૃથા સર્જાવાની ભીતિ અરજદારે વ્યક્ત કરી હતી. એને પણ કોર્ટે માન્ય રાખી હતી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ એસ.એ. બોબડેએ રાજ્ય અને કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી કે લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ જ બાંધછોડ ન થાય એ જોવાની જવાબદારી સૃથાનિક પ્રશાસનની રહેશે.

માઈક્રો મેનેજમેન્ટ રાજ્ય સરકારે કરવું પડશે અને ગાઈડલાઈનનું પાલન પણ કરાવવું પડશે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પુરી સિવાય બીજે ક્યાંક પણ રથયાત્રા કાઢી શકાશે નહીં. પુરીની પરંપરા જળવાત તે માટે જ આ મંજૂરી અપાઈ છે તેનો સૌએ ખ્યાલ રાખવાનો રહેશે.

મંદિરના 1172 સેવકોના રીપોર્ટ નેગેટિવ

જગન્નાથ મંદિરના 1172 સેવકો છે. ત્રણ રથ ખેંચવા માટે 750 લોકોની જરૂર પડે છે. સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન થતી હતી તે વખતે જ તમામ સેવકોનો કોરોનાનો રીપોર્ટ થયો હતો. સુપ્રીમ કોર્ટે એવો રીપોર્ટ માગી શકે એવી શક્યતા હોવાથી અને સલામતીના ભાગરૂપે તેમ જ રથયાત્રા યોજવાની દલીલ વધુ મજબૂત બને તે માટે આ રીપોર્ટ્સ થયા હતા.

એ તમામ સેવકોના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ સેવકો દર વર્ષે રથ ખેંચીને ગુંડિચા મંદિર સુધી લઈ જાય છે. ભગવાનની રથયાત્રામાં શ્રદ્ધાળુઓને સામેલ કરાશે નહીં, પરંતુ ટેલિવિઝનના માધ્યમથી દુનિયાભરના શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરી શકાય એવી વ્યવસૃથા ઓડિશાની રાજ્ય સરકાર કરશે.

21 અરજદારોમાં મુસ્લિમ યુવક પણ સામેલ

ઓડિશાના માયાગઢ જિલ્લામાં રહેતા આફતાબ હુસેને 19મી જૂને જ સુપ્રીમમાં રિવ્યૂ પિટિશન કરી હતી. 18મી સુપ્રીમે રથયાત્રા ન યોજવાનો ચુકાદો આપ્યો તે પછીના દિવસે સામાજિક કાર્યકર અને 19 વર્ષીય વિદ્યાર્થી આફતાબ હુસેને રિવ્યૂ પિટિશન કરી હતી. એમાં દલીલ કરવામાં આવી હતી કે પુરીની રથયાત્રા વિશ્વવિખ્યાત છે અને તે ઓડિશાની ઓળખ છે.

આ પરંપરા તોડવી ન જોઈએ. ઓડિશાના લોકોની આસૃથા આ રથયાત્રા સાથે જોડાયેલી હોવાથી રથયાત્રા યોજવાની પરવાનગી આપવી જોઈએ. રિવ્યૂ પિટિશન માટે વિવિધ સંગઠનો અને લોકો દ્વારા કુલ 21 અરજીઓ થઈ હતી. એ પછી મુપ્રીમ કોર્ટે તેની સુનાવણી હાથ ધરવાની તૈયારી બતાવી હતી. 

રથયાત્રામાં ભીડ એકઠી ન થાય તે માટે પુરી જિલ્લામાં કર્ફ્યુ

કર્ફ્યુનું પાલન કરાવવા જગન્નાથ પુરીમાં 1500 પોલીસ જવાનો તૈનાત કરાયા

ભુવનેશ્વર, તા. 22

રથયાત્રામાં સરકારી ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પુરી જિલ્લામાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પુરી જિલ્લામાં 24મી જૂન સુધી કર્ફ્યુ રહેશે. કોઈને પણ બહાર નીકળવાની પરવાનગી અપાશે નહીં. રથયાત્રામાં વધુ લોકો જોડાય તો કોરોના સંક્રમણની ભીતિ છે.

એ કારણે રાજ્ય સરકારે જગન્નાથ પુરીની રથયાત્રા દરમિયાન સંપૂર્ણ કર્ફ્યુ જાહેર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી શ્રદ્ધાળુઓ વગર રથયાત્રા નીકળશે. ભગવાનના દર્શન ટીવીમાં થશે, પરંતુ નગરજનોને બહાર નીકળવાની પરવાનગી અપાશે નહીં. આખા પુરી જિલ્લામાં નાની-નાની રથયાત્રા નીકળે છે. એ ન નીકળે તે માટે જિલ્લાભરમાં પોલીસજવાનો તૈનાત કરી  દેવાયા છે.

પુરીમાં જ કર્ફ્યુનું પાલન કરાવવા 1500 જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. બીજા જિલ્લામાંથી પુરી આવવા નીકળેલા શ્રદ્ધાળુઓને પણ પાછા મોકલી દેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રથયાત્રામાં પુરીમાં ભીડ એકઠી ન થાય તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય જાહેર કર્યો હતો.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/319FDHQ

No comments:

Post a Comment