Ad

Saturday, June 20, 2020

આજે કંકણાકૃતિ સૂર્યગ્રહણ, સવારે 10.03થી 209 મિનિટ સુધી ચાલશે

આજે 5 વર્ષ બાદ વિ.સં.2076 સૌથી મોટું અને અંતિમ કંકણાકૃતિ સૂર્યગ્રહણ.5 વર્ષ બાદ સૂર્યગ્રહણમાં એક સાથે 6 ગ્રહો જેવાકે મંગળ,બુધ,ગુરુ, શુક્ર, શનિ,રાહુ એક સાથે વક્રી ભ્રમણ થશે, તેમ જ મિથુન રાશિમાં ચાર ગ્રહો (સૂર્ય, ચંદ્ર, બુધ,રાહુ)ની યુતી બનતી હોવાથી ખૂબ મોટી કુદરતી કે અકુદરતી દુર્ઘટનાઓ,યુદ્ધ થવાની શક્યતા છે.તેમ જ રાજકીય મહાનુભાવો,ધર્માચાર્ય, વિદ્યાર્થીગણ માટે વધુ કસોટી વાળો સમય ગણાવી શકાય.આ પ્રકારનું ગ્રહણ 5 વર્ષ બાદ આવી રહ્યું છે.

આ અંગે જણાવતા એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન પ્રણેતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર 21 રવિવારના રોજ સવારે 10.03 વાગે સૂર્યગ્રહણ શરૂ થશે. આ ગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા, યુરોપ તથા મધ્ય આફ્રિકામાં દેખાશે. ભારતમાં દેખાશે.

બપોરે 1.32 કલાકે ગ્રહણનો મોક્ષ

  • ગ્રહણનો સ્પર્શ : 10.03 સવારે
  • ગ્રહણનો સમય: 11.41 સવારે
  • ગ્રહણનો મોક્ષનો સમય: 01.32 મિનિટ
  • ગ્રહણનો ભોગ્ય સમય : 03.48 મિનિટ

શાસ્ત્રોમાં રાશિ મુજબ દાનનો મહિમા વર્ણવ્યો છે
મેષ,વૃશ્ચિક રાશિ સ્વામી મંગળ હોવાથી આ રાશિના જાતકોએ લાલ કપડું, ઘઉં, ગોળ, મસૂરની દાળ,લાડુનું દાન કરવું.
વૃષભ,તુલા રાશિ સ્વામી શુક્ર હોવાથી સફેદ કપડું,સફેદ ફૂલ, ચોખા,ખાંડ,સાકર,દૂધ ,કેળાનું દાન આપવું.
મિથુન,કન્યા રાશિ સ્વામી બુધ આ રાશિના જાતકોએ લીલું (લીલી)કપડું,મગ,તાજા લીલા શાકભાજી,લીલું નાળિયેર આપવું.
કર્ક રાશિ રાશિ સ્વામી ચંદ્ર હોવાથી સફેદ કાપડ,સફેદ ફુલ,ચોખા,સાકર,દૂધ ,દૂધની બનાવટો ગરીબોમાં અર્પણ કરવું.
સિંહ રાશિ સ્વામી સૂર્ય હોવાથી આ રાશિના જાતકોએ લાલ કાપડ,કેસરિયા ફૂલ,તલ,ગોળ,તાંબાની વસ્તુ વિતરણ કરવી.
ધન,મીન રાશિ સ્વામી ગુરુ હોવાથી આ રાશિના જાતકો એ પીળા કલરનું કાપડ,પીળાકલરના ફુલ, ચણાની દાળ,પીળું ચંદન આપવું
મકર,કુંભ આ રાશિનો સ્વામી શનિ હોવાથી આ રાશિના જાતકોએ કાળું કપડું,જાંબલી કલર ના ફુલ,કાળા તલ,કાળા અડદ,લવીગ,દેશી ચણા,જુનો પૈસૌ આપવો.

ગ્રહણમાં શું ન કરાય
ઊંઘ, આહાર, મુસાફરી, મહત્વની મીટિંગ, નવી મુલાકાત, ઔષધિ ગ્રહણ ન કરવી, દીપક ન સળગાવો, સગર્ભા તેમ જ બાળકોએ ઘરની બહાર ન જવું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2CsMiCL

કોરોનાના સંકટકાળ દરમિયાન બાળકોએ ક્યારથી સ્કૂલે જવું? કેવી રીતે સ્કૂલે જવું?

કોરોના સંકટને કારણે સ્કૂલ/કોલેજ અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બંધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્કૂલો ખોલવાની જુદી-જુદી તારીખો કહી રહી છે. પેરેન્ટ્સની ઇચ્છા શું છે? તેઓ ક્યારથી બાળકોને શાળાએ મોકલવા માગે છે? જો શાળાઓ ખૂલે તો પણ બાળક કેવી રીતે જશે?

દરેક ઘર સાથે જોડાયેલા આ મહત્ત્વપૂર્ણ મુદ્દા પર દિવ્ય ભાસ્કર આજથી દેશભરમાં સર્વે શરૂ કરી રહ્યું છે. પેરેન્ટ્સના શું વિચાર છે, તેમનો શું અભિપ્રાય છે, શું તેઓ બાળકોની સ્કૂલ વિશેનો નિર્ણય સરકાર પર છોડી દેવા માગે છે કે પછી જાતે જ કોઈ નિર્ણય લેવા માગે છે?

આખરે સ્કૂલો ક્યારે ખૂલશે? કેવી રીતે ખૂલશે? આ પ્રકારના સવાલો તમારા મનમાં પણ હશે.

આ ગંભીર વિષય સાથે જોડાયેલા સવાલોને દિવ્ય ભાસ્કર તેના સર્વે દ્વારા તમારી વચ્ચે લઇને આવી રહ્યું છે.

સર્વે આજથી 28 જૂન સુધી ચાલશે. વાચકો તરફથી મળેલા સર્વેનાં પરિણામોને જુલાઈના પહેલા અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.

આ 4 સરળ રીતે તમે આ સર્વેમાં ભાગ લઇને તમારો અભિપ્રાય અમને મોકલી શકો છો

1. 1800-2124-777 ટોલ ફ્રી નંબર પર મિસ્ડ કોલ કરો. તમને મેસેજ દ્વારા સર્વે ફોર્મની લિંક મળશે. તેના પર ક્લિક કરતાં જ ફોર્મ ખૂલશે. તેને ભરીને સબમિટ કરી દો.

2.દિવ્ય ભાસ્કર એપ અથવા www.divyabhaskar.com પર જઇને પણ તમે સર્વે ફોર્મ ભરી શકો છો.

3. દિવ્ય ભાસ્કરના ફેસબુક પેજ પર જઇને પણ તમે આ સર્વેમાં ભાગ લઈ શકો છો.

4. સવાલો સાથે આપવામાં આવેલો QR કોડ સ્કેન કરીને સર્વે લિંક દ્વારા પણ તમા તમારો અભિપ્રાય અમને મોકલી શકો છો.

સર્વે ફોર્મ ભરવા માટે આ લિંક પર ક્લિક કરો Link


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
divya bhaskars survey across the country when to go and how to go to school


from Divya Bhaskar https://ift.tt/2zNBY7h

પિતાને આંખો નથી તો શું થયું, દીકરીને મનની આંખોથી તિરંદાજી શીખવાડે છે 

સંતાનનાં સ્વપ્ન માટે જીવતા ઝનૂની પિતાનું જીવતું-જાગતું ઉદાહરણ છે સત્યનારાયણ. 2006માં 17 વર્ષની પુત્રી વોલ્ગો અકસ્માતમાં મૃત્યુ પામી, પછી 2010માં 24 વર્ષનો પુત્ર લેનિન પણ. જે દુર્ઘટનામાં પુત્રનું મૃત્યુ થયું, તેમાં સત્યનારાયણની આંખોની રોશની પણ જતી રહી. બધાએ વિચાર્યું કે, ઓલિમ્પિક ગોલ્ડના સ્વપ્ન માટે જીવનારા પિતાની સ્ટોરી અહીં સમાપ્ત થઈ, પરંતુ એવું ના થયું. ફાધર્સ ડે પર વાંચો તેમના જ શબ્દોમાં તેમની કહાની.

પિતા કહે છે, અંડર-9માં નેશનલ ચેમ્પિયન પુત્રી ઓલિમ્પિક ગોલ્ડ લાવશે
સત્યનારાયણએ કહ્યું કે, તમે આને ગાંડપણ કહો કે ઝનૂન, 24 વર્ષનો પુત્ર અને 17 વર્ષની પુત્રીને ગુમાવ્યા પછી પણ હું હાર્યો નથી. મારાં બંને બાળક તિરંદાજીમાં ચેમ્પિયન હતાં, પરંતુ પહેલા દીકરી વોલ્ગાએ અને પછી પુત્ર લેનિને સાથ છોડી દીધો. બે ઓક્ટોબર, 2010ની એ રાત હું ભૂલી નહીં શકું. કોમનવેલ્થમાં દેશનો પ્રથમ સિલ્વર મેડલ જીતીને અમે અમારા ઘર વિજયવાડા પાછા ફરતા હતા. ત્યારે અકસ્માત થયો અને લેનિને અમારો સાથ છોડી દીધો. મારી આંખોની રોશની જતી રહી. લેનિનના મૃત્યુના 10મા દિવસે જ મેં તેની પત્નીના બીજા લગ્નની જાહેરાત કરી દીધી હતી. અમે પતિ-પત્ની ડિપ્રેશનમાં હતાં. એક દિવસ પત્નીએ સરોગસી અંગે વાંચ્યું અને માતા બનવાની ઈચ્છા જાહેર કરી. હું ચોંકી ગયો. મેં કહ્યું, 50ની વયે બાળક કરવું ગાંડપણ છે. લોકો શું કહેશે. તેણે કહ્યું, મને ચિંતા નથી અને આપણે એકેડેમી ચલાવવાના લેનિનનાં સ્વપ્નને અધૂરું નહીં મૂકીએ.

સત્યનારાયણે જણાવ્યું કે, અમે પહેલાં પોલેન્ડમાં અને પછી વિજયવાડામાં ડોક્ટરની સલાહ લીધી અને સરોગસી પ્રોસેસ શરૂ કરી. શિવાની ગર્ભમાં હતી ત્યારે તિરંદાજીનો ઓડિયો સંભળાવતા હતા. 2 એપ્રિલ, 2012ના રોજ ઘરમાં શિવાનીનો જન્મ થયો. તે 10 મહિનાની હતી ત્યારે જ તેણે તીર પકડી લીધું હતું. અમે સરોગસીથી માતા-પિતા બનીને દેશ માટે તિરંદાજીમાં ગોલ્ડ લાવનાર ચેમ્પિયન બનાવવાનો ઈરાદો કર્યો. હું હવે શિવાનીને તૈયાર કરી રહ્યો છું. જોકે, હું જોઈ શકતો નથી, પરંતુ શિવાનીની આંખ અર્જુનની જેમ નિશાન પર છે. 8 વર્ષની શિવાની અંડર-9માં નેશનલ ચેમ્પિયન છે અને ઓલિમ્પિકમાં ગોલ્ડનું મારું સ્વપ્ન જરૂર પૂરું કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Father's day special: What if the father does not have eyes, teaches archery to the daughter with the eyes of the mind


from Divya Bhaskar https://ift.tt/3dkNPaT

અમેરિકા ભારતનો GSP દરજ્જો પુનઃસ્થાપિત કરી શકે તેવી વકી

ભારતના કેટલાક પસંદગીના ગુડ્સ પર અમેરિકા હવે આયાત ડ્યુટી વસૂલશે નહીં. અમેરિકી પ્રશાસન જનરલાઈજ્ડ, સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) હેઠળ ભારતનો વિશેષ વેપાર દરજ્જો ફરીથી સ્થાપિત કરી શકે છે. ભારતમાં અમેરિકી ગુડ્સ પર ઊંચી આયાત ડ્યુટી લગાવી રહ્યો છે. જેના કારણે અમેરિકાને ભારતનો વિશેષ દરજ્જો પાછો સ્થાપિત કરવા મજબૂર થઈ શકે છે.

અમેરિકાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ભારત તરફથી દરખાસ્ત મેળવ્યા બાદ અમેરિકા ભારતના લાભાર્થીનો દરજ્જો પાછો લાવવાની વિચારણા કરી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે જૂન 2019માં જીએસપી વેપાર કાર્યક્રમ હેઠળ ભારતના લાભાર્થી વિકાસશીલ દેશનો દરજ્જો રદ કર્યો હતો.

ભારત-USની ચર્ચામાં વિલંબ થઈ રહ્યો છે
લાઈટહાઈજરે જણાવ્યુ હતુ કે, ભારત સાથે ચર્ચા અપેક્ષા કરતાં વધુ લંબાઈ રહી છે. ભારત ઊંચી ડ્યુટી છોડી રહ્યુ નથી. અને અમેરિકા એક લાભકારક સોદાની વાટ જોઈ રહ્યો છે. ફેબ્રુઆરીમાં આયોજિત નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ટ્રમ્પે જણાવ્યુ હતુ કે, તે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી મોટો સોદા કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીને ચતુર વાર્તાકાર તરીકે દર્શાવતાં જણાવ્યુ હતુ કે, ચર્ચા હાલ શરૂઆતી ચરણમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
US can restore India's GSP status


from Divya Bhaskar https://ift.tt/2zNZNvJ

બિહાર રેજિમેન્ટના જાંબાઝોની વીરતા, ચીનના 18 સૈનિકની ગરદન મરોડી નાખી

લદાખની ગલવાન ખીણમાં 15 જૂને ચીની સૈનિકોએ દગાથી કરેલા હિંસક હુમલામાં પોતાના કમાન્ડિંગ ઓફિસર (સીઓ) કર્નલ બી. સંતોષ બાબૂ શહીદ થતાં જ બિહાર રેજિમેન્ટના જવાનોનું રૌદ્ર રૂપ સામે આવ્યું. દિલ્હીના એક અખબારના અહેવાલ મુજબ સીઓની શહાદતથી રોષે ભરાયેલા ભારતીય સૈનિકોએ એક-એક કરીને 18 ચીની સૈનિકોની ગરદન મરોડી નાખી દીધી.

તે રાત્રે બિહાર રેજિમેન્ટના જવાનોની શૌર્યગાથા દુનિયા માટે એક મિસાલ બની ગઇ. તે રાત્રે ચીની સૈનિકોની સંખ્યા ભારતીય સૈન્યથી 4 ગણી હતી. ચીની સૈનિકોએ યોજનાબદ્ધ રીતે હુમલો કર્યો હતો જ્યારે ભારતીય સૈનિકોની કોઇ તૈયારી ન હોવા છતાં આપણા બહાદુર જવાનોએ ચીનના સૈનિકોને એવો પાઠ ભણાવ્યો કે ચીન સરકાર આ લોહિયાળ અથડામણ અંગે કંઇ બોલી શકતી નથી.

ચીની સૈનિકોના હથિયાર ઝૂંટવીને તેમના પર જ હુમલો કર્યો
ઝપાઝપી 4 કલાક સુધી ચાલતી રહી. ચીનાઓ પાસે તલવાર અને રૉડ હતા, જે ઝૂંટવીને ભારતીય સૈનિકોએ તેમના પર હુમલા કર્યા. તેમનું રૌદ્ર રૂપ જોઇને ચીની સૈનિકો ભાગીને ખીણોમાં છુપાઇ ગયા. ભારતીય સૈનિકોએ તેમનો પીછો કરી પકડી-પકડીને માર્યા. આ દરમિયાન તેઓ ચીનના અધિકાર ક્ષેત્રમાં પહોંચી ગયા હતા, જેમને બાદમાં ચીને પાછા મોકલ્યા.

ભારતીય સૈન્યની ઘાતક ટુકડી પણ પહોંચી હતી
ભારતીય જવાનોને ઓર્ડર હતો કે તેઓ ગલવાનમાં ચીની સૈનિકોએ ઊભા કરેલા ટેન્ટ હટાવાયાની પુષ્ટિ કરે. તેથી કર્નલ બી. સંતોષ બાબૂ જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ચીની સૈનિકોએ ટેન્ટ ન હટાવ્યા હોવાથી તેમણે વિરોધ કરતા ચીની સૈનિકોએ તેમના પર હુમલો કરી દીધો. પછી ભારતીય સૈનિકોએ પણ તેમને જવાબ આપવાનું શરૂ કર્યું. તેમાંય સંતોષ બાબૂ શહીદ થતાં બિહાર રેજિમેન્ટના સૈનિકો વિફર્યા. તેમની અને ઘાતક ટુકડીના સૈનિકોની કુલ સંખ્યા માત્ર 60 હતી જ્યારે દુશ્મનો ઘણા વધારે હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3eiGIRy

કોરોનાને હરાવવાના 3 યોગ : પ્રાણાયામ, જલનેતિ કરો; હસતા રહો

કોરોના સમયમાં ઇમ્યુનિટી અને ફેફસાંની મજબૂતી સૌથી જરૂરી છે. આવામાં ભાસ્કર યોગના સૌથી પ્રામાણિક અને પ્રતિષ્ઠિત કેન્દ્ર મુંગેર પહોંચ્યું અને બિહાર યોગ વિશ્વવિદ્યાલયના પરમહંસ નિરંજનાનંદ સરસ્વતી પાસે રોગ સામે લડવામાં ઉપયોગી સરળ યોગ બાબતે જાણ્યું.

પદ્મભૂષણ પરમહંસ નિરંજનાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, કોરોના વાઈરસ સીધો ફેફસાં પર અસર કરે છે એટલા માટે શરીરમાં પ્રાણવાયુની અછત રહી જાય છે. આ અછતને પૂરી કરવા માટે યોગમાં અમુક સરળ ઉપાય જણાવ્યા છે. પ્રાણાયામ, જલનેતિનો નિયમિત અભ્યાસ શરીરમાં પ્રાણવાયુને મજબૂત કરે છે. આનાથી શ્વસનતંત્ર મજબૂત થાય છે અને શરીરના આંતરિક ભાગ મજબૂત બને છે. રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે. ઇમ્યુનિટી જેટલી મજબૂત હશે, બીમારીની શક્યતા એટલી જ ઓછી થશે. ઇમ્યુનિટી વધારવા માટે તમારા માટે રોજબરોજ અમુક નાની-નાની આદતો પણ ખૂબ ઉપયોગી બની શકે છે. જોકે, હસવું પણ આપણી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. એટલા માટે ચહેરા પર હાસ્યને જાળવી રાખો. હળદરવાળું દૂધ પીઓ, તુલસીના પત્તાને 7 વખત દિવસમાં જરૂર ખાવ.

ઇમ્યુનિટી, ફેફસાં અને શ્વસનતંત્રને મજબૂત બનાવવામાં પ્રાણાયામ ઉત્તમ, આ ત્રણ સરળ પ્રાણાયામ
ભસ્ત્રિકા પ્રાણાયામ
કેમ કરશો :
શ્વસનતંત્રને મજબૂત કરવા માટે ભસ્ત્રિકા પ્રાણાયામ સૌથી ઉત્તમ છે. આ યોગને કરવા માટે ગરદન અને કમરને એકદમ સીધા રાખી પદ્માસનમાં બેસી જાવ. બંને હાથને ઘૂંટણ પર જ્ઞાન મુદ્રામાં રાખો. આમાં જોરથી શ્વાસ ખેંચવામાં આવે છે અને તેટલા જ જોરથી શ્વાસ છોડવામાં આવે છે. દરરોજ બેથી પાંચ મિનિટ કરવાથી ઘણો ફાયદો મળશે.
શા માટે જરૂરી : આનાથી શુદ્ધ વાયુ શરીરની અંદર જાય છે અને અશુદ્ધ વાયુને બહાર કાઢે છે. ફેફસાંને મજબૂત બનાવે છે. પેટના રોગોમાં પણ લાભદાયી છે. કમરદર્દ અને હૃદયરોગના લોકો આ ન કરે.

કપાલભાતિ
કેમ કરશો :
કપાલભાતિ પ્રાણાયામ કરવા માટે શ્વાસ સામાન્ય ગતિથી શરીરની અંદર લેવામાં આવે છે અને ઝડપથી બહાર કાઢવાનો રહે છે. એક મિનિટમાં 60 વખત અને કુલ 5 મિનિટમાં ત્રણસો વખત તમે શ્વાસ બહાર ફેંકવાની ક્રિયા કરો. કપાલભાતિ માટે સવારનો સમય શ્રેષ્ઠ છે.
શા માટે જરૂરી : જ્યારે તમે શ્વાસને અંદર, બહાર કરો છો તો શરીરની અંદરની ગ્રંથીઓની એક્સરસાઇઝ થાય છે. આનાથી પાચન અંગો અમાશય, લિવર, કિડની, પેન્ક્રિયાઝ, સ્વસ્થ બને છે. સ્થૂળતા, ડાયાબિટીઝ, કબજિયાત અન્યમાં આ ઉપયોગી છે. ઇમ્યુનિટી વધારે છે.

અનુલોમ-વિલોમ
કેમ કરશો :
અનુલોમ એટલે સીધું અને વિલોમ એટલે ઊંધું. જેમાં નાકને દબાવેલા ભાગથી ઊંડો શ્વાસ અંદર ભરવામાં આવે છે. અને બીજા ભાગ વડે શ્વાસ બહાર કાઢવામાં આવે છે. નાકને ડાબી બાજુના છેદથી શ્વાસ લેવામાં આવે છે અને જમણી બાજુથી કાઢવામાં આવે છે.
શા માટે જરૂરી : આથી 7 થી 8 કલાક સારી ઊંઘ આવશે. સારી ઊંઘથી રક્તપાતની ઊણપ દૂર થશે. તનાવ, અ‌વસાદ પણ દૂર થશે. શરીરની અંદર રિપેરિંગ માટે સારી ઊંઘ જરૂરી છે. 20 થી 25 મિનિટ યોગનિદ્રાના અભ્યાસથી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવાય છે.

વાઈરસને શરીરમાં પ્રવેશના નહીં દે જલનેતિ, શ્વસનતંત્ર સાફ રહે છે
કેમ કરશો :
જલનેતિ કરવા માટે મીઠાવાળું હૂંફાળું પાણી નાકના એક છીદ્રથી નાખવામાં આવે છે અને નાકના બીજા માર્ગથી પાણીને બહાર કાઢવામાં આવે છે. આ ક્રિયા નાક, કાન અને ગળાના માર્ગની સફાઇ કરવામાં ઉપયોગી છે.
શા માટે જરૂરી : જો શરીરમાં વાઈરસનો પ્રવેશ પણ થશે તો તે નષ્ટ થઇ જશે. શરૂઆતના તબક્કામાં વાઈરસ આ માર્ગમાં રહે છે. એટલા માટે ફેફસાંને પણ તાકાત મળે છે. કેમ કે સફાઇથી શ્વસન પ્રક્રિયા ઠીક થાય છે. આ પાંચથી સાત મિનિટ માટે કરવું જોઇએ. આનાથી સાઇનસ, અસ્થમા અને શ્વસનતંત્ર સંબંધિત અન્ય રોગોમાં પણ લાભ મળે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2AKiFfP

કોંગ્રેસે કહ્યું- PM જૂઠ બોલે કે PMO; શાહે કહ્યું- રાજકારણને બદલે એકજૂટતા બતાવો, મનીષ તિવારીએ કર્યા સાત સવાલ

ભારત-ચીન સરહદ વિવાદ અંગે ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે નિશાન તાક્યું હતું. તેમણે ગલવાન ખીણમાં ચીનના સૈનિકોની સાથે હિંસક અથડામણમાં ઘાયલ ભારતીય સૈનિકના પિતાનો એક વીડિયો ટિ્વટ કર્યો. તેમાં ઘાયલ સૈનિકના પિતા રાહુલ દ્વારા સરકાર પર આરોપ લગાવવાના નિવેદનની ટીકા કરતા દેખાય છે. શાહે કહ્યું કે એક બહાદૂર જવાનના પિતા કહે છે અને તેમની પાસે રાહુલ ગાંધી માટે સ્પષ્ટ સંદેશ છે. તેમણે કહ્યું કે આવા સમયે જ્યારે સંપૂર્ણ દેશ એકજૂટ છે ત્યારે રાહુલે પણ નીચલી કક્ષાના રાજકારણથી ઉપર ઊઠી રાષ્ટ્રીય હિત સાથે એકજૂટતા બતાવવી જોઈએ.

બીજી બાજુ કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે વડાપ્રધાન કહે છે કે આપણી સરહદમાં કોઈ ઘૂસ્યું નથી અને ન તો આપણી કોઈ પોસ્ટ કોઈ બીજાના કબજામાં છે. હવે કહેવાય છે કે 15 જૂને ગલવાન હિંસા એટલા માટે થઈ કેમ કે ચીન LAC પર માળખું ઊભું કરી રહ્યું હતું. કોણ જૂઠું બોલે છે પીએમ કે પીએમઓ?

સરકારે ફરી કહ્યું- ચીનને LACમાં એકતરફી દબાણ નહીં કરવા દઇએ

  • વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે એલએસી પર દબાણના કોઇ પણ પ્રયાસનો ભારત જડબાતોડ જવાબ આપશે. પડકારોની ઉપેક્ષા કરવાની પરિપાટીથી ઉલટું ભારતીય સૈન્ય હવે એલએસીના ઉલ્લંઘનના નિર્ણાયક જવાબ આપે છે. તેમને રોકે છે, ટોકે છે.
  • બેઠકમાં જણાવાયું હતું કે ચીની સૈન્ય એલએસી પર મોટી સંખ્યામાં આવ્યું અને ભારતે તેને અનુરૂપ પગલાં ભર્યા. ચીની સૈનિકો એલએસી પાર કરતા જ સ્ટ્રક્ચર બનાવી રહ્યા હતા અને આ કામ રોકવાનો ઇનકાર કરી દીધો હતો. તેથી 15 જૂને હિંસા થઇ. એલએસી પર આપણી તરફ ચીની સૈનિકો ન હોવાનું નિવેદન તે સ્થિતિ સાથે જોડાયેલું છે કે જે આપણા જવાનોની બહાદુરી બાદ ઊભી થઇ. સૈન્યએ સ્ટ્રક્ચર ઊભાં કરવાના અને એલએસી પર દબાણના ચીનના પ્રયાસો નિષ્ફળ બનાવી દીધા.
  • ભારતના નક્શામાં ભારતીય સરહદો સ્પષ્ટ છે. સરકાર તે પ્રત્યે મજબૂતાઇ સાથે વચનબદ્ધ છે. સર્વપક્ષીય બેઠકમાં વિસ્તૃતમાં જણાવાયું કે કેવી રીતે છેલ્લાં 60 વર્ષમાં 43 હજાર સ્ક્વેર કિ.મી.થી વધુ વિસ્તાર આપી દેવાયો. સરકાર એલએસીમાં એકતરફી ફેરફારની મંજૂરી નહીં આપે.

વિદેશ મંત્રાલયે કહ્યું- ભારતે ક્યારેય એલએસી ઓળંગી નથી
ચીનના દાવાને નકારતાં વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે ક્યારેય એલએસી ઓળંગી નથી. પોતાના વિસ્તારોમાં તમામ સુવિધાઓનું નિર્માણ કરાયું છે. ગલવાન ખીણની સ્થિતિ ઐતિહાસિક રીતે સ્પષ્ટ છે.

મનીષ તિવારીના સવાલ

  • પેન્ગોંગ ત્સોમાં એલએસી ફિંગર 8 પર સ્થિત છે કે ફિંગર 4 પર?
  • ગલવાન ખીણ એલએસીમાં ભારત તરફ છે કે ચીન તરફ?
  • નાકુલામાં ચીનાઓએ આં.રા. સરહદથી 2 કિ.મી. અંદર સુધી ઘૂસણખોરી નહોતી કરી?
  • ભારતનાં 20 જવાન શહીદ થયા અને 100 ઘાયલ થયા. આ ઝપાઝપી ભારતની સરહદમાં થઇ કે ચીનની?
  • ભાજપના સાંસદ ખોટું બોલે છે કે અરુણાચલમાં મોટા હિસ્સા પર ચીને કબજો કરી લીધો છે?
  • ભારતની સરહદમાં કોઇ ચીની સૈનિકો ઘૂસ્યા નહોતા તો બંને સૈન્ય વચ્ચે ફ્લેગ મીટિંગ શું કામ થતી હતી?
  • ભારતીય સૈનિકો ભારતની સરહદમાં પકડાયા કે ચીનની સરહદમાં?


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Congress said- PM lies that PMO; Shah said- show unity instead of politics, seven questions asked by Manish Tiwari


from Divya Bhaskar https://ift.tt/2zTmyi2

વિવાદનો અંત આવ્યો નથી, આપણે મર્યાદિત યુદ્ધની તૈયારી રાખવી પડશે

પૂર્વ સેના પ્રમુખ જનરલ વેદપ્રકાશ મલિકના જણાવ્યા અનુસાર વડાપ્રધાનના નિવેદન અંગે વિવાદ જરૂર સર્જાયો છે પણ પીએમઓએ સ્પષ્ટતા કરી દીધી છે. જ્યારે સરકાર સ્પષ્ટતા કરી ચૂકી છે તો વાત પૂરી થઈ તે માની લેવું જોઇએ. તેમાં આગળ કંઈ કહેવાની ગુંજાઈશ રહેતી નથી પણ એક વાત આપણે માનીને ચાલવું પડશે કે મુદ્દો હજુ સમાપ્ત થયો નથી. સૈન્ય અને કૂટનીતિક સ્તરે વાતચીત ચાલી રહી છે, જે લાંબી ચાલશે. મામલો જલદી ઉકેલાતો દેખાતો નથી. આપણે સંપૂર્ણપણે સાવચેત રહેવું પડશે. ચીનની કથની અને કરણીમાં મોટો ફેર છે. ગ્રાઉન્ડ પર જે થઈ રહ્યું છે, બસ એટલું જ સત્ય માનવું. ચીનના કહેવા પર ન જશો. તેની વાતોમાં જરાય સત્ય નથી.

તેમણે કહ્યું કે, ગલવાનમાં 15 જૂનની ઘટના બાદ તો બાકીનો વિશ્વાસ પણ જતો રહ્યો. મારા અભિપ્રાય અનુસાર બંને દેશો વચ્ચે ઘણું બધું દાવ પર છે. ફક્ત અર્થતંત્ર કે રોકાણ જ નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બંને દેશોનું આટલું બધું દાવ પર છે કે મામલો યુદ્ધ સુધી પહોંચવાના અણસાર નથી. ક્યાંક ચીનની સેના મર્યાદિત યુદ્ધ છંછેડવાના મૂડમાં તો નથી. તેને જોતા આપણે પણ મર્યાદિત યુદ્ધની તૈયારી રાખવી પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પૂર્વ સેના પ્રમુખ જનરલ વેદપ્રકાશ મલિક.


from Divya Bhaskar https://ift.tt/2CiPaBZ

કાલુપુર રેલવે સ્ટેશન પર 20 મીટર ઊંચાઈએ બુલેટ ટ્રેન સ્ટેશન બનશે

નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન (એનએચએસઆરસી) દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવાઈ છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12ની જગ્યાએ બુલેટ ટ્રેન માટે સ્ટેશન બનાવવાનું હોવાથી રેલવે દ્વારા આ જગ્યાનો હવાલો એનએચએસઆરસીને સોંપી દેવાયો છે. એનએચએસઆરસીએ આ ત્રણેય પ્લેટફોર્મના શેડ કાઢવાની સાથે પ્લેટફોર્મ નંબર 12 પર આવેલી રેલવે ઓફિસ બિલ્ડિંગો તોડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

કાલુપુર સ્ટેશને રેલવે, બુલેટ, મેટ્રો સ્ટેશન બનશે
કાલુપુર રેલવે સ્ટેશન દેશમાં એકમાત્ર રેલવે સ્ટેશન હશે જ્યાં પ્લેટફોર્મ નંબર 11 અને 12ની વચ્ચેની જગ્યામાં બુલેટ ટ્રેનના 20 મીટર ઊંચા પિલર બનશે, જેની પર બુલેટ ટ્રેન દોડશે. જ્યારે નીચે રિડેવલપમેન્ટના ભાગરૂપે રેલવે સ્ટેશન તૈયાર થશે અને ત્યાંથી ટ્રેનોનું સંચાલન કરાશે. અહીં મેટ્રો કામગીરી પણ ચાલી રહી છે અને જમીનથી 20 મીટર નીચે મેટ્રો સ્ટેશન બની રહ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બુલેટ ટ્રેન સ્ટેશન માટે કામગીરી શરૂ.


from Divya Bhaskar https://ift.tt/2YSz2Ps

ક્રેડિટકાર્ડનું રૂ.29 લાખ સહિત 50 લાખનું દેવું થઈ જતાં બંને ભાઈએ આપઘાત કરવો પડ્યો

વટવામાં ચાર સંતાનને ગળેફાંસો આપી આત્મહત્યા કરી લેનારા અમરત અને ગૌરાંગ પટેલે આર્થિક ભીંસમાં આ પગલું ભર્યું હોવાનું પુરવાર થયું છે. બંને ભાઈની 3 ગાડી કંપનીમાં ભાડેથી મૂકી આપવાના બહાને ગઠિયાએ ડિપોઝિટ પેટે રૂ. 3 લાખ લીધા હતા અને ભાડું પણ ચૂકવ્યુંન હતું. ઉપરાંત મકાનની રૂ.7.80 લાખની લોન ચૂકવવાની બાકી હોવાથી બેંકે મકાન સીલ કરી દીધું હતું. તેમની પાસે જુદી જુદી બેંકોનાં 38 ક્રેડિટ કાર્ડ હતાં, જેના રૂ.29 લાખ ચૂકવવાના બાકી હતા. ઉપરાંત પીરાણામાં તેમની લાખો રૂપિયાની જમીન હતી, પરંતુ તે પણ કુટુંબીજનો ફાંદો કરી ગયા હોવાથી બંને ભાઈએ બાળકો સાથે આત્મહત્યા કરી લીધી હતી. આમ આ બંને ભાઇઓ રૂ.50 લાખ કરતાં પણ વધારે રૂપિયાના દેવામાં ડૂબેલા હોવાથી આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં પુરવાર થયું છે.

પીઆઈએ 3 ગાડી પાછી લાવી આપી, પાંચ લાખ રૂપિયા ન અપાવ્યા
અમરત અને ગૌરાંગ પાસેથી મહેસાણાનો એક ગઠિયો 3 ગાડી કંપનીમાં ભાડે મૂકવાના બહાને લઈ ગયો હતો, જેમાં 1 ગાડીની ડિપોઝિટપેટે ગઠિયાએ1 લાખ લેખે 3 ગાડીના 3 લાખ લીધા હતા. લગભગ 3 મહિના સુધી ગાડીઓનું ભાડું પણ ચૂકવ્યું ન હતું. આ અંગે અમરત અને ગૌરાંગે વટવા જીઆઈડીસી પીઆઈ ડી. એ. ગોહિલને અરજી આપી હતી, જેના આધારે તેમણે ગુનો નોંધ્યા વગર જ ત્રણેય ગાડી પાછી અપાવી દીધી હતી, પરંતુ ડિપોઝિટના 3 લાખ અને ભાડાના મળીને 5 લાખ અપાવ્યા ન હતા. જોકે ગઠિયાએ પૈસાની સામે ચેકો આપ્યા હતા, જે રિટર્ન થયા હતા.

‘ઝિંદગી કી તલાશ મેં હમ’ ગીત સ્ટેટસમાં મૂક્યું હતું
‘સાથી’ ફિલ્મમાં આદિત્ય પંચોલી પોલીસથી બચવા પૈસા ભરેલો થેલો લઈને ભાગ્યો હતો. ત્યારે ફિલ્મમાં ગીત આવે છે કે, ‘ઝિંદગી કી તલાશ મેં હમ, મોત કે કિતને પાસ આ ગયે’. 17 જૂને બાળકોને લઈને ઘરેથી નીકળ્યા બાદ અમરત અને ગૌરાંગે બંનેના ફોનના વોટ્સએપ સ્ટેટસમાં તે જ ગીત મૂક્યંુ હતંુ. આટલું જ નહીં તેમના પરિવારના સભ્યો તેમ જ માનેલા ગુરુ સહિતના લોકોના ફોટા પણ પરિવારના સભ્યોને વોટ્સએપ કરીને મોકલ્યા હતા.

ઘરના ડોક્યુમેન્ટ એકત્રિત કરાયા
બંને 10 વર્ષથી હાથીજણના મકાનમાં સાથે રહેતા હતા, પરંતુ ગૌરાંગ વટવામાં ફ્લેટ ખરીદી પરિવાર સાથે ત્યાં જતો રહ્યો હતો, પરંતુ આર્થિક ભીંસમાં આવતાં તે હપતા ભરી શક્યા ન હતા. આથી બેંકે મકાન સીલ કરી દીધું હતું. ત્યાર બાદ તે વટવામાં ભાડાના ફલેટમાં રહેતો હતો. પોલીસે ત્રણેય મકાનમાં સર્ચ કરીને જરૂરી ડોકયુમેન્ટ એકત્રિત કર્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Credit card debt of Rs 29 lakh to Rs 50 lakh, both brothers had to commit suicide in Vatva, Ahmedabad


from Divya Bhaskar https://ift.tt/2BnQbby

Special 'She Man' station for Noida Metro to promote transgender rights

Special 'She Man' station for Noida Metro to promote transgender rights

from India Today | Top Stories https://ift.tt/2BrYWRM

Coronavirus spread, steep rentals: Why many hangouts, eateries are dying in Delhi?

Coronavirus spread, steep rentals: Why many hangouts, eateries are dying in Delhi?

from India Today | Top Stories https://ift.tt/2NipTtT

Twitter rolls out 'voice' tweet for iOS

Twitter rolls out 'voice' tweet for iOS




from News - Videos - The Times of India https://ift.tt/2Yh60d3

Guwahati-based restaurant owner redesigned robots to serve food, medicines to COVID patients

Guwahati-based restaurant owner redesigned robots to serve food, medicines to COVID patients




from News - Videos - The Times of India https://ift.tt/2BpjLxu

Friday, June 19, 2020

ભાજપ નેતાના ઈશારે કેસરીસિંહ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટિંગ કરી બલિદાન આપવા તૈયાર થયાં?

સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેસરીસિંહ ક્રોસવોટિંગ કરે તે પાર્ટીના જ કોઇ મોટા નેતાની સૂચનાથી થયું હોવાનું જણાયું છે. ભાજપના છેલ્લાં ઉમેદવાર નરહરિ અમીનને રાજ્યસભાની ચૂંટણીમાં જીતતા રોકવા માટે ભાજપના જ એક મોટાગજાના નેતાએ આ વ્યૂહ અપનાવ્યો હોવાની વાત બહાર આવી છે.

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવાનો અંજામ શું આવે તે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણના પટ્ટશિષ્ય ગણાતાં કેસરીસિંહને ખ્યાલ ન હોય તેવું બને નહીં. પરંતુ હાલ ભાજપમાંથી જ ભરતસિંહ સોલંકીને જ્ઞાતિના સમીકરણો અને જૂના કોંગ્રેસ વખતના સંબંધોને આધારે કેસરીસિંહે આ પગલું ભરવાનું વિચાર્યું હોય તેવી વાતો ફેલાવાઇ રહી છે. ભાજપના જ સૂત્રો જણાવે છે કે એક અન્ય કારણ એ પણ છે કે નરહરિ અમીન અને દેવુસિંહ ચૌહાણ વચ્ચે કોલ્ડવોર છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વોટિંગ માટે કેસરીસિંહને એમ્બ્યુલન્સમાં લવાયા.


from Divya Bhaskar https://ift.tt/3eiVlUV

રાજ્યસભા ચૂંટણી દરમિયાન ભાજપના જ MLA, મંત્રીના ફોન ટેપ થતા હતા, IBની વૉચ હતી

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો એક પણ ધારાસભ્ય નારાજગીને કારણે ક્રોસવોટિંગ ન કરે તે માટે છેલ્લાં પંદર દિવસથી તેમના ફોન રેકોર્ડિંગથી માંડીને જાસૂસીતંત્રની વોચ રખાવાની શરૂ થઇ ગઇ હતી. છેલ્લાં દિવસોમાં તો તેમને ગાંધીનગરમાં લાવીને નજરકેદની સ્થિતિમાં જ મૂકી દેવાયા હતા.

સરકારી તંત્રના જ ખૂબ વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદ પરમાર ક્રોસવોટિંગ કરી શકે તેવી માહિતી પણ તેઓ પર સતત આવેલાં કોંગ્રેસના નેતાઓના ફોનકોલ્સને આધારે જ ખબર પડી હતી. જો કે તેમાંનો કોઇપણ ધારાસભ્ય પાર્ટીલાઇન વિરુદ્ધ જાય તે પહેલાં તેમના પર દબાણ ઊભું થયું હતું અને તેમણે ભાજપને જ વોટ આપ્યો હતો. ખુદ રૂપાણીએ સ્વીકાર્યું હતું કે તેમના ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3dij7Pp

25 વર્ષ પછી પણ કોંગ્રેસ 4 સીટથી આગળ વધી શકી નહીં, ભાજપ 1995 પછી ક્યારેય 7થી આગળ ન વધી શક્યો

ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે. 1995 પછી કોંગ્રેસે ક્યારેય 4થી વધારે બેઠકો જીતી નથી. 25 વર્ષમાં પહેલીવાર કોંગ્રેસે સૌથી વધારે વિધાનસભા બેઠકો જીતી હતી. પણ પોતાના ધારાસભ્યોના બળવાને લીધે કોંગ્રેસે 1 બેઠક ગુમાવી અને 4થી વધુ બેઠકો નહીં જીતવાનો 25 વર્ષ જૂનો ઈતિહાસ કાયમ રહ્યો. ભાજપ પણ 7થી વધારે બેઠકો જીતી શક્યો નહીં.

અભય ભારદ્વાજ: કાયદા પંચના સભ્ય પદે રહી ચૂક્યા હતા
કોણ છે :
મૂળ રાજકોટના વ્યવસાયે વકીલ એવા અભય ભારદ્વાજની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી.
શું મહત્ત્વ : જનસંઘ સાથે જોડાયેલા ભારદ્વાજ બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા.

રમીલા બારા: ભાજપના સંગઠનમાં ભૂમિકા ભજવી હતી
કોણ છે :
રમીલા બારા ત્રણ ટર્મથી ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં ઉપાધ્યક્ષ છે. 2004માં જીત્યાં હતાં.
શું મહત્ત્વ : રાજકારણમાં આવ્યા પૂર્વે બારા ગુજરાત સરકારમાં નાયબ સચિવ કક્ષાના અધિકારી તરીકે 2002માં રાજીનામું આપી ભાજપમાં જોડાયાં હતાં.

નરહરિ અમીન: કોંગ્રેસના જૂના જોગી પણ હવે ભાજપમાં
કોણ છે : કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા બાદમાં ભાજપમાં જોડાયા. આયોજનપંચના ઉપાધ્યક્ષ પદે હતા.
શું મહત્ત્વ : સક્રિય રાજકારણથી 8 વર્ષ સુધી દૂર રહ્યાં બાદ હવે સીધા રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યાં. રાષ્ટ્રીય સ્તરે કદમાં વધારો થશે.

શક્તિસિંહ ગોહિલ: ગુજરાતના હવે કોંગ્રેસનો રાષ્ટ્રીય ચહેરો
કોણ છે : કોંગ્રેસના સિનિયર નેતા ગુજરાત સરકારમાં મંત્રી તથા ચાર ટર્મ સુધી ધારાસભ્ય પદે રહી ચૂક્યાં છે.
શું મહત્ત્વ : રાજ્યસભામાં કોંગ્રેસ માટે વિપક્ષના મજબૂત નેતા તરીકે ઉભી શકે એમ છે. વિપક્ષ તરીકેનો અનુભવ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રમીલા બારા, અભય ભારદ્વાજ અને નરહરિ અમીન.


from Divya Bhaskar https://ift.tt/3dlYbHb

Top Army brass visits Baghjan gas well tragedy site to monitor progress of capping well

Top Army brass visits Baghjan gas well tragedy site to monitor progress of capping well

from India Today | Top Stories https://ift.tt/2CpiFCm

Coronavirus cases in Brazil surpass 1 million-mark

Coronavirus cases in Brazil surpass 1 million-mark

from India Today | Top Stories https://ift.tt/2BqYDql

Bhima Koregaon case: SC frowns over Delhi HC's decision to entertain activist Navlakha's bail plea

Bhima Koregaon case: SC frowns over Delhi HC's decision to entertain activist Navlakha's bail plea

from India Today | Top Stories https://ift.tt/37KN9tX

SC seeks explanation from registry on why Vijay Mallya's review plea not listed for 3 years

SC seeks explanation from registry on why Vijay Mallya's review plea not listed for 3 years

from India Today | Top Stories https://ift.tt/2Ygn42K

LG's decision on home isolation arbitrary, will seriously harm city: Delhi govt

LG's decision on home isolation arbitrary, will seriously harm city: Delhi govt

from India Today | Top Stories https://ift.tt/3hKwYBK

Man convicted in Chicago of terror ties faces charges in 26/11 Mumbai attack

Man convicted in Chicago of terror ties faces charges in 26/11 Mumbai attack

from India Today | Top Stories https://ift.tt/3disU8n

Viral video: How to make rings without smoking

Viral video: How to make rings without smoking




from News - Videos - The Times of India https://ift.tt/37IQ1rk

Beijing 'woos Bangladesh' amid LAC standoff

Just when India-China ties suffered a new low following the recent clashes at Galwan Valley in Ladakh, Beijing seems to be aggressively wooing Bangladesh, a strong ally of India in the neighbourhood, with a host of sops.

from Times of India https://ift.tt/2Ngbxu1

Delhi pips Maharashtra in Covid positivity rate

In the first two weeks of June, Delhi overtook Maharashtra and witnessed a significant rise in coronavirus positivity rate at 30%. The two states are among nine that have reported positivity rates — the number of confirmed cases per 100 tests — much above 5% over the last couple of fortnights, putting them in the red zone where enhanced containment measures are required.

from Times of India https://ift.tt/3ehP4ZJ

Railways to use only made-in-India components, but can it end dependence on China?

Railways to use only made-in-India components, but can it end dependence on China?

from India Today | Top Stories https://ift.tt/315vGeJ

Puducherry twins become world’s youngest Karate black belt holders

Puducherry twins become world’s youngest Karate black belt holders




from News - Videos - The Times of India https://ift.tt/2Nqqvhr

14,000 new cases, Covid count nears 4 lakh

India’s Covid-19 caseload was on the verge of crossing the 4 lakh mark, as new cases hit another record high of 14,574 on Friday with Delhi (3,137) and Maharashtra (3,827) both posting their highest daily numbers, taking the total to over 3.95 lakh.

from Times of India https://ift.tt/2YUwSyu

Covid-19: Recovery rate rises to 54%

With more than 2 lakh patients cured of Covid-19 so far, India’s recovery rate has increased to 53.79%, even as the total Covid count rose to over 3.80 lakh.

from Times of India https://ift.tt/2V29CO7

States must give test results to patient: SC

The Supreme Court on Friday termed the Maharashtra government’s decision not to provide a copy of Covid-19 test result to the patient or his/her relative “illogical” and directed other states not to follow the same example.

from Times of India https://ift.tt/2CiWRYU

Assam govt extends ESMA by 6 months in state's oil and gas sector

Assam govt extends ESMA by 6 months in state's oil and gas sector

from India Today | Top Stories https://ift.tt/3fHbAeO

Recent tremors in Delhi-NCR don't signal big event but strong quake can't be ruled out: Wadia Institute

Recent tremors in Delhi-NCR don't signal big event but strong quake can't be ruled out: Wadia Institute

from India Today | Top Stories https://ift.tt/30UgcKm

Slight improvement in MP Governor Lalji Tandon's health but still on ventilator: Hospital

Slight improvement in MP Governor Lalji Tandon's health but still on ventilator: Hospital

from India Today | Top Stories https://ift.tt/2zQQEmi

No connection between ceasefire violations along LoC, Indo-China border standoff: Army

No connection between ceasefire violations along LoC, Indo-China border standoff: Army

from India Today | Top Stories https://ift.tt/2NbpglN

Will become voice of Rajasthan in Rajya Sabha: Newly-elected member KC Venugopal

Will become voice of Rajasthan in Rajya Sabha: Newly-elected member KC Venugopal

from India Today | Top Stories https://ift.tt/2V0xT7c

Elephant found dead with bullet wound in Odisha’s Mundeswar Reserve Forest

Elephant found dead with bullet wound in Odisha’s Mundeswar Reserve Forest




from News - Videos - The Times of India https://ift.tt/37JhOba

Thursday, June 18, 2020

5 controversies surrounding Sushant's demise



from Times of India https://ift.tt/3hJUMW4

Business activity near pre-Covid levels: PM Modi

Business activity in India is normalising with consumption and demand rapidly approaching the pre-Covid levels, Prime Minister Narendra Modi said while launching the first-ever auction of coal mines for commercial mining on Thursday.

from Times of India https://ift.tt/30U9iVg

રાજકોટના યુવાને ચાઈનીઝ કારનું બુકિંગ રદ કર્યું

હાલ ભારત અને ચીન વચ્ચે અંત્યત તણાવભર્યો માહોલ સર્જાયો છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા યુવાન મયુરધ્વજસિંહ ઝાલા 10 મહિના પહેલા બુક કરાવેલી ચાઈનીઝ કંપનીની 19 લાખની કારનું બુકિંગ રદ કરાવી નાખ્યું છે.

ચાઇનીઝ ચીજને તો જીવનમાં કયાંય પ્રવેશ આપવો નથીઃ મયુરધ્વજસિંહ ઝાલા
યુવાને ભાસ્કરને જણાવ્યું હતું કે, જ્યારથી કોરોના ભારતને ભરડો લઈ રહ્યો છે ત્યારથી જ ચાઈના પ્રત્યે એક તિરસ્કારની લાગણી જન્મી છે અને ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી તણાવ ભરી સ્થિતિ ઉદભવી છે. ત્યારે મેં નક્કી કર્યું કે મારો શોખ ગૌણ છે પણ ચાઇનીઝ ચીજને તો જીવનમાં કયાંય પ્રવેશ આપવો નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ચાઈનીઝ કારની ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3fxYUGM

A rapid boost in testing times

A rapid boost in testing times

from India Today | Top Stories https://ift.tt/2AEMVIZ

In a first, Nepal deploys its troops at border with India

In a first, Nepal deploys its troops at border with India

from India Today | Top Stories https://ift.tt/3dlm4Pu

PM Modi's all-party meet on China today: Sonia Gandhi, Mamata Banerjee among attendees, AAP excluded

PM Modi's all-party meet on India-China standoff today | List of all attendees

from India Today | Top Stories https://ift.tt/2AFylkw