
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો એક પણ ધારાસભ્ય નારાજગીને કારણે ક્રોસવોટિંગ ન કરે તે માટે છેલ્લાં પંદર દિવસથી તેમના ફોન રેકોર્ડિંગથી માંડીને જાસૂસીતંત્રની વોચ રખાવાની શરૂ થઇ ગઇ હતી. છેલ્લાં દિવસોમાં તો તેમને ગાંધીનગરમાં લાવીને નજરકેદની સ્થિતિમાં જ મૂકી દેવાયા હતા.
સરકારી તંત્રના જ ખૂબ વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ માતર ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી અને ઉમરેઠ ધારાસભ્ય ગોવિંદ પરમાર ક્રોસવોટિંગ કરી શકે તેવી માહિતી પણ તેઓ પર સતત આવેલાં કોંગ્રેસના નેતાઓના ફોનકોલ્સને આધારે જ ખબર પડી હતી. જો કે તેમાંનો કોઇપણ ધારાસભ્ય પાર્ટીલાઇન વિરુદ્ધ જાય તે પહેલાં તેમના પર દબાણ ઊભું થયું હતું અને તેમણે ભાજપને જ વોટ આપ્યો હતો. ખુદ રૂપાણીએ સ્વીકાર્યું હતું કે તેમના ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3dij7Pp
No comments:
Post a Comment