
હાલ ભારત અને ચીન વચ્ચે અંત્યત તણાવભર્યો માહોલ સર્જાયો છે. ઠેર ઠેર ચાઈનીઝ પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં રહેતા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા યુવાન મયુરધ્વજસિંહ ઝાલા 10 મહિના પહેલા બુક કરાવેલી ચાઈનીઝ કંપનીની 19 લાખની કારનું બુકિંગ રદ કરાવી નાખ્યું છે.
ચાઇનીઝ ચીજને તો જીવનમાં કયાંય પ્રવેશ આપવો નથીઃ મયુરધ્વજસિંહ ઝાલા
યુવાને ભાસ્કરને જણાવ્યું હતું કે, જ્યારથી કોરોના ભારતને ભરડો લઈ રહ્યો છે ત્યારથી જ ચાઈના પ્રત્યે એક તિરસ્કારની લાગણી જન્મી છે અને ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી તણાવ ભરી સ્થિતિ ઉદભવી છે. ત્યારે મેં નક્કી કર્યું કે મારો શોખ ગૌણ છે પણ ચાઇનીઝ ચીજને તો જીવનમાં કયાંય પ્રવેશ આપવો નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3fxYUGM
No comments:
Post a Comment