
સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કેસરીસિંહ ક્રોસવોટિંગ કરે તે પાર્ટીના જ કોઇ મોટા નેતાની સૂચનાથી થયું હોવાનું જણાયું છે. ભાજપના છેલ્લાં ઉમેદવાર નરહરિ અમીનને રાજ્યસભાની ચૂંટણીમાં જીતતા રોકવા માટે ભાજપના જ એક મોટાગજાના નેતાએ આ વ્યૂહ અપનાવ્યો હોવાની વાત બહાર આવી છે.
પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવાનો અંજામ શું આવે તે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણના પટ્ટશિષ્ય ગણાતાં કેસરીસિંહને ખ્યાલ ન હોય તેવું બને નહીં. પરંતુ હાલ ભાજપમાંથી જ ભરતસિંહ સોલંકીને જ્ઞાતિના સમીકરણો અને જૂના કોંગ્રેસ વખતના સંબંધોને આધારે કેસરીસિંહે આ પગલું ભરવાનું વિચાર્યું હોય તેવી વાતો ફેલાવાઇ રહી છે. ભાજપના જ સૂત્રો જણાવે છે કે એક અન્ય કારણ એ પણ છે કે નરહરિ અમીન અને દેવુસિંહ ચૌહાણ વચ્ચે કોલ્ડવોર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eiVlUV
No comments:
Post a Comment