Ad

Saturday, June 20, 2020

કોરોનાને હરાવવાના 3 યોગ : પ્રાણાયામ, જલનેતિ કરો; હસતા રહો

કોરોના સમયમાં ઇમ્યુનિટી અને ફેફસાંની મજબૂતી સૌથી જરૂરી છે. આવામાં ભાસ્કર યોગના સૌથી પ્રામાણિક અને પ્રતિષ્ઠિત કેન્દ્ર મુંગેર પહોંચ્યું અને બિહાર યોગ વિશ્વવિદ્યાલયના પરમહંસ નિરંજનાનંદ સરસ્વતી પાસે રોગ સામે લડવામાં ઉપયોગી સરળ યોગ બાબતે જાણ્યું.

પદ્મભૂષણ પરમહંસ નિરંજનાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, કોરોના વાઈરસ સીધો ફેફસાં પર અસર કરે છે એટલા માટે શરીરમાં પ્રાણવાયુની અછત રહી જાય છે. આ અછતને પૂરી કરવા માટે યોગમાં અમુક સરળ ઉપાય જણાવ્યા છે. પ્રાણાયામ, જલનેતિનો નિયમિત અભ્યાસ શરીરમાં પ્રાણવાયુને મજબૂત કરે છે. આનાથી શ્વસનતંત્ર મજબૂત થાય છે અને શરીરના આંતરિક ભાગ મજબૂત બને છે. રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરે છે. ઇમ્યુનિટી જેટલી મજબૂત હશે, બીમારીની શક્યતા એટલી જ ઓછી થશે. ઇમ્યુનિટી વધારવા માટે તમારા માટે રોજબરોજ અમુક નાની-નાની આદતો પણ ખૂબ ઉપયોગી બની શકે છે. જોકે, હસવું પણ આપણી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે. એટલા માટે ચહેરા પર હાસ્યને જાળવી રાખો. હળદરવાળું દૂધ પીઓ, તુલસીના પત્તાને 7 વખત દિવસમાં જરૂર ખાવ.

ઇમ્યુનિટી, ફેફસાં અને શ્વસનતંત્રને મજબૂત બનાવવામાં પ્રાણાયામ ઉત્તમ, આ ત્રણ સરળ પ્રાણાયામ
ભસ્ત્રિકા પ્રાણાયામ
કેમ કરશો :
શ્વસનતંત્રને મજબૂત કરવા માટે ભસ્ત્રિકા પ્રાણાયામ સૌથી ઉત્તમ છે. આ યોગને કરવા માટે ગરદન અને કમરને એકદમ સીધા રાખી પદ્માસનમાં બેસી જાવ. બંને હાથને ઘૂંટણ પર જ્ઞાન મુદ્રામાં રાખો. આમાં જોરથી શ્વાસ ખેંચવામાં આવે છે અને તેટલા જ જોરથી શ્વાસ છોડવામાં આવે છે. દરરોજ બેથી પાંચ મિનિટ કરવાથી ઘણો ફાયદો મળશે.
શા માટે જરૂરી : આનાથી શુદ્ધ વાયુ શરીરની અંદર જાય છે અને અશુદ્ધ વાયુને બહાર કાઢે છે. ફેફસાંને મજબૂત બનાવે છે. પેટના રોગોમાં પણ લાભદાયી છે. કમરદર્દ અને હૃદયરોગના લોકો આ ન કરે.

કપાલભાતિ
કેમ કરશો :
કપાલભાતિ પ્રાણાયામ કરવા માટે શ્વાસ સામાન્ય ગતિથી શરીરની અંદર લેવામાં આવે છે અને ઝડપથી બહાર કાઢવાનો રહે છે. એક મિનિટમાં 60 વખત અને કુલ 5 મિનિટમાં ત્રણસો વખત તમે શ્વાસ બહાર ફેંકવાની ક્રિયા કરો. કપાલભાતિ માટે સવારનો સમય શ્રેષ્ઠ છે.
શા માટે જરૂરી : જ્યારે તમે શ્વાસને અંદર, બહાર કરો છો તો શરીરની અંદરની ગ્રંથીઓની એક્સરસાઇઝ થાય છે. આનાથી પાચન અંગો અમાશય, લિવર, કિડની, પેન્ક્રિયાઝ, સ્વસ્થ બને છે. સ્થૂળતા, ડાયાબિટીઝ, કબજિયાત અન્યમાં આ ઉપયોગી છે. ઇમ્યુનિટી વધારે છે.

અનુલોમ-વિલોમ
કેમ કરશો :
અનુલોમ એટલે સીધું અને વિલોમ એટલે ઊંધું. જેમાં નાકને દબાવેલા ભાગથી ઊંડો શ્વાસ અંદર ભરવામાં આવે છે. અને બીજા ભાગ વડે શ્વાસ બહાર કાઢવામાં આવે છે. નાકને ડાબી બાજુના છેદથી શ્વાસ લેવામાં આવે છે અને જમણી બાજુથી કાઢવામાં આવે છે.
શા માટે જરૂરી : આથી 7 થી 8 કલાક સારી ઊંઘ આવશે. સારી ઊંઘથી રક્તપાતની ઊણપ દૂર થશે. તનાવ, અ‌વસાદ પણ દૂર થશે. શરીરની અંદર રિપેરિંગ માટે સારી ઊંઘ જરૂરી છે. 20 થી 25 મિનિટ યોગનિદ્રાના અભ્યાસથી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવાય છે.

વાઈરસને શરીરમાં પ્રવેશના નહીં દે જલનેતિ, શ્વસનતંત્ર સાફ રહે છે
કેમ કરશો :
જલનેતિ કરવા માટે મીઠાવાળું હૂંફાળું પાણી નાકના એક છીદ્રથી નાખવામાં આવે છે અને નાકના બીજા માર્ગથી પાણીને બહાર કાઢવામાં આવે છે. આ ક્રિયા નાક, કાન અને ગળાના માર્ગની સફાઇ કરવામાં ઉપયોગી છે.
શા માટે જરૂરી : જો શરીરમાં વાઈરસનો પ્રવેશ પણ થશે તો તે નષ્ટ થઇ જશે. શરૂઆતના તબક્કામાં વાઈરસ આ માર્ગમાં રહે છે. એટલા માટે ફેફસાંને પણ તાકાત મળે છે. કેમ કે સફાઇથી શ્વસન પ્રક્રિયા ઠીક થાય છે. આ પાંચથી સાત મિનિટ માટે કરવું જોઇએ. આનાથી સાઇનસ, અસ્થમા અને શ્વસનતંત્ર સંબંધિત અન્ય રોગોમાં પણ લાભ મળે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2AKiFfP

No comments:

Post a Comment