
ભારત-ચીન સરહદ વિવાદ અંગે ગૃહમંત્રી અમિત શાહે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે નિશાન તાક્યું હતું. તેમણે ગલવાન ખીણમાં ચીનના સૈનિકોની સાથે હિંસક અથડામણમાં ઘાયલ ભારતીય સૈનિકના પિતાનો એક વીડિયો ટિ્વટ કર્યો. તેમાં ઘાયલ સૈનિકના પિતા રાહુલ દ્વારા સરકાર પર આરોપ લગાવવાના નિવેદનની ટીકા કરતા દેખાય છે. શાહે કહ્યું કે એક બહાદૂર જવાનના પિતા કહે છે અને તેમની પાસે રાહુલ ગાંધી માટે સ્પષ્ટ સંદેશ છે. તેમણે કહ્યું કે આવા સમયે જ્યારે સંપૂર્ણ દેશ એકજૂટ છે ત્યારે રાહુલે પણ નીચલી કક્ષાના રાજકારણથી ઉપર ઊઠી રાષ્ટ્રીય હિત સાથે એકજૂટતા બતાવવી જોઈએ.
બીજી બાજુ કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ કહ્યું કે વડાપ્રધાન કહે છે કે આપણી સરહદમાં કોઈ ઘૂસ્યું નથી અને ન તો આપણી કોઈ પોસ્ટ કોઈ બીજાના કબજામાં છે. હવે કહેવાય છે કે 15 જૂને ગલવાન હિંસા એટલા માટે થઈ કેમ કે ચીન LAC પર માળખું ઊભું કરી રહ્યું હતું. કોણ જૂઠું બોલે છે પીએમ કે પીએમઓ?
સરકારે ફરી કહ્યું- ચીનને LACમાં એકતરફી દબાણ નહીં કરવા દઇએ
- વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું હતું કે એલએસી પર દબાણના કોઇ પણ પ્રયાસનો ભારત જડબાતોડ જવાબ આપશે. પડકારોની ઉપેક્ષા કરવાની પરિપાટીથી ઉલટું ભારતીય સૈન્ય હવે એલએસીના ઉલ્લંઘનના નિર્ણાયક જવાબ આપે છે. તેમને રોકે છે, ટોકે છે.
- બેઠકમાં જણાવાયું હતું કે ચીની સૈન્ય એલએસી પર મોટી સંખ્યામાં આવ્યું અને ભારતે તેને અનુરૂપ પગલાં ભર્યા. ચીની સૈનિકો એલએસી પાર કરતા જ સ્ટ્રક્ચર બનાવી રહ્યા હતા અને આ કામ રોકવાનો ઇનકાર કરી દીધો હતો. તેથી 15 જૂને હિંસા થઇ. એલએસી પર આપણી તરફ ચીની સૈનિકો ન હોવાનું નિવેદન તે સ્થિતિ સાથે જોડાયેલું છે કે જે આપણા જવાનોની બહાદુરી બાદ ઊભી થઇ. સૈન્યએ સ્ટ્રક્ચર ઊભાં કરવાના અને એલએસી પર દબાણના ચીનના પ્રયાસો નિષ્ફળ બનાવી દીધા.
- ભારતના નક્શામાં ભારતીય સરહદો સ્પષ્ટ છે. સરકાર તે પ્રત્યે મજબૂતાઇ સાથે વચનબદ્ધ છે. સર્વપક્ષીય બેઠકમાં વિસ્તૃતમાં જણાવાયું કે કેવી રીતે છેલ્લાં 60 વર્ષમાં 43 હજાર સ્ક્વેર કિ.મી.થી વધુ વિસ્તાર આપી દેવાયો. સરકાર એલએસીમાં એકતરફી ફેરફારની મંજૂરી નહીં આપે.
વિદેશ મંત્રાલયે કહ્યું- ભારતે ક્યારેય એલએસી ઓળંગી નથી
ચીનના દાવાને નકારતાં વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતે ક્યારેય એલએસી ઓળંગી નથી. પોતાના વિસ્તારોમાં તમામ સુવિધાઓનું નિર્માણ કરાયું છે. ગલવાન ખીણની સ્થિતિ ઐતિહાસિક રીતે સ્પષ્ટ છે.
મનીષ તિવારીના સવાલ
- પેન્ગોંગ ત્સોમાં એલએસી ફિંગર 8 પર સ્થિત છે કે ફિંગર 4 પર?
- ગલવાન ખીણ એલએસીમાં ભારત તરફ છે કે ચીન તરફ?
- નાકુલામાં ચીનાઓએ આં.રા. સરહદથી 2 કિ.મી. અંદર સુધી ઘૂસણખોરી નહોતી કરી?
- ભારતનાં 20 જવાન શહીદ થયા અને 100 ઘાયલ થયા. આ ઝપાઝપી ભારતની સરહદમાં થઇ કે ચીનની?
- ભાજપના સાંસદ ખોટું બોલે છે કે અરુણાચલમાં મોટા હિસ્સા પર ચીને કબજો કરી લીધો છે?
- ભારતની સરહદમાં કોઇ ચીની સૈનિકો ઘૂસ્યા નહોતા તો બંને સૈન્ય વચ્ચે ફ્લેગ મીટિંગ શું કામ થતી હતી?
- ભારતીય સૈનિકો ભારતની સરહદમાં પકડાયા કે ચીનની સરહદમાં?
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2zTmyi2
No comments:
Post a Comment