
બ્રિટનમાં કોરોના વાઇરસને કારણે આશરે 7 લાખ લોકોના મોત થઇ શકે છે. આ બીજા વિશ્વયુદ્ધના મોત કરતા પણ વધુ છે. આ ચોંકાવનારી વાત યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના અભ્યાસમાં સામે આવી છે. મંદી, ગરીબી અને બેદરકારીની સ્થિતિમાં આંકડો હજુ વધી શકે છે.
મંદીની સ્થિતિમાં ગરીબીથી કોરોના જેટલાં જ મોત થશે
શોધકર્તાઓનું અનુમાન છે કે રસી વિના બ્રિટનને કોવિડ-19ને હરાવવા માટે 2024 સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર થવું પડી શકે છે. લોકડાઉનને કારણે મંદી પણ આવી શકે છે. તેથી કોરોના, ખરાબ હેલ્થ સિસ્ટમ અને ગરીબીને કારણે 5 વર્ષમાં 6.75 લાખ લોકોના મોત થઇ શકે છે. યુનિવર્સિટીમાં રિસ્ક મેનેજમેન્ટના પ્રોફેસર ફિલિપ થોમસ કહે છે કે ‘લોકડાઉનથી ધીમે-ધીમે બહાર આવવાની નીતિ ત્યારે અસરકારક છે, જ્યારે આપણે સંક્રમણનો દર એકથી નીચે રાખવામાં સફળ થઇશું. મંદીની સ્થિતિમાં ગરીબીથી કોરોના જેટલાં જ મોત થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LnoUHP