Ad

Sunday, May 10, 2020

બ્રિટનમાં કોરોનાથી 7 લાખ લોકોનાં મોત થઇ શકે છે, આ બીજા વિશ્વયુદ્ધથી પણ વધુ

બ્રિટનમાં કોરોના વાઇરસને કારણે આશરે 7 લાખ લોકોના મોત થઇ શકે છે. આ બીજા વિશ્વયુદ્ધના મોત કરતા પણ વધુ છે. આ ચોંકાવનારી વાત યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના અભ્યાસમાં સામે આવી છે. મંદી, ગરીબી અને બેદરકારીની સ્થિતિમાં આંકડો હજુ વધી શકે છે.
મંદીની સ્થિતિમાં ગરીબીથી કોરોના જેટલાં જ મોત થશે
શોધકર્તાઓનું અનુમાન છે કે રસી વિના બ્રિટનને કોવિડ-19ને હરાવવા માટે 2024 સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે મજબૂર થવું પડી શકે છે. લોકડાઉનને કારણે મંદી પણ આવી શકે છે. તેથી કોરોના, ખરાબ હેલ્થ સિસ્ટમ અને ગરીબીને કારણે 5 વર્ષમાં 6.75 લાખ લોકોના મોત થઇ શકે છે. યુનિવર્સિટીમાં રિસ્ક મેનેજમેન્ટના પ્રોફેસર ફિલિપ થોમસ કહે છે કે ‘લોકડાઉનથી ધીમે-ધીમે બહાર આવવાની નીતિ ત્યારે અસરકારક છે, જ્યારે આપણે સંક્રમણનો દર એકથી નીચે રાખવામાં સફળ થઇશું. મંદીની સ્થિતિમાં ગરીબીથી કોરોના જેટલાં જ મોત થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોનાના સંક્રમણ વચ્ચે પણ લોકો સામાન્ય દિવસોની જેમ બહાર નિકળી રહ્યો છે.


from Divya Bhaskar https://ift.tt/2LnoUHP

દેશના 9 રાજ્યમાં સક્રિય દર્દી ઘટ્યા, 15 રાજ્યોમાં વધ્યા

આજે લૉકડાઉનનો 48મો દિવસ છે. છૂટછાટ સાથેના લૉકડાઉનના પણ 7 દિવસ પૂરા થઇ ચૂક્યા છે. આ 7 દિવસમાં 15 રાજ્યમાં દર્દી વધ્યા પણ 9 રાજ્યમાં એક્ટિવ કેસ ઘટ્યા છે, જેમાં કેરળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ વગેરે સામેલ છે. એક્ટિવ કેસ ઘટવાનું કારણ નવા દર્દીઓ વધવાના બદલે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો છે. 17 મે બાદ લૉકડાઉન કઇ શરતો સાથે હટાવવું છે તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. 51 દિવસમાં મોદીની આ પાંચમી બેઠક હશે.
બેઠક બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે
પીએમઓએ કહ્યું છે કે બેઠકમાં બધા જ મુખ્યમંત્રીઓને પોતાની વાત મૂકવાની તક મળશે. તેથી આ બેઠક બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલશે. ગત બેઠક બાદ પ.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો કે બેઠકમાં બોલવાની તક નથી મળતી, જેના કારણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંકલન સાધવામાં તકલીફ પડી રહી છે.
7 દિવસમાં સક્રિય દર્દી મહારાષ્ટ્રમાં 51%, ગુજરાતમાં 26% વધ્યા
7 દિવસમાં આવી રીતે સક્રીય દર્દી વધ્યા: મહારાષ્ટ્ર (50.8%), આસામ (166.6%), ચંડીગઢ (83.7%), દિલ્હી (53.1%), ગુજરાત (25.6%), હરિયાણા (52.7%), હિમાચલ (200%), જમ્મુ-કાશ્મીર (10.6%), કર્ણાટક (30.4%), ઓડિશા (12%), પંજાબ(45.6%), તમિલનાડુ(146.4%), ત્રિપુરા (1016.7%), પ. બંગાળ (34.7%).
સૌથી વધુ 41% સક્રિય દર્દી કેરળમાં વધ્યા, સૌથી ઓછા 8.1% મધ્યપ્રદેશમાં

રાજ્ય 4 મે 10 મે દર્દી ઘટ્યા
કેરળ 34 20 41.2%
છત્તીસગઢ 22 16 27.3%
તેલંગાણા 508 382 24.8%
રાજસ્થાન 2002 1722 14.0%
બિહાર 397 318 19.9%
આંઘ્ર પ્રદેશ 1093 1010 7.6%
ઉત્તર પ્રદેશ 1914 1884 1.6%
ઝારખંડ 85 75 11.8%
મધ્ય પ્રદેશ 1921 1766 8.1%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નાના બાળકોને માસ્ક પહેરાવી બહાર નિકળેલી મહિલા.


from Divya Bhaskar https://ift.tt/2LjvBuw

ઉત્તર ભારતમાં 6 રાજ્યમાં વરસાદ-આંધી, ઉત્તર પ્રદેશમાં 14 લોકોનાં મોત

કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં સખત પવન સાથે રેતીનું તોફાન જોવા મળ્યું હતું. વરસાદ સાથે ભારે પવનને પગલે દિલ્હીમાં કેટલાક સ્થળે વૃક્ષો, નાના ઝૂંપડા, વીજ અને ટેલિફોનના થાંભલા પણ ધરાશાયી થઈ ગયા હતા. આ દરમિયાન દિલ્હીમાં વરસાદ પડતાં ગરમીથી ત્રાહિમામ લોકોએ રાહતનો દમ લીધો હતો.
અનેક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી
ઉત્તર પ્રદેશમાં 18 જિલ્લામાં રવિવારે સવારથી આંધી-તૂફાન અને વરસાદ તથા વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં 14 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઝાંસીમાં મોટા પ્રમાણમાં કરા પડ્યા હતા. અનેક સ્થળે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. હવામાન વિભાગે આગામી બે-3 દિવસ સુધી દેશના વિવિધ ભાગમાં વરસાદની આગાહી કરી છે. મધ્ય પ્રદેશમાં બપોર પછી ગાજવીજ સાથે વરસાદ થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દિલ્હીમાં વાવાઝોડું ત્રાટકતા અનેક વૃક્ષ ધરાશાયી થયાં હતાં.


from Divya Bhaskar https://ift.tt/2LiPMck

ગુજરાતમાં આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સરક્યુલેશનની અસરોથી ઉત્તર-પશ્ચિમ ભારતનાં વિવિધ શહેરોમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે રાજ્યમાં પ્રવર્તતા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં 7 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રી પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં 43.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર બન્યું હતું. આગામી બે દિવસોમાં રાજ્યનાં વિવિધ શહેરોમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની સાથે પવનની ગતિ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
આગામી બે દિવસો દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા
હવામાન વિભાગનાં આંકડા મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1.9 ડિગ્રી વધીને 27.9 ડિગ્રી નોંધાયું હતું, જેને પગલે શહેરમાં દિવસ દરમિયાન ગરમીનું જોર વધ્યું હતું. આગામી બે દિવસો દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં 43.3, રાજકોટમાં 43.0, અમરેલીમાં 42.6, અમદાવાદમાં 42.2, ગાંધીનગરમાં 42.0, વડોદરામાં 41.3 તેમ જ ડીસામાં 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સરક્યુલેશનની અસરોથી આગામી 24 કલાક દરમિયાન ભારે પવન ફૂંકાવાની સાથે ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2WKA1zZ

વેક્સિન જ કોરોનાનો એકમાત્ર ઇલાજ નથી, સ્વદેશી સહિત 7 દવા પર ટ્રાયલ ચાલી રહી છે, એક-બે મહિનામાં સસ્તી દવા મળી શકે છે: ડૉ. શેખર માંડે

કોરોના વિરુદ્ધ દેશની ટોચની સાયન્ટિફિક રિસર્ચ સંસ્થા કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR)ની 37 લેબમાં લૉકડાઉન દરમિયાન વિજ્ઞાનીઓ વિવિધ રિસર્ચમાં અને ટેક્નિકલ ડેવલપમેન્ટમાં વ્યસ્ત છે. CSIRના ડાયરેક્ટર જનરલ ડૉ. શેખર માંડેએ કહ્યું કે વેક્સિન જ કોરોનાનો એકમાત્ર ઇલાજ હોવાની એક ગેરસમજ છે. કોરોનાનો ઇલાજ દવા પણ હોઇ શકે છે. તેમની સાથેની વાતચીતના મુખ્ય અંશ...
સવાલ: સીએસઆઇઆરની લેબ સતત કોવિડ-19 વાઇરસ પર નજર રાખી રહી છે. અત્યાર સુધીમાં શું જાણવા મળ્યું? શું સ્થિતિ છે?
ડૉ. શેખર:
કોવિડ-19 વાઇરસના સર્વેલન્સ માટે અમારી 3 લેબ- સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજી (હૈદરાબાદ), ઇન્સ્ટિ. ઑફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી (દિલ્હી) અને ઇન્સ્ટિ. ઑફ માઇક્રોબિયલ ટેક્નોલોજી (ચંડીગઢ)માં દેશના જુદા-જુદા ભાગોમાંથી દર્દીઓના 100થી વધુ સેમ્પલમાંથી મળેલા વાઇરસનું જીનોમ સિક્વન્સિંગ કરાયું. તેમાં વાઇરસના અલગ-અલગ સ્ટ્રેન્ડ તો મળ્યા પણ હજુ સુધી ભારત વિશેષ મ્યૂટેશન નથી મળ્યું. જે સ્ટ્રેન્ડ મળ્યા તેમનાથી જાણવા મળે છે કે તે યુરોપ, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયાથી ભારત પહોંચ્યો છે. મેના અંત સુધીમાં 1 હજાર વાઇરસ સેમ્પલનું જીનોમ સિક્વન્સિંગ કરવાનું લક્ષ્ય છે. સીએસઆઇઆર આ ડેટા ગ્લોબલ ઇનિશ્યેટિવ ઓન શેરિંગ ઓલ ઇન્ફ્લૂએન્ઝા ડેટા સાથે શૅર કરશે. જીનોમ સિક્વન્સિંગથી વાઇરસની ઉત્પત્તિ સમજવામાં મદદ મળે છે તેમ જ દવા કે રસી બનાવવામાં પણ તે મદદરૂપ થાય છે.
સવાલ: કોરોનાનો ઇલાજ માત્ર વેક્સિન જ છે?
ડૉ. શેખર:
આ એક ગેરસમજ છે કે વેક્સિન જ કોવિડ-19નો ઇલાજ છે. ઇલાજ દવા કે વેક્સિનમાંથી કંઇ પણ હોઇ શકે છે. કોવિડ-19 અંગે પ્રારંભિક સંશોધનથી અમારી સમજ વધી રહી છે.
સવાલ: સીએસઆઇઆરએ કોવિડ-19ની કોઇ દવા શોધી કે કોઇ દવાની ટ્રાયલ ચાલી રહી છે?
ડૉ. શેખર: સીએસઆઇઆરએ કોરોનાની સારવારમાં નવેસરથી ઉપયોગ માટે બે ડઝનથી વધુ દવાઓ પસંદ કરી છે, જેમાંથી માઇક્રોબેક્ટેરિયમ ડબલ્યુની ટ્રાયલ શરૂ કરી દેવાઇ છે. તદુપરાંત, ફેવિપીરાવિર અને એચસીક્યુએસની ટ્રાયલની પણ મંજૂરી મળી છે. દિલ્હી અને ભોપાલની એઇમ્સ તથા પીજીઆઇ ચંડીગઢમાં આજકાલમાં બન્ને ટ્રાયલ સાથે શરૂ થશે. ફેવિપીરાવિરની પેટન્ટ ખતમ થઇ ચૂકી છે, જેથી તેની ટ્રાયલ સફળ રહી તો દવા સસ્તી પણ હશે. આ દવાઓ પહેલેથી ઉપયોગમાં લેવાતી હોવાથી તેમના મોલેક્યૂલ સેફ છે. તેથી તેમની મર્યાદિત ટ્રાયલ કરવી પડશે. એક-બે મહિનામાં દેશને ખુશખબરી મળી શકે છે. હાલ આ ત્રણ દવા ઉપરાંત આયુષની ચાર દેશી દવાની ટ્રાયલ પણ શરૂ કરાઇ છે.
સવાલ: સીએસઆઇઆર વેક્સિન ડેવલપ કરવાની દિશામાં પણ કંઇ કરી રહી છે?
ડૉ. શેખર:
સીએસઆઇઆઇએ મોનોક્લોનલ એન્ટીબૉડી વિકસાવવાના પ્રોજેક્ટ માટે ફન્ડિંગ કર્યું છે, જેમાં નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ-પૂણે, આઇઆઇટી ઇન્દોર, પ્રેડોમિક્સ અને ભારત બાયોટેક સામેલ છે. આ પ્રોજેક્ટ હેઠળ એવું એન્ટીબૉડી તૈયાર થશે કે જે કોવિડ-19ના દર્દીના શરીરમાં વાઇરસને ન્યૂટ્રલાઇઝ કરી શકશે.
સવાલ: શું આ જ પ્લાઝમા ટ્રીટમેન્ટ છે કે જેનો દિલ્હીની હોસ્પિટલમાં પણ કેટલાક દર્દીઓ પર સફળ પ્રયોગ કરાયો?
ડૉ. શેખર:
ના, મોનોક્લોનલ એન્ટીબૉડી વિકસાવવું એ પ્લાઝમા ટ્રીટમેન્ટથી અલગ છે. પ્લાઝમા ટ્રીટમેન્ટમાં સાજા થઇ ચૂકેલા અન્ય દર્દીના શરીરમાં સીધા નાખી દેવાય છે. પ્લાઝમામાં રહેલા એન્ટીબૉડી વાઇરસને ન્યૂટ્રલાઇઝ કરી પણ શકે કે ન પણ કરી શકે પરંતુ મોનોક્લોનલવાળી પદ્ધતિમાં વાઇરસને ન્યૂટ્રલાઇઝ કરનાર એન્ટીબૉડીની ઓળખ કરીને તેને ક્લોન કરીને તૈયાર કરાય છે. તે વધુ અક્સીર છે. જોકે, પ્લાઝમા ટ્રીટમેન્ટમાં સીએસઆઇઆરની ઇન્ડિયન ઇન્સ્ટિ. ઑફ કેમિકલ બાયોલોજી (કોલકાતા)માં રિસર્ચ જારી છે અને ટ્રાયલ શરૂ કરાઇ છે.
સવાલ: લેબ ઉપકરણો કે મેડિકલ સ્ટાફની સેફ્ટી માટે સીએસઆઇઆર લેબએ શું યોગદાન આપ્યું?
ડૉ. શેખર:
સીએસઆઇઆરની નેશનલ એરોસ્પેસ લેબએ મેડિકલ સ્ટાફની સુરક્ષા માટે પીપીઇ કવરઑલ તૈયાર કરી. બેંગલુરુની એક ખાનગી કંપનીને તેની ટેક્નોલોજી ટ્રાન્સફર કરાઇ અને તે રોજ 5 હજાર કવરઑલ તૈયાર કરે છે. 15 મેથી તેનું ઉત્પાદન દૈનિક 30 હજાર કવરઑલ થઇ જશે. આ જ લેબમાં બાઇપેપ વેન્ટીલેટર પણ ડેવલપ કરાયું છે. એક-બે દિવસમાં તેની ટેક્નોલોજીને મંજૂરી માટે મોકલાઇ રહી છે. તમામ કંપનીઓએ પહેલેથી જ તે બનાવવામાં રસ દાખવ્યો છે. ટેક્નિકલ ટ્રાન્સફરમાં અમને બસ એક દિવસ લાગે છે. કંપનીઓને પ્રોડક્ટના ઉત્પાદન અગાઉ કાચો માલ ભેગો કરવામાં બે-ત્રણ અવાડિયા લાગે તેવું બની શકે. ચોથા અઠવાડિયા સુધીમાં પ્રોડક્ટ ઉપયોગ માટે ઉપલબ્ધ થવા લાગશે. તદુપરાંત, ચેન્નઇની લેબએ કોવિડ-19ની ઇમરજન્સીની સ્થિતિમાં 5-7 દિવસમાં 100થી 200 બેડનો આઇસોલેશન વોર્ડ કે હોસ્પિટલ ઊભી કરવાની ટેક્નિક અને મોડલ વિકસાવ્યા છે.
પેપર બેસ્ટ ટેસ્ટિંગ કિટ 1 મહિનામાં બજારમાં હશે
કોવિડ-19ના ટેસ્ટિંગ માટે આરટીપીસીઆર સૌથી ચોક્કસ છે. તેમાં સીએસઆઇઆરએ સેમ્પલ પુલિંગની ટેક્નિક વિકસાવી. એક વારમાં એકના બદલે 5 ટેસ્ટ થવાથી ટેસ્ટિંગ સસ્તું થશે અને તેની ચોકસાઇ પણ ઘટતી નથી. બીજું, અમે ફેલુદા નામની પેપર બેઝ્ડ ટેસ્ટિંગ કિટ વિકસાવી, જેની ટેક્નોલોજી તાતા સન્સને ટ્રાન્સફર કરાઇ ચૂકી છે. તે 3-4 અઠવાડિયામાં બજારમાં ઉપલબ્ધ હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
CSIRના ડાયરેક્ટર જનરલ ડૉ. શેખર માંડે.


from Divya Bhaskar https://ift.tt/2zo3Jmz

સુરતના હીરા ઉદ્યોગકારોને મોટી રાહત- હોંગકોંગ પછી હવે આજથી બેલ્જિયમનું માર્કેટ પણ કાર્યરત

હોંગકોંગ બાદ આજે સોમવારથી બેલ્જિયમના એન્ટવર્પમાં આવેલી હીરાની 600 ઓફિસો પણ ખૂલી રહી છે. હોંગકોંગ બાદ એન્ટવર્પનું પણ માર્કેટ ખુલી જતાં સુરતના હીરા ઉદ્યોગકારોના અટકેલા પાર્સલ જશે. એન્ટવર્પમાં ડાયમંડ તથા જેમ્સ એન્ડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગના યુનિટોમાં કામદારોને 15 મીટરનું અંતર જાળવી કામકાજ શરૂ કરવા સૂચન કરાયું છે. આ સાથે સુરત-મુંબઈની મોટી ડાયમંડ કંપનીઓની જે રફ ડાયમંડની સપ્લાય અટકી છે, તે ક્લિયર થશે. સુરત-બેલ્જિયમનો વર્ષે 6 બિલિયન ડોલરનો વેપાર છે.
સિંગાપોરની સરકારે પણ 1 જૂનથી જેમ્સ એન્ડ જવેલરીનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું
એન્ટવર્પમાં સોમવારથી બ્રોકર, કુરીયર સર્વિસ પણ શરૂ કરવામાં આવશે. એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના આંકડાઓ મુજબ માર્ચમાં પોલિશ્ડ ડાયમંડનો ઇમ્પોર્ટ 73 ટકા ઘટ્યો હતો. જયારે રફનો એક્સપોર્ટ 51.3 ટકા ઓછો રહ્યો છે. હવે હોંગકોંગ અને સ્વિત્ઝર્લેન્ડમાં પણ જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ શરૂ થતા એન્ટવર્પમાં પણ ગતિવિધિ વધી છે. જયારે સિંગાપોરની સરકારે પણ 1 જૂનથી જેમ્સ એન્ડ જવેલરીનો વેપાર શરૂ કરવાનું નક્કી કર્યું છે. જીજેઈપીસીના રીજનલ ચેરમેન દિનેશ નાવડીયા જણાવે છે કે, જેમ-જેમ વિદેશી બજારો ખુલતાં થશે તેમ જૂનો સ્ટોક ક્લીયર થશે. ભારતમાં લૉકડાઉન ખુલે ત્યાં સુધીમાં હીરાઉદ્યોગકાર પરથી બોજો દૂર થશે. નવા ઓર્ડર આવતા થશે તો કામ કરવાનું પ્રોત્સાહન મળશે. જોકે, રફ ડાયમંડ મોટાભાગે બેલ્જિયમ અને દુબઈથી સુરત આવે છે. દુબઈ માર્કેટ શરૂ થયા બાદ બેલ્જિયમથી 50 ટકા હીરા ભારતમાં આવે છે. બેલ્જિયમ માર્કેટ ખુલવાથી હીરા ઉદ્યોગમાં પોઝીટીવ વાઈબ આવશે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં વર્ષે 12 બિલિયન ડોલરની રફ ડાયમંડની ખરીદી થાય છે. જેમાંથી 5 થી 6 બિલિયની ડોલરની રફ ડાયમંડ બેલ્જિયમ થઈને આવે છે. આ અંગે ડીઆઈસીએફના નિલેશ બોડકીએ જણાવે છે કે કે, ભારતમાં તૈયાર થતા પોલિશ્ડ હીરા પૈકી 39 ટકાની હોંગકોંગમાં એક્સપોર્ટ થાય છે. બેલ્જિયમ માર્કેટ ખુલતાં સ્ટોક ક્લીયર થવા સાથે પેમેન્ટની આશા બંધાઈ છે. પાછલા દિવસોમાં 60 ટકા ઓર્ડર પુરા કરવામાં આવ્યા છે. મુંબઈમાં કામકાજ શરૂ થયા બાદ નિકાસ વધુ સરળ બનશે.
હોંગકોંગમાં રૂ.1000 કરોડના હીરા સુરતથી નિકાસ થયા
સુરત હીરા બુર્સને મળેલી પરવાનગીના કારણે સુરતથી 80થી વધુ હીરાના રૂ.1000 કરોડના પાર્સલ ઈમ્પોર્ટ થઈ ચૂક્યા છે. જ્યારે આવનારા 20 દિવસમાં રૂ.3000 કરોડના હીરા એક્સપોર્ટ થશે. જાન્યુઆરીમાં બેંક ગેરેન્ટી વગર સુરત હીરા બુર્સથી એક્સપોર્ટને મળેલી પરવાનગીથી સુરતનો હીરા એક્સપોર્ટનો ધંધો ધમધમી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2A8OcXV

છાતીમાં દુખાવો ઉપડતા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહ AIIMSમાં દાખલ

પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહને રવિવારે રાત્રે નવી દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો પ્રમાણે તેમને છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ તેમને કાર્ડિયો-થોરિક વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Former Prime Minister Dr. chest pain. Manmohan Singh enters AIIMS


from Divya Bhaskar https://ift.tt/3fD62CT

Nostalgia as Sanctuary? 

The other evening, we spent hours going over old photo albums, savouring moments from the past, both significant and silly. There was something deeply comforting about dwelling on what was- the world felt comprehensible, little...

from Times of India Opinion https://ift.tt/3fvsrBQ

Lockdown violators bring good money to state's cash-starved coffers

Lockdown violators bring good money to state's cash-starved coffers

from India Today | Top Stories https://ift.tt/2SSDRWu

U'khand: 3 yoga teachers held for sexually harassing Japanese woman in Rishikesh

U'khand: 3 yoga teachers held for sexually harassing Japanese woman in Rishikesh

from India Today | Top Stories https://ift.tt/35S3T1I

Maharashtra Covid-19 cases rise by 1,278 to 22,171; death toll 832

Maharashtra Covid-19 cases rise by 1,278 to 22,171; death toll 832

from India Today | Top Stories https://ift.tt/2xRzTX9

Indian, US firms working together on at least 3 COVID-19 vaccines: Indian Envoy to US

Indian, US firms working together on at least 3 COVID-19 vaccines: Indian Envoy to US




from News - Videos - The Times of India https://ift.tt/3bgAkHX

Saturday, May 9, 2020

Maharashtra: Part of chawl collapses in Kandivali's Lalji Pada

Maharashtra: Part of chawl collapses in Kandivali's Lalji Pada

from India Today | Top Stories https://ift.tt/2yAaJN8

TOI widens gap, leads HT by 2.9L in Delhi-NCR

The Times of India remains the dominant market leader among English dailies with its total readership of over 1.73 crore, almost equal to the combined readership of the three biggest dailies outside the Times Group – The Hindu, Hindustan Times and The Indian Express. This has emerged from the just released Indian Readership Survey for the fourth quarter (Q4) of 2019.

from Times of India https://ift.tt/2WiodG7

Desi jugad: How to pluck mangoes without letting them fall

Desi jugad: How to pluck mangoes without letting them fall




from News - Videos - The Times of India https://ift.tt/2YNz6RX

Bird brain: Give it back or else...

Bird brain: Give it back or else...




from News - Videos - The Times of India https://ift.tt/2Ley0H9

‘તુમ NRC કે લિએ આતે હો’ કહી ધમકી આપી 4 મહિલા સહિત 6 જણાં હેલ્થ વર્કરો પર થૂંક્યા

પુણાના નવા કમેલા ખાતેની સંજયનગર ઝુપડપટ્ટીમાં શરદી- ખાંસી- તાવ કોને છે તેની સરવે કરવા ગયેલા હેલ્થ વર્કર-આશા વર્કરો સાથે 4 મહિલા અને 2 યુવકોએ ઝઘડો કરીને ‘તુમ એનઆરસી કેલિએ આતે હો કહીને સળગાવી દેવાની ધમકી આપી હતી. હેલ્થ વર્કરો પર થુંકવાથી કોરોના થશે અને મરી જશે એવું કહી તેમની પર થુંકવા લાગ્યા હતા. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો.
અક્ષરશ: FIR: દોબારા આયેંગે તો કેરોસીન ડાલ કે જલા ડાલેંગે
મારૂ નામ ધર્મેન્દ્ર નરેન્દ્ર જોષી છે. હું સુરત મહાનગર પાલિકામાં પ્રાયમરી હેલ્થ વર્કર તરીકે નોકરી કરું છું.મારા અધિકારીની સુચનાથી કમેલા દરવાજા સંજયનગર ઝુપડપટ્ટી ક્લસ્ટર ઝોનમાં ઘરે-ઘરે જઈ શરદી, ખાસી, તાવ, શ્વાસ લેવામાં તકલીફ વગેરે કોરોનાનો સરવે કરવાની કામગીરી કરીને દરેક ઘરે ચોકથી માર્કિંગ કરવાનું કામ કરે છે. સાથે હોમિયોપેથીક દવા આપવાની કામગીરી કરે છે. શનિવારે સવારે હું પોતે અને આશા વર્કર વિદ્યાબેન, લેસવાલા તૌકીર, માલદેવ વાઢિયા અને વૈભવી પટેલ સંજય નગર ઝુપડપટ્ટી ગયાં હતાં. ગલી નંબર 2 માં જતાં ઘણા માણસો ભેગા થયા હતા. તે પૈકી બે માણસો અને ચાર મહિલાઓએ અમને કહ્યું કે તુમ કિસકો પૂછકર અંદર આયે ઓર ચોક સે માર્કિંગ ક્યોં કર રહે હો, ગલી સે નીકલ જાવો, તુમ સર્વે કે લિએ નહીં આતે લેકિન એનઆરસી કે લિએ આતે હો ઓર મુસલમાનો કો ભગાને કે લિએ આતે હો તેમ કહી અમારા મોઢા પરથી માસ્ક ખેંચી લીધેલા. અમારા આઈ કાર્ડના અને અમારા ફોટો પાડી જોરથી ઉશ્કેરાઈને કહેવા લાગ્યા હતા કે યહાં સે ચલે જાવો કહીને મને અને વિદ્યાબેનને ઘેરી લીધા હતા. અમે તેમને સમજાવ્યું કે કોરોના બીમારીના સરવે માટે અને તમારા હિત ખાતર આવીએ છીએ છતાં તેઓ નહીં સમજીને અને કહેવા લાગેલ કે દુબારા આયેંગે તો કેરોસીન ડાલકે જલા ડાલેંગે. બે જણાએ કહ્યું કે કલકી બાત છોડો આજ હી ઉન પર થુંક કર કોરોના કર ડાલતે હે. ઉનસે વહ મર જાયેંગે તેમ કહીને અમારા ઉપર બે માણસો થુકેલા અને અમને ધક્કા મારીને ગાળાગાળી કરવા લાગ્યા હતા. તે સમયે પોલીસ આવી જતાં અમને બચાવ્યા હતા.
આરોપીઓનાં કોરોના સેમ્પલ લેવાયાં
પુણા પોલીસે હત્યાની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને હેલ્થ વર્કરો પર થુંકનારા અને સળગાવી દેવની ધમકી આપનારા સીરાજ કાસીમ શેખ,સલીમ કાસીમ શેખ, ફરીદાબી સિરાજ શેખ, જુલેખાબી યુસુફખાન પઠાણ,શબાનાબી ઐયુબ શાહ અને હુસેનાબી અલાઉદ્દી શેખ(તમામ રહે.સંજયનગર ઝુપડપટ્ટી) છે. પોલીસ તમામને પોલીસ સ્ટેશન લઈ ગઈ. હાલ તેનો કોરોના ટેસ્ટ કરવા સેંપલ લેવાયા છે. જો કોરોના હશે તો તેમને સારવાર માટે દાખલ કરાશે.
PI ગડરીયા ઘટના સ્થળે પહોંચ્યા અને બધા બચ્યા
પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયાએ જણાવ્યું હતું કે સવારે સાડા દસેક વાગે હું સંજયનગરમાં પેટ્રોલિંગ માટે સ્ટાફ સાથે નીકળ્યો હતો. ત્યાં ટોળું જોયું ત્યારે હેલ્થ વર્કર બહેનો રડતી હતી. તેઓ ખુબજ ગભરાઈ હતી. તેઓએ ઘટના કહેતાં હું આરોપીઓનું આવું વર્તન જોઈને હેરાન થઈ ગયો. તત્કાલિક બહેનો અને ધર્મેન્દ્રને બચાવીને પોલીસ જીપમાં બેસાડીને તત્કાલિક 6ને પકડી લીધા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
6 spit on health workers, including 4 women at Surat


from Divya Bhaskar https://ift.tt/3fsPFZk

3 વર્ષની દીકરી કોરોનાની લડતમાં જીત મેળવી ઘરે આવી; માતાએ કહ્યુ- 11 દિવસ 11 વર્ષ સમાન લાગ્યા

ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામના કંથારીયા પરિવારની 3 વર્ષની માસૂમ દીકરી ધારવીમાં 11 દિવસ પહેલા કોવિડ-19નાં લક્ષણો મળી આવતા આરોગ્ય વિભાગે તેને સુરત સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. કોરોના સામેની લડતમાં જીત મેળવી માસૂમ ધારવી ઘરે પરત આવતા ગ્રામજનોએ તેનું ઉષ્મા ભર્યું સ્વાગત કરતા ધારાવીના આગમનમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. તેના ઉપર પુષ્પવર્ષા કરાઈ હતી.
મારી મીકું ઘરે જવા ખુબ જીદ કરતી હતી, 11 દિવસ 11 વર્ષ જેવા લાગ્યા
ઓલપાડ તાલુકાના સાંધીયેર ગામની 3 વર્ષની માસુમ ધારવી કંથારિયાએ કોરોનાને માત આપી છે. ત્યારે સારવાર દરમિયાન સાથે રહેનારી તેની માતાએ જણાવ્યુ હતું કે, સુરત સિવિલ ખાતેના 11 દિવસ અમારા માટે 11 વર્ષ બરોબર રહ્યા મારી મીકું [ધારવીનું હુલામણું નામ] તેના દાદા દાદી અને નાની બેન એન્જલને યાદ કરી રડતી અને ઘરે જવા ખુબ જીદ કરતી મન મક્કમ કરી મેં મારી દીકરીને સમજાવી પતાવી દિવસો વિતાવ્યા, મારા પરિવારમાં સૌની લાડકી મીકું ને તેની પસંદની ચોકલેટ અને ફ્રુટ માંગતા મળી જતું ત્યાર 11 દિવસ સુધી હોસ્પિટલમાં જમવા માટે દાળ, ભાત અને શાક આપવામાં આવતા હતા બહારની કોઈ વસ્તુ લાવવા ન દેતા દીકરી ભુખી રહેતી હોસ્પિટલના અન્ય દર્દી જેવુંજ માસુમ બાળકોને જમવાનું આપવામાં આવતું હોઈ અન્ય બાળકો પણ તે જમતા નહી. મારી જિંદગીમાં આવા દિવસો ક્યારે નથી જોયા મીકું સાથે હોસ્પિટલમાં વીતાવેલા 11 દિવસ મને આખી જીંદગી યાદ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
કોરોના સામેની લડતમાં જીત મેળવી માસૂમ ધારવી ઘરે પરત આવતા ગ્રામજનોએ તેનું ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું.


from Divya Bhaskar https://ift.tt/35JfOPe

Worldwide coronavirus cases over 4 million, death toll over 279,300

Worldwide coronavirus cases over 4 million, death toll over 279,300

from India Today | Top Stories https://ift.tt/3dvLOJ9

2020 May 10 I’m turning 50 during lockdown!

I turn 50 this week!!! Yup! Half a century on this planet! Not exactly the sparkling celebration I thought I’d have, given the lockdown and social distancing, but it’s certainly going to memorable with its...

from Times of India Opinion https://ift.tt/3ckaELP

US unemployment surges to a Depression-era level of 14.7%

US unemployment surges to a Depression-era level of 14.7%

from India Today | Top Stories https://ift.tt/3cj6FPH

Migrant workers throw stones at police in Gujarat in protest against lockdown

Migrant workers throw stones at police in Gujarat in protest against lockdown

from India Today | Top Stories https://ift.tt/35NS4t2

Watch: When even animals do the ‘bear’ minimum to follow traffic rules

Watch: When even animals do the ‘bear’ minimum to follow traffic rules




from News - Videos - The Times of India https://ift.tt/3fASOGE

કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં મેં પગ ગુમાવ્યા, આજે મારી મા જ મારા પગ છે, તે જ મારા માટે ‘વોરિયર’: તીર્થ

‘કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં મેં પગ ગુમાવ્યા હતા. હોસ્પિટલમાં ભાનમાં આવ્યા પછી જ્યારે મને ખબર પડી કે મેં બંને પગ ગુમાવ્યા છે ત્યારે મગજમાં એક જ વિચાર ચાલતો હતો કે હવે મારું ભવિષ્યમાં શું થશે?, પણ મારી માતાએ મને જરાય લાગવા દીધું નથી કે મારે પગ નથી. મારી મા જ મારા પગ છે. તે મને દરેક કામમાં મદદની સાથે મારો આત્મવિશ્વાસ વધારતી રહે છે.’ કાંકરિયા રાઇડ દુર્ઘટનામાં બંને પગ ગુમાવનાર 14 વર્ષના તીર્થ ભાવસાર માટે તેની માતા જ ‘વોરિયર’ છે.
રોજ ત્રણ કલાક તીર્થનાં માતા પ્રતિભા ભાવસાર તેને કસરત કરાવે છે
દુર્ઘટના બાદ ડોક્ટરોએ કહ્યું હતું કે, જમણા પગમાં તાકાત આવશે ત્યારે તીર્થ ફરી એકવાર ચાલતો થઈ જશે. જમણો પગ ૩૦ ટકા કામ કરતો થઈ જાય તો તેના બીજા પગમાં તાકાત આવે ત્યાર બાદ કુત્રિમ પગ લગાવીને ફરીથી ચાલતો થઈ શકે છે. બસ ત્યારથી રોજ ત્રણ કલાક તીર્થનાં માતા પ્રતિભા ભાવસાર તેને કસરત કરાવે છે. આ સાથે કૃત્રિમ પગ ખરીદવા માટે પૈસા પણ ભેગા કરી રહી છે. માએ દુર્ઘટનાના 5 દિવસ પહેલા સાઇકલ અપાવી હતી
માતાપુત્રને આ સાઇકલ ફરી એક વાર ચલાવતો જોવા માગે છે
કાંકરિયા રાઇડ દુર્ઘટનાના પાંચ દિવસ પહેલાં જ તીર્થની માતા તેના માટે નવી સાઇકલ લાવી હતી. હાલ તો પ્રતિભાબહેન તેમના પુત્રને આ સાઇકલ ફરી એક વાર ચલાવતો જોવા માગે છે. પ્રતિભાબહેન જણાવે છે કે, પહેલા ઘરના દરેક કામ તીર્થ પોતે કરતો હતો. મારી પ્રભુને એક જ પ્રાર્થના છે કે મારો તીર્થ ફરી દોડતો થઈ જાય અને ઘરનું તમામ કામ કરે. મને આશા છે કે, ભગવાન મારી વાત જરૂર સાંભળશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પુત્ર તીર્થને કસરત કરાવતી માતા તથા સાઇકલ સાથે તીર્થની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3fA6CBf

Good mothers make great CEOs too!

The same qualities that make a woman a good mother, make her a better CEO too! A mirror was held up to me in a rather rude awakening just one day after I spoke passionately...

from Times of India Opinion https://ift.tt/2SRp3HJ

Assam: Man kills alcoholic son in Nagaon

Assam: Man kills alcoholic son in Nagaon

from India Today | Top Stories https://ift.tt/2WI8Upm

COVID-19: Jammu student makes ‘stay home save lives’ rangoli for awareness

COVID-19: Jammu student makes ‘stay home save lives’ rangoli for awareness




from News - Videos - The Times of India https://ift.tt/2Lh9XXO

રામદેવ કંપનીની બેન્કો સાથે રૂપિયા 411 કરોડની છેતરપિંડી

બેન્કો સાથે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રામદેવ ઈન્ટરનેશનલના ત્રણ પ્રમોટર્સ એસબીઆઈની આગેવાનીના છ બેન્કના કોન્સોર્ટિયમ સાથે રૂ. 411 કરોડની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયા છે.
કંપની સાઉદી અરબ અને દુબઈમાં પણ ઓફિસ ધરાવે છે
આ મામલામાં એસબીઆઈએ હાલમાં સીબીઆઈ સમક્ષ ફરિયાદ નોંધાવી છે કે, પશ્ચિમ એશિયા અને યુરોપિયન દેશોમાં બાસમતી ચોખાની નિકાસ કરતી કંપની અને તેના ડિરેક્ટરો નરેશકુમાર, સુરેશકુમાર અને સંગીતા કુમારીએ અમારી સાથે રૂ. 173 કરોડની છેતરપિંડી કરી છે. આ કંપનીની હરિયાણાના કરનાલમાં ચોખાની ત્રણ મિલ અને આઠ અન્ય એકમો છે. આ કંપની સાઉદી અરબ અને દુબઈમાં પણ ઓફિસ ધરાવે છે. તેમણે એસબીઆઈ સહિત કેનેરા બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને કોર્પોરેશન બેન્ક સાથે પણ છેતરપિંડી કરી છે.
લૉકડાઉન પછી દરોડા
સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે, લૉકડાઉનના કારણે આ કેસમાં દરોડાની કાર્યવાહી થઈ શકી નથી. આ કેસમાં આરોપીના સમન્સની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જો તેઓ તપાસમાં સામેલ નહીં થાય તો તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. એસબીઆઈની ફરિયાદ પ્રમાણે, આ કંપનીનું ખાતું 27 જાન્યુઆરી, 2016ના રોજ ડિફોલ્ટ થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ramdev Companies fraud of Rs 411 crore with banks


from Divya Bhaskar https://ift.tt/3dup5gI

અમેરિકી સંસદમાં વિધેયક રજૂ- 40 હજાર વિદેશી ડૉક્ટર, નર્સને ગ્રીનકાર્ડની ભલામણ

અમેરિકન સાંસદોએ 40 હજાર વિદેશી ડૉક્ટર-નર્સોને ગ્રીન કાર્ડ આપવા શુક્રવારે સંસદમાં એક બિલ રજૂ કર્યું હતું. આરોગ્ય ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરવા લવાયેલું આ બિલ જો કાયદાનું રૂપ લેશે, તો તેનાથી મોટી સંખ્યામાં એ ભારતીયોને ફાયદો થશે, જેમની પાસે પહેલેથી જ એચ-1બી કે જે-2 વિઝા છે.
ધ હેલ્થકેર વર્કફોર્સ રેસિલિયન્સ એક્ટ નામના આ બિલથી એ ગ્રીન કાર્ડ જારી કરી શકાશે, જેમને થોડા વર્ષો પહેલા કોંગ્રેસે મંજૂરી આપી હતી, પરંતુ તેમને અપાયા ન હતા. આ બિલથી કોરોના મહામારી દરમિયાન 15 હજાર ડૉક્ટર અને 5 હજાર નર્સને ગ્રીન કાર્ડ જારી કરાશે, જેથી હેલ્થ પ્રોફેશનલોની અછત ન સર્જાય. અમેરિકન કોંગ્રેસમાં બિલ રજૂ કરનારા સાંસદોમાં એબી પિંકનોએર, બ્રેડ શ્નીડર, ટોમ કોલે અને ડોન બેકોન સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3bjMCPK

કોરોના કાળમાં નોકરીઓ નથી, બાળકો પૂછે છે કે શું હવે આપણે ડિનર માટે જઈ શકીશું? આપણે બેઘર થઈ જઈશું? કેવી રીતે આપશો જવાબ

ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ વેડી મોગલના જણાવ્યા અનુસાર ભલે લૉકડાઉન ખૂલવાના સંજોગો સર્જાઈ રહ્યા હોય અને બાળકો પણ અનેક પ્રવૃત્તિનું પ્લાનિંગ કરતા હોય, પરંતુ પરિવારજનોએ તેમને કહેવું પડે છે કે, હવે તેઓ મોજશોખનો ખર્ચ ઉઠાવી નહીં શકે. પરિવારજનો ભોજન માટે પૂરતા પૈસા હોવાની વાત કરીને તેમને સાંત્વના આપી શકે છે, પરંતુ બાળકોના આંખ-કાન ઘણાં તેજ હોય છે. જો નોકરી જવાની સ્થિતિ હોય તો તેમના સવાલો અને નજરનો કેવી રીતે સામનો કરશો:
પોતાની ચિંતા પર ધ્યાન આપો
ગ્રાહક કેન્દ્રિત અર્થતંત્ર અને સેલ્ફ બ્રાન્ડિંગના યુગમાં પોતાના બજેટને વધારવું અને ‘શું જરૂરી છે’ તેનાથી ‘આપણે શું ઈચ્છીએ છીએ’ એ જુદું કરવું અઘરું છે. નક્કી કરો કે, આ ખરાબ સંજોગોમાં પણ તમે સતર્ક સ્વજન બન્યા રહો. બાળકોને આશ્વાસન આપો કે, બદતર સ્થિતિમાં પણ તમારી પાસે એટલા પૈસા હશે કે, તમે બિલ ચૂકવી શકો છો, ભોજન ખરીદી શકો છો. જો તમે કંઈ નવું કરવા જઈ રહ્યા છો કે બેકારીના લાભ મેળવી રહ્યા છો, તો તે પણ જણાવો. તેનાથી તેમને તમારા સંસાધનો અને યોજનાઓ વિશે માહિતી મળશે. તેમના સવાલો ધ્યાનથી સાંભળો.
કડવું સત્ય જણાવવું કે નહીં
બાળકો સાથે વાત કરતી વખતે ધ્યાનમાં રાખો કે, તેમને શું અને કેટલું કહેવાનું છે. આ વાત તેના પર નિર્ભર કરે છે કે, બાળકની ઉંમર શું છે અને નકારાત્મક બાબત સાંભળવાની તેમની ક્ષમતા કેટલી છે. બાળકોને નવા આર્થિક પરિદૃશ્યમાં સામંજસ્ય બેસાડવાનું શીખવીને પણ સત્ય જણાવી શકો છો. નાના બાળકો એ વિચારી શકે છે કે, મોટા લોકો સાથે કંઈ ખરાબ થયું છે, તો અમારી સાથે પણ થશે. ખરાબ સપનાં આવી શકે છે. કિશોરો એ જાણવા ઉત્સુક હશે કે, શું આપણે ડિનર પર જઈ શકીએ? હું પહેલાની સ્કૂલમાં જઈ શકીશ? આપણે બેઘર થઈ જઈશું? તેમને જણાવો કે, પહેલા જેવું શું રહેશે અને શું બદલાશે. તેમને પરિવર્તનો વિશે જણાવો.
આગળનું વિચારો
બાળકોને સમજાવો કે, અર્થતંત્ર ગતિ પકડતા જ સ્થિતિ બદલાશે. નવી નોકરી મળી શકે છે. તમારા સંજોગો બદલાઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
There are no jobs in Corona's time, the kids ask if we can go for dinner now? Will we become homeless? How to answer


from Divya Bhaskar https://ift.tt/2YOZVFB

લોકોના મનમાં ભય છે, તેઓ બીમારી છુપાવે છે, હૉસ્પિટલ મોડા આવે છે એટલે આટલા મૃત્યુ થઈ રહ્યાં છે: ડૉ. ગુલેરિયા

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના નિરંકુશ બની રહ્યો છે ત્યારે દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાના વડપણ હેઠળ નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ શનિવાર અમદાવાદ આવી હતી. દિવ્ય ભાસ્કરે ડૉ.ગુલેરિયા સાથે વિસ્તૃત વાતચીત કરીને રાજ્યમાં કોરોનાના કારણો, મૃત્યુદર પાછળના પરિબળો અને નિયંત્રણની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. અમદાવાદમાં સૌથી વધારે મૃત્યુ સિવિલ હૉસ્પિટલમાં થયાં છે.
એઇમ્સની જેમ સિવિલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઘણું સારું છે
આ અંગે ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું કે એઇમ્સની જેમ સિવિલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઘણું સારું છે. ડૉક્ટર્સ પણ સારી ટ્રીટમેન્ટ આપી રહ્યાં છે. વધારે લોકોના મોત થઈ રહ્યા છે એની પાછળનું કારણ એ છે કે દર્દીઓની સ્થિતિ અત્યંત વણસે એ પછી જ તેમને હૉસ્પિટલમાં લાવવામાં આવે છે. વાંચો ડૉ. ગુલેરિયા સાથેની વિસ્તૃત વાતચીત...
સવાલ: દેશમાં સૌથી વધુ મૃત્યુમાં ગુજરાત બીજા નંબરે છે. ઊંચો મૃત્યુદર કેમ?
ડૉ. ગુલેરિયા:
સતત થઈ રહેલા મોતને લઈને આજે અમે વિવિધ મિટિંગ્સ કરી છે. ડૉક્ટર્સ, સરકાર, કોર્પોરેશનના અધિકારીઓ તથા એક્સપર્ટ્સની સાથે ચર્ચા કરી હતી. સૌથી મોટું કારણ એ બહાર આવ્યું છે કે લોકોમાં કોરોના અંગે ઘણો ભય છે. તેથી પ્રારંભિક લક્ષણો જોવા મળતા હોવા છતાં લોકો હૉસ્પિટલ આવતા નથી. તેઓ એને છુપાવવાની કોશિશ કરે છે. બીમારી જ્યારે વધી જાય ત્યારે તેઓ હૉસ્પિટલ આવે છે. તેના લીધે એમને બચાવવા મુશ્કેલ બની જાય છે.
સવાલ: શું માત્ર આ જ કારણ છે?
ડૉ. ગુલેરિયા:
ના. વાસ્તવમાં જેટલાં મોત થયા છે તેમાં મોટા ભાગના એવા લોકો હતા જેમને કોરોના ઉપરાંત અન્ય ગંભીર બીમારીઓ પણ હતી. જેમ કે હાયપરટેન્શન તો કોઈને કેન્સર, સુગર અને હાર્ટની બીમારી. કોરોનાની અસર સીધી ફેફસાં પર થાય છે. તેથી અન્ય બીમારીઓ હોવાથી તે કિલર કૉમ્બીનેશન બની જાય છે. લોકો જો સમયસર હૉસ્પિટલ પહોંચી જાય તો જીવ બચાવી શકાય છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જૉન્સનને માત્ર ઑક્સિજન આપવામાં આવ્યો હતો અને તેઓ સાજા થઈ ગયા હતા.
સવાલ: પણ શું અન્ય રાજ્યના લોકોમાં બીમારીનો ડર અને ગંભીર બીમારીઓ નથી?
ડૉ. ગુલેરિયા:
એવું નથી. મૃત્યુ દરેક જગ્યાએ થઈ રહ્યાં છે. મુંબઈ, ઇન્દૌર, દિલ્હી દરેક જગ્યાએ આ સ્થિતિ છે. અન્ય શહેરો અને રાજ્યોની તુલનામાં અમદાવાદમાં આ કારણો વધારે જોવા મળે છે. અમે એ કારણોની વાત કરીએ છીએ જેના લીધે વધુ લોકોના મોત થઈ રહ્યાં છે. દેશમાં કોવિડ 19નો મૃત્યુદર 3.3 છે જ્યારે અમદાવાદમાં તે 6.4 છે.
સવાલ: કોરોના ક્યાં સુધીમાં નિયંત્રણમાં આવશે?
ડૉ. ગુલેરિયા:
તેની કોઈ સમયમર્યાદા કહી શકાય એમ નથી. વધુને વધુ ટેસ્ટ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, હળવા લક્ષણો જોવા મળે તો પણ સારવાર દ્વારા જ વાઇરસને દૂર કરી શકાય એમ છે. તેથી જાગૃતિ ફેલાવવાની જરૂર છે. લોકો જરે નહીં અને બીમારીને છુપાવે નહીં.
સવાલ: એવો દાવો કરાય છે કે ગુજરાતમાં વુહાનવાળો વાઇરસ તબાહી ફેલાવી રહ્યો છે?
ડૉ. ગુલેરિયા:
આ કારણ પણ શક્ય છે. પણ અમે દાવો કરી શકીએ નહીં. તેની તપાસ થઈ રહી છે. પણ આપણે એ જોવું જોઈએ કે દેશમાં મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. આપણે સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને વૃદ્ધોની. જેમના ઘરમાં વડીલો છે તેમણે વધારે એલર્ટ રહેવાની જરૂર છે. હળવા લક્ષણો જોવા મળે તો પણ તત્કાળ તપાસ કરાવવી જોઈએ.
સવાલ: જનજીવન પહેલાની જેમ ક્યારે ધબકતું થશે?
ડૉ. ગુલેરિયા:
આગામી ચાર-છ મહિનામાં પહેલાની જેમ જનજીવન ધબકતું થશે એ ભૂલી જવું. વાઇરસનો સફાયો થઈ જશે તો પણ આપણે નવી લાઇફ સ્ટાઇલ અપનાવવી પડશે. ગ્લવ્સ, માસ્કની આદત પાડવી પડશે. સેનેટાઇઝરનો ઉપયોગ કરવો પડશે. હાથ મિલાવવાનું બંધ કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું પડશે. ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું પડશે. અગાઉ જેવી જીવનશૈલી થતા વાર લાગશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એઇમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયા.


from Divya Bhaskar https://ift.tt/3cfeLJc

નવી પોલિસી અમલમાં મૂકતા ટેસ્ટ કર્યા વિના 200થી વધુને રજા અપાઈ

રાજ્ય સરકારે કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે ડિસ્ચાર્જની નવી પોલિસી અમલમાં મૂકી છે. જે અનુસાર દાખલ થયાના 10 દિવસમાં કોઈપણ દર્દીને લક્ષણ ન હોય તો કોઈપણ પ્રકારના ટેસ્ટ કર્યા વિના તેમને ડિસ્ચાર્જ આપવામાં આવી શકશે. આ પોલિસી અમલમાં મૂક્યાના પ્રથમ દિવસે જ સમરસ હોસ્ટેલમાંથી 200થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ડિસ્ચાર્જ આપતા પહેલા 2 વખત દર્દીના રિપોર્ટ નેગેટિવ આવે તો જ ઘરે જવાની રજા આપવામાં આવતી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સમરસ હોસ્ટેલમાંથી 200થી વધુ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા.


from Divya Bhaskar https://ift.tt/3bnw5KF

કમિશનર નેહરાનો કોરોના રિપોર્ટ નેગેટિવ, મુકેશકુમાર જ ચાર્જમાં રહેશે કે નેહરા પાછા આવશે તે સસ્પેન્સ 

મ્યુનિ. કમિશનર વિજય નેહરાનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કરીને અમદાવાદીઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, તેમણે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા પછી કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવ્યો છે અને થોડા દિવસોમાં જ તેઓ ફરજ પર પાછા ફરશે તેમ જણાવ્યું હતું.

નેહરાસેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા
ઉલ્લેખનીય છે કે, ફિલ્ડ ડ્યુટી દરમિયાન વિજય નેહરા કોરોના પોઝિટિવ બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. જેથી ગાઈડલાઈન મુજબ તેઓ જાતે સેલ્ફ ક્વોરન્ટાઈન થઈ ગયા હતા. આ પછી કમિશનર તરીકે રાજ્ય સરકારે મુકેશ કુમારને ચાર્જ સોંપ્યો હતો. જ્યારે ફોરેસ્ટ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાને સુપરવિઝનની જવાબદારી સોંપવામાં આવી હતી.
હવે નેહરાને14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવાની જરૂરિયાત નથી
દરમિયાનમાં તેમનો શનિવારે કોરોનાનો ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવતાં રાજ્ય સરકારને આ અંગે જાણ કરી હતી. જો કે, હવે તેમને ફરજ પર પરત ફરવાનોઓર્ડર રાજ્ય સરકાર ક્યારે કરે છે તે જોવાનું રહ્યું. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે તેમનો રિપોર્ટ નેગેિટવ આવતાં હવે તેમણે 14 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રહેવાની જરૂરિયાત નથી. જો કે, હજુ સુધી સરકારે તેમને ડ્યુટી પર પરત ફરવાનો નવો ઓર્ડર જારી કર્યો નથી. કમિશનરનો ચાર્જ મુકેશ કુમાર પાસે છે. આ ચાર્જ દૂર કરી નવો
ઓર્ડર રાજ્ય સરકાર કરે તે પછી જ વિજય નેહરા ડ્યુટી પર પાછા ફરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વિજય નેહરા.


from Divya Bhaskar https://ift.tt/2xTlLg4

સચિનને કલેક્ટરે કહ્યું- મારાં બાળકો હવે રમવાની જિદ નથી કરતાં, IPSએ કહ્યું- વસ્તુની સમાજમાં વહેંચણી પણ પરિવાર શીખે

આજે દુનિયાભરમાં વિવિધ વ્યવસાયો સાથે જોડાયેલી માતાઓ ઘર-પરિવાર છોડીને નિ:સ્વાર્થ ભાવે કોવિડ-19 સામે લડી રહી છે. તેમાંની ઘણી માતાને તો ઘરે જવાની તક પણ નથી મળી. આજે જ્યારે સમગ્ર દેશ આ યોદ્ધાઓની પડખે ઊભો છે અને તેમના યોગદાનની પ્રશંસા કરી રહ્યો છે ત્યારે આપણે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. ભારત રત્ન સચિન તેંડુલકરે મધર્સ ડે નિમિત્તે યુદ્ધ સ્તરે કોરોનાનો મુકાબલો કરી રહેલી આવી માતાઓ સાથે વાત કરી. તેમાં કલેક્ટર, એસપી, ડૉક્ટર, નર્સથી લઈ સમાજ સેવી સહિતના લોકોનો સમાવેશ થાય છે. વાંચો તેમની વાતચીત...
સવાલ: મારો પ્રથમ પ્રશ્ન વાયનાડ કલેક્ટર આદિલા અબ્દુલ્લાને છે. તમે તમારા પરિવાર અને વ્યસ્ત દિનચર્યામાં સંતુલન કેવી રીતે જાળવી રાખો છો?
સચિન:
મારે ત્રણ નાના બાળકો છે અને ત્રણેય સાડા સાત વર્ષથી નાના છે. મારું સૌથી નાનું બાળક દોઢ વર્ષનું છે. મારે તેને છાતીએ પણ વળગાડવું પડે છે. તો એ રીતે જોઈએ તો હું બે મોરચે યુદ્ધ લડી રહ્યું છું. એક તરફ તો એ સુનિશ્ચિત કરવાનું છે કે સામાન્ય લોકોમાં ચેપ ફેલાય નહીં અને એ પણ જરૂરી છે કે મારા કારણે મારા બાળકોમાં ચેપ ફેલાય નહીં. શરૂઆતના સપ્તાહમાં એડજસ્ટ કરવામાં તકલીફ પડી હતી. મારા બાળકોને મારે તેમના પિતા પાસે મૂકવા પડતા હતા તો ક્યારેક મારી માતાની મદદ લેવી પડતી હતી. શરૂઆતમાં હું મારા બાળકને બપોરે એક જ વાર સ્તનપાન કરાવી શકતી હતી પણ જેમ જેમ સિસ્ટમ બનતી ગઈ તો પરિસ્થિતિ નિયંત્રણમાં આવતી ગઈ. મારા ફોનથી બાળકોને નફરત થવા માંડી છે. ત્યાં સુધી કે તેમને કોરોનાથી પણ નફરત થઈ ગઈ છે પરંતુ હવે છેલ્લા એક સપ્તાહથી હું બપોરે 3 કલાકનો બ્રેક લઈ શકું છું અને બાળકો સાથે સમય વિતાવું છું. ફરી રાત્રે ઓફિસથી આવી બાળકો સાથે સમય વિતાવું છું. મારા બાળકોમાં જે પરિવર્તન હું જોઈ રહી છું તે એ છે કે તેઓ હવે ક્રેયાન્સ કે રમત-ગમત કે મૉલમાં જવાની માંગણી નથી કરતા. તેઓ માત્ર એટલું ઇચ્છે છે કે જેમ બને તેમ જલ્દી કોરોનાનો અંત આવે જેથી તેમની માતા પહેલાની જેમ તેમની સાથે સમય વિતાવી શકે. પહેલા તેમને એવું લાગતું હતું કે તેમની માતા કોઈ સુપરમેન કે બેટમેનની જેમ કોરોના સામે લડી રહી છે પરંતુ હવે તેઓ ઇચ્છે છે કે આ સ્પાઈડરમેન કે બેટમેનની કથા જ ખતમ થઈ જાય.
સવાલ: સચિન- મારો બીજો સવાલ કોચિનના ડેપ્યુટી પોલીસ કમિશનર જી. પુંગઝલીને છે. બાળકોને કોઈ પોલીસ અધિકારી બનવાની વાત કરે તો બહુ ગમે છે. એક પોલીસ અધિકારી માતા હોવાને લીધે સંકટના સમયમાં તમે બાળકોને શું સંદેશો આપશો?
સચિન:
જી પુંગઝલી- પ્રથમ સંદેશો દરેક બાળકને, તેની માતાને અને તેમના પરિવારને એ હશે કે ચીજવસ્તુની વહેંચણી કરતા શીખો જેથી જવાબદાર નાગરિક બની શકાય. બીજો સંદેશો એ હશે કે તેઓ ભૂલ કરવાથી ડરે નહીં અને દરેક પરિસ્થિતિમાં કંઈ નવું શીખવાનું પ્રયત્ન કરો. જેથી જીવન સફળતા અને નિષ્ફળતા બંનેથી મળીને બને છે તેનો ખ્યાલ આવે. આ સમયે બાળકોએ એ શીખવું પણ જરૂરી છે કે તેઓ પોતાની નિષ્ફળતા સ્વીકારે અને નિષ્ફળતામાંથી કેવી રીતે બહાર આવવું તે શીખે. આપણે સૌએ યાદ રાખવું પડશે કે માત્ર એક જવાબદાર માતા જ એક જવાબદાર બાળકનું નિર્માણ કરી શકે છે. કારણ કે મોટાભાગની સ્થિતિમાં બાળકોની લાગણી પોતાની માતા સાથે વધુ હોય છે. આથી માતાની જવાબદારી વધી જાય છે. તે પોતાના બાળકોને શીખવે કે સમાજમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકાય.
સવાલ: સચિન- મારો ત્રીજો સવાલ યુકેમાં રહેતી અને કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલી અમૃતા જયકૃષ્ણનને છે. કોવિડ-19માંથી પસાર થવું મુશ્કેલભર્યું છે. તમે માત્ર તેમાંથી બહાર આવ્યા એટલું જ નહીં પણ પછી કોરોના દર્દીની સેવામાં લાગી ગયા. આ દરમિયાન તમે શું અનુભવ કર્યો?
સચિન:
અમૃતા જયકૃષ્ણન- ખરેખર કહું તો હું કોઈ હીરો નથી. અસલમાં મારા પતિ એક ડોક્ટર છે અને તેઓ યુકેમાં ચેપ ફેલાયો ત્યારથી દર્દીની સેવામાં વ્યસ્ત છે. તો એક કોવિડ યોદ્ધાની પત્ની હોવાના નાતે હું અને મારા પતિ બંનેને એ વાતનો ખ્યાલ છે કે આ લડાઈમાં કેટલું જોખમ હોઈ શકે છે. અમે જાનતા હતા કે તમે ગમે તેટલી સાવધાની રાખો પણ તમને ચેપ લાગી શકે છે. જેવી આશંકા હતી તેવું જ થયું. અમે બંને બીમાર પડ્યા. પણ ખુશીની વાત એ હતી કે અમારા હળવા લક્ષણ હતા. યુકેની પરિસ્થિતિ એવી હતી કે ફ્રન્ટ લાઈન વર્કર હોવાને કારણે મારા પતિનું ટેસ્ટિંગ થયું પણ યુકેના એક સામાન્ય નાગરિક હોવાને કારણે મારું ટેસ્ટિંગ થયું નહીં અને જરૂરિયાત મુજબ ટેસ્ટ નહીં કરવો એ યુકેની જ નહીં સમગ્ર વિશ્વના તમામ દેશોની આજે સૌથી મોટી સમસ્યા છે. આવી પરિસ્થિતિમાં અમારી પાસે 14 દિવસ એકાંતમાં જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહોતો. મને ડર વાઈરસના લક્ષણથી એટલો નહોતો લાગતો પણ જે અજ્ઞાત પરિસ્થિતિ તરફ અમે આગળ વધી રહ્યાં હતા તેનો વધુ ડર લાગતો હતો. એથી આજે સમાજમાં સૌથી મોટી સમસ્યા એવા લોકોથી છે કે જેઓ એસિમ્ટેમૈટિક એટલે કે ચેપી તો છે પણ તેમનામાં ચેપના કોઈ લક્ષણ દેખાતા નથી. એટલે કે તેઓ અજાણતા જ ચેપ વધારી રહ્યાં છે. હું એક કોર્પોરેટ પ્રોફેશનલ છું આથી મને મારા નેટવર્ક દ્વારા વોલિન્ટિયર આધારિત અભિયાનની ખબર પડી અને હું તેની સાથે જોડાઈ ગઈ. તેમાં માઈક્રોબાયોલોજિસ્ટ, વિજ્ઞાની અને અન્ય કોર્પોરેટ પ્રોફેશનલ્સ જોડાયેલા છે. એક વિલક્ષણ ટીમ તૈયાર થઈ કે જેમાં મેડિકલ અને બિન-મેડિકલ બ્રેકગ્રાઉન્ડના લોકો મળીને આ વાઈરસ સામે કમરકસી રહ્યાં હતા.
યુકેમાં આજે અનેક એવી લેબ છે કે જ્યાં સાધનો અને ટેક્નિશિયન બંને છે પણ ત્યાં કોવિડ-19નું ટેસ્ટિંગ થતું નથી. આથી અમે આવી લેબનો સંપર્ક કરવાનું શરૂ કર્યું જેથી જરૂરી નાણાંકીય સહાય આપી કોવિડ-19ના ટેસ્ટિંગ માટે તેને તૈયાર કરી શકાય અને કમ સે કમ ફ્રન્ટ લાઈન પર કામ કરનારા લોકોનું તો ટેસ્ટિંગ થઈ શકે. તેમાં અમને ઘણી સફળતા મળી છે. અનેક લેબ અમારી સાથે જોડાઈ છે અને સારી વાત એ છે કે આ કાર્યક્રમ માટે ઘણા બધા લોકોએ સ્વેચ્છાએ 24 કલાક, 7 દિવસ સતત જોડાયા છે. આપણે ભૂલવું જોઈએ નહીં કે નાના યુદ્ધથી જ એક મોટું યુદ્ધ બને છે અને નાનું-નાનું યોગદાન કરનારા લોકો ભેગા થાય તો યુદ્ધ જીતી શકાય છે. મને આનંદ છે કે હું આ કોરોના યુદ્ધમાં એક નાનો હિસ્સો બની શકી છું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સચિન તેંડુલકર.


from Divya Bhaskar https://ift.tt/2YMMPsb

હિઝબુલના નેટવર્કનો પર્દાફાશ: NIAએ પંજાબ અને હરિયાણા પોલીસની મદદથી ત્રણની ધરપકડ કરી

NIAએ પંજાબ અને હરિયાણા પોલીસની મદદતી હિઝબુલ મુજાહિદ્દીનના ટેરર ફન્ડીંગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ત્રણ લોકોની ધરપકડ કરવામા આવી છે. અમુક આરોપીઓને પહેલા જ પકડી લેવાયા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે પાકિસ્તાનથી સેંધા નમકની આડમાં તેઓ ભારતમાં ડ્રગ્સ મોકલતા હતા. તેના વેચાણથી મળતા પૈસા આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સુધી પહોંચતા હતા. NIAએ 25 એપ્રિલના કાશ્મીરના રહેવાસી હિલાલ એહમદની ધરપકડ કરી હતી. તેની પૂછપરછ બાદ આ રેકેટની જાણકારી મળી હતી.

પાકિસ્તાનથી ડ્રગ્સ આવતા હતા
ન્યૂઝ એજન્સી પ્રમાણે પાકિસ્તાનથી સેંધા નમક ભારતમાં નિકાસ કરવામાં આવે છે. તેમાં ડ્રગ્સ છૂપાવીને મોકલવામાં આવતા હતા. NIAને ગુપ્ત સૂત્રોથી તેની જાણકારી મળી હતી. એજન્સીએ પંજાબ અને હરિયાણા પોલીસની મદદ લીધી. રંજીતસિંહ ઉર્ફ રાણા અને ચીતાની ધરપકડ કરવામાં આવી. તેના પિતા હરભજન અને ભાઇ ગગનદીપની પણ ધરપકડ કરવામાં આવી.

રંજીત હિલાલનો સાથી છે
નૌગામ કાશ્મીરનો રહેવાસી હિલાલ એહમદ વાગે હિઝબુલ માટે પૈસા એકત્ર કરતો હતો. 25 એપ્રિલના તેની ધરપકડ કરવામા આવી હતી. તેની પાસેથી 29 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ તપાસ આગળ વધી. અમૃતસરના બિક્રમસિંહ ઉર્ફ વિકીની ધરપકડ કરવામાં આવી. આરોપ છે કે વિકી જ હિલાલ સુધી પૈસા પહોંચાડતો હતો. તેના ભાઇ મનિંદરને 5 મેના પકડવામાં આવ્યો હતો.

નાર્કો-ટેરર ફન્ડીંગ
સૂત્રો પ્રમાણે ટેરર ફન્ડીંગ અને ડ્રગ્સનો આ ખેલ લાંબા સમયથી ચાલી રહ્યો હતો. ગત વર્ષે અટારી બોર્ડર પર 532 કિલોગ્રામ હેરોઇન કબજે કરવામા આવી હતી. મુખ્ય આરોપી ઇકબાલસિંહ શેરા અને રંજીત ફરાર થઇ ગયા હતા. NIA આ કેસની તપાસ કરી રહી છે. પાંચમાથી ચાર જથ્થા ભારત પહોંચી ગયા હતા. જ્યારે છેલ્લો જથ્થો પકડાઇ ગયો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2YN8LU8

Friday, May 8, 2020

Vande Bharat Mission: India’s evacuation operation picks up pace via air and sea

Vande Bharat Mission: India’s evacuation operation picks up pace via air and sea




from News - Videos - The Times of India https://ift.tt/2AcU2rq

Operation Samudra Setu: INS Jalashwa sets sail from Male with 698 stranded Indian nationals

Operation Samudra Setu: INS Jalashwa sets sail from Male with 698 stranded Indian nationals




from News - Videos - The Times of India https://ift.tt/2YYq7h9