
from India Today | Top Stories https://ift.tt/2WAqyuZ
ભારતીય હવામાન વિભાગે (આઇએમડી) તેના વેધર બુલેટિનમાં પહેલી વાર પાક.ના તાબા હેઠળના કાશ્મીર (પીઓકે)ના વિસ્તારોને સામેલ કર્યા. આઇએમડીના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ ગુરુવારે જણાવ્યું કે હવામાન વિભાગે ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ માટે પણ હવામાનની આગાહીઓ કરવાનું શરૂ કરી દીધું છે.
ભારતે પાક. ચૂંટણીનો વિરોધ કર્યો
આઇએમડીનું આ પગલું ભારતના એ વલણને ધ્યાનમાં લેતાં મહત્ત્વનું છે કે પીઓકે ભારતનો હિસ્સો છે. આ પગલું એવા સમયે લેવાયું છે કે જ્યારે પાકિસ્તાનની સુપ્રીમકોર્ટે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં આ અઠવાડિયે જ ચૂંટણીની જાહેરાત કરી છે. ભારત સરકારે તે નિર્ણય સામે સખત વિરોધ વ્યક્ત કર્યો છે. મોહપાત્રાએ જણાવ્યું કે આઇએમડી સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે બુલેટિન જારી કરે છે. હવે અમે ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ માટે પણ બુલેટિન જારી કરી રહ્યા છીએ, કેમ કે તે ભારતનો હિસ્સો છે. લાંબા સમયથી આઇએમડી પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ માટે હવામાનની ચેતવણીઓ જારી કરે છે. બે દિવસથી અમે આ માહિતી રિજનલ બુલેટિનમાં આપવાનું પણ શરૂ કર્યું છે. ગત ઓગસ્ટમાં જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવાયા બાદ બુલેટિનમાં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે હવામાનની આગાહીઓ કરાય છે.
IMD પાકિસ્તાન, અફઘાનિસ્તાન માટે પણ બુલેટિન જાહેર કરી શકે છે
મોહપાત્રાએ જણાવ્યું કે IMD સમગ્ર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ માટે બુલેટિન જાહેર કરી શકે છે. અમે હવે ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ માટે પણ બુલેટિન જાહેર કરી રહ્યા છીએ કારણ કે તે ભારતનો ભાગ છે. લાબાં સમયથી IMD પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ માટે પણ હવામાનની આગાહી કરી રહ્યું છે. છેલ્લા બે દિવસતી અમે આ જાણકારીઓ રીઝનલ બુલેટિનમાં આપવાનું શરૂ કર્યું છે.
POKનાં શહેરો ઉત્તર-પશ્ચિમ ડિવિઝનમાં
પીઓકેનાં આ શહેરો આઇએમડીના ઉત્તર-પશ્ચિમ ડિવિઝન હેઠળ આવે છે. આ ડિવિઝનમાં 9 સબ-ડિવિઝન છે, જેમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી-ચંડીગઢ-હરિયાણા, પંજાબ, પૂર્વ ઉત્તરપ્રદેશ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ રાજસ્થાન સામેલ છે.
ગિલગિટ-બાલ્ટિસ્તાનને પાકિસ્તાન ખાલી કરે- ભારત
ભારતે પાકિસ્તાનના કબજા વાળા ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાના આદેશનો આકરો વિરોધ કર્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સમગ્ર જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખ સિવાય ગિલગિટ-બાસ્ટિસ્તાન પણ ભારતનું અભિન્ન અંગ છે. તેથી પાકિસ્તાન તેને તાત્કાલિક ખાલી કરે. તેનો આ કબજો ગેરકાયદેસર છે.
અમેરિકન અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સના તાજા સર્વેક્ષણ પ્રમાણે, લૉકડાઉનમાં 97% મહિલાઓએ કહ્યું છે કે, તેઓ ઘરના કામકાજની સાથે બાળકોના અભ્યાસ પર પણ વધુ ધ્યાન આપે છે, જ્યારે ફક્ત 3%એ કહ્યું છે કે, તેમના પતિ પણ આ તરફ ધ્યાન આપી રહ્યા છે. જોકે, પુરુષો આ વાતનો સ્પષ્ટ ઈનકાર કરી રહ્યા છે. સરવેમાં 20% પતિઓએ તર્ક કર્યો છે કે, ઘરના કામકાજ કે બાળકોની સંભાળની જવાબદારી ફક્ત પત્નીઓની છે.એપ્રિલમાં લૉકડાઉન દરમિયાન 2,200 પરિવાર સાથે વાત કરીને કરેલા આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, અત્યાર સુધી ઘરનું અને બાળકોની સંભાળનું કામ પુરુષો-મહિલાઓ વહેંચીને કરતા, પરંતુ હાલ તેઓ આ કામને વહેંચતા નથી. 70% મહિલાઓનું કહેવું છે કે, લૉકડાઉન પછી બાળકોની સંભાળ સહિત તમામ પ્રકારના ઘરના કામ તેઓ જ કરી રહી છે. જ્યારે 66% મહિલાઓએ કહ્યું છે કે, આ મામલામાં પતિઓ તરફથી કોઈ જ સહકાર નથી મળતો. આવા દંપત્તિ, જે લૉકડાઉમાં સંયુક્ત રીતે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે, તેમનામાં આ ભેદભાવ ઓછો જોવા મળ્યો છે. આવા દંપત્તિઓમાં 67% મહિલાઓ બાળકોને ભણાવી રહી છે.
કોરોનાની વધુ ચિંતાથી હાર્ટએટેક અને ઈમ્યુન સિસ્ટમને ખતરો, આનંદ મળે તેવા કામ કરો
જેન ઈ બ્રોડીઃ કોરોના વાઈરસના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આ સંજોગોમાં તણાવ લાંબા સમય સુધી રહે તો તેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે. ડૉક્ટરો સલાહ આપે છે કે, એક હદ સુધી ચિંતા વાજબી છે, પરંતુ તેના વિશે સતત વાંચતા રહેવાથી શારીરિક અને માનસિક આરોગ્ય પર ખરાબ અસર પડે છે. ચિંતા અને ગભરાટ હાર્ટ એટેક અને નબળી ઈમ્યુન સિસ્ટમ જેવી મુશ્કેલીઓ લાવી શકે છે. હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડેવિડ રોપિક કહે છે કે, ઈતિહાસમાં આવી ઘટના નથી બની, જ્યારે દરેક વ્યક્તિ ફક્ત એક જ બાબતને લઈને ચિંતિત હોય. પહેલા આવો કોઈ ખતરો ન હતો, જે દુનિયાના 780 કરોડ લોકો સુધી આટલો ઝડપથી ફેલાયો હોય.
ભારતના સૌથી મોટા ઈ-લર્નિંગ પ્લેટફોર્મમાંનું એક અનએકેડેમીના વિદ્યાર્થીઓનો ડેટા હેક થયો છે. હેકરોએ અનએકેડેમીના સર્વરમાં ઘૂસીને આશરે 2.2 કરોડ વિદ્યાર્થીઓની માહિતી ચોરી છે. આ ડેટા ડાર્ક વેબ પર ઓનલાઈન વેચાણ માટે ઉપલબ્ધ છે. સિક્યોરિટી ફર્મ સાઈબલ ઈંકના રિપોર્ટ પ્રમાણે, હેકરોએ 2,19,09,707 રેકોર્ડ્સ સહિત અનએકેડેમીનો ડેટાબેઝ ફક્ત બે હજાર ડૉલરમાં (આશરે રૂ. 1.5 લાખ)માં વેચવા મૂકી દીધો છે. આ માહિતીમાં વિદ્યાર્થીઓના નામ, પાસવર્ડ, જોઈનિંગ ડેટ્સ, લાસ્ટ લોગ-ઈનનો સમય, ઈ-મેઈલ, એકાઉન્ટ પ્રોફાઈલ અને તેનીસ્થિતિ સામેલ છે. આ ઘટસ્ફોટ પછી અનએકેડેમીના કો-ફાઉન્ડર હેમેશ સિંહે ડેટા ચોરીની વાત કબૂલી છે, પરંતુ તેમણે દાવો કર્યો છે કે, હેકરો ફક્ત નામ અને ઈ-મેઈલ આઈડી ચોરી શક્યા છે. તેમને બેંક ડિટેલ્સ અને એડ્રેસ જેવી માહિતી નથી મળી શકી.નોંધનીય છે કે, હાલમાં જ અનએકેડેમીએ ફેસબુક, જનરલ એટલાન્ટિક અને સિક્યોઈઆ જેવી કંપનીઓ પાસેથી 11 કરોડ ડૉલરનું ભંડોળ હાંસલ કર્યું હતું. કંપનીનું માર્કેટ કેપ 50 કરોડ ડૉલર (આશરે રૂ. 3,750 કરોડ) છે.
અમેરિકામાં રહેતા હજારો ભારતીયો માટે રાહતના સમાચાર આવ્યા છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને વૉશિંગ્ટનની ફેડરલ ડિસ્ટ્રિક્ટ કોર્ટને પૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા સરકારના એ નિયમને રોકવાની અપીલ કરી છે, જેમાં કેટલીક શ્રેણીમાં એચ-1બી વિઝાધારકોનાં પતિ કે પત્નીને દેશમાં કામ કરવાની મંજૂરી અપાય છે. ગૃહમંત્રાલયે કોર્ટમાં દલીલ કરી છે કે, એચ-4 વિઝાધારકોને કામ કરવાની મંજૂરી આપતા 2015ના આદેશને પડકારતા અમેરિકન પ્રોફેશનલ્સને આ પ્રકારની મંજૂરીથી કોઈ નુકસાન જ નથી. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ (યુએસસીએઆઈએસ) દ્વારા એચ-1બી વિઝાધારકોના પરિવારના સભ્યો (પતિ-પત્ની અને 21 વર્ષથી ઓછી વયનાં સંતાનો)ને એચ-4 વિઝા જારી કરાય છે, જેમાં મોટા ભાગના પ્રોફેશનલ ભારતીય છે. 2017 સુધી યુએસસીએઆઈએસએ આશરે 1.27 લાખ લોકોને એચ-4 વિઝાની મંજૂરી આપી હતી. આ વિઝા સામાન્ય રીતે એ લોકોને અપાય છે, જેમણે પહેલા જ રોજગાર આધારિત કાયદાકીય સ્થાયી નિવાસનો દરજ્જો હાંસલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે જૂન-જુલાઈ મહિનામાં કોરોનાના કેસો તેની ચરમસીમાએ હશે. તેમણે એમ પણ કહ્યું કે લૉકડાઉનનો ફાયદો મળ્યો છે અને લૉકડાઉનમાં બીજા દેશની સરખામણીમાં ભારતમાં ઓછા કેસ વધ્યા છે. પરંતુ જો લૉકડાઉનનું પાલન કડકાઈથી કરાવ્યું હોત તો કેસની સંખ્યામાં હજી પણ ઘટાડો જોવા મળત. હોસ્પિટલોએ લૉકડાઉનમાં પોતાની તૈયારી કરી લીધી છે. ડોક્ટરોને તાલીમ આપવામાં આવી છે. પીપીઈ કીટ, વેન્ટિલેટર અને જરૂરી મેડીકલ સાધનોની વ્યવસ્થા કરાઈ. કોરોનાની તપાસ વધી છે. નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. તેમાં મુખ્યમંત્રીએ એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાને અમદાવાદમાં કોરોનાની વણસતી જતી સ્થિતિનું આકલન કરવા માટે વિનંતી કરી છે.
જૂન પછી કેસમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે
ગુલેરિયા કહ્યું કે જે રીતે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, કોરોનાના કેસ જૂનમાં પીક ઉપર હશે. ક્યા સુધી કોરોનાના કેસ આવશે? કેટલું લાંબુ ચાલશે? તે અત્યારથી ન કહી શકાય. પરંતુ એ વાત નક્કી છે કે પીક ઉપર કોઈ વસ્તુ હોય તો તે ત્યાંથી ઘટાડો થવાની શરૂઆત પણ થાય છે. હવે આશા એજ કરીએ કે જૂનમાં પીક પર હશે, ત્યાર પછી કેસમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થશે.ભારતમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 53 હજાર 491થી વધારે કેસ નોંધાયા છે, જ્યારે 1790 લોકોએ જીવ ગુમાવ્યા છે. 15 હજાર 393 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. હાલ 35 હજાર 989 એક્ટિવ કેસ છે.
લૉકડાઉનમાં ગુજરાતીઓનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે દરેક જિલ્લામાં કાઉન્સેલિંગ સેન્ટરો ઊભા કરાયા છે ત્યારે ગુજરાત સાઇકોલોજિકલ ઇન્ટરવેન્શન હેલ્પલાઇન ટુ પ્રિવેન્ટ કોવિડ-19ના સાત અધ્યાપકે મુખ્યમંત્રીને લૉકડાઉન સિવાયની કોઇ વૈકલ્પિક વ્યવસ્થા અંગે વિચારવા લેખિત રજૂઆત કરી છે. જેમાં કોરોના મહામારીના કેસ ન હોય તેવા વિસ્તારોમાં પાબંદી ઓછી કરી છૂટછાટ આપવી જોઇએ તેમજ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં કોઇ કેસ જ નથી ત્યાં સંપૂર્ણપણે બંધ ખોલી દેવા જોઇએ.
10થી વધુ હેલ્પલાઇન નંબર ચાલુ
મનોવિજ્ઞાન ભવનના પ્રોફેસર ડો.યોગેશ જોગસણે જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌપ્રથમ કાઉન્સેલિંગ સેન્ટર રાજકોટની કલેક્ટર કચેરીમાં 26મી માર્ચે શરૂ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 150 અધ્યાપક અને પ્રોફેશનલ્સ સાઇકોલોજિસ્ટ ગ્રૂપ દ્વારા ગુજરાતભરમાં સરકારી, અર્ધસરકારી અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને 10થી વધુ માનસિકસ્વાસ્થ્ય હેલ્પલાઇન્સ શરૂ કરી છે. જીપીઆઇએસ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટના 15000 સહિત 45000થી વધુ લોકોના કાઉન્સેલિંગ કરી ચૂકવામાં આવ્યા છે અને અત્યાર સુધીના અભ્યાસમાં લૉકડાઉન સંદર્ભે પાંચ બાબત અતિ ગંભીર જણાઇ છે. જે બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ છે.
મનોચિકિત્સકોએ દર્શાવેલી અન્ય ચાર ગંભીર બાબતો અને તેના ઉકેલ
1. વ્યસન મનોશારીરિક બીમારી છે જેની સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે તે સત્ય છે પણ વ્યસન ન મળવાથી માનસિક અને શારીરિક અસરો ખૂબ જ ભયાનક હોય છે ત્યારે આવા સમયે વ્યસન મુક્તિ કેન્દ્રનો રોલ ખૂબ જ મહત્ત્વનો હોય છે એટલે વ્યસન મુક્તિ કેન્દ્રને વધુ સારી રીતે એક્ટિવ કરવા જોઇએ.
2. સરકાર પર હજુ લોકોને ભરોસો છે ત્યાં સુધીમાં છૂટછાટ આપવી જરૂરી. બંધન માનસિક સ્થિતિને બગાડી શકે છે. આ રજૂઆત લાખો લોકો પર એકાએક કર્ફ્યૂ લાદવા જેવા નિર્ણયોના અનુસંધાને કરાઇ છે. હકીકતમાં કર્ફ્યૂ જેવા નિર્ણય લેતા પહેલા લાખો લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી શકે તે માટેનો સમય આપવો જોઇએ.
3. 1100 હેલ્પલાઇન ઇન્કમિંગ સર્વિસ છે. તે સિવાય આઉટ ગોઇંગ કોલ્સ કરી લોકોને માનસિક સધિયારો પૂરો પાડે તેવી વ્યવસ્થા હિતાવહ છે. આથી નવી હેલ્પલાઇનો શરૂ કરવી જોઇએ.
4. મોટાપ્રમાણમાં મનોવૈજ્ઞાનિકોને હેલ્થ ડિપાર્ટમેન્ટ સાથે રાખીને આ મહામારી સામે લડવું જોઇએ.જેથી માનસિક રીતે અસ્વસ્થ થતા વધુમાં વધુ લોકોને માનસિક સધિયારો પૂરો પાડી શકાય.
રાજસ્થાન સરકાર દ્વારા ગુજરાતમાંથી આવતા લોકો માટે ગુજરાત સાથેની સરહદો સીલ કરીને કોઇપણને પ્રવેશ નહીં આપવા કરાયેલા નિર્ણયના પગલે ગુજરાત સરકારે રાજસ્થાન જવા માંગતા કોઇપણ વ્યક્તિને ગુજરાતમાંથી પાસ ઇશ્યુ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તમામ જિલ્લા કલેક્ટરોને રાજસ્થાન જવા માટેના પાસ ઇશ્યુ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે.લોકડાઉનના ત્રીજા તબક્કામાં પરપ્રાંતિયો, વિદ્યાર્થીઓ, શ્રમિકોને પોતાના વતનમાં જવા માટે તેમજ મેડિકલ ઇમરજન્સીના કિસ્સામાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની મંજૂરી આપવામાં આવે છે. ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના લોકોને તેમના વતનમાં જવા માટે પાસ ઇશ્યુ કરવામાં આવે છે તેમજ શ્રમિકો માટે ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પાસ ઇશ્યૂ કરવાના બંધ કર્યાં
બીજીતરફ રાજસ્થાન સરકારે ગુજરાતમાંથી આવતા લોકો માટે બોર્ડર સીલ કરી દેતા સરકારે હવે રાજસ્થાન પુરતા પાસ ઇશ્યુ કરવાના બંધ કરી દીધા છે. સરકારે એવો નિર્ણય કર્યો છે કે ગુજરાતમાંથી જે લોકો રાજસ્થાન જવા ઇચ્છતા હશે તેમણે પહેલા રાજસ્થાન સરકાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. રાજસ્થાન સરકારની મંજૂરી હશે તો જ તેના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા તેમને ગુજરાતમાંથી રાજસ્થાનમાં જવાનો પાસ ઇશ્યુ કરવામાં આવશે.
ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 8 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?
આજનાં અંકઃ- મૂળ અંક:- 8 ભાગ્ય અંકઃ-8 દિવસનો અંકઃ-6 મહિનાનો અંકઃ-5 ચિલત અંકઃ-6
આજની વિશિષ્ટ યુતિ:- અંક 8ની અંક 5 સાથે વિરોધી યુતિ.
અંકઃ-1
વિત્તીય ક્ષેત્રના અધિકારીઓ માટે પરીક્ષાનો સમય છે. શારીરિક શિથિલતા વધારે રહી શકે છે.
શું કરવુંઃ- બટુક ભૈરવના નામનો જાપ કરો
શુભ અંકઃ- 4
શુભ રંગઃ- વાદળી
--------------
અંકઃ-2
તમારી મુંજવણમાંથી બહાર આવવા માટે સુયોગ્ય વ્યક્તિનો સંપર્ક કરો. પાર્ટનરશિપના વ્યવસાયમાં શોકિંગ ન્યૂઝ મળી શકે છે.
શું કરવુંઃ- હનુમાન ચાલીસાનો પાઠ કરો
શુભ અંકઃ- 9
શુભ રંગઃ- લાલ
--------------
અંકઃ-3
કોઇ વિશેષ કાર્ય પૂર્ણ થઇ શકે છે. ખાનપાનનું જરૂરી ધ્યાન રાખો.
શું કરવુંઃ- વાછરડાને રોટલી આપો
શુભ અંકઃ- 7
શુભ રંગઃ- રીંગણી
--------------
અંકઃ-4
કાર્યભાર સંબંધિત ટાર્ગેટ પૂર્ણ કરવામાં સમસ્યા આવી શકે છે. નજીકના લોકો પાસેથી સહયોગ ઓછો મળશે.
શું કરવુંઃ- શિવલિંગ ઉપર ધતૂરો ચઢાવો
શુભ અંકઃ- 2
શુભ રંગઃ- સફેદ
--------------
અંકઃ-5
રેડીમેટ ગારમેન્ટના વેપારીઓને ઉલ્લેખનીય ઓર્ડર મળી શકે છે. હાડકા સંબંધિત દુખાવો રહી શકે છે.
શું કરવુંઃ- પાણીમાં દૂર્વા રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપો
શુભ અંકઃ- 1
શુભ રંગઃ- સોનેરી
--------------
અંકઃ-6
કોઇને આપેલું ધન પાછું મળવામાં મુશ્કેલી આવી શકે છે. વાસી ભોજન કરવાથી બચવું.
શું કરવુંઃ- શનિદેવને કાળા તલની ચીકી ચઢાવો
શુભ અંકઃ- 8
શુભ રંગઃ- કાળો
--------------
અંકઃ-7
સ્ટેશનરીના માલિકો માટે સમય સારો છે. પ્રિંટિંગ પ્રેસનું કામ કરતાં લોકો માટે ઉત્સાહવર્ધક મામલો રહેશે.
શું કરવુંઃ- ગણેશ ભગવાનને ગોળનો ભોગ ધરાવો
શુભ અંકઃ- 5
શુભ રંગઃ- લીલો
--------------
અંકઃ-8
વિદેશમાં અથવા વિદેશ સાથે સંબંધિત સમસ્યા આવી રહી છે તો તેનો ઉકેલ મળી શકે છે. ભાવી વિદેશ યાત્રાનું નિર્ધારણ કરી શકો છો.
શું કરવુંઃ- ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો
શુભ અંકઃ- 3
શુભ રંગઃ- પીળો
--------------
અંકઃ-9
પોલીસ અધિકારીઓને કામનો ભાર વધી શકે છે. ગાડી ચલાવવામાં સાવધાની રાખો.
શું કરવુંઃ- રસદાર મીઠાઈ ખાવી
શુભ અંકઃ- 6
શુભ રંગઃ- ક્રીમ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 380 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 28 દર્દીના મોત થયા છે. જ્યારે 119 દર્દી સાજા થયા છે. આમ મૃત્યુઆંક 396, કુલ દર્દી 6,625 થયા છે જ્યારે અત્યાર સુધીમાં 1500 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. કોરોનાના વધતા જતા વ્યાપને પગલે અમદાવાદના સમગ્ર મ્યુનિસિપલ વિસ્તારોમાં શટડાઉન જાહેર કરાયું છે. આથી ગુરુવારથી દૂધ-દવા સિવાયની તમામ દુકાનો 15 મે સુધી બંધ રહેશે. અમદાવાદના પગલે સુરત અને નડિયાદમાં પણ શુક્રવારથી શાકભાજીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
રાજ્યમાં ખાનગી તબીબોને પ્રેક્ટિસ શરૂ કરવા આદેશ
હાલ ગુજરાતમાં અને ખાસ તો મોટા શહેરો કે જ્યાં કોરોના પોઝિટિવ કેસ વધુ આવતાં રેડ ઝોનમાં મુકાયાં છે ત્યાં ઘણાં ખાનગી તબીબો પ્રેક્ટિસ કરી રહ્યાં નથી. ગુજરાત સરકાર વતી આરોગ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તમામ તબીબો જોગ આદેશ જારી કરીને કહ્યું છે કે જે ખાનગી હોસ્પિટલો અને તબીબો પોતાની સેવા તાકીદે ગુરુવારથી શરુ નહીં કરે તેમના લાઇસન્સ રદ્દ કરવામાં આવશે. આ ઉપરાંત નીતિન પટેલે બુધવારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ અહીં તજજ્ઞો સામેથી સેવા અથવા માર્ગદર્શન આપવા સામેથી આવે તેવી અપીલ કરી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો મૃત્યુદર ઊંચો હોવાથી તેમણે વિષય નિષ્ણાત તબીબોને સરકારની પડખે આવવા અપીલ કરી છે.
અગાઉ ક્યારે કેસ ઘટ્યાં
19 એપ્રિલે 367 કેસ નોંધાયા પછી 20મી એપ્રિલે 196 નોંધાયા જે 24 કલાકમાં 171 કેસનો ઘટાડો હતો. 21 એપ્રિલે 239 કેસ પછી 22 એપ્રિલે દસ ઘટ્યાં અને 229 કેસ નોંધાયા, તેના બીજા દિવસે પણ 12 કેસ ઓછા નોંધાતાં 23 એપ્રિલે 217નો આંકડો રહ્યો. આ સિલસિલો ત્રીજા દિવસે પણ રહ્યો અને 26 કેસ ઓછાં નોંધાતાં 24 એપ્રિલે 191 નવા કેસ સામે આવ્યાં હતાં, પરંતુ તે પછી આ આંકડો વધ્યો. 25 એપ્રિલે 256 અને પછી 26મીએ 230 જે 26 કેસનો ઘટાડો દર્શાવે છે. 27 એપ્રિલે 247 નોંધાયા પછી 19 કેસના ઘટાડા સાથે 28 એપ્રિલે 226 કેસ નોંધાયા. 28 એપ્રિલ પછી ઉત્તરોતર કેસ વધતાં જ રહ્યાં એ પછી 5 મેના રોજ 441 કેસ નોંધાયા બાદ 61 કેસ ઘટતાં 6 મેના રોજ 380 કેસ નોંધાયા છે.
કેસ ઘટ્યા પણ સામે ટેસ્ટ ઘટ્યાં નથી
સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ છે કે બુધવારે કેસ તો ઘટ્યાં છે પણ તેની સામે ટેસ્ટિંગની સંખ્યા વધી છે. તેથી કેસ ઓછા નોંધાય તે માટે ટેસ્ટ ઓછા કરાયાં તેવું કોઇ કારણ અહીં મળતું નથી. ઉલટાનું મંગળવારે કરાયેલાં કુલ 4,984 ટેસ્ટની સામે બુધવારે 5,559 સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 95,191 ટેસ્ટ કરાયાં છે તેમાંથી 6,625 પોઝિટિવ જ્યારે 88,566 નેગેટિવ આવ્યાં છે.
કુલ 6,662 દર્દી, 396ના મોત અને 1500ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 4716 | 298 | 778 |
વડોદરા | 421 | 31 | 164 |
સુરત | 772 | 33 | 314 |
રાજકોટ | 62 | 01 | 26 |
ભાવનગર | 82 | 05 | 21 |
આણંદ | 76 | 06 | 38 |
ભરૂચ | 27 | 02 | 22 |
ગાંધીનગર | 83 | 05 | 15 |
પાટણ | 24 | 01 | 12 |
નર્મદા | 12 | 00 | 12 |
પંચમહાલ | 51 | 03 | 06 |
બનાસકાંઠા | 64 | 01 | 14 |
છોટાઉદેપુર | 14 | 00 | 11 |
કચ્છ | 07 | 01 | 05 |
મહેસાણા | 42 | 00 | 08 |
બોટાદ | 48 | 01 | 08 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 15 | 00 | 02 |
ખેડા | 12 | 00 | 02 |
ગીર-સોમનાથ | 03 | 00 | 03 |
જામનગર | 05 | 01 | 00 |
મોરબી | 01 | 00 | 01 |
સાબરકાંઠા | 10 | 02 | 03 |
મહીસાગર | 42 | 01 | 07 |
અરવલ્લી | 22 | 02 | 14 |
તાપી | 02 | 00 | 01 |
વલસાડ | 06 | 01 | 03 |
નવસારી | 08 | 00 | 04 |
ડાંગ | 02 | 00 | 01 |
દેવભૂમિ દ્વારકા |
03 |
00 | 00 |
સુરેન્દ્રનગર | 01 | 00 | 01 |
જૂનાગઢ | 02 | 00 | 00 |
કુલ | 6662 | 396 | 1500 |
પવિત્ર રમજાન માસમના 12 રોજા પૂરા થયા છે, આ વખતે મોટાભાગના રોજેદાર લોકડાઉનના લીધે પોત પોતાના ઘરમાં છે. પરંતુ સિવિલના કોવિડ-19ના વોર્ડમાં અલગ જ કહાણી છે. રોજેદાર યુવતીઓ કે જેઓ મેડિકલ લાઇનમાં હજી શરૂઆતી તબક્કમાં છે તેઓ અને અન્ય સ્ટાફ મોત અને દર્દી વચ્ચે જાણે દિવાલ બનીને અડીખમ ઊભા રહી જાય છે. વોર્ડમાં મોટાભાગની ડોકટર મુસ્લિમ યુવતીઓ છે. બીજી તરફ ધોમધખતા તાપમાં 109ના રોજેદારો પણ કોરોનાના દર્દીઓને ઘરથી હોસ્પિટલ લઇ જઈ રહ્યા છે. પાલિકાના સરવેમાં પણ રોજેદાર મહિલા તાપમાં ગલી-ગલી ફરીને કોવિડ પેશન્ટ શોધી રહી છે. તમામ એક સૂરમાં કહે છે કે રોજામાં કુદરતી રીતે સેવાકિય કાર્યમાં મન લાગે છે. હાલ બંદગી અને માનવ સેવા એમ બે પૂણ્ય થઈ રહ્યા છે જેની ખુશી છે.
દુઆ કરીએ જલદી સ્થિતિ સુધરે
શરૂઆતમા સિવિલના જુના વોર્ડમાં એસી ન હોવાથી પીપીઇ કીટ પહેરી હોય તો ભારે ગરમી અને ડી ડાઇડ્રેશન થતું, પરંતુ હવે નવી બિલ્ડિંગમાં કોવિડ-19 આઇસીયુમાં એસી છે એટલે થોડી રાહત છે. રમજાનના રોજા પણ થઈ રહ્યા છે. દુઆ કરીએ છીએ કે લોકો જલદી સાજા થાય અને સ્થિતિ સુધરે.- તેહસીન શેઠ, ડોકટર, કોવિડ-19, આઇસીયુ
PPEથી ગરમી 4-5 ડિગ્રી વધી જાય છે
‘હા, રમજાનમાં રોજા ઉપરાંત ઇફતારી પણ કરવાની હોય છે. નમાઝનો ટાઇમ થાય તો રસ્તા પર જ નમાઝ પઢી લઉં છું. પીપીઇ કીટ પહેરીને જ કામ કરીએ છીએ, જેથી ચાર થી પાંચ ડિગ્રી તાપમાન વધી જાય છે. પરંતુ ડયૂટી છે અને રોજાની સાથે સેવા થાય છે.’- શબ્બીર બેલિમ, મેડિકલ ટેકનિશિયન, 108
લોકો સાજા થાય તો ખુશી થાય છે
‘રમજાનમાં રોજા સાથે કામ કરવામાં તકલીફ તો થાય છે પરંતુ ડયૂટી છે. ઉપરથી મને છ મહિનાનો ગર્ભ છે પરંતુ બંદગીની સાથે સેવા પણ થાય છે. પીપીઈ કીટ બાદ ગરમી વધી જાય છે અને ફિલ્ડમાં તેનો અહેસાસ વધુ થાય છે, પરંતુ લોકો સાજા થાય તો ખુશી પણ થાય છે.’- આયેશા શેખ, કર્મચારી, આરોગ્ય વિભાગ, રાંદેર
રમજાનમાં પુણ્ય કમાઇએ છીએ
‘રમજાનમાં બે કામ સારા થઈ રહ્યા છે એક તો પુણ્ય મળી જ રહ્યુ છે સાથે-સાથે કોરોના વાયરસથી ઝઝુમતા લોકોને સાજા કરવાનું પુણ્ય પણ મળી રહ્યુ છે. પવિત્ર રમજાન મહિનામાં રોજા સાથે કામ કરવામાં આમ તો કોઈ વાંધો આવતો નથી.- આમીરા પટેલ, ડોકટર, સિવિલ
કોરોના મહામારીના કારણે લૉકડાઉનથી નોકરી-ધંધા બંધ હોવાથી એપ્રિલ મહિનામાં દેશમાં બેરોજગારોની સંખ્યા 12.20 કરોડથી વધી ગઇ. તેમાંથી 9.13 કરોડ નાના વેપારી અને શ્રમિક, 1.78 કરોડ નોકરિયાત શ્રમિક અને પાર્ટ-ટાઇમ કર્મચારી છે. સ્વરોજગાર ધરાવતા 1.82 કરોડ લોકો પણ બેરોજગાર થઇ ચૂક્યા છે. ખાનગી રિસર્ચ એજન્સી સેન્ટર ફોર મોનિટરિંગ ધ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના નવા ડેટામાં આ માહિતી અપાઇ છે. સરવેનાં તારણોમાં જણાવાયું છે કે ભારતમાં બેરોજગારીનો દર 27.1%ની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. એપ્રિલમાં બેરોજગારી દર 23.5% વધ્યો, જે માર્ચમાં 8.7% જ હતો.
સરકાર કર્મચારીઓનો કાપી શકે તો ખાનગી કંપની કેમ નહીં
અન્ય એક સરવેમાં જણાવાયું છે કે 72% સીઇઓના કહેવા મુજબ કર્મચારીઓ અને શ્રમિકોને લૉકડાઉનમાં રજા સાથે વેતન આપવાનો કેન્દ્ર સરકારનો આદેશ યોગ્ય નથી. માત્ર 28% સીઇઓ આ આદેશને યોગ્ય માને છે પણ સરકારના બેવડા વલણ સામે સવાલ પણ ઉઠાવે છે. તેમનું કહેવું છે કે સરકાર તેના કર્મચારીઓના વેતનમાં કાપ મૂકી શકે કે વેતન ચૂકવવામાં મોડું કરી શકે તો ખાનગી કંપનીઓ તેવું કેમ ન કરી શકે?
અમેરિકામાં એચ-1 બી વિઝાધારક કર્મચારીઓને કામ પર રાખતી કંપનીઓ યોજના હેઠળ સ્થાનિક માર્કેટદરથી ઓછી સેલરી આપે છે. આ દાવો એક રિપોર્ટમાં કરાયો છે. ઇકોનોમિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટમાં કહેવાયું છે કે ‘એચ-1 બી વિઝાધારકોને કામ આપનારી ટોપ-30 કંપનીઓમાં એમેઝોન, માઇક્રોસોફ્ટ, વોલમાર્ટ, ગૂગલ, એપલ અને ફેસબુક સામેલ છે.
60 ટકા વર્કર્સને ઓછો પગાર મળે છે
ઇકોનોમિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટના ‘એચ-1 બી વિઝા અને પ્રચલિત પરિશ્રમ સ્તર’ રિપોર્ટ ડેનિયલ કોસ્ટ અને રોન હીરાએ તૈયાર કર્યો છે. અમેરિકી શ્રમ વિભાગ એચ-1 બી વિઝા હેઠળ 60 ટકા વર્કર્સને બજારદરથી ઓછા પગારે કામ પર રાખવા માટે પ્રમાણિત કરે છે. એચ-1 બી વિઝા કાર્યક્રમ એની મંજૂરી આપે છે. શ્રમ વિભાગ પાસે તેને બદલાવો અધિકાર છે. પરંતુ એવું થતું નથી.
ગત વર્ષે 53 કંપનીઓએ લાભ ઉઠાવ્યો
વર્ષ 2019માં 53,000થી વધુ કંપનીઓએ એચ-1 બી વિઝા નિયમનો ઉપયોગ કર્યો. અમેરિકાના નાગરિક અને ઇમિગ્રેશન વિભાગે 2019માં એચ-1 બી વિઝા પર કામ કરનારાની સંખ્યા 3,89,000 નક્કી કરી હતી. દર ચારમાંથી એક વર્કર આ ટોચની 30 કંપનીમાં કામ કરે છે.
કોરોના મહામારી વચ્ચે છેલ્લા બે દિવસથી અનેક પરપ્રાંતીય મજૂરોએ પોતાના વતની વાટ પકડી છે. મનેકમને શહેર છોડીને પોતાના ઘર તરફ મીટ માંડી છે. આજે આવી જ રીતે એક પરિવાર રાજકોટ છોડીને વતન ચાલ્યો હતો ત્યારે ટ્રેનની બારીમાંથી એક માસૂમ બાળકી એકી ટસે શહેર તરફ તાકી રહી હતી. એ ચહેરા પર થોડી નારાજગી અને થોડી ખુશીના ભાવ ઉભર્યા હતા. કદાચ તે કહેતી હશે કે આ સંકટ છોડીને જઈ રહ્યા છીએ કે સંકટમાં ઘેરાઈ રહ્યા છીએ. કદાચ તેના મનમાં એવું પણ ચાલતું હશે મારા ઉજ્જવળ ભવિષ્ય માટે ગામડું છોડ્યું હતું અને આજે મારા માટે જ મારી સુરક્ષા માટે જ શહેર છોડ્યું ને?
અમદાવાદમાં બુધવારે કોરોનાના 291 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદમાં 25 અને બોપલમાં 2 મોત સાથે કુલ મૃત્યુઆંક 300 પર પહોંચી ગયો છે. બુધવારે જે 25 મોત થયાં તેમાના 14 મોત માત્ર કોરોનાને કારણે જ થયા છે. જ્યારે 11 દર્દીઓને હાઈપર ટેન્શન, ડાયાબિટીસ જેવી મલ્ટિપલ બીમારી હતી. બોપલમાં આવેલા બિનોરી સેનેટમાં રહેતાં 57 વર્ષના પુરુષનું એસવીપીમાં જ્યારે પરમધામ સોસાયટીમાં રહેતા એસબીઆઈના મેનેજરની પત્નીનું કોરોનાને કારણે મોત થયું હતું. બોપલ-ઘુમામાં 17 મે સુધી દૂધ-મેડિકલ સ્ટોર સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
20 વર્ષીય યુવકનું અન્ય બીમારી ન હોવા છતાં 12 દિવસ સારવાર પછી મોત
અમદાવાદમાં બુધવારે વધુ 25 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. સૌથી ચિંતાજનક બાબત એ છે કે 25માંથી 14 દર્દીના મોત માત્ર કોરોનાના કારણે જ થયા હતા. જેમાં 20 વર્ષીય યુવકનો પણ સમાવેશ થાય છે.જયારે બાકીના 11 દર્દીઓને કોરોના ઉપરાંત અન્ય મલ્ટિપલ બીમારી પણ હતી જેના કારણે મોત થયા હોવાનું તબીબોનું કહેવુ છે. પાલડીમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ થયુ છે. 80 વર્ષીય વૃધ્ધનું મોત થયુ છે. દરરોજની જેમ સૌથી વધુ મૃત્યુ બુધવારે પણ જમાલપુર હોટસ્પોટ વિસ્તારમાં 6 લોકોના થયા છે. જયારે દાણીલીમડામાં બે, મણિનગર, ઈસનપુર, બહેરામપુરા, દરિયાપુર, વટવા, સરખેજ, શાહીબાગ, ગોમતીપુર, સરદારનગર સહિતના વિસ્તારમાં એક-એક દર્દીના મોત થયા છે. જમાલપુરનો 20 વર્ષીય યુવકનુ મૃત્યુ થયુ છે તે છેલ્લા 12 દિવસથી એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેને કોરોના સિવાય અન્ય કોઈ બીમારી નહોતી.
સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્ક હાલમાં જ પિતા બન્યા છે. એલનને પ્રથમ પત્નીથી 5 સંતાન છે અને આ તેમની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સનું પ્રથમ બાળક છે. એલને પુત્રનું નામ X Æ A-12 મસ્ક રાખ્યું છે. લોકો હવે તેનો અર્થ શોધી રહ્યાં છે. કેટલાક કહે છે આ તેના પ્રિય વિમાનનું નામ છે.