Ad

Tuesday, May 5, 2020

દિલ્હીમાં આર્મી હોસ્પિટલમાં દાખલ કેન્સરના 24 દર્દી કોરોના સંક્રમિત 

દિલ્હીની મિલિટરી એન્ડ રિસર્ચ રેફરલ હોસ્પિટલમાં દાખલ કેન્સરના 24 દર્દી કોરોના સંક્રમિત મળ્યા છે. 20 લોકો આર્મીના છે જ્યારે 1 નિવૃત્ત જવાન અને 3 સૈન્ય કર્મીઓના આશ્રિત છે. તેમને દિલ્હી કેન્ટમાં સૈન્યની બેઝ હોસ્પિટલમાં રિફર કરાયા છે. આ હોસ્પિટલમાં કોવિડ-19 માટે વોર્ડ તૈયાર કરાયો છે.

કેન્સરના દર્દીઓની સારવાર કરી રહેલા ડૉક્ટરોએ કહ્યું હતું કે બધાની હાલત સ્થિર છે પરંતુ કેન્સરના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ ગઈ છે. આથી તેમના પર સતત દેખરેખ રાખવી પડે છે. દિલ્હીમાં સીઆરપીએફના જવાનોમાં પણ કોરોના સંક્રમણ જોવા મળ્યું છે. આથી વધુ દેખરેખ રખાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
24 cancer patients admitted to Army Hospital in Delhi infected with corona


from Divya Bhaskar https://ift.tt/2WBQJ4K

ન્યૂયોર્કમાં રહસ્યમય બીમારીથી 15 બાળકો હોસ્પિટલમાં દાખલ

અમેરિકામાં કોરોના વાઇરસથી ખરાબ રીતે અસરગ્રસ્ત ન્યૂયોર્કના બાળકોમાં એક રહસ્યમય બીમારી ફેલાવવા લાગી છે. તેનાથી પીડિત 2થી 15 વર્ષના 15 બાળકો હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ બીમારી કોવિડ-19 સાથે સંકળાયેલી હોવાની લાગે છે. સોમવારે રાત્રે આરોગ્ય વિભાગે જારી કરેલા બુલેટિન મુજબ તેમાંના મોટાભાગના બાળકોના શરીરે ચાટા પડી ગયા અને તેમને ઝાડા-ઉલટી થઇ રહી છે. 5 બાળકોને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડી છે. જ્યારે બધાને બ્લડ પ્રેશર સપોર્ટ પણ આપવામાં આવ્યો. યુરોપના ઘણા દેશોમાં પણ આવી બીમારી ફેલાઇ છે. પરંતુ હજુ સુધી તેના કારણે કોઇ મોત થયા નથી.
દાખલ બાળકોમાં મેન્ટોક્સિક શોક કે કાવાસાકી રોગ જેવા લક્ષણો
બુલેટિનમાં કહેવાયું છે કે ડોક્ટરો હજુ સુધી આ બીમારીને સમજી શક્યા નથી. જો કે આ 15 બાળકોમાંથી ઘણા કોરોના પોઝિટિવ છે. અન્યની એન્ટિબોડી તપાસમાં જણાયું કે તેઓ પહેલાં ચેપી રહ્યા છે. ન્યૂયોર્ક આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં દાખલ બાળકોમાં મેન્ટોક્સિક શોક કે કાવાસાકી રોગ જેવા લક્ષણો છે. તે એક દુર્લભ બીમારી છે. જેમાં રક્તવાહિકાઓમાં સોજો આવી જાય છે. રાજ્ય આરોગ્ય કમિશનર ડૉ. હાર્વર્ડ એ જકરે કહ્યું કે અધિકારીઓ આ સિન્ડ્રોમને સમજવા અભ્યાસ કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં રહસ્યમયી સિન્ડ્રોમથી બાળકો બીમાર થવાનો રિપોર્ટ થોડા દિવસથી ચાલી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2L1GJvV

તાન્ઝાનિયામાં ચાઈનીઝ ટેસ્ટિંગ  કિટથી બકરી-ફળો પણ કોરોના પોઝિટિવ, રાષ્ટ્રપતિએ સેનાને આદેશ કર્યો- કિટની તપાસ કરો

કોરોના વાઇરસથી બેહાલ પૂર્વ આફ્રિકી દેશ તાન્ઝાનિયામાં બકરી અને એક ખાસ ફળ પોર્પો પણ કોરોના પોઝિટિવ જણાયા! તેમના સેમ્પલ ચીનમાં બનેલી ટેસ્ટિંગ કિટથી તપાસવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યા પછી રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ આ રિઝલ્ટને ફગાવી દેતા કહ્યું છે કે ટેસ્ટ કિટ બરાબર નથી અને તેની તપાસ થવી જોઇએ. વાસ્તવમાં લેબને જણાવ્યું નહતું કે આ સેમ્પલ ફળ, ઢોર-બકરીના છે. આ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ખુલાસો થયો. નોંધનીય છે કે તાન્ઝાનિયામાં રવિવાર સુધી કોરોના વાઇરસ સંક્રમણના 480 કેસ મળી આવ્યા છે. જ્યારે અત્યાર સુધી 16 મોત થયા છે. રાષ્ટ્રપતિ જોન માગુફુલીએ કહ્યું કે અમારે ત્યાં ચીનથી કોરોના વાઇરસની ટેસ્ટ કિટ આવી છે, જેમાં ગોટાળા છે. તેમણે કહ્યું કે‘આવું કેમ થઇ શકે કે પોર્પો ફળ અને બકરી પણ કોરોના પોઝિટિવ નીકળે’.રાષ્ટ્રપતિએ આ અંગે સેનાને કહ્યું કે ટેસ્ટ કિટની તપાસ કરે. કારણ કે તપાસ કરનારાઓએ માણસો સિવાય પણ સેમ્પલ લીધા હતા.
જ્યારે તાન્ઝાનિયાના વિપક્ષે સરકાર પર સંક્રમણના નવા કેસો અને મોતના આંકડા છુપાવવાનો આરોપ મૂક્યો છે. વિપક્ષોનું કહેવું છે કે એવું સરકારે વાઇરસના મામલા દબાવવા માટે કર્યું છે. અહીં અન્ય દેશોની જેમ કડક પ્રતિબંધ અને લોકડાઉન લાગુ કરાયું નથી. વાસ્તવમાં હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં શબોને ચૂપચાપ દફનાવવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ એવી ચર્ચા થઇ રહી છે કે સરકાર કોરોના અંગેની માહિતી છુપાવી રહી છે.
મડાગાસ્કરથી હર્બલ દવા આવશે, મેં પ્લેન મોકલ્યું છે: મુગાફલી
રાષ્ટ્રપતિ માગુફુલીએ એ પણ કહ્યું છે કે તેમણે મડાગાસ્કરથી કોવિડ-19ની હર્બલ દવા ‘કોવિડ ઓર્ગેનિક્સ’ મંગાવી છે. તેના માટે એક વિમાન પણ મોકલ્યું છે. નોંધનીય છે કે કોવિડ ઓર્ગેનિક્સને માલાગાસી ઇન્સ્ટિટ્યૂટ ફોર એપ્લાઇડ રિસર્ચે આર્તેમિસિયાના પ્લાન્ટમાં તૈયાર કરી છે. જો કે અત્યાર સુધી તેનું લેબ ટેસ્ટિંગ થયું નથી. મડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રે રાજોલિનાએ તાજેતરમાં કહ્યું હતું કે આ દવાથી કોવિડ-19ના ઘણા દર્દી સાજા થયા છે અને જે બાળકો સ્કૂલે પાછા ફરી રહ્યા છે, તેમને આ દવા ફરજિયાતપણે અપાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2xIbl2M

Live: India reports sharpest rise in Covid toll

The coronavirus case count in India came within touching distance of the half-lakh mark at 49,333. Over 1,600 people have died due to the virus across the country. The lockdown in India has been extended till May 17. Stay with TOI for live updates

from Times of India https://ift.tt/2L061uu

Battle over Delhi Gymkhana Club: Why govt wants to take over national capital's iconic landmark

Battle over Delhi Gymkhana Club: Why govt wants to take over national capital's iconic landmark

from India Today | Top Stories https://ift.tt/3fq8lsQ

Monday, May 4, 2020

રાજ્યમાં પોઝિટિવ કેસોની સંખ્યા 5804, અત્યાર સુધી કુલ 319નાં મોત થયા, અમદાવાદમાં કેસ 4 હજારને પાર

સોમવારે રાજ્યમાં 376 નવા પોઝિટિવ કેસ મળ્યા. આ સતત છઠ્ઠી વાર બન્યું છે કે 300થી વધુ કેસ આવ્યા છે. બીજીબાજુ સોમવારે જ 29 મોત પણ નોંધાયા. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 319 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. છેલ્લા 100 કલાકમાં જ રાજ્યમાં 100 લોકોના મોત થઈ ચૂક્યા છે. 29માંથી 26 મોત માત્ર અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અહીં કેસોની સંખ્યા 4000ને પાર થઈ ચૂકી છે અને મોતની સંખ્યા 234 પર પહોંચી છે.
ગુજરાતમાં 10 દિવસમાં મોતના કેસ 239% વધ્યા
24 એપ્રિલે રાજ્યમાં 127 મોત નોંધાયા હતા.4 મે સુધીમાં આંકડો 319 પર પહોંચ્યો. 10 દિવસમાં 192 મોત થયા. સરેરાશ રોજના 19 મોત. છેલ્લા 10 દિવસમાં મોતના આંકડામાં 239 ટકાનો વધારો નોંધાયો છે જે મુંબઈથી વધુ છે. 24 એપ્રિલ પછી પોઝિટિવ કેસમાં 189%નો વધારો થયો. 24 એપ્રિલે ગુજરાતમાં 2815 કેસ હતા. 4 મેએ 5804 થયા. 2989 કેસ વધ્યા. ડબલિંગ રેટ પણ 10 દિવસમાં 9.5નો થયો છે.
ગ્રીન ઝોન જામનગરમાં 3 કેસ, ઓરેન્જ ઝોન દાહોદમાં 6 કેસ
સરકાર દ્વારા જાહેર ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં પણ નવા કેસ મળતાં સનસનાટી ફેલાઈ છે. જામનગર ગ્રીન ઝોન જાહેર થઈ ચૂક્યું છે પણ સોમવારે અહીં 3 નવા કેસ મળ્યા. આ પ્રકારે દાહોદ ઓરેન્જ ઝોનમાં છે. અહીં 6 નવા કેસ મળ્યા. રાજકોટ પણ ઓરેન્જ ઝોનમાં છે અને અહીં 3 નવા કેસ મળ્યા છે.
સુરતથી વતન જનારા સૌરાષ્ટ્રવાસીઓને 14 દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓને તેમના વતન જવાની અનુમતિ આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જ્યારે તેમને વતન જવા દેવાની મંજૂરી આપવામાં આવશે ત્યારે તેમનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. જ્યારે તે પોતાના વતન પહોંચશે ત્યાં તેમનું મેડિકલ પરિક્ષણ કરવામાં આવશે. તેમજ વતનમાં પ્રવેશ મેળવ્યા બાદ 14 દિવસ હોમ ક્વૉરન્ટીન રહેવું પડશે. 14 દિવસના ક્વૉરન્ટીન ફરજીયાત છે અને ત્યારબાદ એક મહિનો પણ ત્યાં જ રહેવું પડશે. તેમને પાછા આવવાની પરવાનગી અપાશે નહીં.
7 વખત એક દિવસમાં 300થી વધુ દર્દી નોંધાયા
19 એપ્રિલે 367, 29 એપ્રિલે, 308, 30 એપ્રિલે 313, 1 મેના રોજ 326, 2મેના રોજ 333, 3મેના રોજ 374 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ સતત છઠ્ઠા દિવસે 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે એક જ દિવસમાં કુલ 7 વાર 300થી વધુ દર્દી નોંધાયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE 189 percent positive case in last 10 days in state


from Divya Bhaskar https://ift.tt/3b6f47E

દહેજમાં આવેલી ટેગરોસ કંપનીમાં બ્લાસ્ટ, ત્રણ કામદારો દાઝ્યા

ભરૂચ જિલ્લાના દહેજમાં આવેલી ટેગરોસ કંપનીમાં સોમવારના રોજ રાત્રીના સમયે ચાલી રહેલી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી. બ્લાસ્ટમાં કંપનીમાં કામ કરી રહેલા ત્રણ કામદારો શરીરે ગંભીર રીતે દાજી ગયા હતાં. ગંભીર રીતે દાઝેલા ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લવાયા છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ લાશ્કરો સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી બ્લાસ્ટ થવાનું કારણની તપાસ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસો અગાઉ પણ આજ ટેગરોસ કંપનીમાં કંમ્પ્લેઇન વોલના કારણે ભીષણ આગ લાગવાથી મોટું નુકશાન થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Blast at Tagros Company in Dahej, three workers burnt


from Divya Bhaskar https://ift.tt/2KWMg7c

શ્રમિકો પાસેથી ભાડું લીધું ને જવા ન દીધા, કામ કે ખાવાનું નથી તેવામાં વરેલીના બુટલેગરે પત્રકાર બનીને ભડકાવી આગ ચાંપી

લોકડાઉન 3.0 શરૂ થતાની સાથે જ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેમાંથી પલસાણાના વરેલીમાં અને પાલનપુર જકાતનાકા તથા કાપોદ્રા વિસ્તારમાં ટોળા વધુ એકત્ર થયા હતા. વરેલીમાં તો પોલીસ પર પથ્થરમારો પણ થયો હતો. ટોળાને કાબુમાં લેવા 75 ટિયરગેસના શેલ છોડવા પડ્યા હતા અને 204ની ધરપકડ કરી હતી. વરેલીની ઘટનામાં એક બુટલેગર પત્રકાર બનીને લોકોને ઉશ્કેર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. આજે બપોરે 12.00 વાગ્યાના અરસામાં વરેલીના તળાવ ફળિયામાં મજૂરો વતન જવાની જીદ સાથે અકત્ર થયા છે. આ સ્થળે આશરે 2000થી વધુ લોકોનું ટોળુ હતું. શ્રમિકો પથ્થરમારો કરી રહ્યા હતા. એક તરફ પોલીસ હતી અને બીજી તરફ શ્રમીકોનું ટોળુ હતું, બંને વચ્ચે માત્ર 100 મીટરનું અંતર હતું. શ્રમીકોના પથ્થરમારાથી બચવા પોલીસ મથામણ કરી રહી હતી. ઘટના સ્થળ પર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતાં તેઓએ શ્રમીકોને બાનમાં લેવા માટે રણનીતિ બનાવી હતી. શ્રમિકોનો ચારે તરફથી ઘેરવા માટે પોલીસની 10થી 12 ગાડી ઘટના સ્થળેથી રવાના થઈ હતી. તમામ ગાડીઓ હરિપુરાથી વરેલીની પાછળના ભાગે પહોંચી હતી અને ત્યાં પોલીસે મોરચો સંભાળ્યો હતો. પાછળના ભાગેથી શ્રમીકો ના ટોળા પર ટિયરગેસના શેલ છોડાયા હતા. પોલીસે ટોળાને આગળ-પાછળથી ઘેરી લેતા ટોળુ વિખેરાઈ ગયુ હતું. ટોળાના કેટલાક ઈસમો લોકોના ઘરમાં, બિલ્ડિંગોમાં તેમજ દુકાનોમાં સંતાઈ ગયા હતા. બાદમાં પોલીસે ફ્લેગ માર્ચ કર્યો હતો.
રૂ. 2000 આપીને પણ વતન જવા ન મળ્યું
તંત્રની વારંવારની ગુલાંટના લીધે શ્રમિકોએ ધૈર્ય ગુમાવી દીધું છે. વતન જવા ઘરવખરી વેચ્યા બાદ ઘણાએ બે હજારથી વધુ ખર્ચ કર્યા છતા વતન જવા ન મળતા આત્મા કંપી ઉઠ્યો હતો. પરપ્રાંતિય નેતાઓનું રાજકારણ શ્રમિકોને ગેરમાર્ગે દોરી જતા ઉશ્કેરાટ અને ખાવાની-રહેવાની પણ વ્યવસ્થા નથી, સાંભળનારું પણ કોઇ નથી.
વરેલીમાં બબાલ બાદ 6 વિરુદ્ધ ગુનો
વરેલીમાં બનેલી ઘટના બાદ પોલીસે બુટલેગર કમ પત્રકાર રવિ ઉર્ફે રવિકાન્ત સોનસિંગ રાજપૂત અને તેની પત્ની જ્યા રાજપૂત અને શૈલેષ રવિ રાજપૂત, કિરણ, અંકુશ ગુપ્તા, નાનજીભાઈ લાલજીભાઈ માંકડીયા સહિત નામજોગ 6 વ્યક્તિઓ સામે અને 1000ના ટોળા સામે ફરિયાદ નોંધી હતી.
વાપીના છીરીમાં પણ લોકો રસ્તા પર ઊતર્યા
સોમવારે વાપીના છીરીમાં વતન જવા મોટી સંખ્યામાં લોકો બહાર નિકળી આવ્યા હતાં. જેની જાણ થતાં જ વાપી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. વાપી પોલીસે કડક વલણ અપાનવતાં લોકો દોડતા દોડતા પોતાની ઘરે નિકળી ગયા હતાં.
ટોળાને કાબૂમાં લેતા પોલીસને ત્રણ કલાક લાગ્યા, 204ની ધરપકડ
પલસાણા તાલુકાના વરેલી ગામે બપોરના સમયે પરપ્રાંતીયોના ટોળાએ વતન જવાની વાત કરી હતી. કડોદરા પોલીસને જાણ થતાં જ સ્થળ પર પહોંચી હતી. પરંતુ ટોળુ મોટું હોવાથી વધુ પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો. પોલીસને જોતા જ ટોળુ વિફર્યું હતું. પથ્થરમારો કરી પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે આ સ્થળેથી 204થી વધુને ડિટેઇન કર્યા હતા. આક્રમક ટોળાને કાબૂલમાં લેતા પોલીસને 3 કલાકથી વધુ સમય લાગ્યો હતો.
પથ્થરમારો પ્રિપ્લાન્ડ લાગે છે
ટોળાને સમજાવવા ગયેલી પોલીસ પર અચાનક પત્થર મારો શરૂ કરતાં એવું લાગી રહ્યું હતું કે આ હુમલો પ્રિ-પ્લાન્ડ હોઈ શકે. લોકડાઉન પતે ત્યાં સુધી અહીં સંપૂર્ણ વરેલી ગામમાં માત્ર સ્ત્રીઓને જ જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે બહાર નીકળવા દેવામાં આવશે.- ડો. રાજકુમાર પાંડિયન, રેન્જ આઈ.જી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ટાળામાં રહેલા લોકો જે હાથમાં આવ્યું તે ઊંચકીને પોલીસને છુટ્ટું મારતા ગયા.


from Divya Bhaskar https://ift.tt/2W4llg8

2600 pigs dead as African swine fever grips Assam

2600 pigs dead as African swine fever grips Assam




from News - Videos - The Times of India https://ift.tt/3flKSsI

Ye dil maange more: How people managed without liquor during lockdown

Ye dil maange more: How people managed without liquor during lockdown




from News - Videos - The Times of India https://ift.tt/2W1pBgd

Fact Check: No, White House is not selling commemorative coronavirus coins

Fact Check: No, White House is not selling commemorative coronavirus coins

from India Today | Top Stories https://ift.tt/2YwePjP

Koyambedu Market to lockdown backfiring: 5 factors behind Chennai’s spike in coronavirus cases

Koyambedu Market to lockdown backfiring: 5 factors behind Chennai’s spike in coronavirus cases

from India Today | Top Stories https://ift.tt/3b3fRXb

Domestic workers go without salaries, work during lockdown

Domestic workers go without salaries, work during lockdown

from India Today | Top Stories https://ift.tt/2Ww4BNC

Learnt sportsmanship from Harbhajan: Ashwin

During a live Instagram chat, R Ashwin recalled an incident from the third Test match at Chepauk about Harbhajan Singh that left a lasting impression on him. "I have never missed a Test at Chepauk. I saw you going to Bahutule and apologising for dropping Hayden earlier. My father pointed out the sportsman's spirit between the two players," Ashwin told Harbhajan.

from Times of India https://ift.tt/3c5GxI8

COVID-19: 6-month-old baby discharged from hospital along with 47 patients in Indore

COVID-19: 6-month-old baby discharged from hospital along with 47 patients in Indore




from News - Videos - The Times of India https://ift.tt/3fmuKHi

Covid in India: 2,900 cases on Monday, a new high

For the fourth day running, the number of Covid-19 cases in India hit a new high, with 2,900 being added on Monday as the country’s coronavirus count crossed 45,000. In a huge spike in infections, Tamil Nadu became the second state after Maharashtra to report more than 500 cases in a day. There were 99 deaths, the joint-highest for a single day along with Saturday’s toll.

from Times of India https://ift.tt/2WtTQvg

Migrants return, bring home the virus

Fourteen migrant workers in institutional quarantine since returning to their native Chhattisgarh tested positive for Covid-19 on Sunday, but even more alarming was the spectre of infections travelling undetected across inter-state borders as Karnataka and Rajasthan on Monday reported three new cases where the returnees had sneaked in without being screened.

from Times of India https://ift.tt/3fmbERx

માહિમ વર્માના સ્થાને IPLના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લા BCCIના ઉપાધ્યક્ષ બનશે

IPLના પૂર્વ ચેરમેન રાજીવ શુક્લા વહેલી તકે બીસીસીઆઈના નવા ઉપાધ્યક્ષ બની શકે છે. 13 એપ્રિલના ઉત્તરાખંડ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી બન્યા બાદ માહિમ વર્માએ ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. બોર્ડના નવા બંધારણ અનુસાર એક વ્યક્તિ એક સમયે 2 પદ પર નથી રહી શકતો. બોર્ડના નિયમ અનુસાર 45 દિવસમાં સ્પેશિયલ જનરલ મિટિંગ કરી નવા ઉપાધ્યક્ષની નિમણૂંક કરવાની રહે છે. લૉકડાઉનના કારણે હાલ આમ થવું મુશ્કેલ છે. ગાંગુલી અધ્યક્ષ બન્યા ત્યારે રાજીવ શુકલાના ઉપાધ્યક્ષ બનવાની ચર્ચા હતી. પરંતુ કુલિંગ ઓફ પીરિયડ પૂર્ણ ના થવાથી થઈ શક્યું નહોતું. હવે તેમની નિમણૂંક થઈ શકે છે. રાજીવ શુક્લા ઉ.પ્ર. ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી રહી ચૂક્યા છે. 2017માં લોઢા કમિટીની ભલામણ બાદ તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
રાજ્યસભાની ઉમેદવારી ફગાવી હતી
રાજીવ શુક્લાએ માર્ચમાં રાજ્યસભાની ઉમેદવારીનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. ત્યારથી ચર્ચા હતી કે તેઓ બોર્ડમાં સામેલ થઈ શકે છે. તેઓ પદાધિકારી તરીકે ઘણા લાંબા સમયથી કામ કરી રહ્યાં છે. આઈપીએલની વર્તમાન સિઝન અચોક્કસ મુદ્દત સુધી સ્થગિત છે. એવામાં રાજીવ શુકલાની એન્ટ્રી બાદ બોર્ડ કોઈ નિર્ણય લઈ શકે છે.
IPL માટે વિન્ડો શોધવી મોટું કામ
આઈપીએલ ના થવાથી બોર્ડને 4000 કરોડથી વધુનું નુકસાન થઈ શકે છે. બોર્ડના અધિકારી માટે આઈપીએલની બીજી વિન્ડો શોધવી મુશ્કેલ કામ છે. દેશની બહાર પણ ટી-20 લીગ યોજવાની ચર્ચા ચાલી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રાજીવ શુક્લાની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2W2K1Fv

અમેરિકામાં નર્સ તથા મેડિકલ સ્ટાફના અભાવ- ન્યૂયોર્કમાં સ્વાસ્થ્યકર્મીઓનું કામ કૂક, ગાર્ડ અને સફાઈ કર્મચારી કરી રહ્યાં છે

અમેરિકા કોરોના વાઈરસની મહામારીની લપેટમાં છે અને ન્યુયોર્ક તેનું એપીસેન્ટર છે. અહીંની હોસ્પિટલોમાં ડૉક્ટર, નર્સ અને સ્વાસ્થ્યકર્મીઓની અછત વર્તાઈ રહી છે. સ્થિતિ એવી છે કે શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં હવે કોરોના દર્દીઓની સારવાર માટે નોન-મેડિકલ સ્ટાફની મદદ લેવાઈ રહી છે. તેમાં કૂક, રિસેપ્શનિસ્ટ, સફાઈકર્મી અને સિક્યોરિટી ગાર્ડ સામેલ છે જેમને દર્દીઓના બેડ ચેક કરવાની સાથે તેમનો મેડિકલ રેકોર્ડ પણ રાખવાની જવાબદારી સોંપાઈ છે. તે દર્દીઓની સારવારમાં મદદ પણ કરી રહ્યાં છે. આ જ કર્મચારીઓ દર્દીના સંબંધીઓના હોસ્પિટલમાં આવતા ફોન કોલ પણ રિસીવ કરે છે. તેમાંથી અનેક ચેપને કારણે જીવ પણ ગુમાવી ચૂક્યા છે.
એનિડા બિકોટ કહે છે કે તમે દર સાંજે 7 વાગ્યે લોકોને બહાર નીકળી તાળીઓ વગાડતા જોશો પણ આ ફક્ત ડૉક્ટરો અને નર્સો માટે છે ન કે તેમના માટે જે સફેદ કપડાં નથી પહેરતાં પણ તેમ છતાં હોસ્પિટલોમાં કામ કરી રહ્યાં છે. એનિડાના પતિ એડવર્ડ બિકોટ ચેપને કારણે ગત મહિને જ મૃત્યુ પામી ગયા હતા. તે બ્રુકલિન હોસ્પિટલ સેન્ટરમાં સ્ટ્રેચર અને વ્હિલચેરથી દર્દીઓને લાવવા-લઈ જવાનું કામ કરતા હતા. એડવર્ડ એ 32 હોસ્પિટલ કર્મચારીઓ પૈકી એક હતા જે ન્યુયોર્કમાં ચેપગ્રસ્ત થવાને કારણે મૃત્યુ પામ્યા.
તાજેતરના આંકડા અનુસાર ન્યુયોર્કની હોસ્પિટલોમાં કામ કરનારા 79 ટકા નોન મેડિકલ સ્ટાફ ડૉક્ટર અને નર્સોનું મદદ કરી રહ્યું છે. ઈમરજન્સી રૂમમાં કામ કરનાર નર્સોને એન-95 માસક અપાયા છે પણ નોન મેડિકલ સ્ટાફ માટે તે ઉપલબ્ધ નથી. હોસ્પિટલ કર્મચારી યુનિયન અનુસાર અમારી પાસે સુરક્ષા માસ્ક કે ગ્લવ્સ જેવા સાધન નથી કેમ કે આ ડૉક્ટરો અને નર્સોને પહેલાં અપાય છે. યૂનિયનના અધ્યક્ષ કાર્મેન ચાર્લ્સ કહે છે કે ન્યુયોર્કની હોસ્પિટલોમાં 8500 નોન મેડિકલ સ્ટાફ કામ કરે છે જે ખતરામાં છે. કોર્મેન અનુસાર આ યોગ્ય છે કે હાલના સમયે અમારી જરૂર છે પણ કઈ કિંમતે? નોન મેડિકલ સ્ટાફના વિરોધને જોતાં અમુક હોસ્પિટલોમાં સુરક્ષા ઉપકરણો ઉપલબ્ધ કરાવાયા છે પણ હજુ તેની સંખ્યા નહિંવત પ્રમાણમાં છે.
ટ્રમ્પની ફરી ગુલાંટ, હવે કહ્યું 1 લાખ લોકો જીવ ગુમાવી શકે છે
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગત મહિને કોરોનાથી 60 હજાર મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરી હતી પણ હવે તેમના આ નિવેદનને તેમણે ફેરવી તોળ્યું. રવિવારે ફોક્સ ન્યૂઝ સાથેની ટાઉન હોલ બેઠકમાં તેમણે કહ્યું કે મહામારીને કારણે આપણે 75 કે 80 હજારથી 1 લાખ લોકોને ગુમાવીશું. આ ભયાવહ છે પણ અમે એક પણ જીવને ગુમાવવા માગતા નથી. તેની સાથે જ તેમણે ખુદનો બચાવ કરતાં કહ્યું કે જો અમે સમયસર કાર્યવાહી ન કરી હોત તો કદાચ આ આંકડો 10 લાખને પાર થઈ જાત. કદાચ 20 લાખ લોકોએ જીવ ગુમાવ્યાં હોત.
ટ્રમ્પનો નવો ચૂંટણી વાયદો – વેક્સીન લાવીશું, સુરક્ષિત ભવિષ્ય આપીશું
અહીં ટ્રમ્પે મહામારીને જોતાં તેમના ચૂંટણી અભિયાનમાં કોરોના વેક્સીનને પણ સામેલ કરી લીધી છે. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે અમે આગામી વર્ષ સુધી કોરોનાની વેક્સીન તૈયાર કરી લઈશું અને દરેક અમેરિકીને વાઈરસથી સુરક્ષિત કરીશું જેથી બધાને એક સુરક્ષિત ભવિષ્ય આપી શકીએ. ટ્રમ્પના આ નિવેદનને અમેરિકી મીડિયાએ નવા ચૂંટણી વાયદા તરીકે રજૂ કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ન્યુયોર્કની લગભગ દરેક હોસ્પિટલમાં આવો જ દૃશ્ય જોવા મળે છે. રોજ ચેપના નવા કેસ મળી રહ્યાં છે, મૃત્યુ પામી રહ્યાં છે.


from Divya Bhaskar https://ift.tt/3b1BI1e

પાકિસ્તાનમાં કોરોનાની સાથે હવે તીડ આક્રમણનો સામનો કરવાનો પડકાર, ખાદ્યાન્ન સંકટની આશંકા

પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના 20 હજારથી વધુ કેસ આવી ચૂક્યા છે. જ્યારે 460થી વધુ મોત થઇ ગયા છે. નવા સંક્રમણના વધતા કેસોની વચ્ચે હવે ઇમરાન ખાન સરકાર સામે તીડ આક્રમણનું નવું સંકટ ઊભુ થયું છે. જેનો સામનો કરવા માટેની તૈયારી શરૂ થઇ ગઇ છે. કારણ એ છે કે જો તીડને કાબુમાં નહીં લેવાય તો પાકિસ્તાનમાં ખાદ્યાન્ન સંકટ સર્જાશે. સિંધ સરકારે તીડના આક્રમણની આશંકાને ધ્યાનમાં રાખી ઇમરાન સરકારની મદદ માગી છે. હેલિકોપ્ટરથી જંતુનાશકના છંટકાવનો આગ્રહ કર્યો છે.
દક્ષિણ-પશ્ચિમ એશિયામાં તીડ આક્રમણના કારણે વધુ સમસ્યાઓનો સામનો કરી શકે
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના એક રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાન એ દેશોમાં સામેલ છે, જ્યાં તીડ આક્રમણને કારણે ખાદ્યાન્ન સંકટ ઊભુ થઇ શકે છે. જેની અસર મોટાભાગની વસતી પર બે ટંકનું ભોજન મેળવવામાં થઇ શકે છે. એફએઓએ ‘પાકિસ્તાનમાં તીડદળની સ્થિતિ’ શીર્ષકથી જારી રિપોર્ટમાં કહ્યું છે કે પાકિસ્તાન અને ઇરાન, દક્ષિણ-પશ્ચિમ એશિયામાં તીડ આક્રમણના કારણે વધુ સમસ્યાઓનો સામનો કરી શકે છે.
પાકિસ્તાનમાં 38 ટકા વિસ્તાર તીડ આક્રમણની ચપેટમાં આવે છે. બલૂચિસ્તાનમાં તો આશરે 60 ટકા ખેતર તીડ આક્રમણનો શિકાર થઇ રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે પૂર્વ આફ્રિકામાં સ્થિતિ બહુ નાજુક છે, જ્યાં તીડની નવી જાતિ પૈદા થઇ ગઇ છે.
બ્રિટનમાં પાકિસ્તાનીઓને વધુ જોખમ
બ્રિટનમાં વસતા પાકિસ્તાની લોકોમાં કોરોના વાઇરસથી મોતનું જોખમ તોળાય છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને અર્થશાસ્ત્રી રોસ વોરવિકના અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે બ્લેક કેરેબિયન વસતીમાં કોવિડ-19થી મોત વધારે છે. જ્યારે લઘુમતી પાકિસ્તાનીઓ અને બ્લેક આફ્રિકનમાં મોતનું પ્રમાણ પણ અન્ય બ્રિટિશ વસતીની તુલના વધુ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2SASv4K

દેવાસ, નાસિકના પ્રેસમાં દોઢ મહિનાથી ચલણી નોટો છાપવાનું બંધ

મધ્ય પ્રદેશના દેવાસ સ્થિત બેન્ક નોટ પ્રેસમાં દોઢેક મહિનાથી નોટો છાપવાનું બંધ છે. આ દરમિયાન અહીં અંદાજે 52.5 કરોડ નોટ ન છપાઇ શકી. મહારાષ્ટ્રના નાસિક સ્થિત કરન્સી નોટ પ્રેસમાં પણ નોટો છાપવાનું બંધ છે. મધ્ય પ્રદેશના હોશંગાબાદ સ્થિત પ્રેસમાં નોટનો કાગળ તૈયાર કરવાનું કામ પણ બંધ છે. કેન્દ્ર સરકારે ફેક્ટરીઓ શરૂ કરવાની માર્ગદર્શિકા તો ઘડી કાઢી છે પણ બેન્ક નોટ પ્રેસમાં કામ શરૂ થઇ શક્યું નથી. દેવાસ બીએનપીમાં વાર્ષિક 420થી 450 કરોડ નોટ છાપવાનો ટાર્ગેટ છે. પ્રેસના એચઆર હેડ વી. કે. મહારિયાએ જણાવ્યું કે લૉકડાઉન બાદથી નોટો છપાઇ શકી નથી. સ્ટોકમાં છપાયેલી કરન્સી તંત્રના આદેશાનુસાર અહીંથી મોકલી દેવાઇ છે. ખાતાકીય સ્તરે પ્લાનિંગ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં નોટોનું પ્રિન્ટિંગ શરૂ થઇ શકે છે.
પડોશી જિલ્લા ઇન્દોર અને ઉજ્જૈન પણ રેડ ઝોનમાં
ઉલ્લેખનીય છે કે બીએનપીમાં અંદાજે 1100 કર્મચારી છે. દેવાસ રેડ ઝોનમાં છે. પડોશી જિલ્લા ઇન્દોર અને ઉજ્જૈન પણ રેડ ઝોનમાં છે. પ્રેસના ઘણા અધિકારી-કર્મચારી ત્યાંથી જ આવે છે. પ્રેસના એક નિવૃત્ત વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે લૉકડાઉન હજુ એક મહિનો લંબાશે તો નોટોની અછતથી દેશમાં નોટબંધી જેવી સ્થિતિ સર્જાશે. તેવું ન થાય તે માટે 24 કલાક નોટો છાપવા સાથે વિમાનમાં નોટો મોકલવી પડે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
દેવાસ પ્રેસ.


from Divya Bhaskar https://ift.tt/2L1KyS0

જેટલા મોત દેશના 28 રાજ્યોમાં, એટલા માત્ર ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં કેસ 189%, મોત 239% વધ્યા

મહારાષ્ટ્ર પછી ગુજરાત કોરોનાનું ગઢ બનવા માંડ્યું છે. પોઝિટિવ કેસ અને કોરોનાને કારણે મોતનો કોઠો જોઈએ તો ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. પરંતુ એનાથી પણ ભયાનક સત્ય એ છે કે જેટલા મોત બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત દેશના 28 રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશોમાં થયા છે એટલા એકલા ગુજરાતમાં થઈ ચૂક્યા છે. આ 28 રાજ્યોમાં સોમવારે સાંજ સુધીમાં 308 મોત નોંધાયા હતા. જ્યારે એકલા ગુજરાતમાં 319 મોત થઈ ચૂક્યા છે. બીજીબાજુ પોઝિટિવ કેસની વાત કરીએ તો 22 રાજ્યોના કુલ કેસમાંથી વધુ કેસ ગુજરાતમાં છે. દેશના 22 રાજ્યોમાં અત્યાર સુધીમાં 5610 કેસ થયા છે. જ્યારે ગુજરાતમાં 5804 કેસ થઈ ચૂક્યા છે.
રાજ્ય સરકાર ગુજરાતમાં વધતા કેસ અને મોત અંગે ભ્રમમાં
ગુજરાતમાં આટલી ઝડપથી કેસમાં વધારો અને મોત થવાનું કારણ ન તો ગુજરાત સરકારને ખબર છે ન તો કેન્દ્ર સરકારને. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એ રાજ્યોના આંકડા જણાવીને વાહવાહી મેળવી રહ્યું છે કે જ્યાં કોરોના કંટ્રોલમાં છે. પરંતુ ગુજરાત અંગે તે સંપૂર્ણપણે મૌન છે. બીજીબાજુ રાજ્ય સરકાર ગુજરાતમાં વધતા કેસ અને મોત અંગે ભ્રમમાં છે. ક્યારેક તે વિદેશનું ઉદાહરણ આપે છે તો ક્યારેક દેશના અન્ય રાજ્યોને ટાંકે છે. ગુજરાતમાં કોરોનાનું એપી સેન્ટર બની ચૂકેલા અમદાવાદના મ્યુનિ. કમિશનર વિજય નહેરા દાવો કરે છે કે અમદાવાદમાં રિકવરી રેટ વધ્યો છે. એક્ટિવ કેસ ઓછા થઈ રહ્યા છે. પરંતુ હકીકત તેનાથી વિપરિત છે.
ગુજરાતમાં 10 દિવસમાં મોતના કેસ 239% વધ્યા
24 એપ્રિલે રાજ્યમાં 127 મોત નોંધાયા હતા.4 મે સુધીમાં આંકડો 319 પર પહોંચ્યો. 10 દિવસમાં 192 મોત થયા. સરેરાશ રોજના 19 મોત. છેલ્લા 10 દિવસમાં મોતના આંકડામાં 239 ટકાનો વધારો નોંધાયો છે જે મુંબઈથી વધુ છે.
રાજ્યમાં પોઝિટિવ કેસ 10 દિવસમાં 189% વધ્યા
24 એપ્રિલ પછી પોઝિટિવ કેસમાં 189%નો વધારો થયો. 24 એપ્રિલે ગુજરાતમાં 2815 કેસ હતા. 4 મેએ 5804 થયા. 2989 કેસ વધ્યા. ડબલિંગ રેટ પણ 10 દિવસમાં 9.5નો થયો છે.
રિકવરીમાં તામિલનાડુ પ્રથમ, ગુજરાત છેલ્લું
એક હજારથી વધુ કેસ વાળા 8 રાજ્યોમાં તામિલનાડુમાં સૌથી સારો રિકવરિ રેટ છે. અહીં સોમવાર સુધીમાં 3023 દર્દી હતા. તેમાંથી 1400 દર્દી 48 ટકા દર્દી સાજા થઈ ચૂક્યા છે. તમિલનાડુ પછી તેલંગણા, પછી રાજસ્થાનનો ક્રમ છે. ગુજરાત 8 રાજ્યોમાં સૌથી નીચલા સ્તરે છે.
રાજ્ય રિકવરી રેટ

તમિલનાડુ 48%
તેલંગણા 42.5%
રાજસ્થાન 42%
દિલ્હી 31%
ઉત્તરપ્રદેશ 28%
મધ્યપ્રદેશ 28%
મહારાષ્ટ્ર 16%
ગુજરાત 15.56%


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2W35QoF

સરકાર કહે છે ટ્રેનનું ભાડુ રેલવે-રાજ્ય આપે છે, છતાં શ્રમિકો પાસેથી રૂપિયા 76 લાખ વસૂલાયા

વતન જવા માટે પરપ્રાંતીય લોકોનો ધસારો વધી રહ્યો છે, ત્યારે સરકાર કહી રહી છે કે, ટ્રેન મારફતે જઈ રહેલા શ્રમિકોનું 85 ટકા ભાડુ રેલવે અને રાજય સરકાર આપી રહી છે. તેમ છતાં સુરતથી 3 દિવસમાં રવાના થયેલી 9 શ્રમિક સ્પેશિયલ ટ્રેનના 10800 યાત્રીઓ પાસેથી 76,74,000 રૂપિયાનું ભાડુ વસૂલવામાં આવી ચૂક્યું છે. શનિવારે એક, રવિવારે ત્રણ અને સોમવારે પાંચ સ્પેશિયલ ટ્રેન રવાના થઈ હતી. સોમવારે રવાના થયેલી પાંચ ટ્રેનોમાં 3 ઓરિસ્સાના પુરીની, 1 ઝારખંડના ધનબાદ અને એક ટ્રેન બિહારના બરૌની માટે રવાના થશે. ઓરિસ્સાની ટ્રેનમાં એક યાત્રી પાસે રૂ. 710 ભાડુ લેવામાં આવ્યું છે, અત્યાર સુધી 7 ટ્રેનોમાં 8400 યાત્રીઓ ગયા છે. જેઓ પાસેથી કુલ 59,64,000 વસૂલાયા છે. ધનબાદ ગયેલી ટ્રેનમાં એક યાત્રી પાસે 715 ભાડૂ વસૂલાયું હતું. આ રીતે રવાના થયેલા કુલ 1200 યાત્રીઓ પાસેથી 8,58,000 રૂપિયા વસૂલાયા છે. બિહારના બરૌની ગયેલી ટ્રેનના એક યાત્રી પાસે 710 વસૂલાયા હતા. આમ આ ટ્રેનમાં કુલ 1200 પાસે 8.52 લાખ વસૂલાયા હતા. આ સિવાય ઉત્તરપ્રદેશ અને બિહાર રવાના કરવા માટે યાત્રીઓ પાસે કેટલાક દલાલો ફોર્મ ભરાવીને ગેરકાયદે વસૂલી કરી રહ્યા છે. રેલવેએ ટ્રેનનું ભાડુ લેવા માટે એક પ્રક્રિયા બનાવી છે. નોડલ અધિકારી આ પ્રક્રિયા મુજબ ભાડુ વસૂલી રહ્યા છે.
પ્રક્રિયા: ટિકીટ આપતા સમયે ફકત પ્રિન્ટ ચાર્જ લેવાય છે
દરેક શ્રમિક એક્સપ્રેસ ટ્રેન માટે 1200 લોકોની યાદી બનાવીને કલેક્ટર કચેરીએ મોકલવામાં આવે છે. ત્યાંથી આની માહિતી રેલવેને મોકલવામાં આવે છે. ત્યાર બાદ રેલવે રાજય સરકાર દ્વારા રજિસ્ટર્ડ મુસાફરો માટે ટિકીટ જારી કરે છે. જેને લેવા માટે સ્વયં કલેકટર કચેરીનો કર્મચારી અથવા ડેપ્યુટી કલેક્ટર જાય છે. ત્યાર બાદ ટિકીટોને સંયોજક સમિતિયો દ્વારા મુસાફરોને આપવામાં આવે છે. તેમનાથી ટિકીટનો પ્રિંન્ટિંગ ચાર્જ લેવામાં આવે છે. ટોકન આપીને મુસાફરની ઓળખ કરવામાં આવે છે જેથી ખોટા માણસના હાથમાં ટિકીટ ન જાય.
ઉત્તરપ્રદેશ માટે આજે ચાર ટ્રેન રવાના થશે
પુરી સવારે 10 કલાકે, પુરી બપોરે 1 કલાકે, પુરી સાંજે 4 કલાકે, યુપી બપોરે 2.30 કલાકે, યુપી સાંજે 5:30 કલાકે, ધનબાદ રાતે 11 કલાકે, યુપી રાતે 8:30 કલાકે, બરોની રાતે 10 કલાકે, યુપી રાતે 11:30 કલાકે



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સુરત રેલવે સ્ટેશને પહોંચેલા પરપ્રાંતીય.


from Divya Bhaskar https://ift.tt/2SESCMO

પહેલાં કરતાં શ્રેષ્ઠ ભવિષ્યની કલ્પના કરો, જે લોકો પડકારોને સ્વીકારી આગળ વધે છે તેમનો સૌથી વધુ પ્રભાવ પડે છે: એપલના CEO

એપલના સીઈઓ ટિમ કૂકે રવિવારે યુટ્યૂબના માધ્યમથી ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ માટે વર્ચ્યુઅલ ભાષણ આપ્યું. અહીં મોટા સમારોહ પર લાગેલી રોકના કારણે ઓનલાઈન સમારોહનો નિર્ણય કરાયો હતો. ભાષણમાં કૂકે 1918ની ફ્લૂ મહામારી દરમિયાન ફ્રેન્કલિન ડી રુઝવેલ્ટ, અમેરિકન એવિએટર અમેલિયા ઈયરહાર્ટ અને પ્રસિદ્ધ કવિ ટી.એસ.એલિયનની સિદ્ધીઓનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જે લોકો ઐતિહાસિક પડકારોને આંખ અને હૃદય ખોલીને સ્વીકારે છે કે તે બીજાના જીવન પર સૌથી મોટો પ્રભાવ પાડે છે. તમે નવેસરથી વિચારો. જે ભવિષ્યની તમે કલ્પના કરી હતી કાં જે તમને મળવાનું હતું તેનાથી શ્રેષ્ઠની કલ્પના કરો.
આપણે એ વિચારવું પડશે કેહવે શું અલગ કરી શકાય
કૂકે વિદ્યાર્થીઓને કહ્યું કે જ્યારે હું 1998માં એપલમાં આવ્યો તો મને મારા ભાગ્ય પર ભરોસો થઈ રહ્યો નહોતો કે હું સ્ટીવ જોબ્સ સાથે કામ કરવા જઇ રહ્યો છું. જ્યારે અમે સ્ટીવને ગુમાવ્યા તો જે એકલતા અનુભવી તે એ વાતનો પુરાવો હતી કે તમે બીજા પર જે પ્રભાવ છોડી જાઓ છો તેનાથી વધારે શાશ્વત અને શક્તિશાળી દુનિયામાં કંઈ જ નથી. કૂકે કહ્યું કે આપણે એ વિચારવું પડશે કે આપણે વિશ્વસ્તરીય શિક્ષણ મેળવી ચૂક્યા છીએ અને હવે શું અલગ કરી શકાય છે. કૂકે કહ્યું કે ગ્રેજ્યુએટ્સ! તમારો મામલો નવો છે. તમારી પાસે જૂના સિદ્ધાંતો, નીતિઓનો કોઈ વિકલ્પ નથી. તમારે વિલાસતાનો રોમાંચ લેવાનો નથી. તમારે ખુલ્લી આંખે કપરાં ચઢાણોવાળી દુનિયામાં પ્રવેશ કરવાનો છે. એક નવી કહાણી લખવાની છે. બની શકે કે આ કહાણી તમને ન પસંદ કરી હોય પણ આ કહાણી તેમ છતાં તમારી જ છે. તમારામાંથી અનેક લોકોએ આજના દિવસ માટે ભારે સંઘર્ષ કર્યો હશે. હવે આ તમારો દિવસ છે. નવેસરથી વિચારો. જે ભવિષ્યની તમે કલ્પના કરી હતી જે તમને મળવાનું હતું તેનાથી શ્રેષ્ઠ વિશે વિચારો.
હોસ્પિટલને સાફ કરનાર, મંદિરને પવિત્ર કરનાર જેટલો જ શ્રેષ્ઠ
કૂકે કહ્યું કે એ વ્યક્તિ વિશે વિચારો જે હોસ્પિટલના વૉર્ડને હાથ અને ઘૂંટણી ઢસઢીને સાફ કરતો હોય છે. તેનું કામ આજે ધાર્મિક સ્થળને શુદ્ધ કરનારાથી ઓછું પવિત્ર નથી. એ અજાણ્યાં પિતા વિશે વિચારો જે પોતાના પરિવાર અને બાળકોથી દૂર રહીને પોતાના જીવને જોખમમાં મૂકી બીજાની સેવા કરી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એપલના CEO ટિમ કૂક.


from Divya Bhaskar https://ift.tt/2WsJCeM

SVPમાં 300 ડોક્ટરને બે ટીમમાં વહેંચી દેવાયા, એક ટીમ 7 દિવસ ઓન ફ્લોર, 7 દિવસ ઓફ ફ્લોર કામ કરે છે

એસવીપી હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી ડો. અમી પરીખના જણાવ્યા અનુસાર એસવીપીમાં રેસિડન્ટ ડોક્ટરો અને સ્ટાફ બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક ટીમ સતત 7 દિવસ ઓન ફ્લોર અને એ પછીના 7 દિવસ ઓફ ફ્લોર કામ કરે છે. ઓન ફ્લોર હોય ત્યારે 8 કલાકની આકરી ડ્યૂટી અને કોવિડના દર્દીઓ સાથે સીધો સંપર્ક હોય છે. આપણે ત્યાં આઈસીયુ માટે ટ્રેઈન થયેલો સ્ટાફ જોઈએ તેટલા પ્રમાણમાં નથી એટલે બધો બોજ ડોક્ટરો પર હોય છે. વળી આપણે ત્યાં પેશન્ટ-ડોક્ટરના રેશિયો જેવું પણ કંઈ નથી.
સાત દિવસ ઓન ફ્લોર ડ્યૂટી પછીના સાત દિવસ ડિસિશન મેકિંગ ટીમમાં કામ કરવાનું હોય છે. અત્યારે તો એસવીપીના ગાયનેક, ઓર્થો, સર્જરી સહિતના તમામ વિભાગના ડોક્ટર કોવિડ સંબંધિત કામગીરીમાં મદદ કરે છે. હોસ્પિટલના 300થી 320 ડોક્ટરોને બે ટીમમાં વહેંચી દેવાયા છે. એક ટીમ ઓન ફ્લોર હોય ત્યારે બીજી ટીમ મોનિટરિંગનું કામ કરે છે. એસવીપીમાં આવું સંકલન પહેલી વખત જોવા મળ્યું છે. કોઈ પણ સમયે 6 સિનિયર ડોક્ટરની ટીમ હાજર હોય છે. વધારામાં પીપીઈ કિટથી ગરમી કળાવનારી બની જાય છે. આ કિટથી એટલો બધો પરસેવો થતો હોય છે કે ડોક્ટરોએ સતત રીહાઈડ્રેટ રહેવું પડે છે. ફિઝિકલ સ્ટ્રેસ પણ થકવી નાખનારો હોય છે.
અમે અત્યાર સુધી એચવનએનવન, કોંગો ફિવરના વાવરમાં કામ કર્યું છે, પણ આ વખતે આફત કંઈક જુદી જ છે. પણ એકવાર દર્દી સાજો થઈને હસતો હસતો ઘરે જાય એટલે બાકીનું બધું ભૂલી જવાય છે.
સારવાર દરમિયાન અમારે દર્દીઓનું કાઉન્સેલિંગ પણ કરવું પડતું હોય છે. ક્યારેક એવું બને કે પતિ-પત્ની બન્ને કોવિડના દર્દી હોય. એક સાજું થઈ જાય અને રજા આપવામાં આવે તો તે જોડીદાર વગર નહીં જવાની જીદ કરતાં હોય છે. એ જ રીતે આખો પરિવાર કોવિડનો ભોગ બન્યો હોય અને બાળકો બીજા વોર્ડમાં હોય ત્યારે માતા-પિતાને સમજાવવા અઘરા બની જાય છે.
આશા રાખીએ કે ચાર છ મહિનામાં કોવિડ માટે કોઈ રસી કે માસ્ટર મેડિસિન મળી જાય. અત્યારે તો કોવિડનો રામબાણ ઈલાજ ક્યારે મળશે તેનો સચોટ જવાબ અત્યારે કોઈની પાસે નથી. કોઈ ગ્રાઉન્ડ બ્રેકિંગ વિક્લપ ન મળે ત્યાં સુધી તકેદારી રાખવી પડશે. લૉકડાઉન ખૂલ્યા પછી પણ દરેકે દરેકે સોશિયલ ડિસ્ટન્સિંગ, વારંવાર સાબુ-સેનિટાઈઝરથી હાથ ધોવાની વાતને જીવનશૈલીનો એક ભાગ બનાવવી પડશે. વળી આ શિસ્તનું પણ લાંબા સમય સુધી પાલન કરવું પડશે તો જ કોરોનાને આપણે દૂર રાખી શકીશું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એસવીપી હોસ્પિટલની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3c9iSqc

એફોર્ડેબલ હાઉસિંગની માંગ યથાવત્, રોકાણકારોને ભાડાની કમાણી માટે તૈયાર ઘર ખરીદવામાં રસ

કોરોના વાઈરસના સંકટમાં માંગની કમીનો સામનો કરી રહેલા રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. રોકાણકારોનું વલણ કેવું રહેશે એ દર્શાવતો તાજા સર્વેક્ષણ પ્રમાણે, લૉકડાઉનમાં પણ એફોર્ડેબલ હાઉસિંગની માંગ યથાવત્ છે. એટલું જ નહીં, શેરબજારની અસ્થિરતાને પગલે વધેલી અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારો રિયલ એસ્ટેટમાં રોકાણ કરીને પ્રોપર્ટી ભાડે આપવામાં રસ ધરાવે છે, જેથી સુરક્ષિત કમાણી કરી શકે. ખાસ વાત એ પણ છે કે, ભાડાના ઘરને પ્રાથમિકતા આપનારા મિલેનિયલ્સને (1980થી 2000 વચ્ચે જન્મ્યા હોય એ) પણ પોતાના ઘર કરવામાં રસ છે.
25-35 વર્ષના 48% લોકોએ રોકાણ માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રની પસંદગી કરી
લૉકડાઉનમાં 20થી 27 એપ્રિલ દરમિયાન પ્રોપર્ટી એડવાઈઝર કંપની એનારોકે દેશના 14 શહેરમાં 24થી 67 વર્ષના લોકોનું ઓનલાઈન સર્વેક્ષણ કર્યું. તેમાં 25-35 વર્ષના 48% લોકોએ રોકાણ માટે રિયલ એસ્ટેટ ક્ષેત્રની પસંદગી કરી છે. તેમણે પોતાનું ઘર ખરીદવાની પણ ઈચ્છા દર્શાવી છે. 59% લોકોને રહેવા માટે ઘર ખરીદવું છે. હકારાત્મક ટ્રેન્ડ એ દેખાયો કે, એફોર્ડેબલ હાઉસિંગની માંગ પહેલા કરતા સારી છે. આશરે 37% લોકોએ ગયા સર્વેક્ષણની જેમ રૂ. 45 લાખના બજેટમાં ઘર લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અત્યાર સુધી પોતે રહેવું હોય એવા લોકો જ તૈયાર ઘર પસંદ કરતા હતા, પરંતુ હવે રોકાણકારો પણ આવી માંગ કરી રહ્યા છે. ગયા સર્વેક્ષણમાં 22%ની તુલનામાં 34% રોકાણકાર રેડી યુ મૂવ ઘર પસંદ કરે છે. રોકાણકારોના જોખમ નહીં લેવાના વધતા વલણની રિયલ એસ્ટેટની ગતિવિધિ પર પણ અસર પડશે. એનારોક પ્રોપર્ટી કન્સલ્ટન્ટના ચેરમેન અનુજ પુરી કહે છે કે, કોરોનાના દોરમાં લોકો સ્થાવર મિલકતના માલિક બનીને સુરક્ષા ઈચ્છે છે.
લોકો ગુણવત્તા સાથે સમાધાન કરવા નથી ઈચ્છતા
કોરોનાએ લોકોના માપદંડ બદલાયા છે. એવા સ્થાપિત અને સંગઠિત ડેવલપર્સ પાસેથી જ ઘર ખરીદવાને પ્રાથમિકતા આપે છે, જેમનું જોખમ ઓછું હોય. આવા ખરીદારોની સંખ્યા ગયા વર્ષની સરખામણીએ 52%થી વધી 62% થઈ છે. ખરીદારો નાના-મોટા ડેવલપર સાથે સોદો કરીને સમાધાન કરવાના બદલે ગુણવત્તા માટે વધુ રકમ આપવા તૈયાર છે. 14% લોકો સરકારી એજન્સીએ બનાવેલા ઘર ખરીદવાને પ્રાથમિકતા આપે છે.
શું કોરોનાએ ઘર ખરીદવાનો નિર્ણય બદલાવ્યો?

  • 72% એ કહ્યું તેઓ પ્રોપર્ટી જ ખરીદશે
  • 16% સર્વેમાં 1910 લોકોએ રોકાણ પ્રાથમિકતા જણાવી
  • 12% બોલ્યા- યોજના નહોતી પણ હવે ઇચ્છુક
  • 16% કહ્યું- ઘર ખરીદીનો નિર્ણય ટાળ્યો


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/3dhSTNC

3 CRPF men, teenager killed in Handwara village



from Times of India https://ift.tt/2z7W4Zq

Over 250 NRIs depart for the UK from Amritsar airport amid lockdown

Over 250 NRIs depart for the UK from Amritsar airport amid lockdown




from News - Videos - The Times of India https://ift.tt/2W34rOL

Sunday, May 3, 2020

કોઈએ રજા કેન્સલ કરી તો કોઈ 5 માસના ગર્ભ સાથે ફરજ નિભાવે છે 

શહેરમાં રોજે રોજ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે ત્યારે પોઝિટિવ આવેલા વ્યક્તિને ઘરેથી સિવિલ હોસ્પિટલ સુધી લઈ જવાનું કામ 108 એમ્બ્યુલન્સના કર્મચારી કરી રહ્યા છે. કોરોનાનો ચેપ લાગવાના સતત ભય વચ્ચે પણ આ ફ્રન્ટ વોરિયર્સ પોતાની ફરજ સુપેર નિભાવી રહ્યા છે. શહેરની કુલ 27 એમ્બ્યુલન્સ પૈકી 5 એમ્બ્યુલન્સને ફક્ત કોરોના પોઝિટિવ અને શંકાસ્પદ લોકોને સિવિલ હાસ્પિટલ લઈ આવવા માટે જ અલગ કરી શહેરના અલગ અલગ પોઇન્ટ પર ગોઠવી દેવામાં આવી છે. મનપા દ્વારા પોઝિટિવ આવેલા વ્યક્તિના ઘરનું લોકેશન આપવામાં આવતા જ 108 એમ્બ્યુલન્સ પોઝિટિવ વ્યક્તિને લેવા નીકળી પડે છે.108 એમ્બ્યુલન્સના સુરતના અધિકારી રોશન દેસાઈએ જણાવ્યું હતું કે, ચેપ લાગવાના જોખમ વચ્ચે કામ કરતા 108 કર્મચારીઓ પોતાની વ્યક્તિગત સ્થિતિ અને મુશ્કેલીને બાજુએ મૂકી અવિરત દોડી રહ્યા છે. કોરોના પેસન્ટ માટે જ ફાળવાયેલી 108 એમ્બ્યુલન્સના 20 કર્મચારીઓ રાત-દિવસ શિફ્ટ પ્રમાણે કોરોના સામેની જંગમાં ફ્રન્ટ વોરિયર બન્યા છે.
24 કલાકમાં 20 કોલ, જમવાનો સમય પણ નથી
પાંચ એમ્બ્યુલન્સના સ્ટાફને કેટલીકવાર જમવાનો પણ સમય નથી રહેતો,અંદાજિત દર કલાકે સેનિટાઇઝ થવાથી લઈ પીપીઈ કીટ બદલતા રહેવા વચ્ચે જમવાનો સમય ગોઠવી દે છે. પોતે સેનિટાઇઝ થવા ઉપરાંત 108ને પણ દર ટ્રીપે સૅનેટાઇઝ કરવામાં આવે છે. 24 કલાકમાં 20 ટ્રીપ થાય છે
5 માસનાે ગર્ભ છે પણ આ સમયે ફરજ કેવી રીતે ભુલુ ?
લિંબાયતમાં 108માં ઈએમટી તરીકે ફરજ બજાવતી દીક્ષિતા પટેલે જણાવ્યું કે, જયારે સમાજને અમારી ખરેખર જરૂર છે ત્યારે અમે અમારી ફરજ કેવી રીતે ચુકી શકીએ? 5 માસનો ગર્ભ છતાં કોલ મળતા જ 108 લઈને પોઝિટિવ વ્યક્તિને લેવા નીકળી પડે છે.
પત્નીને 7મો મહિનો, ઘરે પણ બીજા રૂમમાં એકલો જ રહું છું
કતારગામ લોકેશન પર 108ના ઈએમટી રાકેશ ડુમરાલીયાની પત્નીને 7મો મહિનો ચાલી રહ્યો છે.રાત્રે ઘરે ગયા બાદ તેઓ આઇસોલેટ થઇ જાય છે.ગર્ભવતી પત્નીથી નિયત ડિસ્ટન્સ રાખી રહ્યા છે. રાકેશભાઈએ જણાવ્યું કે કર્મ એજ પૂજા છે.અત્યારે જ અમારી સહુથી વધુ જરૂર છે.
બીમાર માતાની સેવા કરવા રજા લીધી, પણ કેન્સલ કરી
હોટસ્પોટ માનદરવાજાના 108ના પાઇલોટ સંદીપ નાઈકે પોતાની માતા બિમાર હોવાને લીધે રજા લીધી હતી પણ કોરોનાને કારણે રજા કેન્સલ કરાવી મહેસાણાથી સુરત આવી ડ્યુટી પર હાજર છે. રોજ સરેરાસ સાતથી આઠ પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલ લઈ આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Someone cancels the leave, someone is on duty with a 5 month pregnancy


from Divya Bhaskar https://ift.tt/2ymgc9W

બચત અને કૃષિ અર્થતંત્ર પર ખરાબ અસર થવા નહીં દે, આંત્રપ્રિન્યોર અને ખેતી જોડાય તો વિકાસની ક્રાન્તિ સર્જાય: સ્ટીવ હેન્કી

વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-19નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આવું કહેવું છે, જોન હોપકિન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર અને ઇકોનોમિસ્ટ પ્રોફેસર સ્ટીવ એચ. હેન્કીનું. અમેરિકા સહિત 10થી વધુ દેશોના સલાહકાર રહી ચૂકેલા પ્રો. હેન્કી કહે છે કે વિશ્વને સિંગાપોરના લી ક્યુઆન જેવા નેતાઓની જરૂર છે. જે પોતાના દેશ અને જનતાને સંકટમાંથી સંપન્ન બનાવી શકે. ભાસ્કરના રિતેશ શુક્લાએ પ્રો. હેન્કી સાથે રાજકારણ અને આર્થિક મુદ્દા પર વાતચીત કરી જેના મુખ્ય અંશ વાંચો....
સંક્રમણ અને લૉકડાઉનની વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થશે? અત્યારે આ અંગે કંઇ કહેવું વહેલાસરનું હશે, પરંતુ એ નક્કી છે કે ભારત જેવા બચતપ્રધાન દેશ આ મહામારીનો સામનો સારી રીતે કરી શકશે. કોવિડ-19થી અગાઉની તુલનામાં વિશ્વમાં ખર્ચ ઘટાડવા અને બચત કરવાનું વલણ વધારશે. દાખલા તરીકે ખાણી-પીણીની વસ્તુઓ પર ખર્ચ વધશે. એવા ખાદ્યપદાર્થો પર પણ ખર્ચ વધશે, જે બીમારીઓથી બચાવી શકે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે હવે વેપારી અને ઉદ્યોગપતિ પણ બચત વધારશે. એટલે પોતાના વહીખાતાને મજબૂત કરવા માટે તેઓ રોકાણ થોડા સમય માટે ટાળી શકે છે. કૃષિપ્રધાન દેશ યુગોસ્લાવિયામાં બાલ્કન યુદ્ધ દરમિયાન ત્યાંના પ્રમુખ સલાહકાર રહેવાના પોતાના અનુભવથી હું કહી શકું છું કે ઘણા બધા દેશોની જેમ ભારતની મોટા ભાગની વસતીને ભૂખમરાનો સામનો નહીં કરવો પડે કારણ કે અહીંની 50 ટકાથી વધુ વસતી ખેતી સાથે સંકળાયેલી છે. ભારતની વિશેષતા એ છે કે અહીં આંત્રપ્રિન્યોર વર્લ્ડક્લાસ સ્કિલ્સથી સજ્જ છે. કોવિડ પહેલાં લાખો આંત્રપ્રિન્યોર વિક્સિત દેશો જેમ કે અમેરિકા, બ્રિટન તરફ વળતા હતા, પરંતુ કોવિડ-19 બાદ સ્થિતિ બદલાઇ શકે છે. તેમને જો કૃષિ સાથે જોડવાની તક મળે તો દેશમાં વિકાસની ક્રાન્તિ આવી શકે છે.
જોકે હું બહુ આશાવાદી નથી, કારણ કે ભારતે પહેલાં પણ ઘણી વખત મોટી તકો ગુમાવી દીધી છે. કારણ કે તેનું નેતૃત્વ તેને ક્યારેય વટાવી શક્યું નથી. મારા મિત્ર અને વ્હાઇટ હાઉસના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ જિમ બેકર કહેતા હતા કે સંકટના સમયમાં પહેલાંથી કરવામાં આવેલ તૈયારીને લીધે ખરાબ પરિસ્થિતિમાંથી બચી શકાય છે. જોકે ભારત જેવા દેશોની સમસ્યા એ છે કે અહીં પહેલાંથી તૈયારી કરવાની શક્યતા બહુ ઓછી છે. તેથી અહીં પરિવર્તન ધીમું રહ્યું છે. કોવિડ બાદ વિશ્વભરના દેશોની સરકારો શક્તિશાળી થશે અને જનતા નબળી થશે, કારણ કે ઇતિહાસ સાક્ષી છે કે દરેક સંકટમાં આવું થયું છે.
આવનારા સમયમાં ડોલરની માગ વધશે. જે દેશો પર પ્રતિબંધ મુકાયો છે, જેમ કે ઇરાન, વેનેઝુએલા અને રશિયા તે વધુ ઝડપથી ડોલરનો વિકલ્પ શોધશે. કોવિડ બાદ વિવિધ દેશોમાં સ્વાવલંબનનાં સૂત્રો બુલંદ થશે. જેને ભારતમાં સ્વદેશી કહે છે. એટલે વિશ્વભરમાં સ્વદેશીનું વલણ વધી શકે છે. મેક ઇન ઇન્ડિયા, મેક અમેરિકા ફર્સ્ટ, બ્રેક્ઝિટ આ જ વિચારધારાના બીજા રૂપ છે. લાંબા સમયમાં અને વ્યાપક સ્તરે તે નુકસાનકારક સાબિત થાય છે. વિકાસશીલ જ નહીં પણ કેટલાક વિકસિત દેશોમાં પણ કોવિડ બાદ રાષ્ટ્રવાદ અને સ્વાવલંબનનાં સૂત્રો વેચાશે. તેનું સૌથી મોટું નુકસાન ચીનને થઇ શકે છે. જો ઘણા દેશો તેમની આયાતમાં કાપ મૂકે તો ચીનની ઘણી ફેકટરીઓ બંધ થઇ શકે છે અને ત્યાં બેરોજગારી વધી શકે છે. તેથી વિશ્વભરમાં સરકારો તાનાશાહીની દિશામાં પગલાં લઇ શકે છે. ચીનમાં પહેલેથી જ તાનાશાહી છે, તેથી સંભવ છે કે ચીનમાં લોકો તાનાશાહ વિરુદ્ધ આંદોલન પણ કરે. આ સંભાવનાઓની સાથે મને એવું લાગે છે કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી હજુ ચાલશે.
ટ્રમ્પમાં દોષ છે અને બાઇડેન નબળા છે. અમેરિકામાં 2020માં થનારી ચૂંટણીઓમાં ટ્રમ્પ જીતે કે બાઇડેન, જનતાને કોઇ લાભ થશે નહીં. ટ્રમ્પે ટેક્સ ઓછો કર્યો અને લાલફીતાશાહી ઓછી કરી છે, જે સારાં પગલાં છે, પરંતુ બધું મળીને તેમની સરકાર સરેરાશ રહી. લોકો ખામીઓથી ભરેલા ટ્રમ્પ અને નબળા બાઇડેનમાંથી એકને ચૂંટવા મજબૂર છે.
ભારતે રૂપિયો મજબૂત કરવો પડશે, ગ્લોબલ ટેલેન્ટને તક આપવી પડશે
ભારતમાં આર્થિક ક્ષેત્રે અડધા-અધૂરા પ્રયોગ થયા. મોટા ભાગની વસતી પર અર્થિક નીતિઓની અસર નહીંવત છે. તેનું ભયંકર નુકસાન છે. દાખલા તરીકે ભારતીય ચલણની ક્યાંય માગ નથી. ભારતે પોતાનું ચલણ મજબૂત કરવાનો ઉપાય શોધવો જાઇએ. જેથી અન્ય દેશ તમારા ચલણમાં વેપાર કરવા ઇચ્છુક બને. તેના માટે હોંગકોંગની જેમ કરન્સી બોર્ડ બનાવી શકાય છે. તેનાથી રૂપિયો મજબૂત થશે. મોટા ભાગના રોજગાર બિનસંગઠિત ક્ષેત્રમાં છે. તેનાથી સંકટના સમયે એ જાણવું મુશ્કેલ છે કે કોનો રોજગાર ગયો અને કોનો બચ્યો છે. વર્ષ 1965 પછી સુધી સિંગાપોર, સાઉથ કોરિયા, ચીન જેવા દેશ પણ ભારત કરતાં ગરીબ હતા અથવા ભારત જેવા હતા. પરંતુ આજે અંતર જોઇ લો. સિંગાપોર જેવા નેતૃત્વમાં વિશ્વસ્તરીય ટેલેન્ટને તક આપવાની વ્યવસ્થા બનાવવી પડશે. જ્યાં સુધી નેતૃત્વ યોગ્ય નહીં હોય, ત્યાં સુધી સંસાધનોનો ઉપયોગ યોગ્ય નહીં થાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઇકોનોમિસ્ટ પ્રોફેસર સ્ટીવ એચ. હેન્કી.


from Divya Bhaskar https://ift.tt/2Swidap

SVP હોસ્પિટલના ડૉ. અમી પરીખે કહ્યુ- વાઈરસ એટલો ઝડપથી ફેલાતો હોય છે કે દર્દીને બચાવવાનો ટાઈમ જ નથી મળતો

એસવીપી હોસ્પિટલના મેડિસિન વિભાગના એચઓડી ડો. અમી પરીખે જણાવ્યું હતું કે, ડોક્ટર તરીકે અમે ગંભીર રીતે બીમાર દર્દીઓને જોવા ટેવાયેલા છીએ પણ જે ઝડપે કોવિડ-19નો ફેલાવો થઈ રહ્યો છે તે અમારા માટે પણ આઘાતજનક છે. એક દર્દી હોસ્પિટલમાંથી સાજો થઈને જાય તે કોઈ પણ ડોક્ટર માટે ખુશીની વાત છે. પરંતુ જ્યારે કોઈ દર્દી જીવ ગુમાવે છે ત્યારે અમને પણ ઊંડી ઠેસ પહોંચે છે. અમે ડોક્ટરોની ટીમ દર્દીને કેમ ગુમાવવો પડ્યો તેનાં કારણોની વિશેષ ચર્ચા કરીએ છીએ. રેસિડન્ટ ડોક્ટર્સ તો દર્દીઓના એટલા ક્લોઝ ટચમાં હોય છે કે બન્ને વચ્ચે લાગણીનો સંબંધ બંધાઈ જાય છે. કેટલાક કેસમાં તો પરિણામ નથી મળે તેવું જાણવા છતાં ડોક્ટરો દર્દીના છેલ્લા શ્વાસ સુધી મહેનત કરે છે. કોવિડના બધા કેસ નિરાશાજનક હોય છે એવું નથી, કેટલાક દર્દી તો એ સ્ટેજ પરથી સાજા થયા છે કે અમે સ્વપ્ને પણ ના વિચાર્યું હોય.
વાઈરસ ફેફસામાં એટલો બધો પ્રસરી ગયો હોય છે કે વાત ના પૂછો
દર્દીઓ છેલ્લી ઘડીએ સારવાર માટે આવતા હોવાથી જ કોવિડમાં મોર્ટાલિટી રેટ ઊંચો હોવાનું કહેવું યોગ્ય નથી, કારણ કે ઘણા દર્દીમાં તો વાઈરસ એટલો ઝડપથી ફેલાતો હોય છે કે ટાઈમ જ નથી મળતો. કંઈ સમજાય તે પહેલાં તો વાઈરસ ફેફસામાં એટલો બધો પ્રસરી ગયો હોય છે કે વાત ના પૂછો. જોકે આ લક્ષણ દરેક દર્દીમાં હોય તેવું નથી. લક્ષણો નહીં ઘરાવતાં કોવિડના દર્દીને બહુ જોખમ નથી હોતું. મેડિકલની ભાષામાં તેમને માઈલ્ડ કહેવામાં આવે છે, પરંતુ દર્દી બાથરૂમ જવા જેવો સહેજ પરિશ્રમ કરે અને શ્વાસમાં તકલીફની ફરિયાદ કરે કે બ્લડ ટેસ્ટમાં અમુક ચોક્કસ પ્રકારના માર્કર વધુ પ્રમાણમાં દેખાય તો સારવારની પદ્ધતિ બદલવી પડે છે. કોવિડના દર્દીનાં ફેફસાં ખરાબ થઈ જતાં હોવાથી લોહીમાં ઓક્સિજન પહોંચતો નથી. આવા દર્દીને બહારથી ઓક્સિજન આપવો પડતો હોય છે. કેટલાક કેસમાં તો શ્વાસનળીમાં ટ્યૂબથી ઓક્સિજન આપવો પડે છે જેને મેડિકલની ભાષામાં મિકેનિકલ વેન્ટિલેશન કહે છે.
અમેરિકા-બ્રિટનના ડોક્ટરોનો ઓપિનિયન માગતા હોઈએ છીએ
જો કે એટલું ચોક્કસ કહીશ કે ડોક્ટર તરીકેની કારકિર્દીમાં હજુ સુધી આવી આફત જોઈ નથી. આમ છતાં આઈસીયુના સિરિયસ પેશન્ટનો ડેટા તમે વર્લ્ડ ડેટા સાથે સરખાવો તો આપણા માટે ગૌરવની વાત છે કે આપણો રિકવરી રેટ ઊણો નથી ઉતરતો. કોઈ એમ કહે કે એસવીપીનો મોર્ટાલિટી રેટ ઊંચો છે, પણ કેસની સંખ્યા, સાજા થઈને ઘરે ગયેલા દર્દી સરખાણી કરો તો ખબર પડશે કે સાચી વાત શું છે.અમદાવાદના કોવિડના દર્દીઓની સારવાર એસવીપી અને સિવિલમાં થાય છે. આમ બન્ને હોસ્પિટલ પર કેવું ભારણ છે અને કયા લેવલનું કામ છે તે સમજી શકાય એમ છે. ઉપચારની વાત કરીએ તો કોવિડ માટે કોઈ ચોક્કસ દવા નથી. આઈસીયુમાં ટાઈમ ટુ ટાઈમ અપડેટ લેવો એક વિકલ્પ છે. દર્દીની સ્થિતિ મુજબ અમે એઈમ્સ, લખનઉ કે મદ્રાસના નિષ્ણાત ડોક્ટરોની સલાહ લેતા હોઈએ છીએ. આ ઉપરાંત અમેરિકા-બ્રિટનના ડોક્ટરોનો ઓપિનિયન માગતા હોઈએ છીએ. તમામ સારવાર એઈમ્સ અને પીજીઆઈની ગાઈડલાઈન મુજબ કરાય છે. સરકારે નિયુક્ત કરેલા નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવાતું હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
એસવીપી હોસ્પિટલમાં આઈસીયુમાં સતત 8 કલાક ડોક્ટરો પીપીઈ કિટ પહેરીને દર્દીઓની સેવા કરે છે.


from Divya Bhaskar https://ift.tt/2zV0EdU

ચેપમુક્ત ગોવામાં લોકો ફરવા નીકળ્યા

ગોવાના કેન્ડોલીમ બીચ પર લૉકડાઉનમાં ફસાયેલા પ્રવાસી શ્રમિકો અહીં ગરમીથી રાહત મેળવવા માટે ફરવા નીકળ્યા હતા. ગોવામાં સેંકડો પ્રવાસી લોકો પર્યટન, નિર્માણ ક્ષેત્ર, નાઈટક્લબ વગેરેમાં કામ કરવા આવે છે. લૉકડાઉનના કારણે કામકાજ ઠપ છે. અનેક લોકો રોજગાર ગુમાવી ચૂક્યા છે. ગોવા બે અઠવાડિયાં પહેલાં કોરોનામુક્ત થઈ ગયું હતું. અહીં 7 કેસ આવ્યા હતા. તે બધા સાજા થઈ ચૂક્યા છે તેમ છતાં રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના લૉકડાઉનના નિર્દેશોનું પાલન કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર ગોવાના કેન્ડોલીમ બીચની છે.


from Divya Bhaskar https://ift.tt/2VZSKIT

પાકિસ્તાનમાં તબલીગી જમાતના 72 સભ્ય ભાગ્યા, તેમને પકડવા ISI કામે લાગી

પાકિસ્તાનમાં રવિવારે 1297 નવા કેસ સાથે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 19,854 થઇ ગઇ. અત્યાર સુધીમાં 446 મોત થયાં છે. સૌથી વધુ 180 મોત ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં થયાં છે. કોરોના સામે લડવામાં સરકાર ઘણા મોરચે નિષ્ફળ રહી છે. પંજાબ પ્રાંતના હાફિઝાબાદ સ્થિત મુખ્ય મરકજમાં ક્વોરેન્ટાઇન કરાયેલા તબલીગી જમાતના 72 સભ્ય અત્યાર સુધીમાં ભાગી ચૂક્યા છે. તેમને પકડવા માટે જાસૂસી સંસ્થા આઇએસઆઇને કામે લગાડાઇ છે. બીજી તરફ સૈન્ય પણ કોરોના સામેની લડાઇમાં આગળ આવ્યું છે. તેણે દેશભરમાં તેની છાવણીઓ, હથિયાર ફેક્ટરીઓ, તિબેટ બેલ્ટ, કાશ્મીર, અને ગિલગિટ બાલટિસ્તાન જેવા સરહદી વિસ્તારોમાં સખત લૉકડાઉન કર્યું છે. આ તમામ સ્થળે જવાનો તહેનાત કરાયા છે. સૈન્યના તમામ વિભાગોના કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઇ છે. તદુપરાંત, દેશભરમાં સરકારી કર્મચારીઓની મદદ માટે અનામત દળો તહેનાત કરાયાં છે. સૈન્યની મેડિકલ કોરની મદદ માટે ચીની સૈન્યના મેડિકલ એક્સપર્ટ્સને બોલાવાયા છે. પાક.ની હોસ્પિટલોમાં ચીની ડૉક્ટરો જોઇ શકાય છે. ચીની મેડિકલ ટીમનું નેતૃત્ત્વ મેજર જનરલ હુઆંગ કિનજેન કરી રહ્યા છે. તેઓ 9 દિવસ અગાઉ પાકિસ્તાન આવ્યા હતા. ટીમ 2 મહિના સુધી પાકિસ્તાનમાં રહેશે. ટીમમાં રોગ નિયંત્રક, આઇસીયુ એક્સપર્ટ અને શ્વાસના રોગોના નિષ્ણાત સામેલ છે.
સરકાર કોરોના સંકટનો મુકાબલો કરવામાં નબળી:બિલાવલ ભુટ્ટો
બીજી તરફ વિપક્ષ વડાપ્રધાન ઇમરાન ખાન પર સતત દબાણ લાવી રહ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોનું કહેવું છે કે સરકાર કોરોના સંકટનો મુકાબલો કરવામાં નબળી સાબિત થઇ છે. ઇમરાને રાજીનામું આપવું જોઇએ. જોકે, સરકારનું કહેવું છે કે તેણે અત્યાર સુધીમાં 2,03,025 લોકોના ટેસ્ટ કરાવ્યા છે.

દેશમાં 444 હેલ્થવર્કર કોરોના પોઝિટિવ
પાકિસ્તાનના ડૉક્ટર્સ પહેલેથી જ સુરક્ષા ઉપકરણોની અછતનો સામનો કરી રહ્યા છે. ચાર દિવસ અગાઉ રાવલપિંડીમાં 26 વર્ષના ડૉક્ટરનું કોરોનાથી મોત થતાં અન્ય હજારો સ્વાસ્થ્યકર્મી હચમચી ગયા છે. તેઓ શરૂઆતથી જ જરૂરી સુરક્ષા ઉપકરણો અને સુવિધાઓની માગ કરી રહ્યા છે, જે સંતોષવામાં સરકાર નિષ્ફળ રહી છે. યુવા ડૉક્ટરના મોતના અઠવાડિયા અગાઉ પેશાવરમાં પણ એક સિનિયર ડૉક્ટરનું કોરોનાથી મોત થયું હતું. નેશનલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર દેશમાં 444 હેલ્થવર્કર કોરોના પોઝિટિવ જણાયા છે, જેમાં 216 ડૉક્ટર, 67 નર્સ તથા 161 અન્ય સ્વાસ્થ્ય કર્મી છે. યંગ ડૉક્ટર્સ એસોસિયેશનના અધ્યક્ષ ડૉ. મોહમ્મદ ફઝલે કહ્યું કે મોટા ભાગના કોરોનાગ્રસ્ત ડૉક્ટર્સ બેચેન અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી ગ્રસ્ત છે. તેથી તેમના માટે સાઇકોલોજિસ્ટ રખાયા છે.
કેટલાક ઉદ્યોગ ફરી ખોલવાની મંજૂરી અપાઇ
બીજી તરફ સરકાર આવતા અઠવાડિયે લૉકડાઉનમાં વધુ છૂટછાટ જાહેર કરી શકે છે. ગયા મહિને 21 ઉદ્યોગ ફરી ખોલવાની મંજૂરી અપાઇ હતી, જેમાં સિમેન્ટ, કેમિકલ, ક્રશિંગ, ફર્ટિલાઇઝર, ખનીજ, ખેતી, કાચ, સ્ટેશનરી ઉદ્યોગ, સોફ્ટવેર ડેવલપમેન્ટ, પેપર અને પેકેજિંગ યુનિટ વગેરે સામેલ છે.
પાકિસ્તાનના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ ઇકોનોમિક્સ અનુસાર, કોરોનાને કારણે, દેશમાં 1.80 કરોડ લોકોને રોજગાર મળી શકે છે. 7 કરોડ લોકો ગરીબી રેખાની નીચે જઈ શકે છે.
5 રાજ્યોમાં 94 ટકા કેસ છે
પંજાબ-7,106
સિંધ-7,102
ખૈબર પખ્તુનખ્ખા-2,907
બલુચિસ્તાન-1,172
ઇસ્લામાબાદ-393



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઇસ્લામાબાદમાં ચીની સૈન્ય મેડિકલ કોર્પ્સની ટીમ. તે અહીં બે મહિના રહેશે.


from Divya Bhaskar https://ift.tt/2Wnd7yv

મંત્રી બચુ ખાબડે કહ્યું, મોદી સાહેબે ચિંતા કરી: દવા, દારૂ, અનાજની વ્યવસ્થા કરી!

ગુજરાત સરકારના મંત્રીઓ સમયાંતરે બોલવામાં ભાંગરો વાટીને ચર્ચામાં રહે છે. અગાઉ એકવખત બોલવામાં ચુક થઇ ગયા પછી રાજય કક્ષાના પશુપાલન અને ગ્રામ આવાસ,ગ્રામ વિકાસ મંત્રી બચુ ખાબડે વધુ એકવખત ભાંગરો વાટયો છે.તેમણે ફતેપુરામાં ઉકાળા વિતરણના એક યોજાયેલા સમારોહમાં કોરોના વિશે સરકારની કામગીરીનો ઉલ્લેખ કરતા બોલી ઉઠયા હતા કે, મોદી સાહેબે ચિંતા બહું કરી, દારૂ, અનાજ, દવાની મફતમાં વ્યવસ્થા કરી.તેમનો આ વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે.આ બાબતે તેમની સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, હા,ફતેવાડીમાં ઉકાળા વિતરણમાં આવું થઇ ગયું.
આઝાદીના ચાર યુગ પછી આવી ઘટના બની
ફતેપુરામાં ઉકાળા વિતરણની એક સાદા સમારોહમાં સંબોધન કરતા મંત્રી બચુ ખાબડ કોરોના વિશે વાતચીત કરી રહ્યા હતા. મંત્રી ખાબડે કહ્યું કે, અમદાવાદ સિવાય બીજે બધેય આપણે સારું છે અને એ પણ આખા રાજયના વહીવટી તંત્રએ કામગીરી કરી. દેશના વડાપ્રધાન મોદી સાહેબે એટલી જ ચિંતા કરીને વ્યવસ્થા કરી, દારૂ વ્યવસ્થા,અનાજ મફત આપવાનું,પૈસા આપવાના છે, દવા મફત આપવાની છે, કોઇ ક્ષેત્રે કમી રાખી નથી. મંત્રી વિડીયોમાં એવું પણ બોલે છે કે, આઝાદીના ઇતિહાસની અંદર ચાર યુગ પછી પહેલીવાર ઘટના બની છે,1856માં આવ્યો હતો પેલો રોલ એમ કુકડીયો,એની પછી કોઇ દિ આવ્યું નથી અને આપણે જોયુ નથી. 200 વર્ષ થવા આવ્યું,પણ આજે જે આવ્યું છે,એમાંથી માંડ માંડ આપણે બહાર નીકળી ગયા છીએ. મંત્રીએ આઝાદીના ચાર યુગ પછી આવી ઘટના બની તેવો ઉલ્લેખ વિડીયોમાં કરે છે એટલે ચાર યુગ કઇ રીતે થયા તે બાબત ચર્ચાસ્પદ બની છે. તેમનો આવા સંબોધનવાળો વિડીયો વાયરલ થતા વધુ એક વખત વિવાદ થયો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પશુપાલન અને ગ્રામ આવાસ,ગ્રામ વિકાસ મંત્રી બચુ ખાબડ.


from Divya Bhaskar https://ift.tt/2YwDVij