
દિલ્હી પોલીસ તબલીગી જમાતના વડા મૌલાના સાદને શોધી રહી છે. આ દરમિયાન તેઓ પણ નરમ પડ્યા છે. હવે તેમણે એક વીડિયો સંદેશ જારી કરીને જમાતના લોકોને અપીલ કરી છે કે, જ્યારે બંદા અલ્લાહથી દૂર થઈ જાય છે, ત્યારે અલ્લાહ એવી સ્થિતિ ઊભી કરે છે કે, બંદા નજીક આવે. તમે જ્યાં પણ છો, ત્યાં તંત્રની મદદ કરો. આવું કરવાથી આપણને બનાવનારો પણ નરમી દેખાડશે. કોરોના વાઈરસની બિમારીની સારવાર જરૂરી છે, જરૂરિયાતમંદોની મદદ કરો અને ભાઈચારાથી રહો. નોંધનીય છે કે, આ પહેલા 30 માર્ચે મૌલાના સાદનો એક કથિત ઓડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ કહેતા હતા કે, એ વિચાર જ બેકાર છે કે મસ્જિદમાં ભેગા થવાથી બિમારી થશે. હું કહું છું કે, જો તમે એ પણ જોશો કે, મસ્જિદમાં આવવાથી મતે મરી જશો, તો તેનાથી સારી મરવાની જગ્યા બીજી કોઈ ના હોઈ શકે.
બાંગ્લાદેશ: મૌલવીના જનાજામાં ભીડ થતાં પોલીસ અધિકારી સસ્પેન્ડ
ઢાકા: મુસ્લિમ ધર્મગુરુના જનાજામાં શનિવારે હજારોની ભીડ થવાના કેસમાં બાંગ્લાદેશ સરકારે બ્રાહ્મણબારિયા જિલ્લાના એક પોલીસ અધિકારી સહિત ત્રણને હટાવી દીધા છે. આ પોલીસ અધિકારીઓ લોકોને એક સ્થળે ભેગા થતાં રોકવામાં નિષ્ફળ રહ્યા હતા.
પ્રતિબંધ હોવા છતાં ધાર્મિક આયોજન કરનારા મૌલવી વિરુદ્ધ કેસ
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ધાર્મિક આયોજન કરનારા એક મૌલવી વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. અહેવાલો પ્રમાણે, મૌલવીનું નામ મૌલના અબ્દુલ અજીજ છે, જેમણે શુક્રવારે મસ્જિદમાં સેંકડો લોકોને ભેગા કરીને નમાજ પઢાવી હતી.
ઉત્તર પ્રદેશમાં તબલીગી જમાતના 82 લોકો વિરુદ્ધ ચાર્જશીટ
ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લા પોલીસે જુદા જુદા ક્ષેત્રોમાથી પકડેલા તબલીગી જમાતના 82 આરોપી વિરુદ્ધ ચાર્જશીટની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં 57 વિદેશી છે. તેઓ ટુરિસ્ટ વિઝા પર ભારત આવીને ધાર્મિક પ્રચાર કરતા હતા. તેમના પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયા છે. પોલીસે કહ્યું છે કે, દેવબંધ, કુતુબશેર, મંડી અને કોતવાલી દેહાતમાં તબલીગીઓ વિરુદ્ધ છ કેસ નોંધાયેલા છે. મહારાષ્ટ્રના મંત્રી અનિલ દેશમુખે પણ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં તબલીગી જમાતના 156 લોકો વિઝા નિયમો તોડવાની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે, દેશના કુલ કેસમાં 30 ટકા કેસ એકલા તબલીગી જમાતના કારણે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2wRE7gV
No comments:
Post a Comment