
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે એક મેસેજ શેર કરી રહ્યા છે તેમણે જાતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. કોરોના વાઈરસના સંક્રમણના સંકજામાં આવવાથી દેશમાં અત્યાર સુધી 60થી વધું લોકોના મોત થયા છે. દેશભરમાં 2 હજાર કરતા વધારે લોકો સંક્રમિત છે. મોદી સતત તમામ રાજ્યોના સંપર્કમાં છે. પીએમ મોદીએ કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો.
આ કાર્યક્રમ વખતે કોઈએ ક્યાંય પણ ભેગા થવાનું નથી. રસ્તા પર શેરીઓ અથવા મોહલ્લામાં જવાનું નથી. તમારા ઘરની બાલ્કનીમાંથી જ કરવાનું છે. સોશ્યલ ડિસ્ટેસિંગની રેખાને ઓળંગવાની નથી. કોરોનાની ચેઈન તોડવાનો આજ રામબાણ ઈલાજ છે. એટલા માટે જ રવિવારની રાતે થોડા સમય એકલા બેસીને માં ભારતીનું સ્મરણ કરો.. સામૂહિકતાનો અહેસાસ કરો. આ આપણને સંકટના સમયમાં લડવાની શક્તિ આપશે..
કોરોના અંગે વડાપ્રધાન મોદીએ મેસેજ આપતા કહ્યું- જનતા કર્ફ્યૂ દુનિયા માટે શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું
પીએમ મોદીએ કહ્યું કે, તમે સૌએ જે રીતે અનુશાસન અને સેવાભાવ બન્નેનો પરિચય આપ્યો છે. તે અભૂતપૂર્વ છે. તમે સ્થિતિને સંભાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. તમે જે રીતે રવિવારના દિવસે કોરોના વિરુદ્ધ લડાઈ લડનારા સૌનો આભાર માન્યો તે આજે દરેક દેશ માટે ઉદાહરણ બન્યો છે. જનતા કર્ફ્યૂ હોય, થાળી વગાડવાનો કાર્યક્રમ હોય.. તમે દેશની સામૂહિક શક્તિનો અનુભવ કરાવ્યો છે.. દેશ એકજૂથ થઈને કોરોના વિરુદ્ધ લડી શકે છે. હવે લોકડાઉન વખતે દેશની સામૂહિકતા જોવા મળી રહી છે. આજે જ્યારે દેશના કરોડો લોકો ઘરમાં છે ત્યારે કોઈને પણ લાગી શકે છે કે તે એકલો શું કરશે, ઘણા લોકો એવું પણ વિચારી રહ્યા હશે કે આવડી મોટી લડાઈને એકલા કેવી રીતે લડીશું.. હજું કેટલા દિવસો કાપવા પડશે.. આપણે આપણા ઘરોમાં જરૂર છીએ પણ આપણામાંથી કોઈ એકલું નથી. 130 કરોડના દેશવાસીઓની સામૂહિક શક્તિ દરેક વ્યક્તી સાથે છે.
વડાપ્રધાને કહ્યું કે, કોરોના વિરુદ્ધ જાગૃતતા અભિયાનમાં ધર્મગુરુઓની મદદ લેવામાં આવે.
મોદી આ મહામારીના જોખમ વચ્ચે 2 વખત રાષ્ટ્રના નામે સંબોધન આપી ચુક્યા છે. પહેલી વખતે તેમણે 22 માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવા અને કોરોના ફાઈટર્સના સન્માનમાં તાળી-થાળી વગાડવાની વાત કહી હતી. ત્યારબાદ 24 માર્ચના બીજા સંબોધનમાં 21 દિવસ માટે લોકડાઉનની વાત કહી હતી. આ લોકડાઉન 14 એપ્રિલે ખતમ થશે.
At 9 AM tomorrow morning, I’ll share a small video message with my fellow Indians.
— Narendra Modi (@narendramodi) April 2, 2020
कल सुबह 9 बजे देशवासियों के साथ मैं एक वीडियो संदेश साझा करूंगा।
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/346GV5S
No comments:
Post a Comment